SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પ્રબુદ્ધ જૈન - તા. ૧૫-૪-'? सच्चस्स आणाए उवहिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. પ્રબુદ્ધ જૈન सत्यपूतं वदेद्वाक्यम् માર્ચ ૧૫ ૧૯૪૧ અહિંસાની પ્રશ્નાવલી. (કલકત્તા ખાતે પ્રસિદ્ધ થતા ‘તરણ એસવાલ'ના સંપાદકોએ કેટલાક સમય પહેલાં અહિંસાના વિષય ઉપર એક પ્રશ્નાવલિ તૈયાર કરીને જેન સમા જના કેટલાક સાધુઓ તેમ જ જણીતા ગૃહસ્થા ઉપર મોકલી આપેલી. તેના જવાબમાં કેટલાક સાધુઓએ તેમ જ ગૃહસ્થાએ કમવાર ઉતરે અથવા તે લેખે લખી મોકલેલા. આવી રીતે એકત્ર થયેલા ઉત્તરે તેમજ લેખોનો સંગ્રહ હવેથી “તરણ ન’ના નામે પ્રગટ થતા જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસના સંયુકત દળદાર અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. * અહિંસાના પ્રશ્નમાં રસ ધરાવનારા ભાઇબહેનને આ અંકમાંથી ખૂબ વિચારપ્રેરક સામગ્રી મળે તેમ છે. પ્રસ્તુત પ્રશ્નાવલીના શ્રી. પરમાનંદભાઈએ જે ઉતરે લખી મેકલેલા તે “પ્રબુદ્ધ જેન'ના વાચકો માટે અહિં પ્રગટ કરવામાં આવે છે. તંત્રી.) પ્રશ્ન ૧-જન ધર્મને અનુસાર અહિંસાની શું વ્યાખ્યા છે? આજે અહિંસાની વ્યાખ્યા કરવામાં આવે છે તે તે વ્યાખ્યાથી આપના ધારવા મુજબ ભિન્ન છે? આપના ધારવા મુજબ અહિંસાની પૂર્ણ વ્યાખ્યા શું હોઈ શકે ? ઉત્તર:--હું સમજુ છું ત્યાં સુધી જૈન ધર્મ અનુસાર અહિંસાની જાણીતી વ્યાખ્યા “પ્રાણાતિપાત વિરમણ” (કોઈ જીવને પ્રાણુ લેવાથી અટકવું તે) છે. આ “પ્રાણાતિપાત વિરમણની બીજી બાજુ “સર્વ ભૂત પ્રાણી વિષે મૈત્રી' છે. મનુષ્ય દેહે આ બે બાજુવાળી અહિંસા સંપૂર્ણાશે અમલમાં આવવી શક્ય નથી. એટલે મનુષ્ય માટે સંપૂર્ણ અહિંસા એક આદર્શ છે. એ આદર્શને બને તેટલું સમીપ પહોંચવાનો પ્રયત્ન એ જ અહિંસાની સાધના છે. - આજે અહિંસા ઉપર જે ચર્ચા ચાલી રહી છે તે પાછળ અહિસાની કોઈ બીજી વ્યાખ્યા નિશ્ચિત થઈ હોય એવું કાંઈ મારી જાણમાં નથી. આજે ચર્ચાઈ રહેલી અહિંસાને પણ ઉપરની વ્યાખ્યા બરાબર લાગુ પડે તેમ છે. ત્યારે જૈન ધર્મ દ્વારા આજ સુધી સમજાયેલી અહિંસા અને આજે ચર્ચાતી અહિંસામાં ફરક શું છે? પરંપરાગત અહિંસાવિચાર નિવૃત્તિપ્રધાન હતા અને તેને અંતિમ હેતુ વ્યક્તિગત આધ્યાત્મિક મોક્ષ પ્રાપ્ત કરવાને હતો. સામાજિક સઘર્ષણ વચ્ચે રહેવું અને અહિંસાનું પાલન કરવું-એ બન્ને વાત અશક્ય મનાતી. તેથી અહિંસાધર્મી માટે સમાજ અને રાજકારણથી બને તેટલાં અળગા રહેવું અત્યંત આવશ્યક સમજાતું. સામાજિક અને રાજકીય ઘુને વિચાર અહિંસાને એક કમેટી તરીકે આગળ રાખીને કદિ કરવામાં આવતો જ નહિં. ગૃહસ્થ જીવન-સામાજિક જીવનરાજકારણી જીવન બધું જ પ્રવૃત્તિમય હેઈ અને તેથી જ રાગદ્વેષનું નિમિત્તક હોઈને અહિંસાની દૃષ્ટિએ ત્યાજ્ય મનાતું. અહિંસા વ્યકિતગત જીવન સાથે જોડાયેલી હોઈને અહિંસા ધર્મને આચાર - મનુષ્યથી માંડીને પશુ પંખી કીડી-મંકોડી-વનસ્પતિ અને વાયુ- કાય સુધીના છાની રક્ષાપર્યન્ત લંબાતે. * મળવાનું છેકાણું તંત્રી, “તરણન’ ૪૮, ઈન્ડીયન મીરર સ્ટ્રીટ, કલક-d. આજે ચર્ચાસ્પદ બનેલી અહિંસા ઐહિક જીવન સાથે-- સામાજિક અને રાજકીય જીવન સાથે-મુખ્ય સંબંધ ધરાવે છે, અને તેની વર્તમાન વિચારમર્યાદા મનુષ્ય સમાજ સુધીની છે. એને હેતુ વિશ્વશાન્તિ-સમગ્ર જનતાનું સ્વાસ્થ-પ્રાપ્ત કરવાને છે. અનેક સામાજિક ઘર્ષણ વચ્ચે અહિંસાધર્મીએ કેમ વર્તવું અને આજના સામાજિક અને રાજકીય-રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રિય-પ્રશ્નોને નિકાલ અહિંસાની નીતિવડે કઈ રીતે લાવવાઆ પ્રશ્નનું સમાધાન આજનો અહિસાવિચાર ધી રહેલ છે, સમાજથી અલગ રહેવું અને અહિંસાનું પાલન કરવું એ જુને વિચાર છે. સમાજ વચ્ચે રહેવું અને અહિંસામય જીવન ગાળવું-- સામાજિક કે રાજકીય અન્યાયને પશુબળથી નહિ પણ અહિં સાની રીતે--અસહકાર અને સત્યાગ્રહની રીતે સામનો કરવો એ એ આજનો વિચાર છે. આજની અહિંસા મનુષ્ય જાતના અહિક સુખ દુ:ખના વિચારને ખાસ પ્રાધાન્ય આપે છે, અને તેથી જનસેવા ઉપર વધારે ભાર મુકે છે. આજની અહિંસાના મૂળમાં તે આખરે “પ્રાણાતિપાત વિરમણ”ની અથવા “સર્વભૂત પ્રાણી વિષે મૈત્રી ’ની જ ભાવના રહેલી છે. તેથી અહિંસાની બીજી કોઈ પણ પૂર્ણ વ્યાખ્યા શોધવાની મને જરા પણ જરૂર લાગતી નથી. પ્રશ્ન :-બહારના આક્રમણથી અથવા તે હિંદુ મુસલ માન રમખાણ કે લુંટફાટ જેવા દેશની અંદર ઉભા થતા ઝઘડાથી હથિયાર કે લશ્કરની મદદ વિના કેવળ અહિંસાત્મક રીતિથી દેશનું રક્ષણ થઈ શકે એ આપ સંભવિત માને છે ? ઉત્તર-ના. દેશનું રાજતંત્ર સ્વાધીન બને અને દેશના . રાજ્ય વહીવટમાં અહિંસાના અમલને પ્રાધાન્ય અપાય તો અનેક ઝઘડાઓનાં મુળ એમજ છેદાઈ જાય અને એમ છતાં જે કોઈ ઝઘડાઓ ઉભા થવા પામે તેમાંના ઘણાખરાના નિકાલ સાચા દિલની સમજાવટથી લાવી શકાય. આ બધું હોવા છતાં હું માનું છું કે બહારના આક્રમણ કે અંદરના કોમી રમખાણે આજના સંગે વચ્ચે અને અહિંસાના સર્વમુખી સ્વીકારના અભાવે દેશજીવનમાં એવી પરિસ્થિતિ અવારનવાર ઉભી કર્યા વિના રહેવાનાં નહિ કે જ્યારે જેમના માથે દેશની સુલેહશાંતિની જવાબદારી, રહેલી હોય તેમને વધતું જતું તોફાન કે જાનમાલની ખુવારી અટકાવવા માટે હથિયાર કે લશ્કરની મદદ લીધા વિના ચાલો. આવા સંગોમાં એમ ન કરવામાં આવે તે જવાબદાર માણસે પિતાના ધર્મમાંથી ચુક્યા છે એમ આપણે કહેવું પડે. પ્રશ્ન ૩:-જો એમ ન હોય તે અહિંસા જીવનને સર્વવ્યાપી સિધ્ધાંત બની શકતા નથી ? ઉત્તર-અહિંસા જીવનને સર્વવ્યાપી સિદ્ધાંત બને એ ઉપરથી એ પ્રશ્ન સૂચવવામાં આવતું હોય કે એવી સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા શક્ય અને વ્યવહારૂ છે ખરી કે જેમાં સુલેહશાંતિની રક્ષાના કારણે કે અન્ય કેઈ કારણે હથિયાર કે લશ્કરને ઉગ કરવાની કદિ જરૂર ન પડે, તે તેના ઉત્તરમાં જણાવવાનું કે માનવજીવનની આજની વિકાસકક્ષાએ હજુ એ સ્થિતિને પહોંચવાનું કંઈ સમય સુધી સંભવિત લાગતું નથી. બાકી બીજી રીતે વિચારીએ તે માનવજીવનની આજની સ્થિતિ હિંસાની છે, આગામી ગતિ અહિંસા તરફ છે. સત્ય જેમ સ્વભાવ છે અને અસત્ય જેમ વિકતિ છે, તેમ અહિંસા માનવીના સ્વભાવમાં રહેલી વસ્તુ છે. હિંસા માનવજીવનની વિકૃતિ છે. આ રીતે વિચારતાં અહિંસામાં જીવનવ્યાપી સિધ્ધાંત બનવાની પુરી શક્યતા છે. આજે હજુ તે વસ્તુસ્થિતિ રૂપે સિધ્ધ થઈ શકયું નથી અને
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy