________________
૨૦૨
પ્રબુધ્ધ જૈન
તા. ૧J-----
હિંદુધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે અતિ આદર ધરાવનાર એક મિત્રે એક વાર મને કહેલું કે, સગવડિયા ધર્મપાલનની દૃષ્ટિએ કોઈ પણ જાતની વસમી પરિસ્થિતિમાં બંધબેસતા થવાની અજબ કળા અને વ્યવસ્થા હિંદુઓ પાસે છે. એ સજન મિત્ર તે પારકામાં કેવળ ગુણોને જ શોધનારા અને ગુણેને જ જોવા મથનારા ગુણગ્રાહક હતા, પણ મને એમના ઉદ્ગારમાં ઉપાલંભ લાગ્યું. મને લાગે છે કે સગવડિયા ધર્મપાલનની વૃત્તિ એ આપણું સમાજજીવનનું ભૂપણ નહિ પણ દૂધણુ જ છે. આપણે સંતોએ તે ધર્માચરણ જેને વહાલું છે તેને કપાળે કષ્ટ જ લખાયાનું ગાયું છે:
મહાકષ્ટ પામ્યા વિના કૃષ્ણ ને મળ્યા,
ચારે જુગના જુઓ સાધુ શેધી. કોંકણ રત્નાગિરી જિલ્લાના ચુસ્ત સનાતની પવિત્ર બ્રાહ્મણ કુટુંબના એક આજન્મ પ્રજાસેવક શ્રી. આપાસાહેબ પટવર્ધન વર્ષો અગાઉ આ જ આશ્રમમાં મહાત્માજીએ સ્થાપેલી શાળાના છાત્રાલય–મુખી હતા. આજે વર્ષો થયાં હરિજન અને ખાદી પ્રવૃત્તિમાં તેઓ રોકાયેલા છે. મૃત પશુઓની ધનસામગ્રી કઈ રીતે પશુસેવાનાં કાર્યોમાં વાળી શકાય એને સૂક્ષ્મ અભ્યાસ એમણે કર્યો છે. આપણી ઉપેક્ષાને કારણે આપણાં મૃત પશુઓની પાછળ પ્રજાના કરડે રૂપિયા કેવા બરબાદ થાય છે ને પારકાના હાથમાં જાય છે, એ એમણે આંકડા પ્રમાણો આપીને સિદ્ધ કર્યું છે. આપણા દેશમાં આશરે દોઢથી બે કરડ પશુઓ દર વર્ષે ભરે છે. દરેક મૃત પશુ દીઠ ચામડાની આવક ઉપરાંત પાંચ પાંચ કે ત્રણ રૂપિયાની આવક બરબાદ થાય છે એમ ગણીએ તેપણ પ-૭ કરોડની આપણી સંપત્તિ આપણે હાથે દર વર્ષે એળે જાય છે. આ ઓછામાં ઓછો હિસાબ મૂક્યું છે. આ જાતના વ્યવસાયમાં રોકાયેલા નિષ્ણાત પાસેથી મેં જાણ્યું છે કે દરેક શિંગાળાં મૃત પશુ દીઠ ચામડા ઉપરાંત ચરબી, માંસ, સસ, ગ્લિસરીન, હાડકાં, સ્નાયુ, શીંગ, ખરી, રૂધિર ઇ.ના રૂપમાં ૮ થી ૨૦ રૂપિયા સુધીની પેદાશ હોય છે. શ્રી. આપ્યાસાહેબ પટવર્ધનના બ્રાહ્મણ સશિવેએ તથા આપણા પ્રાંતમાં ગુજરાત વિદ્યાપીઠના અગ્રગામી નવયુવક અને આજન્મ હરિજનસેવક પતિતસેવાપરાયણ ભs પરીક્ષિતલાલ મજમુદારની પહેલ હેઠળ વર્ષો પૂર્વે સ્થપાયેલા નવસારી હરિજન આશ્રમના નવયુવકેએ તેમ જ ડાં જ વર્ષોથી કાઠિયાવાડના તરવડા ગામે બેસી ગયેલા બે ચાર ચુનંદા નવજવાન કાર્યકરોએ આ બધું ૨સર્ચ સાબિત કરી આપ્યું છે. જે છે તે નજરે જોઈ આવે ને પિતાની ખાતરી કરી . ગાય વિ. ભેંસ
ગોપાલન અને ગોરક્ષાના પ્રશ્નનો વિચાર કરવામાં ભેંસને પ્રશ્ન વિચારણીય થઈ પડે છે. ભેંસ એ હું જાણું છું ત્યાં સુધી આપણા દેશનું જ દુધાળ પ્રાણી છે. યુરોપ વગેરે બીજા દેશમાં ભેંસ જોવામાં આવતી નથી. એની દૂધ આપવાની શકિત ઘણી સારી છે. એક રીતે એ ઓછી સંભાળ માગે છે. ખાવા જાડુંભરડું ઘાસ અને માંદણે પડવા કાદવ-ખાબોચિયું મળ્યું એટલે વગર તકરારે એ તમને જાડું દૂધ આપ્યાં કરે છે. છતાં બીજી - રીત ગાય ખડતલ અને ભેંસ સુંવાળું પ્રાણી છે. દુ:ખદરદને પ્રતિકાર કરવાની ભેંસની શકિત ગાયને મુકાબલે ઘણી ઓછી છે. રેગચાળાને એ ઝટ શિકાર થઈ પડે છે અને ઝપાટાભેર ટેળેટાળા સેથ વળી જાય છે. આથી સરવાળે એકલા દૂધ-ધીની
ગણતરીએ પશુપાલન કરનારાઓમાં ભેંસ પાળનારાઓ ગેપાલકોન મુકાબલે રિધ્ધિસિદ્ધિને પામ્યા જાણ્યા નથી. શહેરનાં દૂધ પૂરો કરનાર ગવળીઓમાં પણ જયવાર જોવામાં આવતું નથી. લગભગ તબેલાવાળાઓ પણ અવારનવાર પડતા કુદરતી તેમાં હું બીજા ફટકાઓને કારણે મહામહેનતે બે પાસાં સરભર કરી ગડા ગબડાવતા જોવામાં આવ્યા છે. આથી વધુ બકા એ બધામાં જવલ્લે જ જોવામાં આવી છે. વળી હિંદ બહારના ભુલકામાં મોટે ભાગે ભેંસ છે જ નહિ, અને હિંદના ઘણાખરા ભાગોમાં પણ એનું દૂધ ખાવાના ઉપગની ચીજ મનાતી નથી. હલવારએને ત્યાં માવા—મીઠાઈને સારૂ જ એનો ઉપયોગ થાય છે, માય ઘરના બાળક જેવું ચંચળ વહાલસેલું પ્રાણી છે, જ્યારે બુ જડ અને મંદ પ્રાણી છે. સામાન્યપણે અત્યારે ગાયની સરખામણીમાં એ દૂધ વધુ આપે છે. પણ એની ઉપગિતા એટલેથી જ અટકે છે. એની નરઓલાદ ખેતીને સારૂ નિરુપયોગી છે. કંકણ, મલબાર જેવા દરિયાકાંઠાના કે બંગાળ, આસામ જેવા પાણિયાળ ભેજભર્યા મુલકે સિવાય આપણ હિંદુસ્તાન દેશનઃ બાકીના ઉષ્ણ પ્રદેશમાં પાડા ખેતીમાં કામ આપી શક્તા ની પાણી અને ભેજ વગરના પ્રદેશમાં એ ઝાઝું જીવી જ શકતા નથી. હિંદ એ કૃષિપ્રધાન દેશ છે. ખેતી જ હજુ આજે પણ એની ૮૦ ટકા વસ્તીની જીવાદોરી છે. વળી મેટર એંજિત અને વીજળીની આપણા દેશમાં ચાહે તેવી પ્રગતિ થાય તે પણ યાંત્રિક મદદથી હિંદનો ખેડૂત પિતાની વીધું દોઢ વઘુ ખેતી, કરતે થાય અગર તે ઘોડા કે ઊંટની આયાત કરીને તેની મદદથી એ ખેતી કરે એ સ્થિતિ હજુ બી ૫-૫૦ વરસ સુધી તે અસંભવિત જ છે. બીજી બાજુએ ગાય અને આપણી ઉપેક્ષાને દેશે ક્ષીણ હીણુ, આર્થિક ગણતરીઓ બેકારૂપ, અને નરી શુષ્ક પૂજાનો વિષય બની ગઈ છે. એના વાછરડાને આપણા ઉચ્ચ વર્ણોએ ટી જીવદયાના ખ્યાલે દોરવાઈ પિતાની પ્રતિષ્ઠાને જેરે મોટે ભાગે ખેતી માટે નકામા અને રખડતા બાંગરા કરી મૂકયા છે. દૂધ તેમ જ ખેતી–ઉપયોગી બળદ બે બાબતમાં અતિ ઉપયોગી નીપજ આપનારી એકલી ગાય જ છે, ભેસ નથી. તેથી જ આ કૃષિપ્રધાન દેશમાં એને રિધ્ધિસિધિની જનનનું સ્થાન મળ્યું છે. જાડું અને વિપુલ પણ એકલું દૂધ છે? આપનારી ભેંસ દેશની અર્થવ્યવસ્થામાં ગાયને તેલ આવી શંક એમ નથી. પણ આપણા કૃષિપ્રધાન દેશના અર્થકારણની દ્રષ્ટિ ન ધરાવનાર અને એક્લા દૂધ અને ઘીનાં લેખાં ગણનાર આપણા ભણેલા કે ઉજળિયાત વર્ગના લોકેએ ગાયને મુકાબલે ભેંસને કીમતી ગણી ગાયને આજની દુર્દશાએ પહોંચાડવામાં મોટો ફાળે આપ્યું છે એમ અતિ ખેદની સાથે કહેવું પડે છે. (અપૂર્ણ)
- સ્વામી આનંદ
તિ. જેને પ્રભુ બેઠા છે હૈયે, તેને હોય કશા જગબંધ ? જેને ડગલાં ભરવાં વાટે, તેને ભાસ કશા નિજ સ્કંધ ? ક્યાતિ છે જેનારા માટે, કયાંથી જોશે જે જન અંધ ?
- વીરે! રખે ડગવતા પાય! જેને સુવું છે અંધારે, તેને સૂવા છે અહીં આજ; એની આંખ ઊઘડશે ત્યારે એને પણ સમજાશે કાજ; રે છે જ્યોતિનાં સંતાનો ! તમને તે જ્યોતિનું રાજ!
વીરો! જેતે જોત જળાય !
અ. ફ. ખબરદાર,
મારા કરી મૂકયાનીપજ આપનારી જ દિધસિદ્ધિની
સ્ટ્રીટ, મુંબઈ.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી
મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત પિ. પ્રેસ, ૪૫૬, કાલબાદેવી રોડ, મુંબઈ. ૨
+-
--- -
- --—
-
----- -----
-----
----- --
-
-- -
-
-