________________
૨૨૬
सचस्स आणाए उवडिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
માર્ચ ૩૧
પ્રબુધ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
પ્રબુદ્ધ જૈન
૧૯૪૧
યુવાનાને
સમાજ જીવનની સુંદરતા જેવા જ્ઞાતિના કે સંપ્રદાયના ન્હાનકડા ખામેચિયામાંથી નીકળી વર્ષો પહેલાના કાળ ઉપર દૃષ્ટિ નાંખા, જ્યારે બાપદાદા ભટકતી પ્રજારૂપે હતા ત્યાં સુધી દૃષ્ટિ લખાવી જાઓ. સંસ્કૃતિના યુગ બેસતા હતા તે સમય પર દૃષ્ટિ સ્થિર કરી દે। એટલે જણાશે કેઃ
એકલા એકલા કાર્ય નહેતું થતું, સગવડતા નહાતી જળવાતી, પોતાના પડની બહાર દૃષ્ટિ પણ નહાતી પહેાંચતી, ત્યારે ડહાપણપૂર્વક પ્રેમથી એક બીજા જોડાઇ ગયા; ઉપયોગી થવા લાગ્યા; સરળતા વધી; સુખદુઃખ સાથે ભોગવતા થયા; જ્ઞાન વધારતા થયા; વેદ લખાણા; સંગીત કેળવ્યું. આ આપણા સમાજની રચના. આ આપણા સમાજને ઉપયોગ. કોઈએ ન કહ્યું કે “આમ કરીશ મા! તેમ કરીશ મા!” સૌ સ્વતંત્ર ભાવનાવાળા હતા. જ્યારે ખપ હાય ત્યારે સાથે કામ કરતા, નવરા હોય, ત્યારે ગાતા, સાયંકાળે સૌ સાથે મળીને પ્રાર્થના કરતા. સમાજ પ્રેમમાંથી ઉત્પન્ન થયા, પ્રેમથી નળ્યો અને ઉપયોગી થઇ પ્રેમમાં જ વિરમ્યા ! પાપનાં-વિકારનાં પગલાં થતાં સમાજની સુંદરતા વિરૂપ થઈ ગઈ; શાસન સત્તા, મહાજન સત્તા, કાયદા સમાજની પવિત્રતા ઉપર થયેલ વિકારનાં પરિણામ છે. કાયદા સભાજતે ચડી ગયેલા મેલના થર છે. સમાજના મૂળ ખાઇ જનારા લુણો છે. અર્ધડહાપણે આ વિકૃતિએેને પ્રતિકાર કરવા સમાજના મૂળ સ્વરૂપને બદલી નાંખી ન્હાના ન્હાના ભાગલા પાડી, કાયદાઓની મજબુત દિવાલે રચી શાસન સત્તા સ્થાપી નાંખી ! પ્રથમ કાયદા વિકાર આડે વાડ આંધવા પૂરતા જ હતા. છતાં પણ આ સમયથી સમાજની સુંદરતા, સ્વાભાવિકતા અને સ્વતંત્રતા નાશ પામી. અલબત તેમાં પક્ષપાત નહાતા, પતિતે દ્વારની પૂનિત ભાવના હતી. મનુ મહારાજે પ્રથમ સમાજની વિકૃતિ સામે વાડ રચી, જે કાયદાના સ્વરૂપમાં હતી. બીજા ઘણા અનુભવીએ રચી જે મેધના સ્વરૂપમાં હતી. આ વાડેનુ ખરૂં સ્વરૂપ અને આશય. ધીમે ધીમે વિસરાતાં ગયાં. આજે તેનાં ખાખાં જ આપણે ફાવતી ફાવતી જગ્યાએ પૂજીએ છીએ. આને પરિણામે સમાજના કાયદાએ)માં પક્ષપાત અને શાસન સત્તા પેઠાં, ઉપયેગીપણું જતું રહ્યું. આજના જ્ઞાતિ કે સંપ્રદાય સમાજનું બગડેલું ચિત્ર છે. તેમાં સમાજની પૂરાણી ભાવના નથી, પ્રેમનુ રાજ્ય નથી. પાંચ પચાસ કાયદાની કલમેાની સત્તા એટલે સમાજની ભાવના, સુંદરતા કે ગમે તે કહા તે ! જો આ કલમે પુરેપુરી પળાય તા સમાજ સારા સંસ્કૃતિવાન ગણાય ! ન પળાય તા સમાજ ખરાબ, પતિત ગણાય ! આ સિવાય બીળુ કાઇ સુંદર પાકિ (?) તત્ત્વ તેમાં જોવામાં આવતું નથી
અનેક કાયદા દેખ્યા. પણ કયાંયે મનુષ્યજીવન ઉન્નત બનાવવા જ્ઞાતિએ કે સપ્રદાયે મદદ કરવી, પડતાને બચાવવા, અજ્ઞાનને પ્રકાશમાં લાવવા, ભૂલેલાને માર્ગ બતાવવા, અધનને ઉધ્ધારવા અને દુઃખિયાને દુઃખમુક્ત કરવાની કલમ નથી ! પીનલકેડ દંડનીતિ આપણા કાયદામાં છે. તેથી જ્યાંસુધી પાંચ ડાહ્યાએએ છાને ખુણે બાંધેલી કલમો
તા. ૩૧-૩- [
પાળા ત્યાં સુધી યુવાનો ! તમે જ્ઞાતિજન છે, સજ્જન છે. જો કાઈ ઉંચા આશયથી પણ ભંગ કરે તે બળવાખેાર છે, ઉખેડેલા છે, જ્ઞાતિ તમને નિદે છે! આ કાયદા પ્રમાણે તમે તમારી જાતને, તમારા ગૃહ વ્યવહારના, તમારા સંતાનના હિતના સંપૂર્ણ સ્વતંત્રતાપૂર્વક વિચાર કરી શકતા નથી ! તમારે શુ કરવુ, અને ક્યાં જવુ, તમારૂ હૃદય કયાં લવવુ અને તમારે તમારા જીવનસાથી કયાંથી અને કેવી રીતે ધ!, તમારે કેવા ખારાક લેવા અને કયા પ્રભુને ભજવા, વિગેરે બધી વાતે નક્કી કરવાનું કામ તમારૂં નથી. તમારે સમાજની ગુલામી સ્વીકારવી જ પડે છે. સમાજ તમને રૂચે કે ન રૂચે, ફાવે કે ન ફાવે, તમારા વિકાસ થાય કે જીવન જીવતાં અળી રાખ થઇ જાય તેની પરવા કર્યા વિના તમારા જીવનમાર્ગ ખીજાઓનકકી કરશે. તમારા જીવનમાંથી વાસના કે વિકાર કર્યા છે કે નહિ તે જોયા વિના ફરજિયાત ત્યાગ અને સયમ ડેાકી બેસાડશે, તમારૂ દીલ કાળે છે કે નહિ તેની લગાર પણ ચિંતા કવિના લાકડા સાથે માંકડું વળગાડી દેશે. તમારૂ ભવિષ્યમાં શું થશે તે ન જોતાં બ્રાહ્મણુ, ખાવા, જતી, ભેગી, પારેવા કુતરા કે કબુતરાંને તમારૂ આખરનું રડયુ ખડયું ખવરાવી હશે તે તે પણ તમારા નામ ઉપર દાન-ધર્માદાનુ પુણ્ય ચડાવી દેશે, અગર તે તમારી પાસેથી ટીપે ટીપે ભેગુ કરેલુ લોહીના ખૂદ જેવુ નાણુ. તેવા કોઇ કાર્યમાં ઉડાવી દેવરાવશે. આ આપણું અત્યારનું સમાજ વન, જ્ઞાતિ કે સાંપ્રદાયિક જીવન ! માની લીધેલા ભયની ખાતર અનેક શુભ તત્વોનો નાશ કરી નાંખવો કે કાયમની ગુલામી દશા કોઇ પર ઠોકી બેસાડવી, નબળાને કાઢવા સળા થવાને બો નબળા પાષક તત્વા દાખલ કરવા તે જ્ઞાતિના મેવડીએની અગમચેતીભરી નીતિ છે.
કાં સુંદર સમાજ જીવન અને કયાં આજનું વિનાશક સડેલુ જ્ઞાતિ જીવન ; યુવાને ! તમારે આંખો હાય તેા જ્ઞાતિનીસંપ્રદાયની ભાતરમાં પેસી તેની કાળપ નિહાળો, દુ:ખિયાની દુ:ખદ સ્થિતિ નિહાળજો. મન હાય તો વિચાર કરો, મગજ હાય કોઇ માર્ગનું ચિંતન કરો, પાણી હોય તે તમારે માર્ગ નક્કી કરજો અને મનુષ્યત્વ હાય તા સડેલું વિદારી, ગુલાબગીરી તાડી, બાપદાદાના છીછરા કુવામાં તમારી જાતને અને તમારા જાતભાઓને ડુખી મરતાં બચાવો !
જે જ્ઞાતિ કે સંપ્રદાયમાં તમારે। વિકાસ નથી, જેમાં તમારી સાચી સ્વતંત્રતાને સ્થાન નથી, જેમાં બાળબચ્ચાના સુખને ખ્યાલ નથી, જે જ્ઞાતિને તમારા સુખ દુ:ખની દરકાર નથી, જે જ્ઞાતિમાં સ્પષ્ટ વિચારસરણી અને નિર્મૂળ ન્યાય નથી, જે જ્ઞાતિમાં પ્રકાશના કિરણો ઝીલવાની તાકાત નથી, તેવા પ્રાણહીન ખાખાને કયાં સુધી પંપાળી પપાળીને પૂજશા ? આવો, આપણે આપણા પરમ પુન્યશાળી પૂર્વજોના પુરાણા સમાજની ભાવનાને સંધરી, પૂજીએ અને પેષીએ! આવે!! આપણે મનુષ્ય જીવનની આસપાસ રચાયેલી કાયદાની ભયંકર જાળે! તેાડી સ્વતંત્રતા પ્રાપ્ત કરી વિકાર આડે પ્રેમની, જ્ઞાનની, ત્યાગની વાડા રચી દઇએ ! આવે ! આપણે જીવતાં જળી રહેલા આપણી જેવા જ માનવીઓને બચાવી આપણું મનુષ્યત્વ સિધ્ધ કરીએ !
યુવાન ! તું ખામાચિયાના કીડા તે નથી જ એટલું જાણતા થા એટલે તે જ પળે ઘુઘવતા અણુવરાજ તારા પોતામાં જ પ્રાપ્ત થશે.
X
X
X
એ ! યુવકગણુ ! જાગ જાગ! પ્રભાત થયું છે !
X
X
X
રૂા. વૃજલાલ ધ, મેઘાણી,