________________
તા. ૩૧-૩-૪૧
પ્રબુદ્ધ જૈન
૨૨૯
આજે નૂતન પ્રજાના દિલમાંથી ધર્મ-પ્રીતિ (સાંપ્રદાયિક પ્રિતિ) નાશ પામતી જાય છે તેનું મન એક યા બીજા કારણે કે સંસર્ગ દોષથી વ્યગ્ર બન્યું છે. તેઓ પિતાનું સાચું સ્થાન અને ઉકઈ સંપ્રદાયમાં હોય તેમ માનતા નથી, જ્યારે વૃદ્ધો-જુના વિચારસરણીવાળાઓ એક પણ ડગલું યુગની કુચની દિશામાં માંડવા તૈયાર નથી, બુદ્ધિ અને જરૂરિયાતના બતાવેલા માર્ગને સ્વીકારવા તૈયાર નથી. બીજાને તક આપી કામ કરતાં કરવા તદ્દન ઉદાસીન છે તેમજ કાયમ ધર્મમય વાતાવરણ બન્યું રહે તેવી કે ઉપકારક અને આકર્ષક વ્યવસ્થા અને મારાપણું જન્મી મારા માટે મમતા વધે તે કઈ પ્રબંધ થયો નથી ત્યાં આપણે કેને ઠપકે આપીએ ? કેને દોષિત ગણીએ ? એકની કસમયની ઉગ્રતા અને બીજાની ખરા સમયે પણ શિથિલતા આપણા પતનનું કારણ છે !
આપણે નવ નવ વખત મળ્યા છીએ અને નવ નવ વખત આવ્યા તેમ વીખરાયા છીએ. કોન્ફરન્સની શરૂઆતમાં તેને નવીન તત્વ માનીને અને નવીન યુગના ક્રાન્તિકારી પગલા સમાજમાં થયા નહતા એટલે પ્રજા તે નિષ્ક્રિય પરિષદને પણ વળગી. જેમ જેમ પ્રજા સજગ થતી ગઈ અને દુનિયાના બદલાતા વાતાવરણની અસર આવતી ગઈ તેમ તેમ તેની પ્રીતિ પણ પાછી વળતી ગઈ. કોન્ફરન્સ યાદગીરીનું કંઈ પણ સ્થિરસ્થાયી ચિન્હ પાછળ રાખેલું ન હોવાથી લેકે ભૂલવા પણ માંડ્યા. વળી કઈ રસી કોમપ્રેમી કેમનું નામ રાખવા આગળ આવ્યો (શ્રી મેઘજીભાઈ ભણ) અને લાંબા કાળે ભેગા થયા. (મલકાપુરનું અધિવેશન) “કંઈક કરીશું” એવા ભાવી ખ્યાલે ડુંક વાતાવરણ પણ ઉત્પન્ન કર્યું. આ વાતાવરણે એક સબળ નરને મોખરે આ. (શ્રીયુત વા. મ. શાહ) યુગની વતી બોલવાને અધિકારી અને જુના પ્રવાહને સમયની રેતીમાં લુપ્ત થતા બચાવી કે ઉગી ભૂમિમાં વહેવડાવવાની ભાવનાવાળા અને
મેરેમમાં ઉલ્લાસ ઉત્સાહ અને વેગવાળો તે નર હતા. પ્રજા અને સાધુગણું તે પ્રવાહના વેગને ઝીલવા શક્તિવાન નહેાતી એટલે તે પ્રખર વિચારક અને બળતા પ્રશ્નને જાતે બળી ઉકેલ કરનાર માનવીને ન ઓળખી શકી, ઝીલી શકી. એટલે પુનઃ પ્રજા પ્રકાશના દુ:ખમાંથી છૂટીને અંધારાના જુગ જુના સુખમાં સુતી. વર્ષો ફરી વખત વીત્યા, અને પ્રવાહ તન્ને લુપ્ત થઈ જાય તે પહેલાં બે સાધુદિલના માનવીએ (શ્રીયુત દુર્લભજી ત્રીભવન ઝવેરી અને નથમલજી ચેરડિયા) નવીન તત્વથી પ્રજાને આકર્ષ. અને જૈન કમના ઇતિહાસમાં અજોડ એવો છેલ્લો અને પહેલે ચમકા પ્રગ્નજીવનમાં ચમકી ગયે. કઈ જાગ્યા. કેઈ ભડકીને ભાગ્યા.. કામના હાથી–અને સાધુસમાજથી બીન અનુભવી છતાં પણ સતત કાર્ય નિમગ્ન સુકાની સાંપ. (શ્રીયુત હેમચંદભાઈ રામજી મહેતા) એ ઇજીનિયર મહાશયે કેમના સ્થાપત્યની મરામત કરવા પ્રયત્ન પણ કર્યો. પરિણામ કંઈ ન જ આવ્યું. કારણ કે સમાજમાં નિરંકુશપણે ફરતા અને ત્યાગી છતાં પણ પૂર્ણ ૨ ગી સાધુ સમાજે સમાજમાં નવા વમળ ઉત્પન્ન કર્યો, કેમનું નાવડું તેફાને ચડ્યું. પ્રજા તેમાં અટવાઈ ગઈ. લાખનું ખર્ચ બરબાદ થયું અને પ્રજા વધુ પક્ષાપક્ષી અને આંધીમાં પડી ગઈ. ટંડેલ (સુકાની) અને નાવિકે ઝુઝયા પણ મેટા વમળ પાસે કંઈ ફાવે જેવું રહ્યું, એટલે નિષ્ક્રિયતાની સાથે મતભેદ અને કલહ વધ્યાં. આજે પ્રજાને કાર્ય માટે પ્રીતિ નથી રહી, લડવાની રહી છે ! ક્રિયાનું જેમ નથી રહ્યું, વાણીનું રહ્યું છે ! સાંપ્રદાયિક પ્રતિભાની, જાહેજલાલી નથી રહી પણ જેન નામને ઉપયોગ કરી ફાવી જવાની કે જલસા કે જુલુસની જાહોજલાલી રહી છે. મંદિરમાં
કે ઉપાશ્રયમાં મહાવીર પ્રભુને કલ્યાણુનાદ નથી ગૂંજત, સાંપ્રદાયિક સંકુચિતતા અને વિતંડાવાદ ગૂજે છે. આજે પાંચ પાંચ લાખ માનવીઓમાંથી કઈ યોગ્ય રીતે સુકાન સંભાળવા તૈયાર નથી. કોઈ ધર્મ પ્રીતિ પાછળ પિતાને સમય આપી કોમની ભરતી મમતાને બચાવવા અને ઓસરતા પૂરની આડે પડની પાળ બાંધી પ્રવાહ અટકાવવા તૈયાર નથી.
આવી સ્થિતિમાં સંધનું કામ ખરેખર વિકટ બને છે. અને આવા સંજોગોમાં ન છૂટકે બીજા કરતાં કાંઈ વધુ ઠીક હોય તેવા સુકાનીને સકળ કેમમાંથી શેધી, સુકાન સેપી સાવ અનુભવો પડે છે.
આપણું કાર્ય આ પતન પામતા યુગમાં સબળ મહારથીને માંગે છે પણ તે કાઢવો કયાંથી !
ભાંગ્યાને ભેરૂ થવા, અનેક નિરાશામય વાતાવરણ વચ્ચે બહાર પણ કોણ પડે! એટલે જે કોઈ ડૂબતા નાવને બચાવવા હિંમતભેર બહાર આવે તેને ધન્યવાદ આપીને કેમ પ્રેમીઓએ પાકું પીઠબળ આપવું જ રહ્યું છે.
જ્યાં પ્રજા ઉતરતી જાય છે અને તેની ધર્મપ્રીતિ પરવારતી જાય છે ત્યાં પ્રમુખની શક્તિ કે પ્રતિભા, પ્રજાની તાકાદ અને સંગઠન ઉપર અવલંબે છે. આપણે સૌ પ્રમુખમાં પ્રાણ પૂરીએ તે માટીના માનવી પણ તાકાદસ્વરૂપ બની શકે. પ્રજાને પ્રેમ અને કાર્યતત્પરતા નરને નારાયણ બનાવી શકે. વામનના વિરાટ કરી શકે, જે સુકાની પિતે પણ પરમુખ ને બનતા સ્વમુખ બને, પ્રજામાં શુદ્ધ ધાર્મિક પ્રેમ અને ભરતી કોમને બચાવવાની સાચી વૃત્તિ હોય છે!
આપણી આ કોન્ફરન્સ આપણા આથમતા યુગમાં મળે છે. આપણી જાહોજલાલીના પૂર ઓસરવા માંડે તેવા એના સમયે મળે છે. પ્રકાશ પામી લેવાને, અને ઓસરતા પૂર અટકાવવાને બહુ કમ સમય બાકી છે. નાશની નાબતે ક્ષિતિજ ઉપર ગડગડે છે. પ્રજા ધર્મવિહોણી બનતી જાય છે. અને પિતા મહાવીરને વારસો વારસદાર વગરને સન બનવાની તૈયારીમાં છે. કેમ જુના અને નવાની ભીંસમાં ભીંસાઈ રહી છે. માત્ર પ્રાણુ જવા જ બાકી છે. માટે જો આપણે એક કોમ તરીકે જીવવું જ હેય, મહાન સંધના, મહાન વારસના વારસદાર રહેવું હોય તે એકલા પ્રમુખે નહિ, એકલા કેન્ફરન્સની ગાથીએ બેઠેલા કાર્યકરોએ જ નહિ, એકલા વૃદ્ધ કે યુવાને એ જ નહિ, પણ આબાળવૃદ્ધ, સ્ત્રી અને પુરૂષ, સંસારી અને સાધુઓ-સૌએ નશ્ચિય કરી લે ધટે કે અમારે જગતના મૂલ્યવાનમાં મૂલ્યવાન વારસાના વારસાદાર રહેવું છે, નિષ્કલંક અને માનવ ઉપકારી સંધની જ્યોત સદાય બળતી રાખી અંધારે આથડતા માનવીઓની પગદંડી ઉજાળવા જાતે પણ તે જ્યોતના તેલ બની બળવું છે અને તે કાર્ય માટે જ્યાં જ્યાં યુગ માર્ગ પરિવર્તન સૂચવે તે તે કરી લઈ યુગ સાથેની કૂચમાં કદમ પર કદમ મેળવવા છે, તેજ બની શકે. અને સાધુઓ વિચારે કે, આ વિકટ માર્ગના જીવંત આદર્શ બની, જીવંત પ્રતીક બની, થાકતા સમાજના પગમાં તાકાદ પૂરવી છે અને લથડેલાને ધે ચડાવીને પણ આગળ લઈ જઈ કૂચની હરોળમાં રાખવા છે તે જ બને ! છે તૈયારી એ સંસારી ! તારી ? છે તૈયારી યુગની વંદણું ઝીલતા અને મહાવીરના ભેખધારી કેમની રોટીથી પીંડ પિતા આ મહાનુભાવ સાધુ ! તારી ? આ તૈયારી હોય તે તે સાથે લઈને, ન હોય તે તૈયારી કરવાને પાકે નિશ્ચય કરીને આવ ! અને પડની પાળ કરી વહી જતાં જાહોજલાલીના પૂરને અટકાવ ! આથમતા યુગને થેભાવ ! મુંઝાએલો