________________
તા. ૩૧-૩-૪૧
પ્રબુદ્ધ. જેના
૨૨૭
(પૃષ્ઠ ૨૨૫ થી ચાલુ) સમિતિમાં ન જોડાયા હોય તે જોડાઈ જાય અને અન્યત્ર વસતા ભાઈઓ મોટા પ્રમાણમાં પ્રતિનિધિ તરીકે આવે, તે જ અધિવેશન સફળ થયું ગણાય. અધિવેશનના પ્રમુખ તરીકે શ્રીમાન શેઠ વીરચંદ મેઘજી ભણની ચુંટણી કરવામાં આવી છે. તેમની આગેવાની નીચે સ્થાનકવાસી સમાજને સ્થાયી લાભ થાય એવા ઠરાવો અને જનાઓ ઘડાય અને આ જૈન સમાજ એકત્ર બને તે દિશાએ પ્રગતિકારક નિર્ણ કરવામાં આવે એમ આપણે ઈચ્છીએ.
સ્થા. જૈન યુવક પરિષદ - ઉપરોક્ત કોન્ફરન્સના અધિવેશન સાથે સ્થા. જૈન યુવક પરિષદ એપ્રીલની દશમી તારીખે એટલે કે કોન્ફરન્સના અધિવેશનની . એક દિવસ અગાઉ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે ડે૦ વૃજલાલ ધરમચંદ મેઘાણીની અને મંત્રી તરીકે શ્રી ખીમચંદ મગનલાલ વોરાની અને જગજીવનદાસ અજમેરની ચુંટણી કરવામાં આવી છે. આજના યુવકેના દિલમાં જે ભાવનાઓ ઉછળી રહી છે અને નવા આદર્શો ઘડાઇ રહ્યા છે તેને વ્યક્ત કરવા માટે તેમ જ જે સામાજિક ક્રાન્તિ અત્યન્ત આવશ્યક અને અપરિહાર્ય બની રહી છે તેને બને તેટલી સમીપ લાવવા માટે સ્થાનકવાસી જૈન યુવકો આગળ આવે, આ યુવક પરિષદમાં બને તેટલે ભાગ લે અને ઉપગી અને અસરકારક નિર્ણય સાધે એવી આગ્રહપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે. રાષ્ટ્રીય સપ્તાહ
આવતા એપ્રીલ માસની છઠ્ઠી તારીખથી તેરમી તારીખ સુધી આખા દેશમાં રાષ્ટ્રીય સપ્તાહ ઊજવવામાં આવશે. આજથી લગભગ વીશ એકવીશ વર્ષ પહેલાં આજ દિવસમાં “લેટ એકટ' નામના એક સરકારી ધારા સામે સમસ્ત દેશમાં ભારે ઉગ્ર વિરોધ પ્રગટી નીકળેલ અને જનરલ ડાયરને હાથે જલીયનવાળા બાગ હત્યાકાંડ રચાય, ત્યારથી આપણા દેશમાં આ રાષ્ટ્રીય સપ્તાહની ચેજના કરવામાં આવી છે અને દર વર્ષે ભારતવર્ષની પ્રજા આ પર્વ પૂરા ઉત્સાહથી ઉજવતી આવી છે. આ સપ્તાહની વિશેષતા તો એ છે કે આ સપ્તાહનો ઉદ્દભવ તે જલીયન બાગના હત્યાકાંડથી થયે છે એમ છતાં પણ આપણે આ સપ્તાહનું ઉથાપન અંગ્રેજો પ્રત્યે કઈ પણ પ્રકારને વિષ કેળવાય રીતે નથી કરતા, પણ પ્રજાની આત્મશુધ્ધિ થાય અને ખાદી, હાથકંતામણ, હિંદુ-મુસ્લીમ એક્તા, ગ્રામોદ્યોગને પ્રચાર, અસ્પૃશ્યતાનિવારણ, મધનિષેધ આદિ રાષ્ટ્રના રચનાત્મક કાર્યક્રમને કે અને પ્રોત્સાહન મળે એ રીતે કરીએ છીએ. આ વર્ષના સમીપવત રાષ્ટ્રીય સપ્તાહના ઉધાનને અંગે મહાત્મા ગાંધીજીએ એક નિવેદન બહાર પાડીને પ્રજાની આત્મશુદ્ધિ ઉપર જ ખૂબ ભાર મૂકે છે. પહેલા અને છેલ્લા દિવસે પ્રજા આત્મશુદ્ધિને ઉપવાસ કરે, કાંતણયજ્ઞ કરે, ખાદીને ખૂબ ફેલા કરે અને કેમ કોમની એકતાની ભાવનાને ખૂબ જોર આપે એમ તેઓ પ્રજાપાસે માંગે છે. આ રાષ્ટ્રીય સપ્તાહના ઉધાનને લગતા વિવિધ કાર્યક્રમમાં સૌ કોઈને રસપૂર્વક ભાગ લેવા વિનંતિ કરવામાં આવે છે. ઉજા પાંજરાપોળ ઉદ્ઘાટન
તા. ૧૬-૩-૪૧ ના રોજ શ્રી. ઉંઝા- પાંજરાપોળ માટે લગભગ રૂા. ૨૦૦૦) ના ખર્ચે બંધાવેલ મકાનની ઉદ્દધાટન ક્રિયા
શ્રીમાન્ કાન્તિલાલ ઈશ્વરલાલ મેરખીઓના શુભ હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગને આખા ગામની પ્રજાને કોઈ મંગળ અવસર હોય એ રીતે ઉજવવામાં આવ્યું હતું. ઉંઝા સ્થળ નાનું છે, છતાં પ્રજા એકરૂપ છે અને તેથી ત્યાં અનેક પ્રજાકલ્યાણકારી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલે છે. આ પાંજરાપિળ પણ પ્રજાની એક્તા, ઉદારતા અને સુવ્યવસ્થિતતાનું જ પરિણામ છે. પ્રસ્તુત મકાન ખુલ્લું મુકતાં શ્રી કાન્તિલાલભાઈએ જણાવ્યું હતું કે :
મારી સામાન્ય બુધ્ધિથી હું માનું છું કે પાંજરાપોળ એ દયા ધર્મ ખીલવવાની એક પ્રાથમિક શાળા છે. દયા, સમભાવ, અહિંસા, આ ગુણોનો વિકાસ કરવા માટે પાંજરાપોળ એ પ્રથમ પગથીયું છે. પાંજરાપોળ એ ધાર્મિક તેમ જ સામાજિક સંસ્થા પણ છે. માનવજાત જે આવી નાનામાં નાની ફરજ પણ બજાવવા તત્પર ન થાય તે તે મનુષ્ય સમાજના કેઈ કાર્યમાં સાથ આપી શકે જ નહિ અને પિતાના જીવનને તદ્દન નવાથી બનાવી મૂકે.........હિંદુસ્થાન ખેતીપ્રધાન દેશ રહ્યો છે, એટલે ઢોરોની આબાદીમાં જ ખેતીની આબાદી રહેલી છે. છતાં પાશ્ચાત્ય દેશના સંસર્ગથી આ યંત્રવાદના જમાનામાં ઢોર પ્રત્યે તદન બેદરકારપણું આપણું રાજ્ય તરફથી રખાય છે. મુંગાં રે રાજ્યની યિતને એક ભાગ છે, છતાં કોઈક જ રાજ્ય આવા પ્રાણી માટે લાગણી ધરાવતું હોય છે.”
આ પ્રસંગે શ્રી. કાન્તિલાલભાઈએ રૂ. ૧૫૦૦, શ્રી નટવરલાલ મગનલાલે રૂ. ૧૦૦૦ અને શ્રી કાન્તિલાલ ચુનીલાલે રૂ. ૫૦૦ ની રકમ પાંજરાપોળને ભેટ કરી હતી. પ્રસ્તુત પાંજરાપોળના કાર્યવાહકો કે જેમાંના શ્રી ભોગીલાલ નગીનદાસ શાહ એક બહુ જાણીતા કાર્યકર્તા છે, તેમને પાંજરાપિળની આખી વ્યવસ્થા નવી ઢબ ઉપર ધડવાની અને આ દિશાએ સ્વામી આનંદ, શ્રી નરહરિ પરીખ જેવા નિષ્ણાતોની સલાહ અને દોરવણી પ્રાપ્ત કરવા આગ્રહપૂર્વક ભલામણ કરવામાં આવે છે. એક ઉપર બીજી મેળવવામાં નિરાશા
મોરબીના એક ગૃહસ્થ એક પત્ની હયાત છતાં બીજી પત્ની મેળવવાની તજવીજમાં હતા અને એ તજવીજમાં લગભગ સફળ થવાની ઉપર હતા. પણ એટલામાં તે રાજકેટના જેન યુવક સંઘના કાર્યકર્તાઓને આ બાબતની ખબર પડી અને તેમણે કેટલીક ખટપટ અને ધમાલ કરીને આ ગૃહસ્થની મુરાદ બર આવવા ન દીધી, યુવક સની ખરૂં કામ સમાજની ચકી કરવાનું છે. જ્યારે પણ કોઈ ઠેકાણે આ બનાવ બનવાની ગંધ આવે કે યુવક સાથે ત્યાં પોંચી જવું જોઈએ અને કઈ પણ નિર્દોષને હોમાઈ જતું અટકાવવા માટે અથવા તે કોઈ પણ નિર્બળના વ્યાજબી હકકે ઉપર તરાપ પડતી હોય ત્યાં આડે હાથ ધરવા માટે પિતાથી બનતું કરી છૂટવું જોઈએ. આગ લાગે અને બંબાઓ નીકળી પડે તેમ કઈ પણ અન્યાયી આચરણને સામનો કરવાને યુવક સાથે સદા કટિબદ્ધ રહેવું જોઈએ. ભગવાન મહાવીર અને શ્રેણીકનો સંબંધ
આ વિષય ઉપર શ્રી જૈન બાલમિત્રમંડળના મંત્રીઓ (ઠે. બાબુ પી. પી. જૈન હાઈસ્કુલ, પાયધુની, મુંબઈ) મેટ્રીક સુધી ભણતી જૈન કન્યાઓ તથા વિદ્યાર્થીઓ પાસે પિતાની જાત મહેનતથી લખેલ મુદાસરને નિબંધમાં માંગે છે અને આ નિબંધ લખી મોકલનારને મંડળના ધારાધોરણ અનુસાર ઇનામ આપવામાં આવશે એમ જણાવે છે.