________________
૨૩૦
કે
માનવ-સમાજ તારી રાહ જોઇ ઉભા છે. આ બેઠકના ઝઘડા તારા માર્ગને નહિ ઉજાળે, તારા
X
પ્રબુધ્ધ જૈન
તે, બંધારણ કે
પૂરને નહિ ખાળે !
X
આપણા ભાગમાં અંતરાયરૂપ બનેલા અનેક પ્રશ્નો છે. આ પ્રશ્નોના ઉકેલ જ આપણા રાહ ચેકો કરી શકે. અને અંધારી વાદળીનું આચ્છાદન દૂર કરી પ્રકાશ પ્રગટ કરી શકે.
×
(૧) આપણી વિશાળતાને અવરોધતી સંકુચિત મનેાદશા– કયાં પિતા મહાવીરનું જગતને બાથમાં લેવાનું સ્વપ્ન અને કાં આપણી વાડાના મેહની પામર મનેશા! સામાજીક વાડા તજી રાટી વ્યવહાર ત્યાં બેટી વ્યવહાર–અને સાંપ્રદાયિક ફિરકાભેદ અમુક ક્રિયાકાંડે પૂરતા જ રાખી બાકીના બધા વ્યવહારા એક સંપ્રદાય તરીકે, જૈન તરીકે જ થાય તે જાતના વાતાવરણને પ્રચાર આપણને વિશાળ કાર્યં બતાવી શકે અને કેટલાએક મતભેદ્દા અને અગવડતા આપેઆપ અદૃશ્ય થઈ શકે. સામાજીક વ્યવહાર અનેક જાતની ભિન્નતાને દૂર કરી માનવી માનવી વચ્ચે કોઇ અજણ્ સાંકળ રચી બહુ જ નજદીક લાવે છે.
(૨) પ્રજાને તૈયાર કરવા માટે પૂરતા પ્રમાણમાં કેળવણીને પ્રચાર. સકળ કામનું લક્ષ્ય આ દિશામાં જ ભડાવુ જોઇએ. આધેડ કે મૃત્યુને આરે બેઠેલા કંઇ નહિ કરી શકે પણ ભાવિ પ્રજાને જો તૈયાર કરવામાં આવે તે કઇ દિવસે પણ સમાજ ઉન્નત બનશે. તેથી તે માટે ઘડતરશાળા, સંસ્કારશાળા, અને તન ઘડનાર વ્યાયામશાળા પાછળ વધુમાં વધુ દ્રવ્ય ખર્ચાય અને લક્ષ્ય અપાય તે। ભવિષ્યમાં સશકત, સમજદાર અને સંસ્કારી પ્રજા તૈયાર થાય. મહાવીરને બાળ તે તેજ હાઈ શકે કે જે શકિતશાળી છે, જ્ઞાનવાન છે, સંસ્કારી છે અને ભાવનાવાળા છે. આવી પ્રજા ઘડવી તે જનાની હોવું જોઈએ.
વિશાળતાની સંસ્થાનુ ધ્યેય
(૩) પ્રજામાં અસ્મિતા પુનઃ લાવવા માટે આપણા કેન્દ્રો રચી વ્યવસાયમાં, રેટીના વ્યવસાયમાં, સહધર્મીને હાથ આપી ‘ભારાપણું’ બતાવવાની વૃત્તિ જરૂર કામ માટે આકર્ષણ અને પ્રેમ જન્માવી શકે, રાષ્ટ્રભાવનાની દૃષ્ટિએ આ પગલું જરૂર કાવાદી અને સંકુચિત લાગશે પણ વાસ્તવિક રીતે તેમ નથી જ. સ્વદેશી ભાવનાની પાછળ જે ચોકસ દૃષ્ટિ છે તેવી જ કંઇ દૃષ્ટિ આ ભાવનાની પાછળ પણ છે. સમૂહજીવનની પાછળ આવી ભાવના આવશ્યક પણ હેાય છે.
(૪) જેમ એક ખ્રિસ્તી માટે બાઇબલ, મુસ્લીમ માટે કુરાને શરીફ, પારસી માટે જંદ અવસ્થા, આજે પંથ કે પંથ બહારનાના હાથમાં મુકવા યેાગ્ય પ્રમાણભૂત ગ્રન્થા છે તેમ જના માટે સામાન્ય ગ્રન્થ કયો ? બહારની જંતર પ્રજાના હાથમાં કા મૂકવા ? શરૂઆતના અભ્યાસી બાળકોના હાથમાં કયું પ્રમાણભૂત પુસ્તક મૂકવું? આ એક સામાન્ય પ્રશ્ન છે. ક્રિયાકાંડા અને પ્રાર્થના કે પૂજા ગોખાવવામાં આવે છે અને તે પણ તદ્દન મિશ્રિત ભાષામાં. આનું પરિણામ આજ સુધી તે। શૂન્ય સિવાય કંઇ દેખાતું નથી. આપણી ભાવી પ્રજાને ઘડતી, જનશાળા જૈન બનાવવાને બદલે ક્રિયાકાંડી પેપટા જ બનાવે છે. આ દિશામાં જૈન કૉન્ફરન્સે, સાધુસમાજે અને વિદ્રાન મહાનુભાવોએ કંઇક કરવું ઘટે છે. ધર્મના સાચા, સરળ અને પ્રમાણભૂત ગ્રન્થે વિના અનેક જાતની વિચિત્ર અધાર્મિક બાબતે વનમાં પૈસી, ધર્મના હાર્દને હણે છે અને પ્રજામાંથી ધર્મ પ્રીતિ નાશ પમાડી વહેમ અને વેવલાપણુ' જન્માવે છે.
તા. ૩૧-૩૪'
(૫) જંતાનું સામાજીક જીવન જ્યાં સુધી સુખમય નહિ અને ત્યાં સુધી તેનુ ધાર્મિક, સાંપ્રદાયિક જીવન શાન્તિમય બની શકે જ નહિ. આર્થિક સંકડામણ, વ્યર્થ વ્યય, બેકારી અને સ્ત્રી-પુરૂષોના અનેકવિધ પ્રશ્નો આજે દેશભરના માણસોને ગૂગળાવતા વિકટ પ્રશ્ન છે જેમાં જૈન સમાજને પણ ફાળે આવત જાય છે. આજે લગભગ દેશના ચેાથા ભાગના વ્યાપાર તાના હાથમાં હાવા છતાં પણ જૈનોની એકારી બીજાને મુકાબલે કમી નથી. આ આપણી અસ્મિતાની ભાવનાના અને સહધી તરફની સહાનુભૂતિના અભાવનુ જ પરિણામ છે. જંતાએ જેમ વ્યાખ્યાનમાં પોતાના ફાળો આપ્યા છે તેમ અમુક પ્રમાણમાં હુન્નર ઉદ્યોગમાં પણ આપ્યા છે. તેમાં જો નાના નાના પાયા પરના ગૃહઉદ્યોગોના સમાવેશ કરવામાં આવે અને તેમના માણસાને તેને લાભ મળતા થાય તેવી પવિત્ર ભાવના દૈનિ કાના હૃદયમાં થશે તે રાષ્ટ્રીય તેમજ કેાની ઉન્નતિમાં જરૂર સારે કાળા આપી શકાય અને બેકારીને પ્રશ્ન અમુક પ્રમાણમાં ઉકેલી શકાય. બાકી તે એકારીનો પ્રશ્ન વ્યક્તિગત કે કામી નથી. તે દેશના અને માનવજાતના પ્રશ્ન છે એટલે જ્યાં સુધી આ પ્રશ્નને દેશ ન ઉકલે અને દેશને તેવા પ્રશ્નોના ઉકેલ જેટલા સબળ આપણે ન બનાવીએ ત્યાં સુધી વધુ કંઈ બની શકે તેમ નથી. ના પોતાની કામની સાથે જ દેશને પણ વિચાર કરતા થ જાય તેવી રાષ્ટ્રીય ભાવના કસઁવ્યમય અને તે જોવાનું છે.
k
સાધુ–સંસ્થાની સુધારણા અને તેના માટે યોગ્ય સામાજીક અને ધાર્મિક વ્યવસાયની યોજના-આ યોજના જ્યાં સુધી સસારી અને સાધુસમાજ નહિ વિચારે ત્યાં સુધી આપણે તે ઉપયોગી વર્ગ તદ્દન નિષ્ક્રિય જ રહેવાનો છે. કેળવણી અને સામાજીક પરિવર્તન ફેલાવવાનું મહાન કાર્ય આ સંસ્થા સુંદર રીતે કરી શકે. પિતા મહાવીરે ભાખેલુ સત્ય ન ફેરવી શકાય તેવી દલીલનો જરા વિચાર કરીએ તે જરૂર લાગે કે મૂળભૂત સિદ્ધાંત કિ કર્યા કરી શકતા જ નથી, માત્ર તેના આજુબાજુના સંજાગે અને માર્ગો જ બદલાવવાના હોય છે. સિદ્ધાંત તરીકે પાંચ મહાવ્રતને જ લઇએ. તે સિવાયની ખીરૂ ક્રિયાએ અને જીવન માર્ગો તા સિદ્ધાંતની પૂર્તિ પૂરતા અનુમાનો છે, જે સમય પ્રમાણે બદલાવી શકાય. સાધુસુધારણા વાંતી સાધુસંસ્થાએ આ વાત લક્ષ્યમાં રાખવી અને કાન્ફરન્સે તે જાતની તક અને ટેક આપવા.
ઉપલા થોડાક ઉપયોગી મુદ્દાઓ આપ્યા છે. તેના ઉપર સમાજ પૂર્ણ પણે વિચાર કરી, તે કાર્ય માટે યોગ્ય વાતાવરણ જમાવે અને ક્રમશ: ઘેાડા થોડા પ્રશ્નો હાથ પર લઈ પાંચ વષઁના ગાળામાં બધા પ્રશ્નો ઉપર સંપૂર્ણ લક્ષ્ય આપતા થઇ જાય તે જરૂર આપણે પુનઃ પગભર થઈ શકીએ અને કહી જતી જહાજલાલીને અટકાવી શકીએ.
કેન્ફરન્સમાં હાદ્દા ઉપર તો પાંચ પદર માણસે જ છે તે આપણું લીલું કરી દેશે તે વાત ઉપર ભરેસે રાખીને બેસી રહેવાથી કઇં વળે તેમ નથી. આજ સુધી આપણે કેન્સ અને તેના કાર્ય તરફ ઉપેક્ષાની દૃષ્ટિએ દેખતા આવ્યા છીએ હવે કંઇ કરી છૂટવાની સાપેક્ષ દૃષ્ટિએ 'દેખતા થઈ જશે તે આપણુ ભેગુ થવુ અને પૈસાનુ ખચવું સાર્થક છે. આટલા માટે એક વખત પહેલવહેલા આપણુ ક્લિ સાચા જૈનનુ બનવા દો. બાકીનું કામ આપણા પુરૂષઁથ, પ્રીતિ અને પ્રાધ કરશે. તે શકા વગરની વાત છે. અસ્તુ.
વ્રજલાલ ધ. મેઘાણી