________________
તા. ૧૫-૧૨-૪૧
છે. આજે દુનિયામાં કદિ ન કપાયલે એવા ઉકાપાત ઉભા થયા છે. ઉલ્કાપાતના સૂત્રધારાને મન માનવીના જીવનની કશી 'મત રહી નથી. આપણે નિર્દોષ છીએ, તટસ્થ છીએ, આ યુધ્ધ સાથે અમારે કશી લેવા દેવા નથી એમ કહેવાથી પણ આ ઉલ્કાપાતની ઝાળથી બચી શકીએ તેમ નથી. સર્વતેામુખી વિનાશની આજે આંધી · ચઢી છે. તેમાંથી હિંદુસ્થાન કૈમ બચે ? મૃત્યુ આવે, સ ંકટ આવે, ગમે તેવી હાડમારી આવે તે સર્વને સ્વસ્થતાથી ભેટીએ. દુનિયાના સામુદાયિક કર્મનુ આપણે પણ પ્રાયશ્ચિત કરવાનું જ રહ્યું. એ પ્રાયશ્ચિતકા જે માંગે તે આપીએ અને એમ છતાં પણ આપણી ભાવના, આપણા આદર્શ ઉપર અડગ રહીએ. પામર માનવીએ માર્કે રડારોળ, કકળાટ કે ભાગનાશ ન કરીએ. આસપાસ વસતા ભાઇભાંડુને જરૂરી સેવ> પહોંચાડવાને તત્પર બનીએ. સામેથી આવતી આંધીના ટાણે આજ આપણે ધર્મ બને છે-આજ આપણું કર્તવ્યકમ બને છે, પુમાનદ
કેટલાક સમાચાર અને નોંધ.
પ્રસુર જૈન
સ્વ સ્થ અમૃતલાલ રાયચંદ ઝવેરી.
તા. ૧૩–૧૨–૪૧ ના રાજ સ્થાનકવાસી વિભાગના હુ જાણીતા આગેવાન અને મુંબઇની ઝવેરી બજારના એક અગ્રગણ્ય ઝવેરી અમૃતલાલ રાયચંદ ઝવેરીનું એકાએક હૃદય બંધ પડતાં ૬૨ વષૅની અકાળ વયે અવસાન થયું. આ બનાવની તેાંધ લેતાં ભારે ગ્લાનિ થાય છે. અમૃતલાલભાઈમાં અનુપમ સૌજન્ય હતું. ઝવેરી જારમાં તેમની અસાધારણ પ્રતિષ્ઠા હતી. સ્થાનકવાસી જૈન સમાજ તેમની અનેક સેવાઓને રૂણી છે. રાષ્ટ્રના કાઇ પણ કાર્યમાં તેમના ઉદાર કાળા હાય જ હોય. તેમની સરળતા તેમ જ સાદાઈ સૌ કાઈનું આકર્ષણુ કરેતે વાં હતાં. ઉંડી ધર્મનિષ્ઠાથી તેમનું આખું જીવન અંકિત થયેલું હતું. તેમના જવાથી જૈન સમાજમાં એક ભારે ઉપયોગી અને સેવાભાવી વ્યકિતની ખોટ પડી છે. તેમના પવિત્ર આત્માને પરમાત્મા પરમ શાન્તિ આપે ! શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજત મહેાત્સવ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગની એક નામીચી સંસ્થા છે. આ વિદ્યાલય મુંબની જુદી જુદી કાલેજોમાં ભણતા જૈન શ્વે. મૂ. વિદ્યાર્થીઓને રહેવા ખાવા વિગેરેની સગવડા આપે છે, એટલું જ નહિ પણ તેમને ધાર્મિક શિક્ષણ આપવાના પણ આ સંસ્થામાં સુવ્યવસ્થિત પ્રબંધ કરવામાં આવ્યા છે. આ વિદ્યાલયમાં સેા વિધાથી એને રાખવામાં આવ્યા છે અને તે ઉપરાંત પુના, કરાંચી અને અનાસ. ખાતે પણ તે તે સ્થળની કોલેજોમાં ભણતા કેટલાક જૈન વિદ્યાર્થી ને
આ વિદ્યાલય જરૂરી મદદ આપે છે. પ્રસ્તુત વિધાલયે પચ્ચીસ વર્ષ પુરાં કર્યાં છે. તેના આનંદમાં વિધાલયની વ્યવસ્થાપક સમિતિ ચાલુ માસની ૨૭, ૨૮, અને ૨૯ મી તારીખ દરમિયાન રજત મહેાત્સવ ઉજવવાની જોસબેર તૈયારીઓ કરી રહેલ છે.
આ રજત મહેાત્સવના સ્મરણને કાયમ રાખવા માટે એક સુંદર દળદાર ગ્રંથ તૈયાર થાય છે. આ ગ્રંથમાં વિધાલયની આજ સુધીની કારકીર્દીને વિગતવાર' વૃતાન્ત આપવામાં આવશે તેમજ અનેક વિદ્યાતાના ગુજરાતી તેમજ અંગ્રેજી લેખાને સંગ્રહ પ્રગટ કરવામાં આવશે. વિધાલય સાથે એક યા બીજી રીતે જોડાયલી અનેક વ્યક્તિની છીઍ તેમજ ખીજા પણ કેટલાંક સુંદર ચિત્ર આ ગ્રંથમાં સામેલ કરવામાં આવશે. ગ્રંથનુ બાહ્ય તેમજ આન્તર પરિશોભન ઘણું જ આકર્ષક હશે. આ ગ્રંથ લગભગ ૫૦ પાનાના થશે. તેની કીમત રૂા. ૩૩] રાખવામાં
૧૫૫
આવી છે, રજત મહાત્સવના કાર્યક્રમ હાલતુરત નીચે મુજબ રાખવાનું વિચારવામાં આવેલ છે.
તા. ૨૭ શનિવાર
સવારના ૯ થી ૧૨-રાયલ ઓપેરા હાઉસમાં રસદર્શન' સાંજના ૪ા વિધાલયમાંથી પસાર થયેલા વિદ્યાથી એનુ સ્નેહસ મેલન.
રાત્રીના ૮-વકતૃત્વ હરીફાઇ
તા. ૨૮ વિવાર
સવારના ૮-રમત ગમતનું સમેલન બારના ૩-જાહેર રજત મહાત્સવ સ ંમેલન રાત્રીના ૮-સંગીત ગાયન વાદન
તા. ૨૯ સેામવાર
સવારના ૯-ભુપૂજા
સાંજના ૪ા–આનંદમીલન
રાત્રીના સંગીત ગાયન વાદન અથવા તે વ્યાખ્યાંના
તા. ૩૦ મગળવાર
સવારના ૯–રાકસી થીએટરમાં ‘વિદ્યાપતિ’ તે સીનેમા. આ મહેાત્સવ નિમિ-તે ગાવાલીયા ટેંકના મેદાનમાં એક માટે મંડળ ઉભા કરવામાં આવશે. મીજા દિવસના જાહેર મેળાવડાના પ્રમુખસ્થાને સર મણિલાલ બાલાભાઈ નાણાવટી ખીરાજશે. આખા કાર્યક્રમની ચોક્કસ વિગતા વિદ્યાલય તરફથી હવે પછી બહાર પાડવામાં આવશે. અહિં તે માત્ર રૂપરેખા રજુ કરવામાં આવી છે.
હિં’દી. રાજકારણ
લડાઇ આપણા બારણે આવીને ઉભી છે ત્યારે આપણા રાજ્યવહીવટની સત્તા આપણા હાથમાં નથી કે જેથી આવતા સકટના સામને કેમ કરવા તેને આપણે આપણી રીતે વિચાર કરી શકીએ. જે સરકાર આપણી ઉપર રાજ્ય કરે છે તેની કાળજીની સંજ્યનીતિમાં એવે કશા પણ પલટો આવ્યો દેખાતા નથી કે જેથી આપણું ભાવી આપણને જ સ્વાધીન છે એમ હિંદી પ્રજાને પ્રતીતિ થાય અને એ પ્રતીતિના બળે આજની સરકારને સહકાર આપવાની પ્રજા માનસમાં સ્વયંભૂ અને રવાભા વિક પ્રેરણા જાગે. આવી વર્તમાન પરિસ્થિતિ વચ્ચે યુરેિધી સત્યાગ્રહના કારણે જેલવાસી બનેલા સત્યાગ્રહીઓને છુટા કરવામાં આવે તેથી કાઇ પણ જાતના મહત્વના ફેરફારની આશા રાખવી એ વધારા` પડતુ લાગે છે. આમ છતાં પણ સત્યાગ્રહી કેદીઓને મુકત કરવાનું એવું પરિણામ સરકારે કમ્પ્યુ. હાય ખરૂ કે આજે ગાંધીજીની કાર્ય પદ્ધતિ સામે જે મતભેદ પ્રગટ થ રહ્યો છે તે બધા આગેવાનો એકત્ર થતાં વધારે ચેસ સ્વરૂપ ધારણ કરે અને પરિણામે આજની આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ ધ્યાનમાં લઇને રાષ્ટ્રીય મહાસભા યુદ્ધોતરાધી સત્યાગ્રહ અને અસહકારની નીતિનો ત્યાગ કરીને યુદ્ધે પ્રયત્નમાં સહકાર આપવાને ધરાવ કરે. સભવ છે કે કદાચ અખિલ હિંદ મહાસભા સમિતિ ગાંધીજીની દોરવણી મ:ન્ય રખાતે યુદ્ધસહકાર ન સ્વીકારે તે પણ મુખ્ય ગણાતા આગેવાન વચ્ચે સ્પષ્ટ મતભેદોની દીવાલા ઉભી થાય એ પણુ રાજકારણની દૃષ્ટિએ બહુ અગત્યનુ પરિણામ ગણાય. આજે જે જે જાહેર નિવેદને જુદા જુદા અગ્રણીએ તરફથી કરવામાં આવે છે તે ઉપરથી જણાય છે કે ગાંધીજી તા પોતે પોતાના કાર્યક્રમ ઉપર ખૂબ જ મકકમ છે. રાજેન્દ્રબાબુ તથા વલ્લભભાઈ પટેલ ગાંધીજીની સાથે જ છે. પંડિત જવાહિરલાલ નહેરૂ પણ સરકારની આખી રાજ્યનીતિ