________________
૧૭૮
પ્રબુધ્ધ જૈન
તા. ૧૫-૧-૪૬
કાએ ખરડે પ્રગટ કરી પશુરક્ષક સંસ્થાઓ અને મંડળને તેની ચર્ચા સારૂ નેતર્યાં હતાં. મારે અતિ ખેદ સાથે કહેવું પડે છે કે સરકાર નામની સંસ્થાને જ પરાઈ ગણીને ચાલવા ટેવાયેલા આપણા સંસ્થાસંચાલકોએ પ્રજાકીય સરકારના એ ઉપક્રમને ધરમૂળથી સિધ્ધાંતની રૂએ જ વિરોધ કર્યો અને એ ખરડો પાછો ન ખેંચી લેવાય ત્યાં સુધી પિતાની જ એવી એ સરકાર સાથે કશે સહકાર કરવા ચોખ્ખી ના પાડી! ખરડે સરકારી ઢાંચાની રૂએ કોઈ દષ્ટિ વિનાના અમલદારે ઘડે હતે. પણ એની વાંધાભરી કલમો કે ભાગે ફેરવવાની માગણી કરવાને બદલે એમાં ચાલુ સંસ્થાઓના વહીવટની સુવ્યવસ્થા સારૂ ચોક્કસ અંકુશ અને નિયંત્રણ મૂકવાની વાત હતી એટલા સારૂ, એવી કશી દખલગીરી જ અમારે ન જોઈએ, એવી ઘણાખરા સંસ્થાસંચાલકની ભૂમિકા હતી. નિયંત્રણ મૂકવા માગનાર સરકાર પેલા સંચાલકોના જેવી જ પ્રજાએ નીમેલી અને પ્રજાની ઈચ્છાને આશ્રયે નભનારી જાહેર સંસ્થા હતી, એ બીનાને એમની નજરમાં મહત્ત્વ નહોતું. ' આવી ટીકાપૂર્વક સરકારી ઉપક્રમને વિરોધ કરનાર એક સજ્જન એ દિવસોમાં એક વાર મને મળવા આવેલા. પિતે આ ક્લાકાના એક અગ્રગણ્ય શહેરમાં પ્રજાશિક્ષણના કાર્યમાં રોકાયેલા પદવીધારી શિક્ષક હતા. આપણી પ્રજાકીય કહેવાતી કેંગ્રેસ સર- કાર કાયદાથી ગોવધ અટકાવવાના પ્રયાસમાં કેવી શિથિલ અને કર્તવ્યવિમુખ હતી, એ વિષેને પિતાને ઊભર કાઢવા મારી પાસે આવેલા. એમના રેપનો પાર નહે. મેં એમને સમજાવવા અને શાંત કાડવા કોશિશ કરી. બહુ અદબપૂર્વક મેં એમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. મને તેમ પિતાને પણ એઓ સમાજસેવક અને સામાજિક સુધારાના હિમાયતી ગણનારા હતા. પ્રજાના કિશેરેને દેશકાળ ને દુનિયાનું શિક્ષણ આપવાને વ્યવસાયમાં રોકાયેલા અને અતિ શુભ હેતુથી તેમ જ અંતરની વ્યાકુળતાથી પ્રેરાઈને આવેલા આ સુજન મિત્રને દેશમાં, પ્રજામાં, એમના પિતાના શહેરમાં અને પડમાં વર્તતી વસ્તુસ્થિતિની ગમ નહોતી. એ એમને બતાવવા મેં પ્રયત્ન કર્યો. આ દેશમાં થતા ગેવધ મુખ્યત્વે કરીને ગેરાં લશ્કરના ખેરાકને સારૂ થાય છે એ વાત એમના ધ્યાનમાં નહોતી આવી. હિંદુસ્તાન આજે એક જ કેમ કે એક જ ધર્મવાળાઓને દેશ રહ્યો નથી, એકી સાથે અને એક જ પરિસ્થિતિ હેઠળ વસતા હોવા છતાં દરેક કોમનાં રૂચિ, રહેણી. ખેરાક, સરકાર અને વ્યક્તિગત હકે કાયદાની દષ્ટિએ સ્વતંત્ર અને અબાધિત લેખાવાં જોઈએ, એ વસ્તુસ્થિતિને વિચારમાં લેવા એ રાજી નહોતા. આપણાં જ પાપને પરિણામે હિંદ આજે એવી આર્થિક દશાએ પહોંચ્યું છે કે એના કેટલાક પ્રદેશોમાં કેટલીક વાર અનાજને મુકાબલે ગાયબળદ તથા શિંગાળાં પશુઓનું માંસ સસ્તું પડવા જાય છે અને ધર્મને બાધ નહિ એવી અહિંદુ કોને કેવળ સસ્તા ખોરાક તરીકે પણ એ ખોરાક પર ગુજરાન કરવાનો પ્રસંગ આવે છે, એ બીના જોડે એમને નિસ્બત નહોતી. વળી સદીઓ કયાં જીવદયા તથા અહિંસાને વારસો લઈને ચાલનાર આજનો રોજી કમાનાર હિંદુ પિતાનાં પશુઓ તરફ બીજી કોને મુકાબલે વધુ બેદરકાર, કામ લેવામાં વધુ નિર્દય અને તેના દુઃખદરદ પ્રત્યે વધુ લાગણી વિહેણ છે; અને પરિણામે તેનાં પશુ પણ સરખામણીમાં વધુ દૂબળાં, કમજોર અને રોગ આદિથી પીડાતાં હોય છે; જ્યારે એવી સંસ્કૃતિને કશે ખાસ દો ન કરનારે તેને સાખપાડોશી મુસલમાન આ દેશમાં પિતાનાં પાળેલાં પશુઓની વધુ સાચવણી કરનાર અને વધુ વહાલસોયો જોવામાં આવે છે એવાં પ્રમાણપત્ર આ દેશમાં
વિચારનારા પ્રવાસીઓ, અનુભવીઓ તેમ જ મૂંગા પશુ પર ગુર્જ.. તું ઘાતકીધણું અટકાવવાના પ્રયાસ કરનારી સંસ્થાઓએ આપ્યાં છે એ બીનાની પાછળ રહેલી કરુણતાની આ ગેસેવકને કહી પડી નહોતી. અને છેલ્લે એ વાતથી પણ આ ગાભક્તને કશે ખાસ આઘાત નહોતા પહોંચતા કે ખુદ હિંદુ કામમાં પણ આપણે આપણે પિતાને હાથે આપણા સમાજને અંગવિચ્છે; કરી નીચલી કેમને હડધૂત કરીને તથા તેમની આભડછેટ માનીને તેમને એવી તે દીનહીન કંગાળ અને પાઈ કરી મૂકી છે કે, હરિજનોમાંની અમુક કેમ આજે પિતાને હિંદુ માનતી અને કહેવડાવતી હોવા છતાં વગર સંકોચે ગેમાંસ- મુડદાલ તેમજ કતલનું–ખાય છે ! અપૂર્ણ
સ્વામી આનંદ, ચિતોડગઢ અને કેશરિયાજી. (તા. ૧૫-૧૧-૪૦ અંક ૧૪ થી અનુસંધાન)
વીરોમમાં આવેલ ચિતોડગઢનાં દર્શન કરી જોવા જેવાં સ્થળે નિહાળી રાતના ઉદેપુર પહોંચી હાથીપોળમાં ઉતારો કર્યો.
મેવાડના વીરત્વનું પુણ્યક્ષેત્ર ચિતડ શત્રુના હાથમાં અર્પણ કરી કાયર ઉદયસિંહ અરવલીના પર્વતેમાં જઈ પિતાના નામ ઉપરથી ઉદેપુર નામનું શહેર વસાવી મેવાડના રાજ્યકર્તા તરીકે ગાદીનશીન થયો હતો પણ તે ચાર જ વર્ષ રાજ્ય કરી પલેક સીધાવ્યું. તેની પછી ઉદેપુરની ગાદી ઉપર મહારાણા પ્રતાપસિંહ જે સિંહપુરૂષ ગાદીનશીન થયો. એ ટેકીલા વીરનું અન્તરમાં ગુલામીનું તીર ભાલાની પેઠે ખુંચવા લાગ્યું. એ હતો આઝાદી માટે ખપી જનાર વીર. એના અંતરમાં સ્વદેશ-- ઉદ્ધારની જ્યોત જલી રહી હતી. એ જોત સહેજ પણ ઝાંખી ન પડે તે ખાતર એણે પાંચ પ્રતિજ્ઞા લીધી. સાથે એને એ નિશ્ચય હતો કે “દેહ ભલે પડે, પણ સાધનામાં જરા પણ પાછું ડગલું ભરવું નહિં.' એ નિશ્ચય ઉપર આગળ વધતાં વધતાં દીઠી બાદશાહ અકબર સાથે યુદ્ધનાં મંડાણ મંડાયાં અને આખું જીવન યુદ્ધ સંકટ અને અપાર દુઃખમાં પસાર કર્યું. ઉદેપુરની મુલાયમ સાહેબી અને મેજશેખને તિલાંજલિ આપી અરવલીના પહડોની ગુફામાં વાસ કર્યો. પણ આઝાદી અને સ્વમાન ન વેચ્યાં તે ન જ વેચ્યાં. છેવટ સુધી સતંત્રતાને વહાલી ગણનાર એવા ટેકીલા વીરના પગલાં. જે શહેરમાં પડયાં હોય તે શહેર-તે ભેમ કેને જોવાનું મન ન થાય ?
ઉદેપુર. ઉદેપુર અરવલીના પહાડની તળેટીમાં આવેલા એક વિશાળ મેદાનમાં વસેલું છે. તેની ચારે બાજુ પર્વતોની હારમાળા છે અને તેના ઉપર બરવાળા કીલ્લા બાંધવામાં આવ્યા છે. આથી ભૂતકાળમાં ઉદેપુર બહુ જ સુરક્ષિત ગણાતું. પણ આજના વિમાની યુગમાં કીલ્લાઓ અને બુરજોની શી ગણતરી ? છતાં બહારવટીયા અને ધાડપાડુઓથી કેટલુંક રક્ષણ થઈ શકે છે. શહેર કીલ્લાબંધ છે, ચાર દિશાએ ચાર દરવાજા છે. જે હાથીપોળ, ખેરવાડાપોળ, સુર્યપળ ને ત્રિપાળીયાના નામે ઓળખાય છે. ઉદેપુરની આજુબાજુ આવેલાં મકાઈનાં ખેતરે, વાડીઓ અને જળાશયો તેની શોભામાં ઓર વધારો કરે છે.
શહેરમાં જોવા જેવાં સ્થળમાં જગનિવાસ, રાજ્યભુવન અને જગમંદિરના મહેલમાં આપણા જ દેશના કારીગરેએ કરેલું કાચનું કામ પ્રશંસા માંગી લે તેવું છે. આ સિવાય તે જ મહેલને ચિત્રાલયમાં મહારાણા પ્રતાપના જીવનને લગતાં ચિત્ર આગળથી તે ખસવાનું પણ મન ન થાય એટલાં સુંદર અને