SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ બાજુએ મુકયા છે અને જેલવાસ સ્વીકાર્યો છે. ૧૯૩૦-૧૯૩૨ ની લડતમાં તેમણે બે વખત જેલયાત્રા કરી હતી. આ તેમની ત્રીજી જેલયાત્રા છે. તેઓ જૈન હેને આવા સતત આત્મભેગ માટે જૈન સમાજના ધન્યવાદના સર્વ પ્રકારે પાત્ર બને છે, માન્તúતિય લગ્નસંબધા. યુદ્ધ જૈન શ્રી. મકનજી જીભાઇ મહેતાનાં પુત્રી મ્હેન મધુરીનાં જાણીતા સમાજસુધારક મર્હુમ કરસનદાસ મુળજીના પૌત્ર શ્રી ઇશ્વરલાલ છેટાલાલ સાથે થયાં. વ્હેન મધુરી ખી. એ. થયેલાં છે; અને જૈન છે, ભાઈશ્રી ઇશ્વરલાલ અંડરગ્રેજ્યુએટ છે અને કપાળ છે. આ ઉભયની પસંદગીનુ લગ્ન છે અને અને પક્ષનાં ભાબાપાની આ લગ્ન સંબંધને સંમતિ અને આશીર્વાદ છે. આવાં જ ખીજા લગ્ન શ્રી. સેાભાગચંદ્ર પ્રેમચંદ દેસાઇનાં પુત્રી મ્હેન ગુણીયલનાં શ્રી. ભાનુભાઇ દેવીદાસ દેસાઇ સાથે થયાં. મ્હેન ગુણીયલ ખી. એ. થયેલાં છે અને શ્રી, ભાનુભાઇ એમ. ખી. બી. એસ. (ડૉકટર) છે. એક જૈન છે. અન્ય આર્યસમાજી છે. આ પણ પસંદગીનુ જ લગ્ન છે અને આ લગ્ન સંબંધને સર્વે ડિલર્જનાની સંમતિ અને આશીર્વાદ છે. શ્રી, ગુણીયલ મ્હેન સર કીકાભાઈ પ્રેમચંદનાં ભાણેજ થાય, મુંબઇ કે અમદાવાદ જેવા મેટાં શહેરમાં આવાં આન્તાંતીય તેમ જ અસમાનધર્મી લગ્ન સામાન્ય બનતાં જાય છે. આજે મળતું હાઇસ્કુલ અને કાલેજનું શિક્ષણ જ્ઞાતિ અને ધર્મના બન્ધના અને મર્યાદાઓને ઢીલાં કરતુ જાય છે અને સમાન સંસ્કાર અને આચાર વિચાર ધરાવતા એક નવા વર્ગ ઊભા કરી રહેલ છે. આ વર્ગની વ્યકિતએ ભિન્ન ભિન્ન ધર્મને અનુસરનારી હાવા છતાં અને ભિન્ન ભિન્ન જ્ઞાતિ સાથે જોડાયલી હાવા છતાં પરસ્પર કેઇ જુદીજ એકતા અને એકરૂપતા અનુભવતી હેાય છે અને પોતાનાં દીકરા દીકરીના વિવાહસંબંધો ચાજવામાં જ્ઞાતિ કે ધર્મની ભિન્નતા તેમની આડે આવતી નથી. કેટલેક ઠેકાણે સભાનવય અને શીલવાળા યુવક-યુવતીએ સ્વતંત્ર રીતે લગ્નસંબંધથી જોડાવાનુ નક્કી કરે છે અને માબાપે પેાતાનાં બાળકાની ઇચ્છાને માન્ય રાખે છે. બદલાયલા દેશકાળના પરિણામે આ નવો પ્રવાહ વધતા જ જવાના અને સમજી માબાપાએ તે સ્વીકારી લેવા જ રહ્યો. તટસ્થ રીતે વિચારતાં પણ ભલે ભિન્ન ધર્મ કે જ્ઞાતિના હાય પણ બીજી રીતે સમાન સંસ્કારી અને સમાન ઉચ્ચ શિક્ષણ પામેલાં યુવક યુવતીગ્માના વિવાહ સંબંધો કોઇ નવી સંસ્કૃતિના પુરાગામીએ! હાય એમ આપણને આનંદ તેમ જ કુતુહલ ઉપજાવ્યા વિના રહેતા નથી. કર્તવ્યપરાયણ તેમ જ પ્રેમનિટ દંપતી જીવન જીવીને નવી પ્રથાને સર્વમાન્ય બનાવે એ આશા સાથે બહેન માધુરી અને બહેન ગુણીયલને આપણા અન્તરની આશિષ આપીએ ! પાન’૬. વાંકાનેરના એક અપ્રસિધ્ધ લાકસેવક સદ્ગત પદમશીભાઈ વાંકાનેરની ગરીબ પ્રજાને સેવા સાંપડયા છે જ થાડા; તેમાં ચાલતી કમાણી કે ધીકતા ધંધા છેાડીને શાન્ત, સાચી લાકસેવા, સાધનારાયુવાન વય દરમિયાન પ્રાપ્ત કરેલી સારી રીતે દાળ રોટલા દેતી કમાણીને લોકોની મુંગી સેવામાં હામનારા-તે બહુ જ થોડા મળે. આમાંના એક સદ્ગત પદમશીભાઈ હતા. તા. ૨૮-૩ તે બહુ જ થોડું ભણ્યા અને પછી અનાજ વગેરેના વ્યાપારમાં પડયા. વ્યાપારમાં ઠીક ઠીક કમાણી થતી અને તેમાંથી નાનાં મેટાં ગુપ્તદાન તેએ કર્યાં કરતા. ધંધા કરતાં કરતાં પણ તેઓ કાઇ દુઃખી, દર્દી કે બાયલાની સેવા કરવાનું ચુકતા નહિ. આવા એક વિરલ લોકસેવકનું ચેડાંક અવાડીઆ પહેલાં સત્યાશી વર્ષની ઉંમરે અવસાન થયું. આ શ્રી. પદમશી નેમચંદ શાહ ઝાંપાવાળા જૈન કુટુંબના અગ્રણી હતા. વનના પ્રારંભમાં કેને પાટી, કાઇને પેન, કાઇને ચેાપડી તેા કાને કપડાં આપવાં, અપાવી દેવાં એ એમની પ્રિય કેળવણીપૂજા હતી. જે સમયે કેળવણીના પ્રચારમાં કોઇ બહુ સમજતુ નહીં તે સમયે તે કેળવણીના પ્રચાર માટે બનતી સહાય આપતા અને અપાવતા. વિદ્યાથી ઓ પાસે ભાષણા કરાવવાં, નિબંધો લખાવવાં, અને ઇનામો દેવાં યા દેવરાવવાં એ એમની તે સમયની સામાન્ય સેવાં. છેલ્લી ઘડી સુધી વિકટારીયા જ્યુબિલી લાયબ્રેરીની મુલાકાત લેવી અને એક એક વર્તમાનપત્ર લગભગ નેવું વર્ષની વયે પશુ વાંચવુ, અને સમજવુ તે એમને જીવનભરના શોખ. તેને લીધે જ. તે વિચારમાં કેટલેક અંશે સુધારક બન્યા અને સેવક થયા. સામાજીક, ધાર્મિક અને રાજકીય પ્રશ્નોમાં પણ તે રસ લેતા અને પેાતાને ઠીક લાગે તે નીડરપણે કહી દેતા. પ્રજા તરફથી લાઇબ્રેરીના બંધારણીય પ્રશ્નોમાં તેમ જ તેના વિકાસમાં રસ લેનાર સેવકની તા હવે લાઇબ્રેરીને ખરી ખોટ પડી છે. પુત્રો ધંધે ચડથા પછી એમણે ધંધા છોડી દીધો અને પછી તે વિધાર્થીની સેવા અને અપંગ, લુલા, લંગડા, રાગીની જાતે સારવાર એજ એમના રાજના કાર્યક્રમ થઇ પડ્યા, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કરે. ગાયોને ખડ નીરે, પારેવાને ચણ નાંખે અને રાગી અને તંગની અવિશ્રાન્ત સેવા કરે—આજ એમને ચાલુ જીવનક્રમ થઈ પડેલા. કહેવાતી પછાત કેમના હુંડા કે તુલા કેટલાય જુવાનને એમણે ભણાવીને ધંધે ચડાવ્યા હરશે, અને રોટલા રળતા કર્યો હશે માંદાં, ગડગુમડથી સડેલાં કેટલાંય સ્ત્રી પુછ્હેનાં પાસ પરૂ એભણે સુગ વગર ધોયાં હશે અને અપમાન વેઠીને પણ તેમને માટે દવાદારૂની વ્યવસ્થા કરા વીને સાજા કર્યાં હશે. કેટલાંય માંદા સ્ત્રી પુરૂષોનાં મળમૂત્ર શ્વેતાં એમનું નાક કદી ચડયુ નથી, કે એમણે સહેજ પણ આંચકા ખાધા નથી. આવા મુંગા સેવકને નથી વર્તમાનપત્રે જાણ્યા, નથી લોકજીવનની પ્રશંસા સાંપડી કે નથી કાઇ મોટેરા સેવાની પીછાણુ પામીને તે પ્રસિદ્ધિને ચોપડે ચડયા અને છતાં આજ સૌ કા વાંકાનેરમાં તા સમજે છે અને કહે છે કે પદમશીભાઇ જેવે મુંગા સેવક જતાં વાંકાનેરને કદિ ન પુરાય એવી ખેાટ પડી ગઇ છે. સ્વભાવે નિડર, કાંઇક ઉગ્ર, કાઇ કાઇ વાર ન ખેલવાનું એલી નાંખે એવા અને કેટલીક વાર ન કરવાનું કરી બેસે એવા છતાં શીલવાન અને સેવારગી પદમશીભાઇના વને કામ વિના પ વળે જ નહી. નવરાશ મળે કે કાઇ. રેગી કે માંદાને શધે. પણ નવરા તે મેસે જ નહીં. વળી કયાંક જમણવાર હાય તા કોઇ ભુખ્યા દુખિયાંને માટે વા કરનારને વિનવીને પણ તેમને ખવરાવે. જીવનના આરંભથી જ તે સતત પરિશ્રમને વરેલા. વૃદ્ઘાવસ્થા સમીપ આવતાં તેમણે પેાતાનેા ધીકતો ધંધો છેડયા, પણ પરિશ્રમની આદત તેા તેમણે જીવનની છેલ્લી ઘડી સુધી સુધી છેડેલી જ નહીં. તેમનું મરણ પણ વેદના વગરનું ઉંહ વાયકારાથી રહિત. સાજે સારે દેહે થયું, તેમના પવિત્ર આત્માને પરમાત્મા પરમ શાન્તિ આપે!!! પોપટલાલ પુંજાભાઇ શાહ
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy