SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ dil ne ૨૩૬ - પ્રમુર્ય જૈન सचस्स आणाएं उवडिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુધ્ધ જૈન सत्यपूतं वदेद्वाक्यम् એપ્રીલ ૧૫ ૧૯૪૧ સામાજિક એકતા અને વ્યક્તિ– સ્વાતંત્ર્યની મર્યાદા આપણે એકતાનાં અવારનવાર ગુણગાન ગાઈએ છીએ અને એકતાના મૃગજળ પાછળ આમ તેમ ભટકીએ છીએ અને એમ છતાં આપણે એકતાની દિશાએ બે ડગલા પણ આગળ વધી શકતા નથી. આનુ કારણ એ છે કે એક બાજુએ એકતાને લગતી આપણી કેટલીક કલ્પના કેવંળ અવ્યવહારૂ અને આકાશી હોય છે અને બીજી બાજુએ આપણા વિચાર, વાણી અને વર્તનના કેટલાય અશે! આજના સયોગામાં સાધ્ય અને વ્યવહારૂ એકતાના બાધક હોય છે. આપણે આ બન્ને માધ્ય તાને વિચાર કરીએ. આપણે હમેશાં એવું જ્ગ્યા કરીએ છીએ કે જે વર્તુલ કે સમાજ વિષે આપણે આત્મીયતા અનુભવતા હાઇએ છીએ તે સમાજની સર્વ વ્યકિતએ એક જ આદર્શ ધરાવતી હાય, એક સરખા વિચારની હોય અને સામાજિક ઉત્કર્ષના અર્થે એક સરખી પ્રયત્નતત્પર હેાય તે કેવું સારૂ ! કે આપણતે આદર્શ સમાજ કલ્પવાનું કહે તે આપણે આવા જ કોઇ સમાજની કલ્પના રજુ કરીશું પણ આવે આદર્શ સમાજ આજે તે। કાઇ સ્થળે જોવામાં આવતા નથી. આવે સમાજ કાઇ કાળે સંભવિત હોય તે પણ તે એ કાળમાં જ સંભવિત હતા કે જ્યારે સમાજ કેવળ અણુવિકસિત સ્થિતિમાં હતા, જ્યારે આજના જેવા જટિલ સામાજિક પ્રશ્નો ઉપસ્થિત થયા નહેાતા અને જ્યારે કુટુંબ કુટુંબ કે વર્ગો વર્ગો વચ્ચે સ્વાર્થનાં સર્ષા ઊભાં થયાં ન હતાં. એ કાળ અને એ પ્રકારની સામાજિક સ્થિતિ આજે તે નથી જ અને આગામી કાળમાં કદી સબવતી નથી. તેથી સામાજિક એકતાની આવી કલ્પના આજે વ્યવહારૂ શકયતાની એકદમ બહાર જતી હાવાથી એવી એકતાનાં સ્વપ્નાં કેવળ અર્થ વિનાનાં, ખેાટી આશા ઉત્પન્ન કરનારાં અને પરિણામે આજના સંયોગામાં સાધી શકાય તેવી એકતા વિષે અશ્રદ્ઘા ઉત્પન્ન કરનારાં અને છે. ઉપર વર્ણવેલી એકતા આજે ફેસીસ્ટ ઇટલી, નાઝી જર્મની કે સામ્યવાદી રશિયામાં સિદ્ધ થઇ શકી છે એવી છાપ ત્યાંના પ્રતિપક્ષવિùાણા રાજ્યવહીવટ ઉપરથી અને સર્વ સત્તાધીશના હુકમને એક અવાજે ઝીલતી તે તે દેશની પ્રજાના વર્તન ઉપરથી આપણા મન ઉપર સહે પડે છે. પણ આવડા મોટા અને આટલું બધુ જ્ઞાન-વિજ્ઞાનમાં આગળ વધેલા દેશમાં ભિન્ન ભિન્ન વિચારપક્ષા હોય જ નહિ એ વાત અસંભવિત છે, તે તે દેશમાં દેખાતી એકતા ભુવા ભયપ્રેરિત છે. એક અવ્યવસ્થિત દશામાં ડુબેલા દેશમાં કેઈ સમર્થ શક્તિશાળી વ્યક્તિ ઉભી થાય છે; લોકમાનસ ઉપર તેનુ પ્રભુત્વ જામવા લાગે છે; પોતાને અનુસરનારા એક બળવાન પક્ષ તે ઉભા કરે છે; લડાયક શિસ્તના ધોરણે આખા પક્ષને કળવવામાં આવે છે દમદાટીના ધેારણ ઉપર એ પક્ષ આખા દેશમાં પાનાની સત્તા જમાવતા જાય છે. એક વખત તા. ૧૫-૪-૪ એવા આવે છે કે જ્યારે આ પક્ષની અને તેના સર્વ સત્તાધીશ નેતાની સત્તા પ્રજાગણમાં ખુબ જ વધી જાય છે અને તેની સામે આંગળી કરવાની પણ પ્રાગણમાંથી કાઇ હીંમત કરી શકતા નથી. આ રીતે આખા દેશમાં એક જ પક્ષ અને એક જ નેતાની હાક વાગે છે અને તેને શબ્દ એ જ સર્વસ્વ એવી સ્થિતિ ઉભી થાય છે. ઇટાલી, જર્મની કે રશીઆની આજે આવી સ્થિતિ છે. તે પ્રત્યેક દેશમાં દેખાતી એકતા ક્લિની નથી; બાહ્ય વર્તનની છે. પ્રેમ કે સમાન વિચાર અને આદર્શની ભૂમિકા ઉપર નહિ, પણ ભય અને પ્રજામાંના ભીવર્ગની અસહાયતા ઉપર ઉભી થયેલી છે. આ એકતાની નીચે દ્રેષ, મત્સર અને કાવત્રાંએની રચના રચાતી જ ચાલે છે. આવાં કાવત્રાં ખુલ્લાં પડતાં અનેક નિર્દોષ તેમ જ દેષિતાનાં લોહી રેડાય છે અને ભિન્ન કે વિરૂદ્ધ વિચારપક્ષને એ રીતે છુદી આવીને પ્રજાકીય એકતાનુ નાટક ચાલુ રાખવામાં આવે છે. સર્વ સત્તાધીશનું વર્ચસ્વ જ્યાં સુધી જીવતું જાગતું હેાય છે ત્યાં સુધી આ પરિસ્થિતિ કાયમ રહે છે, પણ એ વર્ચસ્વના લાપ થતાં પ્રશ્નમાં બળવો ફાટી નીકળે છે અને દેખાતી એકતા એકાએક અલાપ થઇ જાય છે. આવી પશુબળ અને હિંસાથી સધાયલી ક્ષણજીવી એકતા સાચી એકતા નથી. ત્યારે શુ કાઇ કાળે સાચી સામાજિક એકતા સંભવિત છે જ નહિ ? જે પ્રકારના વિચાર, વાણી અને વર્તનની એકત આખા સમાજ પરત્વે ચિત્તવવામાં આવે છે તે શકય તા નથ, એટલું જ નહિ પણ કદાચ દષ્ટિ પણ નથી. સામાજિક પ્રગતિનું મૂળ વિચારભેદ છે. બધા જ એક વિચારના અને વર્તનના અને તે। આસપાસ સતત બદલાતી રહેતી પરિસ્થિતિને અનુરૂપ સમાજરચનાની ઘટના અશકય બની જાય. કાળે કાળે નવે વિચાર જન્મે; સ્વભાવથી સ્થિતિચુસ્ત સમાજ પહેલાં તેના વિરેધ કરે; નવા વિચારની ઉપયોગીતા અને તેને આગળ ધરનાર કેટલીક વ્યક્તિઓની મજબુત પકડ-એ એ નિમિત્તોના સહકારી પરિણામે સમાજ એ નવા વિચારને પાતામાં પચાવી દે અને એ રીતે પ્રચલિત સમાજિક રચનાનું નવું નવું સંસ્કરણ થયા કરે. આ તે વિચારભેદની ઉપયોગી બાજુ આપણે વિચારી, પણ બધા જ વિચારભેદ અને તે ઉપર બંધાતા વિચારપક્ષેા કાંઇ સમાજ ઉપયોગી જ હાય છે એમ નથી. કાઇ કાઇ વખત એજ ભેમાંથી અનેક સામાજિક અનિષ્ટો પણ જન્મે છે. વિચારભેદના લાભ-નુકસાનની વાત બાજુએ રાખીએ; પણ વસ્તુસ્થિતિ જ એવી છે કે સમાજ ભિન્ન ભિન્ન સંસ્કારમાં ઉછરેલી અને ભિન્ન ભિન્ન વાણુ ધરાવતી વ્યક્તિના અનેલેા છે અને તેથી ભિન્ન ભિન્ન વિચારાનુ અસ્તિત્વ ઇષ્ટ ન હોય તે પણ અનિવાર્ય તે છે જ. સમાજમાં રહેનારે–સમાજમાં કાર્ય કરવાની ઇચ્છા ધરાવનારે આ રિસ્થિતિથી ટેવાયે જ ધુટકા છે. સમાજના સમાજની આ વાસ્તવિક પરિસ્થિતિ ઉપરથી આપણી સામે એ મુદ્દા એકમેકના વિરોધમાં આવીને ઉભા રહે છે. (૧) સામાજિક એકતા (૨) વ્યક્તિસ્વાતંત્ર્ય. સામાજિક એકતા માંગે છે વ્યકિતવાત ંત્ર્ય ઉપર અનેક પ્રકારનુ નિયંત્રણ; વ્યકિતસ્વાતંત્ર્ય “માંગે છે. સામાજિક બંધનોમાંથી મુક્તિ. સામાજિક એકતા આપણને સ્વભાવથી જ ગમે છે, કારણ કે સરક્ષણુ તેમ જ પ્રગતિ માટે એકતા એક મેટામાં મોટું સાધન છે. કોઇ પણ પ્રજા કે સંગતિ વર્ગ માં પક્ષભેદ ઉભા કરે અને તે પ્રજા કે વર્ગના સમુહુબળને નાશ થશે, તેની સ્વાધીનતા લુપ્ત થશે અને અવનિત કે અધોગતિ તે પ્રાના નસીમે આવીને ઉભી રહેશે. આપણા દેશના અર્વાચીન ઇતિહાસ - અંગ્રેજ સત્તાને આપણા દેશમાં ઉક-આજ વાતને
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy