________________
તા. ૩૧-૩-૪૧
પ્રબુkધ જૈન
૨૩૧
હિંસા-અહિંસા
[‘તરૂણ જેન’ને અહિંસા-અંક જે સંબંધમાં છેલ્લા અંકમાં ઉલ્લેખ કરવામાં આવે છે તેમાં જે વિવિધ વિચાર સામગ્રી અને ચર્ચારપદ બાબતે ભરેલી છે તે તે તે અંકનું અવગાહન કરવાથી જ મળી શકે તેમ છે. પણ તે અંકના છેવટના ભાગમાં બધી ચર્ચા અને ઉત્તરાવળીઓને ઉપસંહાર કરા સંપાદકીય લેખ શ્રી. સિદ્ધરાજ ઢઢ્ઢાએ લખે છે. આ લેખના વાકયે વાકયે લેખકે અહિંસા વિષેની ઉંડી ધગશ અને આજના અહિંસાવાદીઓની અહિંસા--વિષયક અશ્રદ્ધા . જોઇને પિતાને થઈ રહેલે વિષાદ ભારે પ્રાણવાન ભાષામાં રજુ કરેલ છે. શ્રી સિદ્ધરાજ ઠઠ્ઠા કલકત્તા તરફના જૈન યુવક સમાજને એક વિદ્વાન અને પ્રાણવાન કાર્યકર્તા છે, “પ્રબુદ્ધ જનને વાંચકે માટે તેમના ઉપરોકત લેખને શ્રી. નાનચંદ દલાલે અનુવાદ કરી આંખે છે જે સાભાર નીચે પ્રગટ કરવામાં આવે છે. પ્રસ્તુત લેખમાં સુચિત પ્રશ્નાવલી વાંચકોએ છેલ્લા અ ક્રમથી જોઇ લવી. તંત્રી.)
અહિંસા” અંક ની કલ્પના અમારા મનમાં કેવી રીતે આવી અને એ અંક કાઢવામાં અમારે શું ઉદેશ હતા તે વિષે પ્રારંભિક નિવેદનમાં કાંઈક પ્રકાશ પાડે છે. અહિંસા અંક જેવો બને છે તે અમે વાંચકોની સામે મુકીએ છીએ. તે વિષે વાંચક પિતાને ઠીક લાગે તે અભિપ્રાય બાંધે; પણ અમે તે અમારા મનની વાત નિઃસ કેચપણે કહીએ છીએ કે જે કલ્પના અને જે આશાઓથી અમે આ કામ હાથ ધર્યું હતું તે સર્વ રીતે પરિપૂર્ણ થયું નથી
અહિંસા અને હિંસા, અંધકાર અને પ્રકાશ, આસુરી અને દૈવી શકિતઓનાં સંધર્ષણ જગતમાં હરપળે-હરક્ષણે ચાલ્યા જ કરે છે, અને ચાલ્યા જ કરશે, કારણ કે એ બેમાંથી એકના સદતર નાશથી ભૌતિક જીવન જેવી વસ્તુ જ ન રહે. પરંતુ ઇતિહાસમાં એ યુગ આવે છે, એવી ઘડિ આવે છે, કે જ્યારે આસુરી વર્તન અને હિંસક વિચારધારા દેવી શકિતઓ પર એકદમ સ્વાર થાય છે અને ચારે બાજુ ગાઢ અંધકાર ફેલાય છે અને દમનનું સામ્રાજ્ય પ્રવતી રહે છે, પૌરાણિક ભાષામાં કહીએ તે પૃથ્વીને ભાર વધી જાય છે. આજ આપણને સ્પષ્ટ માલુમ પડે છે કે આપણે પણ આજે એવા જ કોઈ યુગમાં જીવીએ છીએ. ખાસ કરીને ચાલુ યુધ્ધના આરંભથી તે હિંસા અને વિનાશનું તાંડવ : આપણી નજર આગળ ખેલાઈ રહ્યું છે. માનવીએ માનવીના વિનાશ માટે કેવાં કેવાં યંત્ર–કેવી કેવી યુકિતઓ-શોધી કાઢી છે? પિતાને વૈજ્ઞાનિક (3) કહેતા-કહેવડાવતા કેટલાએ પ્રાણીઓ એ સાધને શોધવા અને તેને પ્રચાર કરવામાં પોતાના જીવનની ઇતિકર્તવ્યતા સમજી રહ્યા છે ! જંગલમાં, ખુલ્લી હવામાં, પ્રકૃતિમાતાની ગાદમાં વસતા લેકને ‘જંગલી ” કહેવામાં આવે છે. પરંતુ જરા વિચાર તો કરો કે “સભ્ય' કહેવડાવતા મનુષ્ય અને જાતિઓ આજ હિંસા અને એક બીજાના વિનાશ માટે શું શું કરી રહ્યા છે અને એ બધી સ્થળ હિંસાની સાથે કેટલી બધી સૂક્ષ્મ હિંસા પ્રસરેલી છે તેને ખ્યાલ કરતાં તે રૂંવાડા ખડાં થઈ જાય છે ! કેટલી ઘાતકી રીતે સત્તાધારી વર્ગ નીચલા વર્ગના લોકોનાં લેહી ચૂસી રહ્યા છે! અને આપણે મધ્યમ વર્ગના લોકો પણ તેમને તેમની ભયંકર ચસણનીતિમાં મદદ કરી રહ્યા છીએ. આ આર્થિક શોપણ એટલું બધું પ્રસરેલું છે, એનાં એટલાં વિવિધ રૂપ છે કે અહીં તે બધાને પુરો ઉલ્લેખ કરવો મુશ્કેલ છે, પણ ટૂંકમાં એટલું જ કહીશું તે બસ થશે કે આજ આ દુનિયામાં જે “સભ્યતા’ની બોલબાલા છે એના પ્રત્યેક પગલે, પ્રત્યેક વ્યવહારમાં–પછી ભલે તે ધર્મપ્રચાર હોય, સાહિત્ય હોય, કલા હોય, દાન હોય, વ્યાયામ હોય, શિક્ષણ હોય, કૌટુંબિક સંબંધ હોય કે સામાજિક સંબંધ હોય–સીધા આર્થિક શોષણુની
તે વાત જ બાજુએ રાખીએ-સધળામાં હિંસા અને શેષણનીતિ વ્યાપી રહેલી નજરે પડે છે. આખી વર્તમાન ‘સભ્યતા’ હિંસા પર જ રચાયેલી છે.
મારા કહેવાનો મતલબ એ નથી કે અહિંસા કે અહિંસક મનોવૃત્તિને સદંતર કે સર્વદેશીય અભાવ છે. ઉપર જણાવી ગયા તેમ જે આ પ્રમાણે હોય તે તે જીવન જ અશકય બની જાય. પરંતુ અહિંસા પર હિંસાને એટલે ઘટ્ટ થર જામી ગયેલ છે કે આજ આપણને હિંસા અહિંસાના ભેદનું પણ ભાન રહ્યું નથી. ધર્મના ઠેકેદારે, શાસ્ત્રો અને તિલક ત્રિપુડુધારી પંડિત,-મનુષ્યના અમુક વર્ગને અત માનવામાં, તેમની છાયા માત્રથી દૂર રહેવામાં, તેમને ભગવાનના દરબારથી દૂર રાખવામાં– પાપ સમજતા નથી; સનાતન ધર્મની દાંડી પીટનાર, રોજ કલાકે સુધી પૂજાપાઠ કરનાર, જપ તપમાં ખર્ચ કરનાર શેઠીએ એક હાથે ગરીબોને દાન આપે છે અને બીજા જ હાથે ગરીના પસીનાની કમાઈ ગળી જવામાં કોઈ જાતનું પાપ માનતા નથી; ગાયના સ્થૂળ શરીરની રક્ષા કરવા વિધમ (?) મુસલમાનનાં માથાં ફાડી નાંખવા તૈયાર થનાર ગોપાલક ગાયને ચૂસી ખાવામાં, તેને અને તેનાં વાછરડાંઓને કસાઈને હાથે વેચી દેવામાં કોઈ જાતનું પાપ સમજતા નથી: ગૌરક્ષાને મહાનધર્મ માનનાર આપણા વૈષ્ણવ વ્યાપારીઓ કતલખાનાના ચામડાને વેપાર કરવામાં અને વેજીટેબલ ઓઈલ (vegetable oil) ની મીલે ખેલવામાં ગેહત્યા નથી દેખી શકતા. અહિંસાધર્મની દાંડી પીટનાર અને વીતરાગ ધર્મમાં માનનારા આપણુ સાધુમુનિરાજ આપસઆપસમાં લડવામાં અને સંધ વિચ્છેદ કરવામાં રાગદ્વેષની ભાવનાને પ્રોત્સાહન આપે છે એ વસ્તુ તેઓ નથી સમજતા: આઠમ ચૌદશના દિવસે શાકભાજી ત્યાગ કરનાર, પશુપક્ષી, વનસ્પતિ, કીડીમ કેડી સુધી અભયદાન આપનાર વ્રતધારી (3) શ્રાવક શેઠીઆએ જુદી જુદી મિલે અને કારખાનાઓ ચલાવીને હજારો ગરીઓની રોજી લુટવામાં કોઈ જાતનો અધર્મ – અન્યાય નથી માનતા; અતિથિ સહકાર કે કુવા ખોદાવવા જેવી પ્રવૃતિઓમાં જેઓ “આરંભ-સમારંભ માને છે તે જ આખો દિવસ માયાકપટ કરવામાં અને મોટી મોટી મીલના શેર - તિજોરીમાં ભરી રાખવામાં કશું પણ પાપ કરતા હોય એમ સ્વપ્ન પણુ ચિન્તવતા નથી. ઉલટું તેમ કરવાની પિતાને છુટ હોય એમ જરૂર માને છે. હિંદુ-મુસ્લીમ એકતા અને અહિંસા ઉપર મેટા મેટા ભાષણ કરનાર-લેખ લખનાર નેતાઓ ખાનગીમાં (2) પિતાને વ્યક્તિગત અભિપ્રાય હિંદુ-મુસ્લીમ એકતાના અસંભવની તરફેણમાં આપવામાં પિતાની ઈમાનદારી સમજે છે; પિતાને જ્ઞાનવિજ્ઞાનની ચરમ સીમાએ પહોંચેલ માનનાર આપણું વૈજ્ઞાનિક માનવ-સંહાર માટે એકથી એક ચઢીયાતાં શસ્ત્રાસ્ત્ર અને વૈજ્ઞાનિક યુક્તિઓ શોધવામાં જ્ઞાનનું અપમાન કે તિરસ્કાર નથી માનતા. મતલબ કે આજના માનવ સમાજે સચ્ચાઈ છોડી દીધી છે; ભલું કે બુરું, સાચુ કે બેટું, સમજવાની તાકાત જ એનામાં રહી નથી. કેઈ પણ પ્રકારે વવું, ગુજરાન ચલા૧૬.૬ વવું, વધતી જતી જીવનની જરૂરિયાત પુરી કરવા કોઈ પણ માર્ગે પૈસે ભેગા કરે એજ એનું દયેય બની ગયું છે.
એવા હિંસામય વાતાવરણમાં એનાથી ઉલટે અહિંસાને. સત્યને, માનવતાને પડકાર ઉઠે સ્વભાવિક હતા અને અમને જાણવાની ઉત્કંઠા હતી કે અહિંસાનું તત્વ જેને મૂળ આધાર છે અને સિકાઓથી એ મુજબ ચાલતુ' અવ્યુ છે તે જનધર્મના સંબંધમાં જેઓ અધિકારથી બોલવાનો દા રાખે છે તેઓ