SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સા ધરાવતા સંધના ભાઇ બહેનેને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. મુંબઇ જૈન યુવકસધની બીજી પ્રવૃત્તિઓ સાથે કાને ગમે તે મતભેદ હાય, પણ આ કાર્ય શુદ્ધ સેવાનુ, મતભેદ વિનાનું, કેવળ જનિક અને લેાકેાની એક સાચી જરૂરિયાતને પહોંચી વળનારૂ છે. આજના યુધ્ધે કેટલાક ભાઈઓને ત્યાં લક્ષ્મીનુ પૂર વહેતું કર્યું છે. ઉચિત દાન વડે પેાતાનું કે વડિલજનાનુ સ્મરણ કાયમ કરવાને! આ એક પુનિત શ્રેયસ્કર માર્ગ છે. આ બાબત તરફ સૌ કાઇ સજ્જન સન્નારીનુ અમા ખાસ ધ્યાન ખેંચીએ છીએ. માંદાની માવજતનાં સાધના, ગયા વર્ષ દરમિયાન શ્રી મણિલાલ વાડીલાલ તરફથી રૂ।. ૧૦] ની મદદ મળવાથી માંદાની માવજતનાં સાધના સંધની કચેરીમાં વસાવવામાં આવ્યા છે અને નામના ભાડાથી એ સાધના કાઈ પણ જાતના ભેદભાવ વિના પૂરા પાડવાના પ્રબંધ કરવામાં આવ્યા છે. આ બાબતને લગતી પત્રિકા દ્વારા ચાગ્ય જાહેરાત કરવામાં આવી છે. એમ છતાં પણ આ સાધતેને જોઇએ તેવે લાભ લેાકાએ ઉઠાવ્યો નથી. પ્રબુદ્ધ જૈન પર્યુષણ વ્યાખ્યાનમાળા પર્યુંષણ વ્યાખ્યાનમાળા આ સંધની એક વિશિષ્ઠ પ્રવૃત્તિ છે. ગત વર્ષની પશ્વ વ્યાખ્યાનમાળા પડિત સુખલાલજીના અધ્યક્ષપણા નીચે યોજાઇ હતી. કાશી જેવા દૂર સ્થળેથી અનેક અગવડા વેકીને તે મુંબઈ આવ્યા અને આ વ્યાખ્યાનમાળાનું તેમણે સંચાલન કર્યું તે માટે તેમને જેટલા ઉપકાર માનવામાં આવે તેટલા આછે છે. ૫. સુખલાલજીનું મમત્વ અને સંધની પ્રવૃત્તિઓ સાથેનું તેમનુ' તાદાત્મ્ય સૌ કાને સુવિદિત છે. સંધની પયુંષણ વ્યાખ્યાનમાળા જૈન સમાજનું એક મહત્વનું આકર્ષણ બનેલ છે અને તેમાં ચર્ચાતા વિષયાની વિશાળતા અને અસાંપ્રદાયિકતાએ મુંબઇ જેવા મેટા શહેરમાં યોજાતી અનેક વ્યાખ્યાનમાળાઓમાં જુદી જ ભાત પાડી છે. પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં અપાયેલાં વ્યાખ્યાનેાની યાદી નીચે મુજબ છેઃ વકતા વિષય સર્વ ધર્મ —સમભાવ પંડિત દરબારીલાલજી પંડિત સુખલાલજી આચાર અને વિચાર શ્રી માહનલાલ દલીચંદ દેસાઈ શ્રી આનંદધન અને શ્રી યશોવિજયજી પંડિત દરબારીલાલજી શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ શ્રી કેશવલાલ દવે શ્રી ગેાપાળરાવ કુલકણી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી ગાપાલરાવ કુલકર્ણી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી મગનભાઇ દેસાઇ મૌલવી મકબુલ અહમદ સ્વામી આનંદ શ્રી કેદારનાથજી શ્રી ઉમેદબાદમણીઆર તપ ભગવાન મહાવીરની ત્રિપદી માનવ-જીવન- સંસ્કૃતિમાં ધર્મ અને તેનુ કાર્ય ગાંધીવાદ જીવનદૃષ્ટિ વર્ષાશિક્ષણયેાજના ગાંધીવાદ અને સમાજવાદ કશ્મીર અને નાનક મુસલમાન સતા અહિંસા~~~ક્તિગત અને સામુદાયિક મહાભારત અને રામાયણ શ્રી નાનાભાઇ ભટ્ટ શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ રામાયણુની એક બાજુ પંડિત સુખલાલજી આધ્યાત્મિક માર્ગ અને સામાજિક મા માનવ જીવનનું ધ્યેય કેટલાંક ભજના તા...૧-૧૨-૪૧ આ વ્યાખ્યાનમાળાને સફળ બનાવવામાં ભિન્ન ભિન્ન વ્યા ખ્યાતાઓ, હીરાબાગ હેાલના ટ્રસ્ટીઓ અને ભાંગવાડી થીએટરના માલીકાએ મહત્ત્વને કાળા આપ્યા છે, તે સર્વે અહિં ઉપકાર માનવામાં આવે છે. ખાદીહુ'ડીનું વેશ્યાણ, છેલ્લાં ત્રણ વર્ષથી સંઘે ગાંધી જયતીના દિવસે દરમ્યાન ખાદી હુંડીનું વેચાણુ હાથ ધરવા માંડયું છે. પહેલા વર્ષમાં રૂ।. ૧૯૦૦ ની ખાદીહુડીનું વેચાણ થયું હતું.. ખીજા વષૅમાં ।. ૩૦૦૦ ની ખાદીહુડીનુ વેચાણ થયું હતું. વૃત્તાન્તના વષઁ દરમ્યાન આપણે રૂા. ૮૧૭૬ ની ખાદીહુડી ખપાવી શકયા છીએ. આ કાર્ય માં સૌથી મોટા કાળા સૌ. શાંતાબહેન પાટડીઆને ફાળો છે. તેમણે રૂા. ૩૩૫૮ ની ખાદી હુંડી ખપાવી આપી છે. સૌ. જસુમતી અેને શ. ૧૨૨૫ ની ખાદીહુડીનું વેચાણુ આપ્યું છે. આ બન્ને બહેનેાને સધના ખાસ ધન્યવાદ ધટે છે. સઘની કચેરીમાં આવેલા મહેમાને સધની પ્રવૃત્તિઓના પરિચય વધે અને ભિન્ન ભિન્ન કાર્યક્ષેત્રમાં કામ કરતી વિશિષ્ટ વ્યક્તિ સાથે સંધના સપ ઉભે થાય તે આશયથી ગત વર્ષ દરમિયાન કેટલીક વિશિષ્ટ વ્યકિતએનું સધની કચેરીમાં સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમાંના સૌથી પહેલા રીઝવ બેંકના ડેપ્યુટી ગવર્નર સર મણિલાલ બાલાભાઈ નાણાવટી હતા. બીજા મહેમાનો કલકત્તાની જૈન યુવક જનતામાં કાર્ય કરી રહેલ અને ‘તરૂણ જૈન'ના સંપાદક શ્રી સિદ્ધરાજ ઢ્ઢા અને શ્રી ભેવર્મલ સિંધી હતા. તેમની સાથે મુંબઇ અને કલકત્તાની જૈન સમાજની ભિન્ન ભિન્ન પરિસ્થિતિ વિષે કેટલીક ચર્ચા થઈ હતી. શ્રી મહાદેવ હરિભાઇ દેસાઇ મુંબ૪માં ગુજરાત-કાઠિયાવાડ જલસ કટ નિવારણ ાળા માટે કેટલાક સમય રહી ગયા તે દરમિયાન તેમણે સંધની કચેરીમાં આવવા કૃપા કરી હતી અને તેમની સાથે રાજકારણી અહિંસા સંબંધમાં બહુ ખેાધક ચર્ચા થઇ હતી. એ પ્રપ ંગે હાજર રહેલા સભ્યોમાંથી જળ-સંકટ નિવારણ કાર્યો માટે રૂ।. ૨૩જી એકઠા કરીને શ્રી મહાદેવભાઇને આપવામાં આવ્યા હતા. શ્રી નાનાભાઇ ભટ્ટ પણ એક દિવસ સંધની કચેરીમાં આવી ગયા અને આંબલાના અનુભવા સંભળાવવાના નિમિત્તે ગામડાના લોકોની પારાવાર ગરીબીના આબેહુબ ખ્યાલ આપી ગયા. ‘નેશનલ કાઉન્સીલ એફ વીમેન'ના ઉપ-પ્રમુખ અને જૈન મહિલા સમાજના પ્રમુખ સૌ॰ તારાબહેન માણેકલાલ પ્રેમચંદ પણુ સધના નિમંત્રણને માન આપીને સંધની કચેરીમાં આવ્યા હતા અને તેમની સાથે જૈત મહિલા સમાજ અને મુંબઈ જૈન યુવકસંધની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ સબંધમાં કેટલીક ચર્ચા થઇ હતી. અને એકમેક કયાં સહકાર આપી લઇ શકે તે સંબંધે પણ કેટલીક વાતો થઇ હતી. સ`ધે હાથ ધરેલા કેટલાક સામાજિક કીસ્સાએ, ગત વર્ષ દરમ્યાન એક યા બીજા પ્રકારની આફતમાં સપડાયલી બહેનેાના કેટલાક કીસ્સાએ–હાથ ધરવાનું બન્યું હતું. આ સંબંધે કેટલીક વિગતો ૧૯૪૧ ના જુલાઇ માસની ૧ લી તારીખના 'પ્રમુદ્ધ જૈન' માંથી મળી શકશે. આ દિશાએ બનતી સેવા કરવા સધના કાર્ય વાહક! આતુર છે, પણ આ બાબતની લેાકેાને પૂરી જાણ નથી, તેમજ કેટલીક બહેને આવી મદ માંગતા હજુ બહુ જ અચકાય છે અને નસીબમાં હાય તેમ થાય' એમ વિચારી માથે આવી પડેલા સજોગોને આધીન બની જાય છે અને ગમે તેવા સૌતમ કે અન્યાયને સ્વીકારી લે છે.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy