SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ કિ"મત દાઢ આના મ : અેક : શ્રી મુંબઇ જૈન યુવસ ઘનુ પાક્ષિક મુખપત્ર પ્રબુધ્ધ ન તંત્રી : મણિલાલ મેકમચંદ્ર શાહુ, મુંબઇ : ૧૫ મે ૧૯૪૧ ગુરૂવાર अपापापुरी . ( ગતાંકથી ચાલુ ) જળમદિર જોયા પછી ગાંવમંદિરે જવુ એ ક્રમપ્રાપ્ત હતું. કલકત્તાના કળારસિક શ્રી બહાદુરસિંહજી સિધીની ધર્મશાળામાં અમે આરામ કર્યાં; પ્રકાશ અને અંધકાર વચ્ચે ચાલતા ગજગ્રાહને સમયે, એ બાજુથી અમે જળમંદિરનું છેલ્લું દર્શન કર્યું. એનું કાવ્ય માણવા જતા હતા એટલામાં પાસેના કાઇ મંદિરમાંથી ઉદાત્ત સ્વરિત ઘંટાનાદ સંભળાયા, અને સધ્યાકાવ્ય એકાએક મુખરિત થયું. મારૂં શરીર હર્ષોંન્નુલ્લ થવા જતુ હતુ એટલામાં આકાશમાં તારાઓએ છતા થઇ રાત્રીનું આકાશ પણ જુલાવી દીધું. ' એ સ્થિતિના ઉન્માદ વગરવંશી (જેનામાં સાચી રસિકતા નથી એવા ) ન સમજી શકે. એ અંધારામાં જ હાથમાં વીજળીની કરદીપિકા લઈને અમે ગાંવ મંદિરે ગયા. અમારી સાથે સદાકત આશ્રમવાળા મથુરાબાબુ જેવા જાહેરાતદાર હેાવાથી લોકોને ખબર પડી કે આ તા મહાત્માજી સાથે રહેનારા કાકા કાલેલકર છે. એક સ્થાનિક મહાશયે “જૈનેતર દૃષ્ટિએ જૈન” એ ચાપડી વાંચી હશે એટલે એમણે માહીતીમાં ઉમેરા કર્યો કે કાકા સાહેબ ૧૯ વરસ પહેલાં પાવાપુરીમાં આવ્યા હતા અને એમણે અહીં એક પ્રવચન પણ આપ્યું હતું. હવે તે એકાંત માણવાની ગુજાઈશ રહી જ ન હતી ! અધુરામાં પુરૂં ત્યાં ભેગા થયેલા ભકતામાં રાજમહેન્દ્રી તરફથી આવેલું એક ગૂજરાતી કુટુંબ હતું. એમને ત્યાં હું એક વખત મહેમાન રહી ચુકયા હતા. ગાંવમંદિરમાં કાઇ સાધુનાં અનેક વચને જ્યાં ત્યાં લખી રાખ્યા હતા. સ્વર્ગ નરકનાં અને તીર્થં સ્થાનાનાં ચિત્રા તે। હોય જ. એ વચના ગમે તેટલાં ખેાધપ્રદ હોય અને એ ચિત્રપ્રસંગે ગમે તેટલાં ભવ્ય હાય તાયે મંદિરમાં, મારી દૃષ્ટિએ, અસ્થાને છે. ન જ રહેવાનું હાય તા મંદિર પાસે એક સ્વતંત્ર મંડપ ઉભા કરી એમાં ચિત્રાનું અને વચનેનુ પ્રદ ન ગાઠવી શકાય; પણ મંદિરને તા પોતાની મેળે જ, મૌનવાણીમાં, એલવા દેવુ જોઇએ, મંદિરમાં ફૂલો રખાય, ધૂપદીપ ગાઠવાય, અને સંગીત વહેવડાવાય, ભકિત રસમાં એ આડે આવતા નથી. ઉલટા કાંઇક ઉમેરા જ કરે છે. પણ ચિત્રા અને અક્ષરે જુદી જ સૃષ્ટિના પ્રતિનિધિ છે. જૂના વખતમાં તીર્થયાત્રાએ ગયા હોઇએ એટલે પડાએના ચોપડામાં નામ, ગામ, દામ લખી આપવું પડતું. આજકાલ કોઇ સંસ્થા જોવા જઈએ તે મુલાકાતસ ંગ્રહમાં કાંઈ ને કાંઇ લખી આપવું પડે છે. હવે તે મંદિરમાં પણ અજાયબધરોની પેઠે ‘વિઝીટર્સ બુક' રાખવામાં આવે છે. “જોયુ અમારૂ મંદિર લખી આપે। ત્યારે તમારા આનંદ અને તમારી છાપ !" એમ કહીને જ્યારે ચેપડી આગળ કરવામાં આવે છે ત્યારે હું મુંઝા Regd. No. B, 4260, લવાજમ રૂપિયા ૨ છું, આનંદ વ્યકત કરતા મને સાચું નથી. તેમ. હાત તે તે આ યાત્રાસ્મરણુ લખત જ નહિ. પણ આનંદને પણ પાકતા કે જામતા વાર લાગે છે. પુજારીએ જો ગરૂડની માતા વિનંતાની પેઠે ઉતાવળ કરે તે એમાંથી વિકલાંગ અણુની જ ઉત્પત્તિ થવાની. બધાની પ્રેમથી વિદાય લઇ અમે તલવાહનમાં સવાર થયા અને સવેળા પટના પહેોંચવા માટે મુખ્ય રસ્તા ભેગા થયા. આકાશના તારાઓ અમને કહેતા હતા કે તમે પશ્ચિમે ચાલ્યા છે અને બન્ને બાજુના પુરાણપુરૂષ જેવા વૃક્ષો અને યાત્રા સફળના આશીર્વાદ આપતા હતા. હવે તે રસ્તાની બન્ને બાજુ મેટરના પ્રકાશમાં ચાર છ ક્ષણને માટે છતા થતા અને ફરી અલાપ થતા વ્રુક્ષા સિવાય જોવા જેવું કશુ હતું જ નહિ. એકાદ સસલું કે શિયાળવુ એ પ્રકાશથી ભડકીને નાસી જાય તેા જરાક ધ્યાન ખેચે ખરૂં. પણ પાવાપુરીની અહિંસાભૂમિનાં ધરાઇને દર્શન કર્યાં પછી બીજું કશું જોવાની ઇચ્છા રહી ન હતી. આકાશના નિત્યનૂતન તારાઓ પણ પ્રેમાળપણે કહેવા લાગ્યા, “અમે તો હંમેશને માટે છીએ જ. આજે તુ અમારી સાથે વાત ન કરે તેા ચાલે. અમે ચિરસાક્ષી છીગ્ને અમે અહિં અનેક અવતારા જોયા છે અને અનેક ઘંટના અમારી આંખના પલકારાથી નોંધી રાખી છે. આજે તારા ધ્યાનને આડે નહિ આવીએ. તુ ધ્યાન ધરતા જા. અમે અમારા અધ્યાભિક તાલને સાથ આપીશું.” ઉપાસના કરવા લાયક જે કાઇ દેવતા હાય તે તે જીવન છે. પણ જીવનદેવતાની ઉપાસના કપરી હોય છે. માણુસને માટે જો કાંઇ પણ હતતમ હોય તે તે જીવનદેવતાને ઓળખવુ એ જ છે. જીવનદેવતા બહુરૂપિણી છે. એ આપે છે અને લે છે. જન્મ અને મૃત્યુ એ એની એ વિભૂતિઓ છે. બન્ને એના કૃપાપ્રસાદ તરીકે સ્વીકારવાના હાય છે; પણ માણુસ એ પ્રસાદ બીજાને આપવા ખાતર જન્મની કે મરણની ઉત્પત્તિ કરે તે તે નહિ ચાલે. જન્મ આપીએ કે મરણ આપીએ-જીવનદેવતા અસંતુષ્ટ જ થાય. જીવનરહસ્ય પારખવાની સાધના માટે માણસ પાતે જન્મ સ્વીકારે.. એ જ સાધના કૃતાર્થ કરતાં એને ભરણુ પણ વહેારી લેવું પડે. પણ બીજા જીવને જન્મ આપવું કે ભરણુ આપવુ–એમાં આધ્યાત્મિક પ્રગતિ નથી. જન્મ અને મૃત્યુ એ જીવનના બે પાસા છે. કેવળ એ પાસાને જ જે મહત્વ આપે તે જીવનનિ થઈ શક્તા નથી. ‘ભવતૃષ્ણા (જીવવાની અભળખા) અને ‘વિભવ તૃષ્ણા ’ (મરવાની ઇચ્છા) અને જીવનદ્રોહી છે. તેથી જે ાઇ જીવનદેવતાની ઉપાસના કરવા માગે તેણે અહિંસાદ્રારા મૃત્યુ ઉપર વિજય
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy