________________
પ્રબુધ જૈન
૧પ૭
-
-
- -
-
. .
.
તા. ૧૫-૧૨-૪૧
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ * વાર્ષિક વૃત્તાન્ત.
(સં. ૧૯૯૭) શ્રી મુંબઈ જૈન યુવક સંધ આજે તેર વર્ષ પૂરા કરીને ચૌદમા વર્ષમાં પ્રવેશ કરે છે. આ સંધ આજ સુધીમાં નાની મેટી અનેક અગવડમાંથી પસાર થયો છે અને જૈન સમાજને વિવિધ પ્રકારની સેવા આપી રહ્યો છે. પ્રથમ દશકા સાથે જૈન સમાજના દીક્ષા–પ્રકરણને ઈતિહાસ ગઢપણે સંકળાયેલ છે. વિ. સં. ૧૮૮૪માં સંધના બંધારણમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા. એ બંધારણના પરિણામે આ સંધ જૈન સમાજના એક વિભાગને મટીને મુંબઈના જૈન સમાજની યુવક જનતાને પ્રતિ- નિધિ બન્યો. કાન્તિકારી અને પ્રાગતિક વિચારવાળા ભાઈબહેને જ આ સંધના સભ્ય રહી શકે એવી રચના સ્વીકારવામાં આવી. સંધનું સ્વરૂપ પષ્ટપણે રાષ્ટ્રવાદી બન્યું. સંધની કાર્યવાહીમાં ભાઈઓ સાથે બહેન પણ સક્રિયપણે ભાગ લેતી થઈ. આજથી અઢી વર્ષ પહેલાં પ્રબુદ્ધ જૈન” નવા સ્વરૂપે પ્રગટ થવા માંડયું. દેઢ વર્ષ પહેલાં માન્યવર માજી મુખ્ય પ્રધાન બાળાસાહેબ ખેરના હાથે સાર્વજનિક પુસ્તકાલય અને વાંચનાલયની ઉદ્દઘાટનક્રિયા કરવામાં આવી. સંધનાં સભ્યોની સંખ્યા વધતી વધતી લગભગ ૩૦૦ સુધી પહોંચી. આમ ઉત્તરોત્તર વિકાસ પામતા મુંબઈ જૈન યુવકસંઘનું ગત વર્ષ સંઘે શરૂ કરેલી પ્રવૃત્તિઓને વધારે સ્થિર અને મજબુત બનાવવા પાછળ વ્યતીત થયું છે. આખા * વર્ષ દરમિયાન ખાસ કઈ નવો બનાવ બન્યું નથી અને માંદાની માવજતનાં સાધનો વસાવવા અને જરૂર હોય તેને પૂરા પાડવા એ સિવાય બીજી કોઈ નવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી નથી. '
“ પ્રબુદ્ધ જૈન * પ્રબુદ્ધ જૈન’ની લેખ--સામગ્રીની વિવિધતા વધતી જાય છે અને ગ્રાહક સંખ્યા પણ ધીમે ધીમે વૃદ્ધિ ગત થઈ રહી છે. આજે સંધના સભ્યો ઉપરાંત ગ્રાહક–સંખ્યા ૪૦૦ ની છે. જે ધેરણ ઉપર “પ્રબુધ્ધ જન” શરૂ કરવામાં આવ્યું હતું તે ધોરણને એક સરખી રીતે વળગી રહેવામાં આવેલ છે અને તેથી પ્રબુધ્ધ જૈન શિષ્ટ વર્ગોમાં સારી રીતે સન્માનિત બન્યું છે. "પ્રબુદ્ધ જૈન” ને લેખો અન્ય સામયિક તેમજ માસિક પત્રમાં અવાર નવાર ઉધૃત થયેલા જોવામાં આવે છે. કાગળના વધતા જતા ભાવે અને ગ્રાહકોની પ્રમાણમાં અલ્પ સંખ્યા, જાહેર ખબર નહિ લેવાનો આગ્રહ અને નિયત કરેલાં આઠ પાનાંને બદલે સાધારણ રીતે દશ અને કદી કદી બાર ' પાનાની લેખ- સામગ્રી-આવાં કારણોને અંગે “પ્રબુધ્ધ જેને હજુ સુધી પગભર થઈ શકયું નથી, એટલું જ નહિ પણ દર વર્ષે ઠીક ઠીક ખોટ આવ્યા કરે છે. આજ સુધીમાં એટલે “પ્રબુદ્ધ જેન’ શરૂ કર્યું ત્યારથી આજ સુધીના ગાળામાં “પ્રબુદ્ધ, જૈન” ને મળેલ ભેટની રકમ તેમજ લવાજમ પેટે વસુલ થયેલી રકમ બાદ કરતાં પ્રબુદ્ધ જૈન પેટે રૂ. ૭૪૨-૬-૦ ની ખોટ આ વખતના હિસા- બમાં માંડી વાળી છે. આમ છતાં દરેક અંગ્રેજી મહિનાની પહેલી અને પંદરમી તારીખે પ્રબુધ્ધ જન’ ની રાહ જોતે એક મોટે વર્ગ આપણે ઉભા કરી શક્યા છીએ અને કોમી છાપાઓમાં શુદ્ધ રાષ્ટ્રીય ધોરણે અને વિશાળ તથા વ્યાપક દૃષ્ટિએ ચાલતું કોઈ પણ પત્ર હોય તે તે “પ્રબુદ્ધ જન જ છે એવો દાવો ગર્વ. પૂર્વક કરવાની સ્થિતિએ આપણું મુખપત્ર પહોંચ્યું છે એમ કહેવામાં જરા પણ અતિશયોકિત નથી. એ પત્રની નિષ્ઠા અને દૃષ્ટિમાં જેને જેને વિશ્વાસ આવ્યો હોય તે તે સર્વ જૈન-જૈનેતર
વિદ્વાને, વિચારકો અને કાર્યકર્તાઓને આ પત્રને અપનાવવાની અને વિવિધ વિષયો ઉપર લેખ મોકલીને બનતા સહકાર આપવાની વિનંતિ કરવામાં આવે છે. એવો એક પણ જનકલ્યાણનો પ્રશ્ન નથી કે જેને “પ્રબુદ્ધ જૈન' માં સ્થાન હોઈ ન શકે. જેણે આજે આખા જગતનું ધ્યાન ખેંચ્યું છે તે “અહિંસા” ના પ્રશ્નને “પ્રબુદ્ધ જૈન ’માં અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. સાથે સાથે જૈન સમાજના અંગત પ્રશ્નોની ચર્ચા પણ પ્રબુદ્ધ જૈન” કરતું જ આવ્યું છે અને જૈન સમાજમાં બનતા બનાવ પર જરૂરી માર્ગદર્શન પણ સમયે સમયે કરાવતું આવ્યું છે. પ્રબુદ્ધ જૈનને જેટલી જરૂર છે વિદ્વાન અને વિચારક લેખકોના સહકારની તેટલી જ જરૂર છે તેની ગ્રાહક સંખ્યામાં સારા પ્રમાણમાં વૃદ્ધિ કરવાની. પ્રબુદ્ધ જૈનના પ્રશંસકોને અને સંધના સભ્યોને આ દિશાએ બને તેટલું મદદરૂપ થવા અમારી આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ છે. “પ્રબુદ્ધ જૈન’ . જે સુંદર અને વ્યવસ્થિત આકારમાં પ્રગટ થાય છે તે સૂર્યકાન્ત પ્રેસના માલીક અને આપણા સંધના સભ્ય શ્રી હર્ષચન્દ્રના હાર્દિક સહકારને આભારી છે તે બાબતની અહિં નેંધ લેવી ઘટે છે.
વાંચનાલય અને પુસ્તકાલય સંધના સાર્વજનિક વાંચનાલય અને પુસ્તકાલયને લગતો ' વૃત્તાન્ત તેને લગતી સમિતિ તરફથી રજુ કરવામાં આવેલ છે જે આ સાથે પરિશિષ્ટ “ક” તરીકે જોડે છે. એ વૃત્તાન્તમાંથી જાણવા જેવી સર્વ વિગતો મળી શકશે અને આ પ્રવૃત્તિને પ્રારંભ કર્યો ત્યારે જે કલ્પના અને ગણતરી હતી તે કરતાં કેટલા બહોળા પ્રમાણમાં આસપાસ વસતા તેમજ દૂર દૂરના ભાઈ–બહેને લાભ લઈ રહેલ છે તેના સા ખ્યાલ આવશે. આ પુસ્તકાલય તેમજ વાંચનાલય આજે જ્ઞાનની એક મેટી પરબ જેવું બની ગયું છે. પુસ્તકેના ચાર મેટા કબાટ ભરાઈ ગયા છે અને વધતા જતા પુસ્તક માટે પાંચમો કબાટ તૈયાર થઈ રહ્યો છે, પુસ્તકાલયના ત્રણ કબાટે- સદ્દગત વિઠ્ઠલભાઈ સ્મારક ફંડમાંથી બનાવવામાં આવ્યા છે અને એ કબાટ શ્રીમતી ચંચલબહેન છોટાલાલ તરફથી તેમના પતિની યાદગીરીમાં ભેટ મળેલ રકમમાંથી તૈયાર કરાવ્યું છે. પાંચમાં કબાટ માટે શ્રી મણિલાલ જેઠાભાઈ તરફથી તેમના પિતાશ્રીની યાદગીરીમાં રૂ. ૧૦૦), ની રકમ સંધને ભેટ મળી છે. શ્રી ચંચળ બહેનો અને ભાઈ મણિલાલ જેઠાભાઈને તેમજ સંખ્યાબંધ પુસ્તક ભેટ આપીને પુસ્તકાલયને આટલી જલ્દીથી સમૃદ્ધ કરવા માટે અનેક ભાઈ બહેને અહિં ઉપકાર માનવામાં આવે છે. વાંચનાલય પુસ્તકાલયને લગતા ખર્ચની વિગત પરિશિષ્ટ 'કમાં આપવામાં આવી છે. ઉપર જણાવેલ પાંચ કબાટ ભરાઈ જવા બાદ વિશે કબાટ કે પુસ્તકો રાખવાની સંધની કચેરીમાં જગ્યા નથી. જૈન ધર્મનાં પુસ્તકે હજુ બહુ મોટા પ્રમાણમાં વસાવવાની જરૂર છે. ગુજરાતી સાહિત્યનો સંગ્રહ પણ હજુ ઘણો અધુરો છે. અંગ્રેજી પુસ્તકે સારા પ્રમાણમાં વસાવવાને આપણે મેહ નથી રાખે; પણ અગત્યનું એક પણ જૈન ધર્મનું કે ગુજરાતી સાહિત્યનું પુસ્તક આ પુસ્તકાલયમાંથી ન મળે એમ ન બનવું જોઈએ.
આ કક્ષાએ જેમ બને તેમ જલ્દીથી પુસ્તકાલયને પોંચાડી દેવું એવી અમારી ધારણા છે. પણ તે સ્થિતિને પહોંચવા માટે આ પુસ્તકાલયમાં ઓછામાં ઓછાં દશ હજાર પુસ્તકે .. જોઈએ. તે રાખવા માટે વધારે કબાટો અને વધારે જગ્યા જોઈએઆ શુદ્ધ જ્ઞાનસેવાના કાર્યમાં મદદરૂપ બનવા અને આ કાર્યને સ્થાયી સ્થિતિએ પહોંચાડવા આ પ્રવૃત્તિ પ્રત્યે સહાનુભૂતિ