SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પ્રબુદ્ધ જૈન મુંબઇ જૈન યુવક સંઘને પરિચય સઘના ઉદ્દેશ આ સંસ્થાના ઉદ્દેશ નીચે મુજબ નક્કી કરવામાં આવે છે. (ક) સભાજપ્રગતિને રૂંધતા અનેક ધાર્મિક તેમજ સામાજિક વહેમાનો તથા કુરૂઢિઓને જૈન સમાજમાંથી ઉચ્છેદ કરવા અને ધર્મ અને સમાજના નામે ચાલતાં પાખંડે ખુલ્લાં પાડવાં. (ખ) આજના પ્રગતિશીલ વિચારે અને ભાવનાની દૃષ્ટિએ આપણી કાળજીની સમાજવ્યવસ્થા જે મૌલિક પરિવર્તન માંગી રહેલ છે તેને લગતી સમજણ અને સાહિત્યના જૈન સમાજમાં ફેલાવો કરવા. (ગ) સમાજઉન્નત તેમજ જનસેવાની પ્રવૃત્તિએ હાથ ધરવી. (૨) આપણા દેશ સ્વાધીન, સ્વાવલખી અને સમર્થ બને એ ધ્યેયપૂર્વક દેશભરમાં ચાલી રહેલી રાજકીય તેમજ સામાજિક પ્રવૃતિઓને બને તેટલા ટેકા આપવા. નીચે આપેલી ભાખતા સંઘના દરેક સભ્યને સ્વીકાર્ય હૈાવી જ જોઇએ શ્રી મુંબઇ ન યુવકસધના ઉદ્દેશે! અતિ વ્યાપક પ્રદેશને સ્પર્શતા હાઇને ધર્મસંપ્રદાય અને સમાજને લગતા ભિન્ન ભિન્ન પ્રશ્નો સંબધી આ યુવકસંધની નીતિ તેમજ કાર્યપદ્ધતિ નીચે મુજબ નક્કી કરવામાં આવે છે. (ક) આ યુવકસધમાં ત્રણે વિભાગના જૈન યુવકને જોડાવાને અને કાર્ય કરવાને સમાન અને સપૂર્ણ અવકાશ આપવામાં આવે છે અને ત્રણે વિભાગના વ્યક્તિગત તેમજ સર્વસામાન્ય પ્રશ્નોને ઉપર જણાવેલ ધ્યેય અને નિર્દિષ્ટ કાર્યપ્રદેશ અનુસાર હાથ ધરવાનેા આ યુવકસઘ્ધ મનેરથ સેવે છે. આ કાર્ય માટે જૈન સમાજના ત્રણ વિભાગે વચ્ચે રહેલા મુખ્ય માન્યતાભે સંબંધમાં આ યુવકસધ નીચે મુજબના અભિપ્રાયાને અનુસરીને પોતાની સ પ્રવૃત્તિઓ ચલાવશે. ૧. પ્રથમ તે આ યુવક સધમાં જોડાનાર પોતે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન છે, દિગબર મુર્તિપૂજક જૈન છે કે સ્થાનકવાસી જૈન છે. એવી વિશિષ્ટ રીતે પેાતાની જાતને એળખાવવામાં કશું પણ મહત્ત્વ સમજશે નહિ. પેતે જૈન છે એટલે ભગવાન મહાવીર-પ્રરૂપિત જૈન ધર્મ અને સંસ્કૃતિને વારસ છે એટલી જ એળખાણુ આ યુવકસ ધમાં જોડાનાર સભ્ય પોતાને માટે પુરતી ગણશે. ૨. મૂર્તિપૂજા સંબંધમાં ત્રણ વિભાગની માન્યતામાં મેટા મતભેદ કેટલાય કાળથી ચાલતા આવે છે. આ યુવક સંધમાં પણ કેટલાક સભ્યો મૂર્તિપૂજાને ધર્મોપાસનાના એક અગત્યભર્યાં સાધન તરીકે સ્વીકારે છે, જ્યારે કેટલાક પછી તેણે કાશલરાજને રાજા તરીકે સોધીને કહ્યુ, ‘હું કોશલરાજ ! તમારૂ રાજ્ય હું તમને પાછુ આપુ છું અને સાથે મારૂ હૃદય પણ, હવે આ ગાદીએ બેસી તમારા જ રાજ્યભંડારમાંથી આ વિણકને જોઇએ તેટલું ધન આપે.' એમ કહી એ ચીંથરેહાલ વનવાસીને રાજાએ રાજ્યાસને મેસાર્યાં, અને તેના ઝાંખરા જેવા વાળ ઉપર રાજમુગટ પહેરાવી દીધા. નગરજને એકી અવાજે પોકારી ઊઠ્યા : ' ધન્ય ' ! · ધન્ય ’! ‘શિક્ષણ અને સાહિત્ય’માંથી ગેાપાળદાસ જીવાભાઇ પટેલ સાભાર ઉત તા. ૧૫-૧૨-૪૧ સભ્યા તેવી અગત્ય સ્વીકારતા નથી; એમ છતાં પણ આજના જૈન સમુદાયના મોટા ભાગનુ ધાર્મિક જીવન મૂર્તિ પૂજા સાથે ગાઢપણે સંકળાયેલુ છે અને રહેવાનુ છે એ પરિસ્થિતિ આ યુવકસત્ર સ્વીકારે છે અને સાથે સાથે આજે ચાલી રહેલી મૂર્તિ પૂજાની પદ્ધતિમાં જે અનેક વહેમ, દ્રવ્યને અપવ્યય અને અતિશયતા દાખલ થયેલાં છે તે પહેલી તકે દૂર કરવાની જરૂર વિષે પણ આ યુવક સંધના સર્વે સભ્યો એકમત ધરાવે છે અને તે સંબંધમાં નીચેના ધેારણે સુધારા કરવાની પ્રવૃત્તિ હાથ ધરવા માંગે છે. (૧) આજે ચાલી રહેલી મૂર્તિપૂજા પાછળના વહેમા અને ખાટી માન્યતા દૂર થવી જોઇએ. (૧) મૂર્તિ તે શણગારવાની અને આંગીઆભૂષણ ચઢાવવાની પ્રથા જૈન મૂર્તિપૂજાની કલ્પના અને આદર્શ સાથે અંધ બેસતી નહિ હાવાથી તે પ્રથાને સર્વત્ર નિષેધ થા જોઇએ. (૩) બીનજરૂરી નવાં મંદિર બંધાવવા પાછળ તેમજ ચાલુ મદિરાના બીનજરૂરી શાભાશણગાર પાછળ થતા દ્રવ્યના પુષ્કળ વ્યય બંધ થવા જોઇએ. (૪) મદિરાને સાદી રીતે નિભાવતાં બચતી આવકને તેમજ એકત્ર થયેલી મુડીના જનકલ્યાણનાં કાર્યોમાં ચાલુ ઉપયેગ થવો જોઇએ. (૫) શ્વેતાંબર કે દિગંબર મૂર્તિ એક જ ષ્ટદેવને મૂ સ્વરૂપ આપવાના પ્રયત્ન હેને તે બન્ને વચ્ચે આજ સુધી કેળવવામાં આવેલી ભેદની દિવાલ અર્થ વિનાની અને ખીનજરૂરી છે. એ પ્રકારની સમયુદ્ધિ સર્વત્ર કેળવાવી જોઇએ. ૩. ખીજો માન્યતાભેદ સાધુએ સબંધમાં પ્રવર્તે છે. તે વિષે આ યુવકસ ધ જાહેર કરે છે કે ભિન્ન ભિન્ન સ ંપ્રદાયના વેશભેદને આ યુવકસધ જરા પણ મહત્ત્વ આપતા નથી. જે સાધુએ પંચમહાવ્રતને જીવનમાં ઉતારવાના ઍકનિષ્ટ પ્રયત્ન સેવતા હાય તથા પવિત્ર અને સમાજને ઉપયોગી જીવન જીવતા હોય તેવા કાઇ પણ જૈન વિભાગની અંદરના કે બહારના સાધુને આ યુવકસધ આદરયાગ્ય ગણુશે. ૪. કેટલાક તીર્થંના ઝગડા આજે શ્વેતાંબર મૂર્તિપૂજક અને દિગંબર મૂર્તિપૂજક જૈતા વચ્ચે વૈમનસ્ય નિપજાવી રહેલ છે, જૈન સમાજના પેટાભે નષ્ટ કરીને સાચી એકતા અને સમાનતાનું માનસ ઉત્પન્ન કરવું એ વિચારભૂમિકા ઉપર આ યુવકસધની રચના થયેલી હાવાથી આવા ઝગડાઓ પરત્વે સભાળપૂર્વક તટસ્થતા જાળવી રાખવી અને એ ઝગડાઓ ચાલુ રહેવાથી આખા સમાજને કેટલું ભારે નુકસાન થઇ રહ્યું છે. તેને લેખા તેમજ ભાષાઢારા જૈન જનતાને સચોટ ખ્યાલ આપવ અને જ્યાં અને જ્યારે શકય હેય ત્યાં અને ત્યારે ચાલુ ઝગડાઓની સ્થાયી પતાવટ કરાવવાની દિશાએ પાતાની લાગવગ અને શક્તિને ઉપયોગ કરવા આ પ્રકારનુ ધારણ. આ યુવકસઘ સ્વીકારે છે. (ખ) જ્યારે કાઇ પણ ધાર્મિક અથવા સામાજિક રૂઢિ કે પ્રણાલિકા દેશ અથવા સમાજના સ્વાસ્થ્ય કે ઉત્કર્ષની બાધક જણાશે ત્યારે તે રૂઢિ કે પ્રણાલિકાના સામના કરવાનું આ યુવકસધ ચુકશે નહિ. આવી અનિષ્ટ રૂઢિ કે પ્રણાલિકાના સમર્થનમાં રજુ થતા શાસ્ત્રના ઉલ્લેખાને જરા પણ બધનકર્તા ગણવામાં ( અનુસ ધાન પૃષ્ટ ૧૧ જુઓ )
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy