________________
૧૫, ૧૫-૪-૪૧
સ્થાનકવાસી જૈન કાન્ફરન્સ અધિવેશનનુ વિહુ ગાવલેાકન
પ્રબુધ્ધ જૈન
આ કેન્ફરન્સનું દશમ અધિવેશન ઘણા ઉત્સાહથી ભરાયુ અને તેહમદ રીતે પૂર્ણ થયું. અધિવેશનમાં હાજરી ઉપરથી સ્પષ્ટ જણાતું હતું કે આ કેન્સ ખરેખર અખિલ ભારતવર્ષીય કોન્ફ્રન્સ છે. બ્હાર ગામથી લગભગ ૧૦૦૦ માણસાની હાજરી હતી. અને સર્વેએ રસ પૂર્વક અધિવેશનના કામકાજમાં ભાગ લીધો હતો. અધિવેશનમાં થયેલ પ્રસ્તાવેા ઉપરથી જણાશે કે સ્થાનકવાસી સમાજને લગતા ધણા અગત્યના વિષયા સંબંધે અધિવેશને નિણૅયા કર્યાં.
રાષ્ટ્રીય મહાસભાના વાણી સ્વાતંત્ર્યના સત્યાગ્રહમાં ભાગ લેનાર જૈન ભાઇ મ્હેતાને અધિવેશને અભિનંદન આપ્યાં. મહાસભાના રચનાત્મક કાર્યક્રમમાં સહકાર આપવા સ્થાનકવાસી જૈનેને અનુરોધ કર્યો અને ખાસ કરી, ખાદી, ગ્રામોદ્યોગને ઉત્તેજના, સ્વદેશી વસ્તુના ઉપયેાગ, અસ્પૃશ્યતા નિવારણુ અને હરિજન ઉલ્હારના કાર્યમાં પોતાથી બનતા ફાળો આપવા સ્થાનકવાસી ભાઈ મ્હેનને આગ્રહ કર્યો. આ સર્વે વસ્તુ અહિંસાના સ્થૂલ પ્રતીક છે અને જનને માટે ધર્મ સમાન છે.
આપ
સામાજીક ક્ષેત્રે, જે રીતરિવાજો અને રૂઢિ ચુસ્ત માનસને આપણે અનિષ્ટ માનીએ છીએ, પણ જે હજી શામાં પ્રબળપણે વર્તે છે તે દૂર કરવા અને લોકમત કેળવવા અધિવેશને પ્રસ્તાવા કર્યાં. કન્યા કેળવણીની જરૂરીઆત સ્વીકારી પેાતાની કન્યાને સંસ્કારી અને કેળવાયેલી બનાવવી દરેક માબાપની ફરજ છે એમ અધિવેશને જાહેર કર્યું. આ દિશામાં સક્રિય પગલુ લેવા સ્ત્રીકેળવણી માટે અધિવેશનમાં જ ક્રૂડ થયું અને લગભગ રૂા. ૮૦૦] ની રકમ ભેગી થઇ અને તે કંડની ખૂબી એ છે કે હેંનેએ પોતાનામાંથી જ તે કુંડ એકઠું કર્યું. બાળલગ્ન, અસમાન વયના લગ્ન, કન્યાવિક્રય, વરવિક્રય, અતક પત્નીત્વ વિગેરે નાબુદ થવા જોઇએ અને એવા પ્રસંગામાં કોઇ સ્થાનકવાસી સ્ત્રી પુરૂષે ભાગ ન લેવા અને લગ્ન વરકન્યાની સમતિથી થવા જોઇએ એમ અધિવેશને ભલામણુ કરી. લગ્નની વય કન્યાની એછામાં ઓછી ૧૬ વર્ષની અને વરની ૨૦ વર્ષની હોવી જોઇએ એવી ભલામણ કરી. વળી લગ્ન સંબંધ વિષે આજની ભૌગોલિક અને જ્ઞાતિ વિષયક મર્યાદા આજની વસ્તુસ્થિતિની વિધી અને સામાજિક પ્રગતિને બાધક હાઇને નાબુદ થવી જોઇએ એમ કાન્સે જાહેર કર્યું. આવા પ્રશ્નો સંબંધે બહુ મતભેદ ન હોવા છતાં લોકમત જોઇએ એવા જાગૃત ન હોવાથી આવા પ્રસંગો બને છે. તેથી જ તે લોકમત જાગ્રત કરવા આવા પ્રસ્તાવાની જરૂર રહે છે. આવા રીવાજો નાબુદ કરવાનો એકજ રસ્તા છે કે આપણે તેવા પ્રસંગે અસહકાર કરવો. આ અધિવેશને એવી ભલામણ કરી.
અત્યારે ધાર્મિક શિક્ષણ અપાય છે તે નિર્જીવ અને સત્ત્વ હીન છે અને જે રીતે તે અપાય છે તેથી કદાચ સાચા ધર્મનુ જ્ઞાન થવાને બદલે ધર્મ પ્રત્યે અણગમા ઉત્પન્ન થતા હશે. જૈન ધર્મનાં સંસ્કારાનું સતત સિંચન આપણા કુમાર કુમારિકાને મળે તેથી ધાર્મિક શિક્ષણની જરૂરીઆત સૌ કાઇ સ્વીકારે છે. પણ અત્યારે જે પ્રયત્ને તે દિશામાં થાય છે તે તદ્દન અવ્યવસ્થિત અને વર્તમાન જરૂરીઆતથી વેગળા છે. તેથી એક જ ધોરણે વંત અને હૃદય સ્પર્શી ધાર્મિક શિક્ષણ અપાય તે માટે શિક્ષક્રમ અને પાઠય પુસ્તકો તૈયાર કરવા એક શિક્ષણ સમિતિ નીમવામાં આવી અને તે દિશામાં સક્રિય પગલાં તુરત લેવાય તે માટે
૨૩૫
તે સમિતિના ખર્ચ માટે ફંડ થયું જેમાં લગભગ રૂા. ૨૫૦૦] ભેગાં થયાં.
સાધુ સાધ્વી સધનાં આચાર વિચાર અને તેમને પરસ્પર વ્યવહાર જેના માટે અને સ્થાનકવાસી સમાજ માટે ખાસ અગત્યનાં છે. આ માટે અજમેર મુકામે સાધુ સમેલન ભરી કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે. આ નિયમેનુ પાલન કરવાને ક્રીથી સાધુ સાધ્વી સધને આગ્રહ કરવામાં આવ્યા અને શ્રાવક શ્રાવિકાને તે નિયમેાનાં પાલનમાં સહકાર આપવા અને તેના થતા ભંગ અટકાવવા અનુરોધ કર્યાં. આ પ્રસ્તાવને એક અગત્યના ભાગ નીચે મુજબ છે.
“ આ અધિવેશનને એ દ્રઢ અભિપ્રાય છે કે (અજમેર) સંમેલનના અધિકાંશ નિયમેા અને પ્રસ્તાવા એવા છે કે જેમને ભંગ કાપણું સાધુસાધ્વી કોઇપણ શ્રાવક અથવા શ્રાવિકાના થેાડા ધણા સહકાર અથવા અનુમતિવિના કરી શકે નહિ, એટલા માટે સમાજહીત જેને પ્રિય છે એવા પ્રત્યેક શ્રાવક શ્રાવિકાનું કર્તવ્ય છે કે જ્યાં જ્યાં સાધુસાધ્વી કોઈ રીતે સમેલનનાં નિયમે અને પ્રસ્તાવેાના અમલ કરતા નહાય અથવા કરવા ચાહતા ન હોય ત્યાં ત્યાં તે નિયમાનુ પાલન કરાવવા માટે દરેક પ્રયત્ન કરવામાં આવે અને તેના ભંગમાં કાઈ પણ પ્રકારના સહકાર આપવામાં આવે નહિ”
આપણાં સાધુસાધ્વીએ એક રીતે અત્યંત પરવશ છે. તેમનાં વનની દરેક જરૂરીઆત માટે અને તેમના ઘણાં કાર્યો માટે તેમને શ્રાવક શ્રાવિકા ઉપર જ આધાર રાખવા રહે છે. તેથી સાધુ સાધ્વીઓનાં આચાર વિચાર અને તેમનાં વર્તન અને વ્યવહાર માટે ઘણા દરજ્જે શ્રાવકે જવાબદાર છે. કોઇ સાધુ સાધ્વી સ્વચ્છન્દી, અથવા સત્તાશીલ, હાય અથવા સમાજને અવળે માર્ગે દોરવતા હાય તેા તેવા સાધુને સહકાર આપનાર શ્રાવકેાના જ દોષ છે.
સ્થાનકવાસી સમાજનાં સાધુએની સત્તા હજી અતિસય નથી. શ્રાવકને સારા કાધ્યુ છે. તેમજ કેટલાક મુનિરાજો સાધુ સમાજની સુધારણા માટે સતત જાગૃત છે. તેમણે સાધુ સમાજની એકતા માટે એક યોજના ઘડી છે જે યાજના સંબંધે વિશેષ વિચાર કરવા અજમેર સમેલન વખતે નીમાયેલ મુનિઓની કાર્યવાહક સમિતિની બેઠક એલાવવાના નિણૅય કરવામાં આવ્યા છે.
સાધુઓના પરસ્પર વ્યવહારમાં પોતાના વાડા કરવાની વૃત્તિ અતિ પ્રબળ છે. તેને કારણે સાધુગ્મામાં સદાય ભેદ વધે છે જેનુ ઝેર શ્રાવકામાં પણ પ્રસરે છે. થેાડીપણુ શક્તિવાળા કાઇ સાધુ પેાતાનુ મંડળ અથવા સંસ્થા જમાવે છે. આવા સાંપ્રદાયિક સ`ગાતા એકતાના અવરાધક છે. તેથી એક પ્રસ્તાવ કરવામાં આવ્યા છે કે આવા સાંપ્રદાયિક સંગઠના ન કરવા.
સાધુએ, પેાતાનાં વ્રત નિયમોને કારણે, વર્તમાન યુગમાં સમાજસેવા જોઇએ તેવી કરી શકતા નથી. તેથી એક એવા વર્ગની સમાજને જરૂર છે કે જેણે સાધુ જીવનનાં બધા તે · અંગીકાર કર્યા ન હેાય છતાં સમાજને આજીવન પેાતાની સેવા આપવાને તત્પર હાય. તેવી એક વીર સેવા સંઘ' યેાજના આ કાન્ચે ઘડેલી છે અને તેને માટે કોન્ફરન્સ પાસે ક્રૂડ પણુ છે. તે યોજના અમલમાં મૂકવા એક વિશેષ પ્રયત્ન કરવા અધિવેશનમાં નિણુંય થયા.
એક પ્રસ્તાવ સંધ સંગઠન માટે થયા. ધણાં ગામા અને શહેરાનાં સથેામાં એક અથવા વિશેષ તડા હાય છે અને ઝ‰(અનુસંધાન પૃષ્ઠ ૨૩૮ જુઓ)
3