SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨-૪૧ પ્રમુખ જૈન સઘના સભ્યાને ઉદ્બોધન (મુંબઈ જૈન યુવકસંધની વાર્ષિક સામાન્ય સભા પ્રસંગે સધના પ્રમુખ શ્રી પરમાનદ કુંવરજી કાપડીઆએ કરેલું પ્રારંભિક વિવેચન ) આ વાર્ષિક સભાના પ્રસંગે તમા સર્વને આવકાર આપતાં મને બહુ આનંદ થાય છે. સધના પ્રમુખ નરીકે છેલ્લા ત્રણ વર્ષથી સધની કાર્યવાહી સાથે નિકટપણે જોડાયલા રહેવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. આ મુદત દરમિયાન સંધનેા ઉત્તરાત્તર વિકાસ થઇ રહ્યો છે અને સધ એક પછી એક આગળ પગલાં ભરી રહ્યો છે. સધના આજ 'સુધીના કાર્યપ્રવર્તનમાં જુદા જુદા સભ્યોએ મને પુરો સાથ આપ્યો છે અને મારા પ્રત્યે તેમણે એકસરખા સદ્ભાવ અને પ્રેમ દાખવ્યા છે. સદ્ભાગ્યે હજી સુધી આપણા સંધમાં કોઈ પણ પ્રકારની પક્ષાપક્ષી ઉભી થઇ નથી અને જ્યારે જ્યારે કાંઇ પ્રશ્ન ઉપસ્થિત થયા છે ત્યારે ત્યારે તે તે પ્રશ્નના ગુણદોષના સ્વતંત્ર રીતે વિચાર કરીને નિર્ણય કરવામાં આવ્યો છે. કાઇ બાબતના એકમતથી તે કદિ કેઇ બાબતને બહુમતીથી નિણૅય કરવામાં આવ્યા છે. પણ દરેક પ્રસ ંગે એકમેકને સમજવાના અને ઉદારતાપૂર્વક બાંધòાડ કરતા રહેવાના પ્રયત્ન દરેક સભ્યે દાખવ્યા છે. આને લીધે સધની પ્રવૃત્તિ આજ સુધી એકસુરીલી રહી છે. જ્યારે અમુક વ્યકિત એક બાબત રજી કર્ર ત્યારે તે બાબત ગમે તેવી હોય, પણ અમુક વ્યકિતએ એ બાબત રજુ કરી એટલે જ અન્ય વ્યકિતએ તેના વિરાધ કરવા જોઇએ-આવી મનોદશા જે સંસ્થાની કાર્યવાહીમાં ઉભી થાય છે તે સંસ્થાનું કાર્ય વિકાસ પામવાને બદલે પક્ષાપક્ષીના ખડક સાથે અથડાઇને ધીમે ધીમે શીણું વિશાણું થવા માંડે છે. આપણા સંધમાં આવી મનેાદશા ઉભી થવા પામી નથી એ આપણું માટું સદ્ભાગ્ય છે. સંધનું કામકાજ ચલાવવામાં આજ સુધી મેં ત્રણ બાબતે ખાસ ધ્યાનમાં રાખી છે. એક તા જે કા પ્રવૃત્તિ હાથ ધરવી તે સાંગાપોંગ પાર પાડવી. ખીજું ચાલુ બહુ મોટા ખર્ચમાં ઉતરવું ન પડે એવી જ પ્રવૃત્તિ સંધે હાથ ધરવી. લીધેલા કામતે પાકું બનાવવા ઉપર જ સંધની પ્રતિષ્ઠા બંધાય છે. ગજા ઉપરાંતની ફાળ ભરવી નહિ અને નાનુ પણ ચોક્કસ પગલું ભરવું આજ સાચી કાર્ય પદ્ધતિ છે. બીજી બાજુએ સમાજમાં વિચારક્રાન્તિ પેદા કરવી અને પ્રગતિબાધક રૂઢિઓને જમીનદોસ્ત કરવા જેટલું સમાજમાં ખળ કેળવવું એ આ સંસ્થાના મુખ્ય હેતુ છે. વિપુલ દ્રવ્યની અપેક્ષા રાખતી પ્રવૃત્તિ શ્રીમાનેાના સહકાર સિવાય ચાલતી જ નથી અને એ સહકાર લેવા જઈએ તે તેની કીમત આપવી પડે છે અને તેટલા પુરતી સ ંધના સ્વત્વને હાનિ પહોંચ્યા વિના રહેતી નથી. સંધની કાર્યવાહી ઉપર સ્થાપિત હક્કો ધરાવતા કાઇ પણ વર્ગના પ્રભુની છાયા ન પડે અને સધની કાર્યવાહી આ સમાજને નિડરપણે સાચું માર્ગદર્શન આપતી રહે એ બાબત આપણા લક્ષ્ય ઉપરથી કદિ પણ ખસવી ન જોઇએ. ' આ કારણથી જ સમાજના શ્રીમાન પાસે હાલતાં ચાલતાં. દ્રવ્યની મદદ માંગવા જવુ પડે એવી કાઇ પણ પ્રવૃત્તિથી સંધને દૂર રહેવા હું હંમેશા સૂચવતા આવ્યા છુ. ત્રીજી બાબત સંઘે ઉપાડવા જોઇતાં સેવાકાર્યોની છે. સથે જો સમાજમાં સાચી પ્રતિષ્ટા મેળવવી હાય અને ક્રાન્તિકારી વિચાર। સમાજ પાસે સ્વીકારાવવા હોય તો તે કાર્ય સમાજને જુદી જુદી રીતે ચાલુ સેવા આપવા વડે જ. શકય બને છે. ૧૫૩ રચનાત્મક કાર્યક્રમના પણ આજ અર્થ છે, મોંર્ડન અને ખંડન સાથે જ ચાલે છે. જે કાઇ વ્યક્તિ કે સંસ્થા સેવા વડે સમાજને વિશ્વાસ સાધે છે તે જ વ્યક્તિ કે સંસ્થા સમાજને વિપ્લવ અને ક્રાન્તિના માર્ગે દેરી શકે છે. આ દૃષ્ટિબિન્દુથી જ જેમ જેમ સધની તાકાત વધતી જાય છે તેમ તેમ સધ એક પછી એક સેવાનુ કાર્ય હાથ ધરતા જાય છે. આજ સુધીમાં હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓના સધના વાર્ષિક વૃત્તાન્ત ઉપરથી ખ્યાલ આવી શકે તેમ છે. આ પ્રવૃત્તિએનું સ્વરૂપ અને તેટલુ સાધ્વજનિક રાખવામાં આવ્યું છે. નાતજાતના કે સ્પ્રદાયના ભેથી સધને અને તેટલા પર રાખવાના સંધની કાર્યવાહીના પ્રયત્ન રહે છે. આદેશની અવનતિનું મૂળ કામીવાદના સતત સંવર્ધનમાં રહેલુ છે. આને લીધે આપણા લેાકેાની દૃષ્ટિ રાષ્ટ્ર ઉપર કેન્દ્રિત થવાને બદલે મારા ધર્મ અને મારી નાતજાત’ઉપર જ કેન્દ્રિત થયેલી જોવામાં આવે છે. ધાર્મિક માન્યતાએ અલગ અલગ હાઇ શકે છે, પણ ચોક્કસ માન્યતા સ્વીકારનારા વર્ગમાં જ જ્યારે આપણી આખી દુનિયા સમાઈ જાય છે ત્યારે અનેક અનર્થી જન્મે છે. કામ કામની હરીફાઈ, પેાતાની કામ માટે પક્ષપાત, અન્ય કામ વિષે વિપક્ષ બુદ્ધિ, સર્વ જનસમુહના હિતાહિત સબંધે ઉદાસીનતા, અમુકને જ પોતાનાં ગણવા અને અન્ય સંતે પારકાં લેખવા-આવી અનેક વિકૃતિ જન્મ પામે છે. પેાતાની કામને જ કેન્દ્રમાં રાખીને વિચારનારા આગેવાનેામાં આવી જ મનેાશા જોવામાં આવે છે, આજે હિંદુ મુસલમાનનું જે ભયાનક સંધર્ષણ ચાલી રહ્યુ છે તે ઉપર વર્ણવેલી મનેાદશાનુ જ વિરાટ પરિણામ છે. આમાંથી ઝેર વેર અને પારાવાર અનર્થી જન્મે છે અને પરિણામે આપણે દેશ પારકી સત્તાની ધુંસરીથી છુટા થઇ શકતા જ નથી. આ કામી ભેદભાવ ટાળવા માટે એ રીતે કામ લેવુ' જરૂરી છે. એક બહારથી, ખીન્તુ અંદરથી. રાષ્ટ્રીય મહાસભા જેવી કાઇ પણ જાતના કામી ભેદભાવ વિનાની સમસ્ત ભારત જનતાના હિતને ચિન્તવનારી લોકસ સ્થાએ બહારથી ધણુ કાર્ય કરી રહી છે. એમ છતાં પણ કામી માનસ જ્યાં ઘર કરી બેઠું છે એવા કેટલાય સામાજિક દળને આવી સંસ્થાએ પહોંચી શકતી નથી. આવાં સામાજિક છે અને વર્ગોમાં કાર્ય કરવા માટે તે તે તે ળ અને વર્ગોમાં રહેલા રાષ્ટ્રપ્રેમી યુવકોએ ઉભા થવું જ જોઇએ અને અંદરથી સુરગ ફાડવાનુ અને સાંપ્રદાયિક `પ્રભુત્વનો નાશ કરવાનું કામ હાથ ધરવું જોઇએ, જે જે વિચારકા અને કાર્યકર્તાઓએ પોતપેાતાના સમાજ સાથેના સબંધ છેડયા નથી એમ છતાં પણ જેમની દૃષ્ટિ પોતપોતાના સમાજથી વધારે વિશાળ વર્તુલને પહેાંચી શકી છે, તે સર્વે વિચારકાની અને કાર્યકર્તાઓની પેાતાના સમાજને કુપમંડુકની મને દશામાંથી ઉધ્ધાર કરવાની ખાસ ક્રુજ છે અને આજે તે એ અનિવાર્ય ધર્મ બને છે. આપણા મુંબઇ જૈન યુવક સંધ આવા એક પ્રયાસ છે અને જુદા જુદા સમાજના યુવકને આવા પ્રયાસ હાથ ધરવા નિમ ંત્રે છે. મુંબઇ જૈન યુવક સંઘ કામી છે છતાં કેઃખી નથી; કારણ કે તેને ઉદ્દેશ જૈન સમાજના ભાઇ મ્હેતાને પોતપોતાના જીવનને લગતા દરેક પ્રશ્નોના વિચાર માત્ર જૈન સમાજની દૃષ્ટિએ નહિ, પણ સમસ્ત દેશની દૃષ્ટિએ કરતા શિખવાના છે અને જે સામાજિક પરિવર્તન સ્વરાજ્ય સાધનાની દૃષ્ટિએ આવશ્યક છે તે પરિવર્તન જૈન સમા જમાં નીપજાવવું એ તેનુ ધ્યેય છે. આ રીતે મુંબઈ જૈન યુવક પહેલો પ (અનુસંધાન પૃષ્ટ ૧૫૬ જુઓ)
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy