SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૮-૨-૪૧ પ્રબુદ્ધ જૈન કેટલાક સમાચાર અને નોંધ. સ'ઘતુ' પ્રીતિસ મેલન તા. ૮-૨--૪૧ રવિવારની સાંજે શ્રી. મુબઇ જૈન યુવક સંધના મંત્રી શ્રી. મણિલાલ માકમચંદ શાહ તરફથી સંધના સભ્યાનું એક પ્રીતિસમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે સભ્યો ઉપરાંત અન્ય કેટલાંક સંભાવિત ભાઇ મ્હેતાને નિમ ંત્રણ આપવામાં આવ્યું હતું. જૈન શ્વે મ. કેન્ફરન્સના પ્રમુખ શ્રી. ટાલાલ ત્રીકમલાલ પારેખે પણ સંઘના નિમંત્રણને માન આપીને આ પ્રસંગે હાજરી આપી હતી. લગભગ દોઢસા બાદ હેંનેની મંડળી એકત્ર થઇ હતી. શરૂઆતમાં એકમેકની એળખાણ અને પરિચય કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સંધના પ્રમુખ તરીકે સંધની વિવિધ પ્રવૃત્તિ, યોજનાઓ તેમ જ ભાવનાને ખ્યાલ આપવાનુ કામ મારે ભાગે આવ્યુ હતુ. શ્રી. છેોટાલાલ પારેખે પણ કેટલીક પ્રસ ંગે!ચિત બાબતે ચર્ચી હતી અને નવા અને જીના-યુવક અને વૃદ્ધ–એકમેક પાસેથી શું શિખે અને પરસ્પર સહકાર સાધી સમાજના કાર્યને કેમ આગળ વધારે, જન શ્વે. મુ. કૈાન્સ શું કરવા ધારે છે અને એ પ્રવૃત્તિમાં હાજર રહેલા ભાઇ અેનેાના કેવા સહકારની અપેક્ષા છે વગેરે સબધમાં તેમણે કેટલુંક વિવેચન કર્યું હતું. ત્યારબાદ પ્રસ્તુત પ્રસ ગ નિમિત્તે યોજાયેલ ઉપાહારને ન્યાય આપીને મીલન તેમ જ વાર્તાલાપમાં કેટલાક સમય ગાળીને એકત્ર થયેલી મંડળ વિસર્જિત થઇ હતી. પરસ્પર પ્રસ્તુત સંમેલન પ્રસંગે એક સભ્ય તરફથી સધની એડ્ડીસમાં માંદાની માવજતનાં સાધને વસાવવામાં આવે તે જરૂર મુજબ રૂ।. ૧૦૦૭ સુધીના ખર્ચની રકમ સંઘને ભેટ આપવા Ùા દર્શાવી હતી. વળી સધતી એરીસમાં અકસ્માતના વૈધકીય પ્લાન્નેની તાલીમ આપવાના વર્ગો થોડા સમયમાં ખેલવાના ઇરાદા પણ જાહેર કરવામાં આવ્યો હતો. આવા આનંદને પ્રસંગ આવા સેવાકાર્યના પ્રારંભનુ નિમિત્ત બને એ પણ ખરેખર સતાજનક છે. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ શ્રી. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સનું દશમું અધિવેશન મુંબઈ સમીપ આવેલ ઘાટાપરમાં એપ્રીલના ઇસ્ટર તહેવાર દરમિયાન મળનાર છે. આ કોન્ફરન્સનું છેલ્લું અધિવેશન આથી આડ વર્ષ પહેલાં અજમેર ખાતે શ્રી. હેમચંદભાઇ રામજીના પ્રમુખપણા નીચે મળ્યું હતું. આ વર્ષના લાંબા ગાળે ભરાતા આ અધિવેશનની તૈયારીઓ પુર ભેંસમાં ચાલી રહી છે, સાથે સાથે મહિલાપરિષદ પણ મળવાની છે. સ્વાગત સમિતિના સભ્યનું લવાજમ રૂા. ૧૦ રાખવામાં આવેલ છે. અધિવેશન પ્રસંગે શતાવધાની ૫૦ મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજ ધાžાપર ખાતે શ્રીરાજતા હશે. આ અધિવેશનમાં પુરા રસથી ભાગ લેવાને જુના અને નવા વિચાર ધરાવનાર સર્વ કાષ્ઠ સ્થાનકવાસી ભાઇ બહેનને સ્વાગત સમિતિના મંત્રીઓ આગ્રહપૂર્વક નિમંત્રણ આપે છે. સ્વાગત સમિતિની કચેરી ઘાટકોપરની પૌષધશાળામાં રાખ વામાં આવી છે અને તેને ટેલીકેાન ન. ૮૭૧૬૮ છે. જે કાઇ ભાઇ બહેનને આ કારન્સ સંબધે વધારે માહીતી મેળવવી હાય તેણે ત્યાં અથવા મુંબઇ એપીસના ટેલીક઼ાન નં. ૨૨૯૨૭ ઉપર ટેલીફાન કરી પુછી લેવુ. સદ્ગત જસુભાઇ. અત્યન્ત ખેદ સાથે ગુાવવાનું કે શ્રી. જસુભાઇ રામજી २०७ ભાઇ શાહનું એકતાલીશ વર્ષની નાની ઉમ્મરે લેાહીખાણુના વ્યાધિના પરિણામે તા. ૨૨-૨-૪૧ ના રોજ અવસાન થયું છે. તે સેાલીસીટર હતા અને મુબઈ જૈન યુવક સંધના એક સભ્ય હતા. મારી તેમની સાથે વર્ષોંની મૈત્રી હતી. તે જાહેર વનમાં બહુ જ એ ભાગ લેતા હાઇને જાહેર જનતામાં તેઓ બહુ જાણીતા નહાતા. તેમનુ જીવન એકસુરીલુ હતું. પોતાનો ધંધો સંભાળતાં અવશેષ રહેતા સમય વાંચન, વિદ્દ કે આનંદમાં તે પસાર કરતા. વિશદ ચારિત્ર, પ્રસન્ન સ્વભાવ, પ્રેમાળ પ્રકૃતિ, કશા પણ આડંબરના અભાવ, લલિત કળાએ પ્રત્યે ખૂબ પ્રેમ, કુટુબીજને પ્રત્યે ઉંડું વાત્સલ્ય, સુન્દર સુન્દર ચીજો એકઠી કરવાનો શોખ આવી તેમની કેટલીક વિશેષતાઓ હતી. કાઇને તેમણે કદિ કડવું વેણુ કહ્યું નથી કે કેાઇનુ દિ કાંઇ બગાડયું નથી. કેવળ નિર્દોષ અને સરળ તેમનુ જીવન હતું. જ્યારે પણ મળે! ત્યારે તે પ્રેમથી ખેલાવે અને ઘેર જાએ ત્યારે બનતું આતિથ્ય કર્યા વિના ન રહે. પ્રેમ અને વાત્સલ્યથી ભરેલું તેમનુ ગૃહસ્થવન હતું. તેમનાં પત્ની ઇન્દ્રબાળા બહેન પણ સંધના સભ્ય છે. પાછળ એક પુત્રી અને પુત્રને મુકી ગયા છે, તેમનાં પત્ની તથા બાળકને આ અસાધારણ આના પ્રસંગે સૌ કોઇનાં આશ્વાસન અને સહાનુભૂતિ ઘટે છે. સદ્ગત જસુભાઇના આત્માને પરમાત્મા પરમ શાન્તિ આપે !! સાન્યવર શ્રી. મણિલાલ નાણાવટી સ`ઘની કચેરીમાં .... તા. ૧૪-૨-૪૧ ના રાજ શ્રી મુખ' જૈન યુવક સધના નિમંત્રણને માન આપીને રીઝવ બેંકના ડેપ્યુટી ગવર્નર શ્રી. મણિલાલ બાલાભાઇ નાણાવટી સધની કચેરીમાં આવ્યા હતા જે વખતે સંધની વિવિધ પ્રવૃત્તિઓ અને અનુકુળતા મુજબ ઉપાડવા ધારેલી પ્રવૃત્તિઓને તેમને ખ્યાલ આપવામાં આવ્યો હતા. ત્યારબદ આ પ્રંસંગે હાજર રહેલા કેટલાક સભ્યો સાથે હાલની સામાજીક પ્રવૃત્તિ સંબંધમાં તેમણે કેટલીક ચર્ચા કરી હતી. સંધની પ્રવૃતિએ વિષે શ્રી. મણિલાલભાઇએ પ્રસન્નતા દર્શાવી હતી. આ પ્રસંગે અલ્પ ઉપહારવડે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સરદાર પૃથ્વીસિ’હુ અને વ્યાયામની ચેાજના શ્રી. મુબઇ જૈન યુવક સંધના આશ્રય નીચે તા. ૨૪-૨-૪૧ સોમવારના રોજ સંધની વ્યાખ્યાનશાળામાં એક જાહેર સભા મેલાવવામાં આવી હતી જે પ્રસંગે સધના નિમંત્રણને માન આપીને સરદાર પૃથ્વીસિંહે પોતાની વ્યાયામયેાજના ઉપર એક સુંદર અને પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યુ હતુ. જેની વિશેષ વિગત આવતા અંકમાં આપવામાં આવશે. શ્રી. છેાટુભાઈ કારાને કારાવાસ. શ્રી. છોટુભાઇ કારા, કેારા એન્ડ ભટ્ટ નામની એન્જીનીયરાની પેઢાના એક ભાગીદાર છે અને ખારમાં રહે છે. તેઓ વાણી સ્વાતંત્ર્યને લગતા સત્યાગ્રહ કરવા માટે ગઇ બાવીસમી તારીખે પકડાયા છે અને તેમને તે માટે છ માસની સાદી કેદની શિક્ષા અને શ. ૨૫ ના દંડ અને તે દંડ ન ભરે તે એક માસની વધારે શિક્ષા કરવામાં આવી છે. શ્રી. છેટુભાઇ કારા એક મૂક સેવક છે. પ્રસિદ્ધિ તેમણે કિંદ માગી નથી કે શોધી નથી. સાધારણ રીતે પોતાના ધંધામાં મશગુલ રહેવા સાથે અવકાશના સમય તે ખેરવાડી, મહાર કાલાની વગેરે સંસ્થાઓને આપતા. ગરીબ અને પછાત વર્ગોની સેવા તેમની પ્રિય પ્રવૃત્તિ રહેતી. જ્યારે જ્યારે આવી લડતનુ આન્દ્વાહન થયું છે ત્યારે ત્યારે પોતાના ધીકતા ધંધાને તેપણે 3
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy