SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુધ્ધ જેન તા. ૧૫--૪૧ सच्चस्स आणाए उवहिए. मेहावी मारं तरति । સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુદ્ધ જૈન . सत्यपूतं वदेद्वाक्यम् મે ૧૫ ૧૯૪૧ ] બોલનાર કે લખનત જ તેની વાણમય પ્રમાણુભગ; સામાજિક એકતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યની મર્યાદાઓ | (તા. ૧૫-૪-૪૧ ના અંકથી ચાલુ) સૌથી પ્રથમ તે આપણે કોઈ પણ સામાજિક રૂઢિને ખીકારીએ કે તેનો વિરોધ કરીએ, કોઈ પણ પ્રચલિત માન્યતાનું સમર્થન કરીએ કે તેને પ્રતિકુળ પ્રતિપાદન કરીએ, કોઈ પણ જુની વિચાર પદ્ધતિને વળગીને ચાલીએ કે આખો સમાજ વર્તન માન સગોમાં કોઈ પણ રીતે સ્વીકારી કે પચાવી શકે તેમ ન હોય- એવી કોઈ નવીન વિચાર પદ્ધતિને આપણે અખત્યાર કરીએ આ સર્વ પાછળ આપણી બુદ્ધિ અને નિછા કેવળ સમાજના સ્વાસ્થને પિધવાની અને વધારવાની હોવી જોઈએ. એટલે જ્યારે જ્યારે આપણે જુદા રાહે ચાલવા માંગતા હોઈએ અને એ કારણે સમાજના વિરોધને નિમંત્રવા માંગતા હોઈએ ત્યારે આપણે આપણી જાત સાથે, આપણું મન સાથે પુરેપુરી ચોખવટ કરતા રહેવું જોઇએ કે ઉપર મુજબ વર્તવામાંસમાજને અસ્વીકાર્ય વિચાર આગળ ધરવામાં અને અસ્વીકાર્ય માર્ગે ચાલવામાં– આપણે કેવળ મનસ્વીતા અથવા તે કઈ પણ પ્રકારના દેશ મત્સરને વશ બનીને તે ચાલતા નથીને ? કારણ કે કોઈ પણ પ્રશ્ન ઉપર પક્ષ અને પ્રતિપક્ષ ઉભા થાય છે તે પાછળ પક્ષનેતાઓમાં સમાજને આગળ લઈ જવાની શુદ્ધ બુદ્ધિ કે નિષ્ઠા હોય જ છે એમ હંમેશાં હોતું નથી. કેટલીક વખત આવા પક્ષો પાછળ મનસ્વીતા, અહંતા, તેષ, કે એવી કોઈ અનિષ્ટ મનોદશાની જ પ્રેરણા રહેલી હોય છે. તેથી ઉપર જણાવેલું આન્સર નિરીક્ષણ કોઈ પણ સમાજસુધારકને માટે અતિ આવશ્યક અને ઉપયોગી છે. સામાન્યતઃ એકસરખા વહેતા સમાજપ્રવાહને ક્ષુબ્ધ કે અશાન્ત કરવાનો અધિકાર તેને જ હાઈ શકે કે જે પિતાના નવા વિચારો વડે સમાજ પ્રવાહને વધારે નિર્મળ અને પુષ્ટ બનાવવાની પ્રબળ એષણા ધરાવતે હેય. અન્યથા સમાજમાં અશાન્તિ અને ક્ષોભ, પક્ષાપક્ષી અને મતભેદ ઉપજાવનાર સમાજને કેવળ દ્રોહ જ કરે છે. બીજી બાબત વાણીસંયમને લગતી છે. ઘણી વખત આપણે જોયું છે કે સારી અને સાચી બાબત કડવી વાણીથી મારી જાય છે. વર્તન કરતાં પણ વાણીનો ઘા માણસને વધારે આકરો લાગે છે. આપણી વાણીમાં સત્ય જોઈએ; સ્પષ્ટતા જોઈએ; નિડરતા જોઈએ; પણ સાથે સાથે બને તેટલી મૃદુતા અને નમ્રતા જોઈએ. જાહેર કે સામાજિક જીવનમાં એવા પણ પ્રસંગે આવે છે કે જ્યારે કડવી વાણીને પ્રયોગ કર્યા સિવાય સામેના માણસનું કે વર્ગનું અમુક બાબત સચેટપણે ધ્યાન ખેંચવાને બીજો કોઈ માર્ગ જ દેખાતું ન હોય. પણ એવા પ્રસંગે કવચિત જ આવે છે. બીજી બાજુએ એમ પણ જોવામાં આવે છે કે કેટલાક માણસની જીભ જ કડવી હોય છે. આ કડવી જીભ સમાજને જેટલું નુકસાન કરે છે તેટલું બીજા કશાથી થતું નથી. કેટલાક માણસ એમ માને છે કે તીખી તમતમતી ભાષા સિવાય કોઈ પણ વિચાર સમાજના ગળે ઉતારી શકાતા જ નથી. આવા લોકોની વાણી અતિશકિતથી જ ભરેલી હોય છે. આજના છાપાઓમાં અતિશયોકિતઓ, પક્ષાપક્ષી ભરેલાં લખાણ અને તીખી તમતમતી ભાષાને ખુબ ઉપયોગ થઈ રહેલ છે. આ રીતી અને પધ્ધતિ ખુબ ખોટી છે અને ભારે નુકસાનકર્તા છે. કોઈ પણ વિચાર કે ભાવનાનો પ્રચાર કેવળ તીખાતમતમતાં વાણ-પ્રદર્શન ઉપર નહિ પણ તે પાછળ બોલનાર કે લખનારના વર્તન ઉપર જ અવલંબે છે. વ્યક્તિનું ચિારિત્ર્ય અને ચાલુ વર્તન જ તેની વાણીને સાચી વેધકતા આપે છે. તીખી તમતમતી વાણી પાછળ અસત્ય, પ્રમાણભંગ, વિવેકપ- આ બર:- અનિષ્ટો ચાલી આવે છે અને પરિણામે સમાજમાં કોઈ પણ પ્રકારની પ્રગતિ સધાવાને બદલે ઝેર જ વધે છે. આપણે જે સમાજની સાચી સેવા કરવા માંગતા હોઈએ તે આપણી વાણીમાં સમાજને કલ્યાણકર વિચારોનું સમ્યક પ્રતિપાદન હોવું જોઈએ. અહંતા, કટાક્ષ, પ્રતિપક્ષને ગાલિપ્રદાન કે તેને હલકો પાડવાની વૃત્તિથી કરવામાં આવતા આક્ષેપ– આ બધાંય સમ્યગ વાણીના દૂષણો છે. આ બાબતમાં આદર્શ દૃષ્ટાન્ત મહાત્મા ગાંધીજી છે. તેઓ મેટામાં મોટા ક્રાન્તિકાર અને બળવાખોર છે એમ છતાં તેમની વાણી કેટલી વિશદ અને વિવેકયુક્ત છે ? આપણે આ બાબતમાં તેમનું અનુકરણ કેમ ન કરીએ? - ત્રીજી બાબત આપણા વિચારથી પ્રતિકુળ વિચાર ધરાવનાર વિષે પુરો આદરભાવ ચિન્તવવાને લગતી છે. મારો વિચાર જ સત્ય હોઈ શકે. અન્ય જે કાંઈ વિચારે છે તે કેવળ અસત્ય અને અવનતિને માર્ગે લઈ જનારું જ હોય- આવી એકાન્તિક કલ્પના આપસમજણના વધારે પડતા ખ્યાલને સૂચવે છે. પહેલાં તે જે પ્રમાણિકતાને યશ આપણે આપણા વિચારને આપીએ તે પ્રમાણિકતાને યશ આપણાથી વિરૂધ્ધ વિચાર ધરાવનારને આપણે આપવો જ જોઈએ. , દરેક પ્રશ્નને અનેક દૃષ્ટિબિન્દુઓ હોય છે. આપણે અમુક દષ્ટિબિન્દુએ અમુક પ્રશ્ન સંબંધમાં અમુક નિર્ણય ધરાવતા હોઈએ તેવી જ રીતે અન્ય વિચારક ભિન્ન દૃષ્ટિબિન્દુથી પ્રમાણિકપણે ભિન્ન નિર્ણય ધરાવતું હોય. આપણે જરૂર આપણા વિચાર મુજબ ચાલીએ પણ તે ઉપરથી અન્ય વિચાર ધરાવનાર કેવળ ટો છે એમ આપણાથી કેમ કહી શકાય ? વળી આપણી બુધ્ધિ અને અનુભવ પ્રમાણે ચાલવાને આગ્રહ રાખવા છતાં આપણી બુદ્ધિ અને અનુભવની મર્યાદાની–પરિમિતતાની આપણે કદિ પણ ઉપેક્ષા કરી ન શકીએ. આપણે અમુક માર્ગે ચાલતા હતા તે માર્ગ ખોટ હતે અથવા તો અમુક રીતે વર્તતા હતા તેમાં આપણે કેવળ ભૂલ કરી રહ્યા હતા એવું આપણને પાછળથી ભાન થયાને ઘણી વખત અનુભવ થયે હોય છે. એ અનુભવમાંથી આપણામાં એટલી નમ્રતા વિકસવી જોઈએ કે “આપણે તે કદિ ભુલીએ જ નહિ એવું બેટું અભિ માન આપણા ચિત્તને કદિ સ્પર્શવા ન પામે. આ તે આપણી જાતપુરતી વાત થઈ. પણ આપણા વિચારને પ્રચાર કરવામાં પણ પ્રતિપક્ષી વિષેને આદરભાવ અને તેની સાથેનું સભ્યતાભર્યું વર્તન આપણા મતપ્રચારમાં હંમેશાં મદદ રૂ૫ બને છે અને આપણી સામેને સામાજીક વિરોધ તે કારણે બહુ વેગ પકડી શકતો નથી. અપૂર્ણ પરમાનંદ
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy