SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જૈન તા. ૧૫–૫–૪૧ મેળવવા જોઇએ અને તપસ્યાદ્વારા જીવનને સાક્ષાત્કાર કરે જોઈએ. મરણ ઉપર વિજય મેળવવાના અનેક પ્રયત્નને ઉલ્લેખ દરેક ધર્મના ગ્રંથમાં જડે છે. શરીર હજારે વરસ સુધી ટકાવવું, વાર્ધકય ટાળવું, રસાયણુ ખાઈને વજીકાય બનવું એ અમર થવાના ઉપાય નથી. અમર થવું હોય તે મરણને પરાસ્ત કરવું જોઈએ. જે માને છે કે મરણ સર્વસમર્થ છે તે જ બીજાને મારવાને અને પિતાને માટે મરણ ટાળવાનો પ્રયત્ન કરશે. જેણે જાણી લીધું કે મૃત્યુ નિવય છે તે કોઈને એની ઇચ્છા વિરુદ્ધ મારશે નહિ અને પોતે જ્યાં મરી જવું આવશ્યક હોય ત્યાં ભરણુ વધાવી - લેતાં સંકોચ કરશે નહિ. એને મૃત્યુંજય કહી શકાય. એવી જે થાડા મૃત્યુંજય વીરપુરૂષો આ દુનિયામાં થઈ ગયા તેમાં મહાવીરનું સ્થાન અનેખું જ છે. કેમકે એણે મનુષ્યજાંતિ પર વિશ્વાસ રાખી અહિંસાના અંતિમ સ્વરૂપને ઉપદેશ કર્યો. આજે આપણે કહીએ છીએ કે “માણસ માણસ વચ્ચેના - વેર શમ્યા નથી, ભાઈ ભાઈનું ખૂન કરતા પણ અચકાતા નથી. જેમનું દૂધ પીવે છે તેમને જ મારીને ખાવાનું માણસે છોડયું નથી. જે પશુઓને પાળીને પિતાના કુટુંબમાં લીધા, અને જેમની મહેનતથી પિતાને ખેરાક ઉગાડે, તેમને પણ કતલ કરતાં જેમનું હૈયું ચીરાતું નથી એવા મનુષ્યપ્રાણીને કહેવું કે હિંન્ન પશુને પણ ન મારવા, કૃમિકીટને પણ જેટલા બચાવી શકાય તેટલા બચાવવા અને વનસ્પતિ આહારમાં પણ બને તેટલો જીવરક્ષાને વિચાર રાખવો, એ તે શુદ્ધ ગાંડપણ છે.” પણ કેઈએ એમ નથી કહ્યું કે જીવમાત્ર પ્રત્યે આદર ભાવ રાખવો તે ધર્મ નથી. અને જે હિંસાના આત્યંતિક ત્યાગમાં જ જીવનની સફલતા હોય છે જેને એને સાક્ષાત્કાર થયો, એણે એ વાત મનુષ્યજાતિ આગળ મુકવી તે જોઈએ જ, આજે ભલે એ વસ્તુ સ્વીકારવાની પાત્રતા મનુષ્યજાતિમાં ન હાય; ભલે એમાંથી ન હાસ્યાસ્પદ દંભ પેદા થતા હોય; પણ સાચી વસ્તુ મનુષ્યજાતિ આગળ મુકવી તે જોઈએ જ, જેઓ અહિં સાસિદ્ધિને ક્રમ ઓળખતા નથી તેમનું જીવન વિફળ થશે. તેઓ આગળ વધવાને બદલે પાછા પણ પડી. પણ જ્ઞાનને અભાવે અથવા સાધનાને વાંકે સાધ્યને સંતાડી ન જ રખાય. છે જેને અહિંસાને વધારેમાં વધારે સાક્ષાત્કાર થયા હતા અને જેણે અહિંસાની સાધના સિધ્ધ કરવા માટે પોતાની અને પિતાના સાથીઓની જીંદગી શ્રધ્ધાપુર્વક ખપાવી હતી તે મહાવીરની અંતિમવાણી જ્યાં સંભળાઈ તે સ્થાનનું દર્શન થતાંવેંત મન અહિંસામય થઈ જાય અને અહિંસા વગર માણસાઈ કેમ કરમાઈ જાય છે એ તરફ ધ્યાન જાય એ સ્વાભાવિક છે. જીવનદેવતાનું સ્વરૂપ અને એનું હૃદય ઓળખી જીવનદેવતાની અખંડ ઉપાસના અને અનન્ય ભકિત કરવા ઇચ્છનારને માટે મહાવીરનું જીવન અને એની વાણી હમેશા આકર્ષક રહેવાની. પણ એ બધું કૃત્રિમ અને યાંત્રિક ન થઈ જાય, ઉપાઅને કેવળ ધુપદીપવાળી પૂજા ન બને, અને ભક્તિ કેવળ નામધારી અભિમાનમ: - પરિણામે એટલું જોવાનું છે. જ્ઞાન અને તપસ દ્વારા જીવનને કાટ દૂર કરાય! જ્ઞાન અને તપાસ જો પોતે જ કટાઈ જાય તો કેને શરણ જઈએ ? - કાકા કાલેલકર માંદાની માવજતનાં સાધનો પુરા પાડવાની સગવડ કેટલાક સાધારણ સ્થિતિના ભાઈઓ પિતાને ત્યાં કોઈની માંદગીને પ્રસંગે ઉપસ્થિત થતાં માવજતને અંગે જરૂરી સાધનો વસાવી શકતા નથી અથવા તો થોડા દિવસની જરૂરિયાત માટે તેવાં સાધનો વસાવવાં તેમને ભારે પડે છે. આ ભાઈઓને જરૂર પડે ત્યારે માવજતનાં સાધનો વિના ખર્ચે અને સહેલાઈથી મળી શકે તેવી વ્યવસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કચેરી (સીલ્વર મેન્સન, ૪૫-, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩) માં કરવામાં આવી છે. આ સાધને માટે નકકી કરેલી અનામત તેમજ ઘસારા ફંડની રકમ આપવાથી નાત જાત કે ધર્મના ભેદ સિવાય કેઈને પણ જરૂરી સાધને આપવામાં આવશે. આવાં સાધનો લઈ જનાર પાસેથી પ્રત્યેક સાધન દીઠ ઘસારા કુંડ ખાતે એક આને લેવામાં આવશે અને એ રીતે એકત્ર થયેલાં નાણાંનો ઉપયોગ આવાં જ સાધને વસાવવા તેમજ વધારવા પાછળ કરવામાં આવશે. વાપરવા આપેલ સાધનો એની એ સ્થિતિમાં પાછા મળે તે પેટે અનામત લીધેલી રકમ પાછી આપવામાં આવશે, પાવાપુરી જળમંદિર
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy