SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ગમાં પણ અનતા લગી ગામડાંની પ્રજાના હાથની બનાવટની જ ચીજો વાપરીશું, અને ખીજાએ પાસે પણ પ્રયાસ કરીશું. તેમ કરાવવા અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે કૉંગ્રેસના નીતિનું અમે શિસ્તપૂર્વક પાલન કરીશું, અને માટે લડતમાં સામેલ થવા જ્યારે કયારેય હાકલ કરવા હરઘડી તૈયારે રહીશુ. પ્રબુદ્ધ જૈન સિધ્ધાંતાનું અને હિંદની આઝાદી થશે ત્યારે તેમ આજે વ્યકિતગત સવિનય ભંગ ચાલુ થઈ ગયા છે અને હિંદ ભરમાંથી સંખ્યાબંધ મહાસભાવાદી. ગીરતાર થયા છે. એ ખીના ધ્યાનમાં લેતાં રચનાત્મક કાર્યક્રમ કે જેને પાર પાડયા સિવાય વ્યક્તિગત કે સમુહગત કોઇ પણ પ્રકારના સવિનય ભંગથી સ્વરાજ પ્રાપ્ત કરી કે ટકાવી શકાય તેમ નથી તે રચનાત્મક કાર્યક્રમ પાછળ બમણા તેસથી લાગી જવાના દરેક હિંદીને ખાસ ધર્મ બને છે, ટુંકાણમાં કહીએ તેા હાથ કંતામણુ અને ખાદીના સર્વ વ્યાપી સ્વીકાર તથા ગ્રામેાધોગોને અને ગામડાની પ્રજાએ પેદા કરેલી ચીજોના પ્રચાર એમાંજ રચનાત્મક કાર્યક્રમને સાર આવી જાય છે. અમેા માનીએ છીએ કે અહિંસાના સગીન પ્રચારના પરિણામે કામી એકતા જરૂર સિધ્ધ થવી તેએ અને દરેક પ્રકારની અને રીતની અસ્પૃસ્યતાનેા સદંતર નાશ પણ થવા જ જોઇએ.'' આ સ્વાતંત્ર્ય દિનના ઉદ્દાપન સંબંધમાં ગાંધીજી જણાવે છે કે “ અહિંસાના આધારે રચાતા સ્વરાજનો અર્થ માત્ર સત્તાની ફેરબદલી નથી. એ' સ્વરાજ એવું હોવું જોઇએ કે જેથી આર્થિક ગુલામીની ભયંકર ચુડનાં ક્રૂસાયલાં મહેનત મજુરી કરતાં અને છતાં ભુખે મરતાં લાખા આદમીએને સાચી મુકિત મળે. આ ત્યારે જ બને કે જ્યારે માલમીલ્કત ધરાવનારા ગણ્યા ગાંઠયા લોક લાખા દેશબઆ સાથે આત્મીયતા અનુભવે અને તેમની ખાતર પેાતાના સર્વસ્વનો ભેગ આપવાને તત્પર બને. એ દિવસે એકતા અને બધુભાવને ખૂબ ઉત્તેજના મળવી જોઇએ, આપણા દિલમાંથી અસ્પૃશ્યતા જવી જોઇએ; મધને સૌ કાઇએ ત્યાગ કરવો જોઇએ; કાંતવુ જોઇએ; અને ખાદી અને ગ્રામોધોગથી નિષ્પન્ન થતી ચીજોનુ વેચાણ તેમજ પ્રચાર કરવા જોઇએ.” શ્રી, કુન્દનમલજી ફિદિયા. મહારાષ્ટ્રના કેટલાક જૈન આગેવાના ગિરફતાર સાંગલી તાલુકાની કોંગ્રેસ કમીટીના પ્રમુખ, સાંગલીની ચેબર એક્ કોમર્સના પ્રમુખ અને જાણીતા જૈન સુધારક શ્રી દીપચંદ ભાચંદ વેરા ખી. એ. એલએલ. બી. તે આજે ચાલી રહેલ સવિનય ભંગની લડતમાં ભાગ લેવા માટે એક વર્ષની સખ્ત મજુરીની સજા ફરમાવવામાં આવી છે. આવા જ કારણે સેલાપુરસીટીની કોંગ્રેસ કમીટીના અધ્યક્ષ અને જૈન યુવક સંધના માજી પ્રમુખ શ્રી. કેશવલાલ વીરચંદ શાહને પણ હિંદી સરક્ષણ કાનુનની ૧૨૯ મી કલમ નીચે ગિરફ્તાર કરવામાં આવ્યા છે. આવી જ રીતે અહમદનગર નિવાસી શ્રી. કુન્દનમલ ક્રિક્રિયા બી. એ. એલએલ ખી. જે મુંબઇની ધારાસભાના સભ્ય છે તેમને પણ સરકારે ગિરફ્તાર કર્યા છે. શ્રી. કુન્દનભલ ક્રિક્રિયા સ્થાનકવાસી સમાજના બહુ જાણીતા આગેવાન છૅ અને અહમદનગરના સુવિખ્યાત વકીલ અને પ્રજાસેવક છે. અહિંસક સંગ્રામના સૈનિકે. તા. ૧૫ '' આ પ્રમાણે જામનેર નિવાસી શેડ રાજમલજી લાલવાણી જેએ પણ મુંબઇની ધારાસભાના સભ્ય છે તે પણ સત્યા ગ્રહના કારણે સરકારની અવકૃપાના પાત્ર બન્યા છે અને આજે જેલવાસ ભાગવે છે. તે એક જમીનદાર છે અને પ્રજાસેવામાં બહુ સારા રસ ધરાવે છે. આ સર્વે ગૃહસ્થાને દેશની આઝાદી અને વાણીસ્વાતંત્ર્યના હકકની ખાતર જેલવાસ સ્વીકારવા બદ્લ જૈન સમાજના અનેક ધન્યવાદ ઘટે છે. પાન . શ્રી મુંબઇ જૈન યુવક સત્ર વાર્ષિક સભા શ્રી. મુંબઇ યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૧૯-૧-૪૬ રવિવારના રાજ બપોરના ત્રણ વાગે ધનજી સ્ટ્રીટમાં આવેલ સીલ્વર મેન્શનમાં સધની એથ્રીસમાં મળશે જે વખતે વાર્ષિક વૃત્તાન્ત મંજુર કરવામાં આવશે અને નવા વર્ષ માટે અધિકારીઓ અને કાર્યવાહક સમિતિની ચુંટણી કરવામાં આવશે આ પ્રસંગે સર્વે સભ્યાને વખતસર હાજર થવા વિનંતિ કરવામાં આવે છે. મંત્રીઓ, સુષ્મઈ જૈન યુવક સલ. શ્રી. રાજમલજી લુલવાણી. શ્રી. કેશવલાલ વીર શાહ.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy