________________
તા. ૧-૧૨-૪૧
પ્રબુધ્ધ જૈન
વ્યાપારમાં અહિંસા.
( ‘તરૂણ જૈન'ના એગસ્ટ માસમાં પ્રગટ થયેલ શ્રી ભવમલજી સીધીના લેખને અનુવાદ)
કોઇને પ્રશ્ન થશે કે વેપાર અને હિંસાને શો સંબંધ? પણ પ્રાણીવધ કે દેખીતા દેહવિનાશમાં જ જે હિંસા માનતુ હશે તે જ આવે! પ્રશ્ન કરશે. તે તે પ્રત્યક્ષ હિંસા ઉપર અવલખેલા માછલી, માંસ કે ઇંડાના વેપાર સિવાય, ખીજા કોઇ વેપારમાંસ જોઇ શકશે નહિં. ખીજી બાજુથી જો કોઇ જરા શાસ્ત્રમાં ઉંડુ ઉતરેલ હશે તે તે એમ કહેશે કે કાઇ પણ પ્રકારના વેપાર કે પરિગ્રહના મૂળમાં હિંસા તે રહેલી જ છે. પણ તે જીવનનિર્વાહ માટે આવશ્યક છે અને તેથી અપવાદ રૂપે સ્વીકાર્યું છે અને ધર્મગુરૂઓએ પણ શાસ્ત્રામાં રહેલા ખીજા વધારે ઉચ્ચ, પવિત્ર, અને વિશાળ સિધ્ધાંતા તરફ ઉપેક્ષા દાખવીને, આ પપવાદને એટલી હદ સુધી સ્વીકારી લીધો છે કે હવે તે અપવાદ અપવાદ રૂપે રહ્યો જ નથી. એમણે એમ ભલે કહ્યું કે દ્રવ્યને સાચા ઉપયેગ ધર્મ કે સમાજના હિત માટે વાપરવામાં કે દાન કરવામાં છે, પરન્તુ ભાર મૂકીને ઠોકી વગાડીને એ ન સમજાવ્યું કે, જીવનનિર્વાહ માટે અત્યંત આવશ્યક હાય તેનાથી વધારે ઉપાર્જન કરવું કે સંગ્રહ કરવા તેમાં જ પાપ છે, હિંસા છે અને પછી તેને સમાજહિતમાં ઉપયોગ કરવા તે તે એક વાર કાદવથી કપડાં હાથે કરીને બગાડવા અને પછી તેને ધાવા બેસવું, તેના જેવુ છે.
આ જાતની હિંસા જ માનવ જાતિને આપસ આપસમાં ધાત કરાવનારી છે. ધર્મગુરૂઓએ જે દાનનો મહિમા વર્ણવ્યા તેને લીધે લાખે કે અબન્ને રૂપીઆ સમાજહિતના કાર્યોંમાં વપરાયા, પણ આ વાપરનારાઓએ ઉંડુ વિચાર્યું નહિં કે ધર્મગુરૂઓએ ભારપૂર્વક સમજાવ્યું નહિ કે જે દ્રવ્યદાનથી તેએ પુણ્ય હાંસલ કરવા માગે છે તે દ્રવ્ય કેવા હિંસામય માર્ગે ઉપાર્જન થયું છે. એમની વ્યાપાર પ્રણાલીથી સમાજમાં કઇ જાતનુ શાષણ થઈ રહ્યું છે, કેવી આર્થિક અસમાનતા ઉત્પન્ન થઇ છે અને તેને લીધે, અપ્રત્યક્ષ રીતે સમાજમાં જે હિંસા થઈ રહી છે, તેના પ્રમાણમાં તેણે કરેલાં દાનની કિંમત કશા જ હિસાબમાં નથી.
જન સમુદાયને મોટા ભાગ એમ માની જ ખેડા હાય છે કે વેપારમાં તે પ્રમાણિકતા અને સત્ય પૂરેપૂરા જળવાય જ નહિં અને જો કાઇ સંપૂર્ણ પ્રમાણિકતાથી પોતાના ધંધા કરવા જાય તે તે સફળ થઇ શકતા નથી, એટલું જ નહિ પણ સમાજમાં એ અવ્યવહારૂ ગણાય છે. અત્યારના વેપારીઓની વેપાર કરવાની રીતેા તરફ જોતાં અને ગમે તે રીતે સફળ થયા હોય, છતાંએ સમાજમાં તેની જે પ્રતિષ્ઠા હાય છે તે તરફ જોતાં આ વસ્તુ તરત દેખાઇ આવે છે. આ પ્રમાણે આ વેપારીએ અપ્રત્યક્ષ રીતે જે હિંસા કરે છે તેટલી હિંસા કદાચ બીજો કોઇ વર્ગ નહિ કરતે! હાય.
૧૪૯
પુરવા માટે, ઇચ્છાએ કે અનિચ્છાએ સેકડો લોકેા ગુલામ થઈને રહ્યા. જેમ જેમ આ એકહથ્થુ સત્તા વિકાસ પામતી ગઇ, તેમ તેમ હિંસાની શકિત પણુ વધતી ગઇ, અને આજે તે એવે તબકકે પ્હોંચી છે કે ત્યાગીએ અને ધર્મગુરૂઓ પણ તેની શેહમાં આવી જઇને આવા પ્રકારની હિંસા અને અસત્યની બાબતમાં મૌનને જ અવલખે છે, એટલું જ નહિ. પણ આ શેષક વેપારીઓ પાસે ધાર્મિક કહેવાતી ઘેાડીક ક્રિયા કરાવીને કે, પાતાના ઉપદેશદ્વારા થોડુંક દ્રવ્ય ધર્મકાર્યોં માં વપરાવીને સતેાષ માને છે અને તેને પાતા તરફ આદરભાવ જોઇને ઉલટુ અભિમાન લે છે.
વેપારમાં કેટલીક હિંસા તે એટલી મ્હોટી અને પ્રત્યક્ષ છે કે જેને સમજવી જરા પણ મુશ્કેલ નથી. ખુદ વેપારીઓમાં પોતામાં પણ આ વસ્તુ માટે એક ખીજા તરફ અણુગમા અને તિરસ્કાર દર્શાવાય છે, છતાંએ જ્યારે પાતા ઉપર જ પ્રસંગ આવે ત્યારે તે પણ લાલચમાં સાઇને તે જ પ્રમાણે વર્તે છે.
વ્યકિતઓના જીવનની પરવા કર્યાં વગર ચોકખી વસ્તુમાં નુકશાનકારક વસ્તુની ભેળસેળ કરીને ઉંચે ભાવે વેચવી, કોઇએ અનામત મૂકેલી વસ્તુને બદલી નાખવી, ગરીબમાં ગરીબ માણસ પાસેથી પણ દસ કે ખારગણું વ્યાજ લેવું, નમુનામાં એક વસ્તુ દેખાડવી અને આપવી ખીજી, પૂરી કિંમત લઇને ઓછા માલ આપવેશ, આ બધી એવી વસ્તુઓ છે કે જેમાં હિંસાને શોધવી પડે તેમ નથી. આને પણ જો વેપારમાં અનિવાયું મનાય, અગર તો તેમાં ચતુરા ગણાય તે તે આપણે ન્યાય અને નીતિનું ાિળુજ કાઢયું છે એમ કહેવું પડે.
જે સાચા અહિંસા ધર્મ સમજતુ હોય તે તે પેાતાની એછામાં ઓછી જરૂરીઆતાને પ્હોંચી વળવાથી જેટલું વધારે પેદા કરે તેમાં હિંસા જ માને. આ દૃષ્ટિએ આખું વ્યાપાર તંત્ર જ બદલવાની જરૂર છે. આજના એકહથ્થુ ઉદ્યોગોથી જે રોાષણ ચાલી રહ્યું છે અને તેને લીધે દરેકના ક્લિમાં જે રાષના અગ્નિ ધુંધવાયા કરે છે, તેને શાંત પાડવાની અને શાષિતાને ન્યાય આપવાની જરૂરીયાત આજની સુધરેલી દેખાતી દુની પાસે ઉંડી વિચારણા માગે છે.
હિંસક યુધ્ધમાં ભાગ લેનાર એક સીપાઇ દશ, વીશ, કે પચાસ જીવનુ ખુન કરતા હશે, તેના કુટુંબીઓને પણ પાયભાલ કરતા હશે. પણ આજના આ યંત્રયુગમાં તે એકજ વેપારી દર કલાકે અને દર પળે હજારા જીવાનુ એવુ શોષણ કરી રહ્યો છે કે જેની તેને પોતાને પણ કલ્પનાએ હાતી નથી. જગના દરેક સુધરેલા દેશોમાં સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થાને નામે આજે જોહુકમી જ વધતી ગઇ છે. ચાના આવવાની સાથે વેપારમાં એકહથ્થુ સત્તા આવતી ગઇ, અને તેને લીધે જે થાડા શ્રીમત થઇને બેઠા, તેના હાથમાં પેટના ખાડા
આપણે રાજકીય ક્ષેત્રમાં અહિંસાની વાતા કરીએ છીએ. અહિં સાદારા સ્વાતંત્ર્યયુદ્ધ જીતવાને અને આપણા ઉપર થતા દમનને સામનેા કરવાને તૈયાર થયા છીએ, પણ આપણી અંદર આપસ આપસમાં જે દમનના-હિંસાને અગ્નિ સળગી રહ્યો છે તેને એલવવાના પ્રયત્ન નહિ કરીએ ?
આજે આપણા મુખ્ય ધમ તે આ જ છે કે વેપારદ્વારા થતી આ પ્રકારની હિંસાને સત્વર દૂર કરીએ.
જરૂરીઆત કરતાં વધારે પેદા કરવું, સંગ્રહ કરવા અને તેના દ્વારા માન અને પ્રતિષ્ઠા મેળવવાની ભાવના રાખવી, તે જ આપણને હિંસાના માર્ગે ઘસડી જાય છે. બીજા કરતાં હું મ્હોટા કહેવાઉં, વધારે શ્રીમત કહેવાઉ, એ જાતની હરીફાઇ જ અધર્મ ફેલાવી રહી છે. આ લાલચમાં ફસાઇને માણસ અનેક પ્રકારના ઉજળા દેખાતા છળપ્રપંચ કરે છે અને હિંસાને પોષે છે. અત્યારે જે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે, અને જેમાં હિંસા તેના નગ્ન સ્વરૂપમાં દેખાઇ આવી છે, તે ઉપર જણાવેલી વ્યાપારી હિંસાનું જ પરિણામ છે. યુદ્ધ કરતા દેશોના મ્હોટા મ્હોટા વેપારીએ જ આ યુધ્ધની જ્વાળામાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ધી હામી રહ્યા છે. યુદ્ધમાં માનવ સંહાર રૂપ હિંસા તે થાય છે, પણ યુદ્ધને અગે થએલી વસ્તુની અછતના લાભ લઇને, જીવનની જરૂરીઆતની વસ્તુએના પણ ખુબ ઉંચા ભાવે લઇ જને