________________
તા. ૧૫-૩-૪૧
-
પ્રબુદ્ધ જૈન
૨૧૭
આ
આચાર અને વ્યવહાર ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. તે બીજા સમયમાં બીજી બાબતે વધારે આગળ આવે છે. દાખલા તરીકે અસ્પૃશ્યતા અહિંસાધર્મની વિધી છે એવી આગળના સમયમાં કોઈને કદિ કલ્પના જ આવી જણાતી નથી, જ્યારે આજે આ વાત આપણને દીવા જેવી સ્પષ્ટ લાગે છે. રાત્રિભજન કે કંદમૂળ ભક્ષણના નિષેધ ઉપર એક વખત ખૂબ જ ભાર મુકાતા. આજે એ ભાર હળવો થતો જ લાગે છે. રેશમી વસ્ત્રો કેવળ હિંસાથી ભરેલાં હોવા છતાં હજુ સુધી કે જેન આચાર્ય તેને નિષેધ કર્યો સાંભળ્યા નથી. આજના જૈન સાધુએ રેશમી વસ્ત્રોના ઉપયોગને આગ્રહપૂર્વક નિષેધ કરે જ જોઈએ. મીલના કાપડને ત્યાગ અને ખાદીને સ્વીકાર અહિંસાના નવા જ વિધિનિષેધ છે અને એ આજના યંત્રયુગે ઉભી કરેલી કેવળ નવીન પરિસિથતને આભારી છે. આ રીતે વિચારતાં આજે અહિંસાની ચર્ચા સર્વ કે પૂર્વગ્રહથી મુકત બનીને કરવાની જરૂર છે અને આજ સુધીના સ્વીકૃત વિધિનિષેધે આ દૃષ્ટિએ પુનઘટના માંગી રહેલ છે.
એક રીતે વિચારતાં આજે રજુ થઈ રહેલો અહિંસાને ક્ષેત્રવિસ્તાર જૈનધર્મની પરંપરાઠારા સમજાયેલી અહિંસાને જરાપણ વિરોધી નથી પણ પૂરક છે, અથવા તે મૂળ વડમાંથી ફુટેલી નવી વડવાઈઓ છે. આ વાત જેને ધ્યાનમાં ઉતરશે તેને પૂર્વાપર સમન્વય સાધવામાં જરાપણુ મુશ્કેલી નહિં આવે.
પરમાનંદ,
એ પ્રાપ્ત થંતાં માનવસમાજે હજુ અનેક તિતિક્ષામાંથી પસાર થવાનું છે. પણ ભવિષ્યમાં એવા એક સુવર્ણયુગની કલ્પના કરી શકાય છે કે જ્યારે આ વિશ્વના વહીવટમાં અહિંસાને સાર્વત્રિક અમલ થઈ રહ્યો હશે અને જ્યારે હથિયાર કે લશ્કરના ઉપયોગ ને જરાપણ સ્થાન રહ્યું નહિં હોય.
પ્રશ્ન ૪ – અહિંસાત્મક રીતિથી દેશની રક્ષાને પ્રશ્ન સંભાળી શકાય તેમ હોય તે તે કઈ રીતે અને શું કરવાથી ?
ઉત્તરઃ આજની કક્ષાએ માત્ર અહિંસાત્મક રીતિથી દેશની રક્ષાને પ્રશ્ન સંભાળી શકાય એમ મને લાગતું નથી, તેથી પ્રશ્નના બાકીના ભાગને ઉત્તર આપવાપણું રહેતું નથી. એટલું ખરું કે અહિંસાના વિચારને સામાજિક તેમજ રાજકીય વ્યવહારમાં જેમ જેમ વધારે પ્રાધાન્ય મળતું જશે તેમ તેમ દેશની રક્ષા કે એવાં બીજા કારણો માટે હિંસક સાધને કે લશ્કરને ઉપયોગ ઉત્તરોત્તર કમી થતા જશે એમાં જરા પણ સંશય જેવું છે જ નહિ.
પ્રશ્ન ૫ઃ-જન શાસ્ત્ર કે સાહિત્યમાં એવું કેઈ ઉદાહરણ આપના ધ્યાનમાં છે કે જ્યારે દેશ અથવા તે રાજ્યની રક્ષા માટે અહિંસાત્મક ઉપાર્યો હાથ ધરવામાં આવ્યા હોય ? .
ઉત્તર :-જન શાસ્ત્ર કે સાહિત્યનું મને બહુ જ અલ્પ જ્ઞાન છે, પણ પ્રસ્તુત પ્રશ્નમાં માંગણી કરવામાં આવે છે એવું કંઈ ઉદાહરણ મારા ધ્યાનમાં નથી. એક રીતે વિચારીએ તે જૈન ધર્મદ્વારા આપણને મળેલ અહિંસાવિચારના પરિધમાં દેશની રક્ષાનો પ્રશ્ન કદિ પ્રવેશ પામ્યું જ નહોતો. તેથી માંગવામાં આવે છે તેવું ઉદાહરણ મળવું મુશ્કેલ છે.
પ્રશ્ન ૬:-જૈન શાસ્ત્રોમાંથી આપની જાણ મુજબ એવા ઉદાહરણો મળી શકે છે ખરાં કે જેમાં દેશ અથવા ધર્મની રક્ષાને પ્રશ્ન ઉપસ્થિત થતાં જૈન આચાર્યોએ હિંસાથી રક્ષા કરવાનો આદેશ આપ્યો હોય અથવા તે એવા આશયની પ્રેરણા કરી હોય ?
ઉત્તર :-સાધારણ રીતે જૈન આચાર્યો રાજકારણથી અલગ રહેતા, તેથી તેમને દેશની રક્ષાના પ્રશ્નમાં આદેશ કે ઉપદેશ આપવાને પ્રસંગ પ્રાપ્ત થતું નહોતું. એમ છતાં પણ જે જે જૈનાચાર્યોને રાજકારણમાં ભાગ લેવાનું બનેલું તેઓમાંના કેઈ તરફથી દેશની રક્ષાના પ્રસંગે પણ જવાબદાર માણસથી હિંસા તે કરાય જ નહિં એવી સ્પષ્ટ નિષેધવાણી કોઈ પણ ઠેકાણે સાંભળવામાં કે વાંચવામાં આવતી નથી. સુખસિધ્ધ કાલિકાચાર્ય તો આથી પણ આગળ ગયા છે અને તેમણે તે પિતે માનેલા જૈનધર્મ અને જનસમાજની રક્ષા ખાતર મહાન હિંસક યુદ્ધની આજના કરી હોય અને પોતાના જ દેશના રાજાને પરાભવ કરાવ્યો હોય એમ તેમની જીવનકથા ઉપરથી માલુમ પડે છે. જેનાચાર્યોની પુનિત પરંપરાને આ દ્રષ્ટાંત કેવળ અપવાદરૂપ અને મહાન કલંક સમાન છે એમ મને લાગે છે.
વસ્તુતઃ અહિંસા માનવજીવન સાથે સીધી સંકળાયેલી વસ્તુ છે. અને તેથી માનવજીવન માફક અહિંસા પણ સદા વહેતી, વિકસતી અને પરિવર્તન પામતી વસ્તુ છે. તેથી તેને કેવળ સાંપ્રદાયિક ચેગામાં રહીને વિચાર કરવા જતાં અહિ સાનું સાચું સ્વરૂપ કે આજના કાળમાં તેને અમલી આચાર શું અને કે હવે જોઈએ તેને પૂરો ખ્યાલ આવી શકે જ નહિ. કાળે કાળે અહિંસા ધના વિધિનિષેધ બદલાતા જાય છે અને તેનું ક્ષેત્ર પલટાનું તેમજ વિસ્તરતું જાય છે. અમુક સમયમાં અમુક
સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ.
આ કોન્ફરન્સનું દશમ અધિવેશન ધાટ પર મુકામે ઇસ્ટરના તહેવારમાં ભરાવાનું નક્કી થયું છે. તાજેતરમાં નીંગાળા મુકામે શ્વેતામ્બર મૂર્તિપૂજક કેન્ફરન્સનું અધિવેશન ભરાઈ ગયું. એટલે સહેજે સરખામણી કરવાનું મન થાય. બન્ને સમાજની સ્થિતિ ઘણે દરજે સરખી છે અને બન્ને કોન્ફરન્સ સમક્ષ રજુ થતા પ્રશ્નો પણ સરખાં છે. બન્ને સમાજમાં ઉદાસીનતા છે અને બન્ને કોન્ફરન્સની પ્રગતિ અટકી ગઈ છે. બન્ને કોન્ફરન્સને, કેન્ફરન્સના કાર્ય પાછળ જ પિતાની બધી શકિત અને સમયને ભોગ આપે એવા કુશળ અને શ્રધ્ધાવાન કાર્યકર્તાઓને અભાવ છે. કેટલાક સેવાભાવી પણ વ્યવસાયી ભાઈઓ પોતાના વ્યવસાયમાંથી થેડે સમય બચાવી કોન્ફરન્સના કાર્ય પાછળ આપે છે. પણ તેથી કોન્ફરન્સનું કાર્ય વેગવંત બને નહિ, બનતું નથી. પણ બે કોન્ફરન્સમાં એક મોટો તફાવત છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજમાં, મુખ્યપણે કેટલાક મુનિઓને લઈને, કેન્ફરન્સ પ્રત્યે પ્રબળ વિરોધ છે જ્યારે સ્થાનકવાસી સમાજમાં એવો કોઈ વિરોધ નથી, માત્ર ઉદાસીનતા અને અશ્રધ્ધા છે. બકે એમ પણ કહી શકાય કે સ્થાનકવાસી સમાજને મોટો ભાગ કોન્ફરન્સ કાંઈક ઉપગી કાર્ય કરે તે જોવા ઈંતેજાર છે અને તેમાં પિતાની સહાનુભૂતિ અને સહકાર પણ આપે. અધિવેશન આઠ વર્ષ સુધી ન ભરાયું તેને માટે સમાજને માટે ભાગ વિળ હતું અને સમય થડે છે છતાં પણ અધિવેશનને સફળ બનાવવા સારા પ્રમાણમાં પ્રયત્ન થાય છે. સ્થાનકવાસી સમાજમાં, શ્વેતામ્બર મૂર્તિ પૂજક સમાજ પેકે, કેટલાક અપબાદે સિવાય સાધુઓનું બહુ જોર નથી તેમજ હદ ઉપરાંતની દખલગીરી નથી. સ્થાનકવાસી સમાજમાં હજી પણ એટલું સંધબળ છે કે સાધુપણાને યોગ્ય ન હોય તેવા મુનિઓને વેશ ઉતરાવી લે છે. તેવા દાખલા તાજેતરમાં જ કેટલાક તો બન્યા છે.
, ,