SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પ્રબુધ જૈન તા. ૧૫-૩- સંસાર પંડિત કર્યો. પણ તેમને પાર્થિવ શરીર દ્વારા વ્યક્ત કરવા જતાં અમરત્વ ખેવું પડે છે એને ખ્યાલ શાહજહાન ભૂલી ગયે. સ્વાભાર્પણ કરતાં મુમતાજને કાળ વહ્યો જાય છે એને ખ્યાલ સરખો ન રહ્યો. બન્નેએ ઇન્દ્ર સમા ભેગ ભેગવ્યા અને જીવન ટૂંકાવ્યું. એક દિવસ શાહજહાનને ભાન થયું કે પિતાના દેખતાં કરાળ કાળ પિતાની પ્રિયાને ગ્રસે છે. વંદે અને હકી, યાંત્રિકે અને ઓલિયાઓ બધા આવ્યા. માણસની વ્યર્થ આશાઓ તેમણે અજમાવી અને એ બંને પ્રેમીઓને અને ખાતરી થઈ કે આખરે તેઓ મત્યે લોકનાં જ રહીશ છે. નિરાશ થઈને મુમતાજે શાહજહાનને પૂછ્યું કે શું આપણે પ્રેમ પણ એટલો બધે કા. હશે કે એ કુદરત સામે પણ ટકકર ઝીલી ન શકે? બનેની નજર સામે ભેગ અને પ્રેમ વચ્ચેનો ભેદ પ્રત્યક્ષ થ. શાહજહાંને કહ્યું કે પ્રેમની ઉત્કટતા અનુભવવા ભેગની મદદ લીધી તે હવે વેર વાળે છે વિલાસિતાએ જે ખાયું તે કળાના કૃપાપ્રસાદથી પાછું મેળવયાને પ્રયત્ન કરી જોઈશું. મિશ્ર દેશના લોકોએ શરીરને મસાલામાં લપેટી એ ટકા વવા પ્રયત્ન કર્યો. ગ્રીક લોકોએ મૂર્તિવિધાનની કળા પૂર્ણત સુધી પહોંચાડી, માણસનું રૂપ અને એનું લાવણ્ય એની આકૃતિ અને એનું અધ્યાત્મ વ્યકત કરવા માટે સંગેમરમ કર્યા. પણ શાહજહાનને એ ભૂલ હવે કરવી ન હતી. પાર્થિવ ૩૫ કે માનવી રૂપ કેમ દો દે છે અને એને અનુભવ થયો હતું. એણે વિચાર કર્યો કે શુધ્ધ પ્રેમ એટલે આકૃતિની સર્વ ભદ્રતા, શુધ્ધ પ્રેમ એટલે ઔચિત્ય, શુદ્ધ પ્રેમ એટલે તપસ્વિતા, શુધ્ધ પ્રેમ એટલે સમૃદ્ધ સંયમ, શુદ્ધ પ્રેમ એટલે પરસ્પરાનુકુલતા, શુદ્ધ પ્રેમ એટલે વિવિધતામાં વિલસતું અખડ અજરામર - અતઃ એવા પ્રેમને હું માનવીકલેવરનું રૂપ ન આપું. એવા પ્રેમને હું અખંડ ધ્યાન, અખંડ ભકિત અને નિઃશેષ સ્વાભાર્ષણનું પ્રતીક બનાવું. એણે ધ્યાન ધર્યું. એણે પિતાને પ્રેમ વિશુદ્ધ અને મૂર્તિ બનાવ્યું. એની જે મૂર્તિ એના હૃદયમાં પ્રગટ થઈ તેની જ દીક્ષા એણે પોતાના કારીગરોને આપી. પૃથ્વીના પેટમાંથી અસંખ્ય પથરાઓ આવ્યા. માનવી મન અને હાથ એ પથરાઓ સાથે સહકાર કરવા લાગ્યાં. નાટકના અંકો જેમ ગોઠવાઈ જાય છે, પટેળાના તાણાવણા જેમ વણાઈ જાય છે, તેમ આ પથરાએ ધીમે ધીમે કોતરાયા અને ગોઠવાયા અને એ ક્ષણભંગુર કાયામાં ખીલેલા સનાતન પ્રેમની એક અભિનવ મૂર્તિએ જન્મ લીધે. બાળકો ગર્ભમાં નવ માસ રહે છે. આ પ્રેમ બાળક કળાની-યાનની–ગર્ભાવસ્થામાં કશું જાણે કેટલાં વર્ષો સુધી, કેટલાં તપ સુધી રૂ૫ ધારણ કરતું હતું. અને એ અવતર્યું. શાહજહાનનો આત્મા તૃપ્ત થયે. દુનિથાના પ્રેમીઓને દીક્ષા મળી, અને એક સાંદર્યમૂર્તિને અવતાર થયો. તાજમહાલની પડખે ઉભી રહી શકે એવી મૂર્તિઓસ્થાપત્ય કૃતિઓ-દુનિયામાં નથી એમ નથી. દૂર શા માટે જઈએ ? યમુનાને જ પેલે પાર ઇતમાદલાનો મકબરો કે રોજે છે. તે તાજમહાલથી ઓછો સુંદર નથી. પણ ત્યાં કેવળ સિાંદર્ય જ છે, ઔચિત્ય જ છે; ભકિતની એકાગ્રતા પણ હશે; પણ તાજમાં જે પ્રેમની તાજગી છે તે ત્યાં ન મળે. તાજ પ્રેમની સ્મૃતિ અને પ્રેમની સંતતિ પણ છે. તાજનો વિચાર કેવળ કળાની દૃષ્ટિએ ન કરાય. એનું રહસ્ય તે કાળની સંસ્કૃતિની દૃષ્ટિએ ન ઉકેલાય. પણ ભાગ જીવન વિફળ થયા પછી પ્રેમજીવને જે એકાગ્રતા સાધી અને જીવનમાં જે ન મળ્યું તેની સ્મરણ વાટે જે સિદ્ધિ સાધી તેના પ્રેમપ્રતીક તરીકે જ તાજને વિચાર કરવું જોઈએ. પ્રેમનું રહસ્ય જાણવું હોય તે તે જ યમુનાને કિનારે સ્થિર થયેલા આ અમર પુષ્પ પાસેથી જ જાણી લેવું. કુમાર”માંથી સાભાર ઉધ્ધત કાકાસાહેબ કાલેલકર. ખાદી તો સમજાય પણ કાંતવું શું કામ? બે પત્રો તમારે કાગળ વાંચ્યું. તમારું કહેવું હું નીચે મુજબ સમજ્યા છું— ખાદી ૫હેરવાનું તાત્કાલિક આર્થિક મહત્વ સમજી શકાય છે, પણ સ્વરાજમાં તે યંત્ર વડે જ કપડું ઉત્પન્ન કરવાનું છે. (1) દરેકે કાંતવું જ જોઈએ-એમ શું કામ ? જેને મજરીની કે આર્થિક દૃષ્ટિએ વસ્ત્ર સ્વાવલંબનની જરૂર છે, તેટલા જ કાંતે અને બીજા ખાદી ખરીદે, એમાં શું દેણ છે? (૨) જો ૮૫ ટકા લોકો કાંતે તે વર્ષ કે છ મહીનામાં સ્વરાજ મળે એમ કહેવામાં લાભ છે, જે આપણે જાણતા હોઈએ કે સંભવનીય નથી ? આ વિશે મને જે લાગે છે તે લખું છું: (૧) જેમ શુધ્ધ યત્રશાસ્ત્રની દૃષ્ટિએ સારું યંત્ર તે કે જેમાં બધી ક્રિયાઓ બનતાં સુધી આપમેળે (automatically) હોય, તેમ સારી સમાજરચના પણ એ કે જેમાં સંપત્તિની ઉત્પત્તિ, ભોગ અને વહેંચણીની ક્રિયાઓ પણ જેટલી બને તેટલી આપમેળે જ ન્યાયપૂર્વક થઈ જાય. આ જે સ્વીકારે તે ઘડી. ભર આપણે કબૂલ કરીએ કે સ્વરાજમાં આપણે શક્તિથી ચાલતાં યંત્રની સ્થાપના છૂટથી કરવી છે તેયે મારી ધારણા મુજબ, તેનું સ્વરૂપ આજના જેવી મિલો કરતાં બનતાં સુધી ઘેરઘેર ચાલતાં નાનાં નાનાં વીજળી કે પેટ્રોલ વગેરેથી ચાલતાં યંત્રોનું રાખવું જોઇશે. એટલે કે જો તમે ગામડે ગામડે વિજળી પહોચાડી શકો, અને બીજી સગવડ પેદા કરી શકો તો આજના ઘરઘરના રેંટિયાને બદલે વિજળી કે પેટ્રોલથી ચાલતો કોઈ રેંટિયે રાખવાનું જશે. મુંબઈ જેવા ૮-૧૦ શહેરમાં કપડાં વણી ગામડે ગામડે પહોંચાડવાને દ્રાવિડી-પ્રાણાયામ નહિ ઈચ્છો. જે આ ડહાપણું તમને માન્ય હોય તે જેમ તમે તમારી હજામત રેજ કરી લે છે, તેમ તમે પણ તમારા ઘરમાં એક તમારા પિતાને ( ભલે વીજળીને ) રેંટિયો પણ રાખ એ સ્વાભાવિક અને ઈષ્ટ લાગશે. સંપત્તિની અને માલની વહેંચણીને સહેલામાં સહેલી કરવાની દષ્ટિએ સામ્યવાદી તંત્રમાં આવું કે,' ઉત્પાદન ફરજિયાત રાખવામાં કશો જ દોષ નહિ ગણાય. હવે એમ સમજે કે સમાજવાદી તંત્ર છતાં આજે આખા દેશને વીજળીના રેંટિયા આપી શકાતા નથી. તે તે દરમિયાન હાથના રેંટિયા આપવાની અને તેનું એક ઓછામાં ઓછું પ્રમાણ બધાને માટે ફરજિયાત કરવાની આ દરખાસ્ત છે ઘેર ઘેર હાથના રેંટિયા ચાલ્યા પછી, દેશ સમૃદ્ધ થશે અને લોકેનો શ્રમ ઓછો કરવાની અનુકૂળતા આવશે અને સમાજ હિતાર્થે આપણને શક્તિચાલિત યત્ર વધારવાં ઈષ્ટ લાગશે તેમ તેમ આપણે એ રેંટિયાને પગે ચલાવવાના, પેટ્રોલથી ચલાવવાના, વીજળીથી ચલાવવાના વગેરે કરી શકીશું. - તાત્પર્ય શક્તિ-યંત્ર પર જઈશું ત્યારે પણ દરેકને માટે કાંતવું ફરજિયાત રહે એ સંભવનીય છે. જેમ ઉભા રેંટિયા પરથી પેટીરેંટિયા પર અને મગન ચરખા પર આવ્યા, તેસ ભલે બીજી શક્તિ પર જઈએ. આમ કાંતવું એ દરેક માટે જરૂરી સદા માટે થઈ શકે છે. (૨) સ્વરાજ્ય મેળવવા અને નિભાવી રાખવા માટે (અને તે અહિંસા દ્વારા) કેટલા ટકા લેકેમાં તેની તીવ્ર ઈચ્છા અને તે
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy