________________
૧૭૪
પ્રબુધ જૈન
તા. ૧૫-૧-૧
सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
ત્યારે
જ
જયે
सत्यपूतं वदेद्वाक्यम् જાન્યુઆરી ૧૫
૧૯૪૧ ' ધર્મને નામે ધર્મને નામે જેટલા ઝગડા થાય છે તેટલા ભાગ્યેજ બીજા કશા માટે થતા હશે. આત્મન્નિતિના સાધન રૂપ ધર્મને અવનતિનું કારણ અજ્ઞાનતાથી બનાવી લેવામાં આવે છે. ધર્મને નામે નિરર્થક અને નિરૂપયોગી બાબત ઉપર પણ ઝગડા કરવામાં આવે છે. જૈન સમાજમાં છેવટે કંઈ નહિ તો તિથિ જેવી ક્ષુલ્લકમાં ક્ષુલ્લક બાબત પણ ઝગડાનું કારણ બની શકે છે. જૈન ધર્મમાં ગણાવેલા છ દ્રવ્યમાં એક દ્રવ્ય તરીકે કાલને પણ ગણવામાં આવે છે. દિવસ-રાત મહિના-વર્ષોની રચના બુદ્ધિદ્વારા જ કરવામાં આવી છે. અમુક નિયમનના પ્રતીક તરીકે કોઈપણ વસ્તુની સ્થાપના કરવામાં આવે તેમ કાલની પણ બુધ્ધિદ્વારા વિભાગો પાડી રચના કરવામાં આવી. આવી એક બુધ્ધદ્વારા રચાયેલી વસ્તુ માટે જ્યારે આપણે અનેકને ક્લેશનું કારણ આપીએ ત્યારે આપણે કેટલા અજ્ઞાન અને જડ છીએ તે જ જગતને બતાવીએ છીએ. અમુક દિવસે કે અમુક સમયે જ ધાર્મિક ક્રિયાઓ કરવાથી આત્મ-વિકાસ થશે અને તે સિવાય નહિ એવો કોઈ મહાપુરૂષોએ ઉપદેશ આપ્યું હોય એમ સાંભળ્યું નથી. મનુષ્ય સ્વભાવ એ છે કે એના પર જો અમુક અંકુશ મૂકવામાં ન આવે તે એ બેલગામ બની જાય છે એટલા માટે અમુક ક્રિયાઓ માટે ચોકકસ દિવસે નકકી કરવામાં આવ્યા, જેથી એ ક્રિયાઓ કરવાનું એ બીજા દિવસ પર મુલતવી રાખી એ સંબંધમાં બેદરકાર ન બને. એટલા માટે દિવસનું નિયમન જરૂરનું છે. પણ જ્યારે દિવસેને જ સર્વ કાંઈ માની લેવામાં આવે અને અમુક દિવસોએ જ અમુક કાર્ય થવું જોઈએ એવું પ્રતિપાદન કરવા શાસ્ત્રોના ઉતારા શોધવામાં પિતાના જીવનની અમૂલ્ય ક્ષણ વેડફી દેવામાં આવે ત્યારે તે મુર્ખતાની પરાકાષ્ઠા જ આવી રહે છે અને એવી વ્યકિતઓની બુદ્ધિમતા (1) માટે માન ઉપજે છે ! ધન્ય છે તમારી બુદ્ધિને ! એવા ઉદ્ગાર સહેજે વિચારવાનના મુખમાંથી સરી પડે છે.
જે અમુક દિવસે અને આત્મ-વિકાસને કંઈ સંબંધ હોય અને આપણને એ દિવસે માર્ગદર્શન આપતા હોય અને એથી આપણે આત્મ-વિકાસ સહેલાઈથી સાધી શકીએ છીએ એમ હોય તે એને માટે શાઓના ઉતારા શોધવા, વાદવિવાદે ચલા- વવા ગ્ય છે. પણ જો એવું કશું ન હોય તે એની પાછળ સમય ગુમાવ એટલે પિતાના જીવનની અમૂલ્ય ક્ષણો નિરર્થક વેડફી દેવી એ ગ્ય ગણાય ખરૂં ? જેને પિતાના જીવનની કિસ્મત છે, તે પિતાને સમય કદિ એવી બાબતે માટે ન જ વેડફે કે જેથી પિતાને કે પરને કશો લાભ ન હોય. આપણે તિથિઓ માટે ઝગડીએ છીએ, અને તે પણ ધર્મને નામે ધર્મને જીવનનું મુખ્ય અંગ બનાવવાને બદલે આપણે ઝગડાનું સાધન બનાવી મૂક્યું છે.
આત્મતિના સાધનો માટે સર્જવામાં આવેલા મંદિરે , અને તીર્થસ્થાનોને પણ આપણે કલેશના, ઝગડાના કારણુ બનાવી
મૂક્યા. શાંતિના સાધનો દ્વારા આપણે અશાંતિ ફેલાવવા માંડી. જે મહાત્માઓએ માયા--મમતાનો ત્યાગ કરવાને ઉપદેશ આપ્યું તેમનાં જ મંદિર અને તીર્થસ્થાનોની માલકીના મમત્વમાં પડી આપણે ઝગડવા માંડયા અને એટલેથી જ ન સંતોષાતાં એ ભાલેકીને હકક મેળવવા પરદેશીઓ પાસે ગયા અને હજારો રૂપિયાનું પાણી કર્યું. રાગ-દેપને ત્યાગ કરવાનો સંદેશ આપનારાઓની મૂર્તિઓ માટે રાગદ્વેષ કરી એમના શબ્દ-- દે છડેચક અનાદર કરી આપણે એમની કેટલી અવહેલના કરીએ છીએ? પ્રભુની મૂર્તિમાં કે મંદિરમાં પ્રભુ વસતા નથી. આપણે જ એ મૂર્તિઓમાં ભગવભાવનું આપણુ કરી આપણી ભાવના એમાં મૂર્તિમંત કરીએ છીએ. બાકી એ તે મૂર્તિ જ હતી. તેમાં આપણે જ્યારે એ મૂર્તિઓમાં શ્વેતાંબર, દિગંબર એવા ભેદ પાડીએ છીએ ત્યારે તે નરી બુદ્ધિહીનતા જ દેખાય છે. અને જ્યારે કઈ વેતાંબર, દિગંબર મૂર્તિ એને ન નમવાની અને દિગંબર મદિરમાં જવાથી અને દિગંબર મૂર્તિને નમવાથી મિથ્યાત્વે લાગી જવાનું જણાવે છે ત્યારે તે એની જડતા માટે કેવળ દયા જ આવે છે. સાધ્યને ભૂલી માત્ર સાધનને પકડી બેસી જવું એનાથી વધુ અજ્ઞાન બીજું શું હોઈ શકે ? રાગપ-મેહ-મમતાને ત્યાગ કરનારા મહાત્માઓની યાદ માટે મંદિર બાંધવા, એમની મૂર્તિનું પૂજન કરવું પગલે પગલે એમની આશાતના ન થાય તે માટે ડરતા રહેવું. રખે કોઈ ફુલ કચડાઈ જાય, રખે આપણો શ્વાસ એમને સ્પર્શી જાય તે માટે આપણે ખુબ સાવધ રહેવું-આ બધી સંભાળ આપણે પુરી ચીવટથી લઇએ છીએ; પણ એ મહાવીરના વિશ્વપ્રેમના-સમભાવના-શાંતિના સંદેશા તે આપણે ક્ષણે ક્ષણે અવગણી એમની અશાતના કરી રહ્યા છીએ એ તે આપણને સ્વને પણ યાદ નથી રહેતું. ત્યાગ-મૂર્તિ પ્રભુનું પ્રતીક બનાવી આપણે એમનું પૂજન અર્ચન કરવા માંડયું. પ્રતિદિન પરમ વીતરાગ સ્વરૂપ . પ્રભુના દર્શન કરવા છતાં આપણે કેમ ત્યાગી નથી બની શકતા ? એ સંબંધી આપણે કદિ વિચાર નથી કરતા. એમના જેવા થવાને બદલે આપણે એમને પિતાના જેવા બનાવી દીધા. આપણને વસ્ત્રાલંકારે ગમે છે તેથી પ્રભુને પણ એ વસ્તુઓ પહેરાવવા માંડી. નહિ તે ત્યાગમૂર્તિ પ્રભુને મુગટ શાને ? બાજુ બંધ શાને ? બાળાઓ શાને ? એમની મૂર્તિને પ્રતિક્ષણે વીતરાગણાનું ભાન કરાવતી રાખવાને બદલે આપણે આપણી કામનાએના પ્રતિબિંબ સમી બનાવી શકી. આપણું ઇચ્છિાઓને મૂર્તિઓમાં પ્રગટ કરીને આપણને જ શું ગમે છે તે આપણે બહાર આપ્યું. પ્રભુના સંતાને ભલે અન્ન વિના ટળવળતા હોય, પૈસાને અભાવે ભલે અજ્ઞાનતામાં સબડતા હોય, પણ આપણે તે પ્રભુને મુગટ માળા પહેરાવી એમને આપણી વિવેકહીને ભકિતથી રીઝવવા પ્રયત્ન કરીએ છીએ. એક વખત નિર્ભય ગણાતા, આત્માર્થી એના આશ્રય સ્થાન સમા મંદિરને પણ આપણે ભયનું સ્થાન બનાવી મુકેલ છે, એને પણ તાળા મારવી પડે છે. મંદિરમાં ચોરીઓ થાય છે. આપણે ત્યાં જોખમી ગણાતી ચીજો જે એકઠી કરી ન હોત તો તાળાં ભારવાની કે ચેક કરવા માણસે રાખવાની જરૂર ન પડત. એકાંત શોધતા આમાથીંઓને માટે એ સ્થળે સદા ખુલ્લાં રહી શકત. આપણે ધર્મને નામે હજારો રૂપીયા ખરચીએ છીએ છતાં એ દ્વારા કેટલી ધર્મની ઉન્નતિ કરી ? અનેક મંદિરો બંધાયા અને બંધાય છે; અનેક સ નીકળ્યા અને નીકળે છે; અનેક સ્વામીવાત્સલ્ય થયા અને થાય છે; અનેક જાતના ઉપધાન સમારંભે થયા અને થયા કરે છે. આ બંધામાં ખૂબ પૈસે