________________
તા. ૧૫-૧-૪૧
પ્રબુદ્ધ જૈન
૧૭૫
R
રિયલ ગંભીર પણ
વપરાય છે. પૈસે વાપરનારા માને છે કે પોતે એથી ધર્મ કરી રહ્યા છે, પણ આ બધી ક્રિયાઓને પ્રભાવ અન્યધર્મીઓ પર કેટલે પડે? કેટલા જૈન ધર્મનું મહત્વ સમજી એને સ્વીકાર કરવા નીકળ્યા ? કેટલા જનોએ આ બધી ક્રિયાઓ દ્વારા અસાધારણ આત્મ-વિકાસ સાથે ? શત્રુંજય પર્વત પર અનેક મંદિરો છે, હજરે મૂર્તિઓ છે. પાલીતાણા શહેરમાં દર વર્ષે અનેક જાતની તપક્રિયાઓ ઉજવાય છે અને રથયાત્રાએ નીકળે છે. અનેક સંઘે આવે છે, નવકારશીઓ થાય છે. આ બધી ક્રિયાઓ દ્વારા જૈન ધર્મને પ્રચાર થાય છે, અથવા તે એના સિદ્ધાંતે લોકોને વધારે સમજાય છે અથવા જે આ વડે જેને અસાધારણ આત્મોન્નતિ સાથે એ જે કોઈ દા કરે તે આખા પાલીતાણા શહેરમાં તે બીજો ધર્મ જ ન સંભવે છતાં આપણે જાણીએ છે કે તેમ નથી બન્યું. એટલે આ બધી વસ્તુઓ માત્ર જનોની સમૃદ્ધિનું પ્રતીક માત્ર બની રહે છે. આનાથી જોનાં હૃદયમાં ધાર્મિક ભાવનાનો વિકાસ થાય છે, એમ જે કોઈ કહે તે પણ આપણે એવી કોઈ અદ્દભૂત ચારિત્ર્યવાન, અસાધારણ વ્યક્તિ વર્તમાન કાળમાં તે જૈન સમાજમાં જોઈ શકતા નથી કે જેણે તપના પ્રભાવથી જગતનું ધ્યાન ખેંચ્યું હોય. માત્ર વસ્ત્ર બદલવાથી ત્યાગી બની જવાનું હોય તે એવા અનેક ત્યાગી નીકળશે. પણ જેણે મનમાંથી જગતને ત્યાખ્યું હોય, રાગદેવ પર વિજય મેળ હોય એવા ત્યાગીએજ સાચા ત્યાગી કહીં શકાય. ધર્મને નામે વ્યકિતગત કીર્તિ માટે ફાંફા મારનારા તે ઠેર ઠેર નજરે પડશે. પણ ધર્મને જીવનનું મુખ્ય અંગ બનાવી, એની ઉન્નતિ માટે જીવન જીવનારા કેટલા નીકળશે ? ધર્મને નામે ઝગડા સાચા ધર્માએ કદિ કરતા નથી. જેમણે ધર્મને ઓળખે છે. તેમનામાં કોઈ પણ જાતને આગ્રહ કે મત-પંથનું મભય હોતું જ નથી સાચી ધાર્મિક વ્યકિતની વાણીમાં એક શબ્દ પણ એ નહિ આવે કે જેથી કોઈને આત્મા દુભાય. બીજાના દોષો જાણવા છતાં એ દે એ કદિ ઉધાડા નહિ પડે. બીજાની નિકા કરનાર, બીજાના દેવ જેનાર, પિતાના પક્ષનું પ્રતિપાલન કરવા બીજા પક્ષની નિંદા કરનાર પામરજ હોઈ શકે. સાચા ધર્મને ઓળખનાર ધર્મને નામે ઝઘડા તે સ્વપ્ન પણ ન જ કરે.
સરલાબહેન સુમતિચંદ્ર શાહ
પ્રતિજ્ઞા સૌ કોઇએ જાહેરમાં લેવી. એ દિવસે કોઈએ સવિનય ભંગ કરે નહિ. આ દિવસે સવારમાં પ્રભાતફેરીઓ કાઢવી અને ધ્વજવંદન કરવું. સાંજે પ્રજાએ સરઘસ કાઢી જાહેર સભાના સ્થાને જઈ અને ત્યાં એકત્ર થયેલા સૌ કોઈએ વાકયે વાક્ય અને શબ્દ શબ્દની સમજણપૂર્વક નીચેની પ્રતિજ્ઞા લેવી.
અમે માનીએ છીએ કે સ્વતંત્રતા મેળવવાને. પોતાની જાતમહેનતનાં ફળને ઉપભેગ કરવા અને પિતાને વિકાસ સાધવાની તમામ તકે પૂરેપૂરી રીતે મળે એ રીતે જીવનની જરૂરિયાત મેળવવાને હિંદી પ્રજાને, તેમજ બીજી કોઈ પણ પ્રજાને કેઈથી ન ખૂચવી શકાય એવો જન્મસિધ્ધ હક છે. વળી અમે માનીએ છીએ કે જે કોઈ પણ સરકાર પ્રજાના આ હોને છીનવી લે અને તેમના પર જુલમ ચલાવે છે એવી સરકારને બદલવાનો કે ખતમ કરવાને વધુ હક પણ પ્રજાને છે. હિંદમાં પડેલી બ્રિટિશ સરકારે હિંદી પ્રજાનું સ્વાતંત્ર્ય છીનવી લીધું છે, એટલું જ નહિ પણ તેણે આમ વર્ગોના શેષણ ઉપર પોતાની સ્થાપના કરી છે, અને આર્થિક દૃષ્ટિએ, રાજકીય દૃષ્ટિએ, સંસ્કૃતિની દૃષ્ટિએ તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ હિંદને પાયમાલ કર્યું છે. તેથી અમે માનીએ છીએ કે હિંદે બ્રિટિશ સંબંધ તેડીને પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ સ્વાતંત્ર્યની પ્રાપ્તિ કર્યો જ છૂટકે છે. . અમે સમજીએ છીએ કે અમારી મુક્તિ મેળવવાને સચેટમાં સટ માર્ગ હિંસા મારફત નથી. હિદે શાંત અને ન્યાયી રીતને અનુસરીને જ બળ તેમજ સ્વાશ્રય કેળવ્યાં છે અને
સ્વરાજને ઠીક ઠીક પંથ કાપે છે અને એ રીતેને વળગી રહીને જ એ સ્વાતંત્ર્યપ્રાપ્તિ કરશે.
અમે હિંદની સ્વાતંત્ર્યપ્રાપ્તિને સારૂ ફરીવાર પ્રતિજ્ઞાબધ્ધ થઈએ છીએ અને પૂર્ણ સ્વરાજ મળે ત્યાં સુધી આ સ્વાતંત્ર્યની લડત ચલાવ્યે જવાને પવિત્રપણે નિરધાર કરીએ છીએ.
અમે માનીએ છીએ કે અહિંસક લડત માટે સર્વસાધારણપણે. અને ખાસ કરીને સત્યાગ્રહ માટે, ખાદી, કોમી એકતા તેમજ અસ્પૃશ્યતાનિવારણને કાર્યક્રમ સફળપણે ચલાવે જરૂરી છે. અમે ન્યાતજાતના કે ધર્મના કશા ભેદ વગર અમારા દેશભાઈઓમાં સદ્ભાવ ફેલાવવાની એકએક તક સાધીશું. જેમના પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવ્યું છે તે સૌને અજ્ઞાન અને દારિદ્રયમાંથી ઉંચે લઈ જવા અને જેઓ પછાત અને દલિત ગણાય છે તેમનાં હિતેને દરેક રીતે આગળ વધારવા અમે મથીશું. અમે જાણીએ છીએ કે જે કે અમે સામ્રાજ્યતંત્રને નાશ કરવા ઊડ્યા છીએ છતાં અમલદાર અગર બિનઅમલદાર અંગ્રેજો જોડે વ્યક્તિગત નાતે અમારે કશે કજિયે નથી. અમે જાણીએ છીએ કે સવર્ણો અને હરિજનો વચ્ચેના ભેદ ભૂસ્યું અને હિંદુઓએ પિતાના રાજના વ્યવહારમાં એ તમામ ભેદોને ભૂભેજ આરે છે. ધાર્મિક માન્યતાઓ જુદી હોય તે પણ આવી જાતના ભેદ અહિંસક વર્તાવમાં વિદરૂપ છે. તેથી અરસપરસના વ્યવહારમાં અમે એકસરખા રાષ્ટ્રીયત્વથી સંકળાયેલાં અને એકસરખા રાજદ્વારી તેમજ આર્થિક હિતથી બંધાયેલાં એક જ ભારતમાતાનાં સંતાન તરીકે વર્તીશું.
રેટિ અને ખાદી એ હિંદનાં સાત લાખ ગાંમડાંના પુનરૂજીવનના અને આમ પ્રજાની ભયાનક ગરીબી ટાળવાના અમારા રચનાત્મક કાર્યક્રમનું અનિવાર્ય અંગ છે. તેથી અમે નિયમિત રેટિયો કાંતીશું. અમારી અંગત જરૂરીયાતેમાં શુદ્ધ ખાદી સિવાય કશું નહીં વાપરીએ, અને બીજા તમામ ઉપ
કેટલાક સમાચાર અને નોંધ. સ્વાતંત્ર્ય દિન પ્રતિજ્ઞા
પંડિત જવાહિરલાલના પ્રમુખપણ નીચે ઇ. સ. ૧૯૨૮ ના ડીસેંબર માસમાં મળેલ લાહોરની રાષ્ટ્રીય મહાસભાએ સંપૂર્ણ સ્વાતંત્ર્ય મુકમ્મલ આઝાદી Counplete Independence ને હિંદીપ્રજાના ધ્યેય તરીકે જાહેર કર્યું હતું અને ૧૯૩૦ ના જાન્યુઆરીની ૨૬ મી તારીખને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવ્ય હતે આ દિવસે હિંદના શહેરે શહેર અને ગામે ગામ વસતા પ્રજાગણે સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારથી તે આજ સુધી દર વર્ષે એ દિવસ સ્વાતંત્ર્યદિન તરીકે ઉજવાત આ છે અને રાષ્ટ્રીય મહાસભાએ નકકી કરેલી સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા લેવાતી આવી છે. ચાલુ જાન્યુઆરી માસની ર૬ મી તારીખ આવે છે ત્યારે ગાંધીજીએ આદેશ કર્યો છે કે હિંદના સ્વાતંત્ર્યપ્રેમી પ્રજાગણે એ જ પ્રકારે સ્વાતંત્ર્ય દિન ઉજવે અને એ જ પ્રકારની છેડીકે ઉમેરણીવાળી