________________
તા. ૧૫-૫-૪૧
પ્રમુદ્ધ જૈત
હિંદની મહાન્ આધ્યાત્મિક વિભૂતિ
શ્રી અરવિંદ ઘોષ
શ્રી. અરવિંદ ઘેાષ જગતના એ મહાપુરૂષમાંના એક છે કે જે કયારે કયારે ઉત્પન્ન થાય છે. એમની પુરી મહત્તા જગતને આજે વિદિત નથી; પણ એક દિવસ જગત્ જરૂર એમની મહત્તા પિછાનશે. શ્રી રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે “ આપની પાસે મંત્ર છે અને અમે આપની પાસેથી ગ્રહણ કરવા માટે રાહ જોતા ઉભા છીએ. આપના અવાજદ્રારા ભારત સમગ્ર જગતને પોતાના સંદેશો આપશે.” આ મહાન પુરૂષ માટે અલીપુર એબ કેસ વખતે એમનેા બચાવ કરતાં જીરીને ઉદ્દેશી ખેલતા સ્વ. શ્રી દેશળ દાસે ભવિષ્યવાણી કરી હતી કે “ આજે જેના પર અત્યાચારને આરેાપ મુકવામાં આવ્યા છે તે આજે ન્યાયમંદિર સમક્ષ નહિ પણ જગતના ન્યાયમંદિર સમક્ષ ઉભા છે. ખાંખના અત્યાચારનુ વાતાવરણ શાંત થતાં આજે આરપી તરીકે ઉભેલા શ્રી અરવિંદ ષ માટે ભવિષ્યમાં એક એવા સમય આવશે કે જ્યારે તે સ્વાતંત્ર્યના શાહેર, રાષ્ટ્રધર્મના પ્રણેતા અને અખિલ . માનવ જાતના કલ્યાણકર્તા તરીકે ઓળખાશે. સમસ્ત જગત એમના ગુણગાન કરી અતિ આદરપૂર્વક એમનું પુણ્ય સ્મરણ કરશે. પછી એક સમય
એ આવશે કે જ્યારે આ દેશમાં તે શું પણ સમસ્ત વિશ્વના અણુ અણુમાં એમની દિવ્ય વાણી ફરી વળશે. ” શ્રી. દેશબંધુની આ ભવિષ્યવાણી ધીમે ધીમે સહ્ય બનતી જાય છે. પ્રચારના જમાનામાં પ્રચારમાં ન માનનારા શ્રી. અરવિંદ વિષે લેકે ધણું થોડુ જાણે છે. એમને જગતની કઇ વસ્તુની અપેક્ષા ન હાવાથી લાકા પેાતાને આળખે કે નહિ તેની કશી પરવા નથી. જે સત્ય છે તે સ્વયં પ્રગટ થાય છે એમ તે માને છે અને જેમને સત્ય જાણવાની ઇચ્છા હશે તે સ્વયં એની તરફ આકર્ષાય છે. શ્રી. અરિવંદનો જન્મ ૧૮૭૨ના ઓગષ્ટમાં કલકત્તામાં થયા. એમના પિતા ડૉ. કૃષ્ણધન શ્વેષ પાશ્ચાત્ય સંસ્કૃતિના પરમ ઉપાસક હતા, પેાતાની રહેણીકરણી પૂર્ણ પાશ્ચાત્ય ઢબુ ઉપર જ કેળવી હતી. અને પોતાના પુ! પણ ‘સાહેબ' બને એવી એમની તીવ્ર ઇચ્છા હતી. તેથી બાળવયથી જ શ્રી. અરવિંદ સુરાપીયન `આયાએેના હાથમાં પાંશ્ચાત્ય વાતાવરણમાં જ ઉછર્યાં. સાત વર્ષની વયે એમને અભ્યાસ માટે ઇંગ્લેંડ મેકલવામાં આવ્યા. ઇંગ્લેંડમાં એક સરખાં ચૌદ વર્ષ રહેનાર અને બાળવયથી જ પાશ્ચાત્ય સંસ્કારામાં ઉછરેલ વ્યક્તિ એક દિવસ આર્ય સંસ્કૃતિની પરમ ઉપાસક અને પ્રણેતા બનશે એવું સ્વપ્ને પણ કલ્પી કેમ શકાય? વિદ્યાર્થી તરીકેનું એમનું જીવન ખુબ યંશસ્વી હતુ. વડાદરા કોલેજના પ્રિન્સીપાલ તરીકે ગુજારેલા જીવનની સુવાસ એમના પરિચયમાં આવેલા વચ્ચે હંમેશ કાયમ રહેશે. રાજકીય નેતા તરીકેનુ એમનુ જીવન હિન્દના સ્વાતૢત્ર્યનાં ઇતિહાસમાં ઉજવલ અક્ષરે કાયમ રહેશે. પણ સૌથી શ્રેષ્ઠ તે! એમનું યાગી તરીકેનુ જીવન છે. કીતિ, માન, સન્માન અને સંપત્તિનાં આકર્ષણુ તજી ૩૧ વર્ષથી પાંડીચેરીમાં અવિરત તપ કરતા શ્રી. અરવિંદના અદ્ભુત સંયમના સામર્થ્યની કલ્પના પણ સાધારણ વ્યકિત માટે અશકય છે. ૩૧ વર્ષના એકાંતવાસ માટે કેટલા સંયમ જોઇએ, કેટલું તપ જોઈએ એની કલ્પના પપ્પુ મુશ્કેલીથી થઇ શકે. અનેક વાર અસાધારણ વ્યકિતએ પણ સંસારની મેહજાળમાં સપડા પોતાના ધ્યેયથી વિચલિત બની જાય છે. શ્રી અરવિન્દે જગતના તમામ રેકર્ષણા પર પ્રભુત્વ મેળવી એમને તાબે કર્યાં છે. એમની તપસ્યા અજબ છે. એમની કાર્યપ્રણાલી પણ અતાખી છે. પુરાણા સર્વ યોગાનું સમન્વય સાધી એમણે પૂયાગની રચના કરી છે.
વર્ષમાં ત્રણ વખત દર્શન આપ્યા સિવાય . તે કોઇની દૃષ્ટિએ પડતા નથી. દર્શન વખતે એમની ગૌરવશાળી . આકૃતિ સુદૃઢ સ્વાસ્થ્યનો ખ્યાલ આપે છે. દર્શન સમયનું એમનું ભવ્ય સ્વરૂપ શુદાદ્વારા કદી રજુ ન કરી શકાય. પ્રકાશનાં કિરણા પ્રસારતાં એમના નયનેાની કાન્તિ અદ્ભુત હોય છે. એમની દિવ્ય મુખમુદ્રાપર વિજેતાનું ગૌરવ છે કે જેણે સમસ્ત વાસના પર વિજય મેળવ્યા છે. મૌનપણે દર્શનથી ખીજાને શા લાભ થાય ? એવા અનેકને પ્રશ્ન ઉઠે. પણ એ મૌનપણે દર્શનાર્થીઓને શુ આપે છે તે તે અનુભવી અને તે પણ ખુલ્લા દિલથી ગયેલા જ સમજી શકે. એ આકર્ષણુ એવુ છે કે તેમના એક મીનીટ માત્રના દર્શનથી જ અત્યંત મુગ્ધ બની કેટલાક લોકો પેાતાનું સર્વસ્વ ત્યાગીને એમના ચરણે આવી બેઠા છે. કેટલાય એક મિનિટના દર્શન માટે દૂર દૂરથી આવે છે. કેટલાક તા યુરોપ અમેરિકાથી પણ દર્શનાર્થે આવે છે. શ્રી, અરવિંદ શુ છે એ આજે સંપૂર્ણપણે નહિ એળખાય, કારણ કે હિદે કદી પોતાના મહાન પુરૂષોને એમના જીવન દરમ્યાન ઓળખ્યા જ નથી; પણ પાછળથી જ મંદિર બનાવી પૂજ્યા છે.
શ્રી અરવિંદ સંબધે શ્રી રામાં રેલાં કહે છે, “એશિયા અને યુરોપની સંસ્કૃતિનાં અત્યાર સુધી નહિ સધાયેલા એવા સંપૂર્ણ સમન્વયરૂપ આ રહ્યા. શ્રી. અરવિંદ ધાય. પૂર્વના દેશા શાન્ત, સ્થિર અને નિષ્ક્રિય છે. એવુ આત્મસાષથી માની બેસનારા આપણે પશ્ચિમના લોકો થેાડા જ સમયમાં પ્રગતિ અને ક્રિયાશીલતાના ઉત્સાહની બાબતમાં પણતે જદ્ધિથી વટાવી જતુ હિંદને જેને દિગંમુઢ બની જઈશું. જે રામકૃષ્ણ, વિવેકાનંદ અને શ્રી. અરવિંદ જેવી વ્યકિતમાં હિંદ તત્વચિંતનના અતલ ઉંડાણમાં ડુબકી મારતું જણાય તે તે સક્રિય જીવનમાં એકે કુદકે આગળ ટપી જવા માટે જ ! અને હિંદના મહષિઓના છેલ્લા પ્રતિનિધિ શ્રી અરવિંદ ઘેષની દૃઢ વમય મુડીની પકડમાં નવસર્જક શક્તિનું ધનુષ્ય આવી રહ્યુ છે.”
શ્રી. અરવિંદની અલૌકિક ચેોગશક્તિના પ્રત્યક્ષ નિરીક્ષક પાલીશાર નામના ફ્રેંચ તત્ત્વને જાપાનમાં ૧૯૧૯ માં વિદ્યાથી સમક્ષ વ્યાખ્યાન આપતાં જણાવ્યુ હતું, “તૈયાર થા, ઉજ્જવલ ભવિષ્ય માટે સજ્જ થા ! કારણ કે મહાન પ્રસંગાના, તેમજ એશિયાના દિવ્ય મહાપુરૂષને સમય આવી લાગ્યા છે. એશિયામાં આવા દિવ્ય પુછ્યા અત્યારે અસ્તિત્વ ધરાવે છે. 'મારૂં આખુ જીવન મેં તેમને દુનિયામાં આમ તેમ શોધવામાં વિતાવ્યું છે; કારણ કે મને એમ લાગતું હતું કે આ જગતમાં તેઓ કઇ સ્થળે હોવા જોઇએ અને જે તેમ ન હેાય તે પૃથ્વી રસાતળ થઈ જાય; કારણ કે તે જ જગતના પ્રકાશ, હું। અને જીવન છે. તેઓમાંના સૌથી મહાન નાયક આવતી કાલના વીર પુરૂષ મને એશિયામાં પ્રાપ્ત થયું. તેનું નામ શ્રી અરિવંદ ઘેષ,”
ધણા માને છે તેમ શ્રી અરવિંદ એક સાધારણ યાગી નથી. એએ એક અનન્ય, મહાન શકિતશાળી વિભૂતિ છે. જેમને તેમની સાચી પીછાન નથી તે એમના રહસ્યાને ઉકેલી શકે એમ નથી. શ્રી, અરવિંદના મુખપરતુ દિવ્ય તેજ, એમની આંખેાની નિર્મળતા અને અદ્ભુત ચમક, એમના ચહેરાપર તરી આવતા અગાધ જ્ઞાનના પ્રકાશ વગેરે બાબતે શુ કાઇના મનપર અસર, કરે તેવાં નથી ? વર્ષો સુધી એકાંતવાસ સેવી એમણે એ તેજ કેવી રીતે મેળવ્યું એ એક મોટા કાયા છે. શ્રી, અરવિંદને સાચા સ્વરૂપે પિછાનવા માટે, તેમની શક્તિઓનું મુલ્યાંકન કરવા માટે ભારતને તો શું પણ સારાય જગતને વર્ષોનાં વર્ષો જોઇશે. એ પછી પણ એમને સંપૂર્ણ પણે પિછાની શકશે કે નહિ તે પણ એક શકા છે.
સાચે જ શ્રી. અરવિંદ અદ્ભુત છે, અલૌકિક છે, જગતની એ દિવ્ય વિભૂતિ છે. ભારતની એ પ્રચંડ યોગશક્તિને સહસ્ત્ર વંદન હા! સામહેન સુમતિચંદ્ર શાહુ