________________
૧૪૮-૫
યુવક સંધના ખાસ અભિનન્દન છે. તે અમારા છે અને અમારામાંના એક ભાઇ આવ ું મેટું દાન કરવાની સ્થિતિએ પહોંચે એ અમારા માટે અસાધારણ આનંદ અને અભિમાનના વિષય બને છે, તેમના ઉત્કર્ષ સંધને જ ઉત્કર્ષ છે. તેમના હાથે આવાં ઉત્તરાત્તર અનેક કાર્યો અને અને વિશાળ જનતાની સેવા તેમના હૈડે સદા વસેલી રહે એવી અમારી પ્રાર્થના છે. ભાઈ કાન્તિલાલ તથા જયસુખલાલને અભિનન્દન !
આજે તે ચોતરફ લગ્ન, લગ્ન અને લગ્નનાં જ વાજા વાગી રહ્યાં છે. સવારે આફીસે જઇએ કે સાંજે ઘેર આવીએ કે લગ્નની એ ત્રણ ક કાત્રીએ કે નિમંત્રણો આવીને પડેલાં જ હાય. અનેક યુવક યુવતીએ, કુમાર કુમારિકા છોકરા છોકરીએ લગ્નગ્રંથીથી જોડાય છે અને જીવનની લાંબી મજલમાં એકાકી જીવનની સીમા વટાવીને ગૃહસ્થ જીવનમાં પગલાં માંડે છે. સુખ દુ:ખથી ભરેલા આ સંસારમાં જન્મ મરણ જેવા જ લગ્ન એક સાધારણ ચાલુ બનાવ છે. આમાં કંઇને અભિનન્દને શુ આપવુ અને આન ંદ પણ ખાસ શું દર્શાવવા ?
એમ છતાં પણ જંગમાં કાઇ કલ્યાણકારી વ્યક્તિના જન્મ થાય છે ત્યારે દેવે પણ આનંદ પામે છે અને કુદરત એક આનંદની લહરિથી પુલકિત અને છે એમ ધર્મશાસ્ત્રો કહે છે. આવી જ રીતે કાઇ એક આદર્શ પરાયણ યુવક સમાનર્ભિણી યુવતીનું પ્રાણિગ્રહણ કરે છે ત્યારે જનતા આનદ પુલક્તિ બને છે અને એ લગ્ન જનકલ્યાણમાં કાંઇ તે કાં વધારે કરશે એવી આશા અનુભવે છે
આવું એક લગ્ન શ્રી. કાન્તિલાલ નથ્થુભાઇ પારેખનું બહેન ચંદન સાથે થે।ડા દિવસ પહેલાં ઉજવાયું. શ્રી. કાન્તિલા૧ પારેખ એટલે જુના અને જાણીતા એક સત્યાગ્રહી પ્રખર સનિક. વર્ષો પહેલાં સુરતમાં થયેલ હિંદુ મુસલમાનના હુલ્લડ પ્રસ ંગે શરીરના એક પણ ભાગ ધા વિનાના ન હેાય એવા તે ધાયલ થયેલા, સત્યાગ્રહની લડતના કારણે તેમણે ૧૯૩૦-૩૨ ની લડત દરમિયાન કુલ સાડાત્રણ વર્ષ જેલમાં પસાર કરેલાં. રવિશંકર મહારાજે તેમની લગ્નક્રિયા કરી હતી. ગાંધીજી, સરદાર વલ્લભભાઇ, મહાદેવભાઇ, કિશોરલાલ મશરૂવાળા તેમ જ કાકાસાહેબ કાલેલકરે તેમની ઉપર લાગણીભરી શુભેચ્છાના સ ંદેશા મોકલ્યા હતા.
એવાં ખીજા લગ્ન ભાઇશ્રી જયસુખલાલનાં શ્રી. પુષ્પાબહેન સાથે ઝીણુાહાલમાં થયાં. ભાઇ જયસુખલાલની જ્ઞાતિએ વાણીયા, ધર્મે જૈન અને વ્યવસાયે ચમાર છે. કારણ કે કાયિાવાડમાં આવેલા તરવડા ચર્માલયના તે એક કાર્યકર્તા છે. બહેન પુષ્પા અહિંની બી. પી. સી. સી. ની એક, દેશસેવિકા ઇં. લગ્ન આશ્રમવિધિ પ્રમાણે થયાં. શ્રી ગોપાળરાવ કુલકર્ણીએ પુરેશહિતનું કાર્ય કર્યું . લગ્નવિધિને શોભે એવા સાદે છતાં શોભતા લગ્ન સમારંભ હતા.
આવા ચાક્કસ આદને વરેલા વરકન્યાનાં લગ્ન સૌ કાઇના અભિનન્દનને યોગ્ય છે. તેએ સુખી થાય અને તેમના હાથે જનસેવાનાં અનેક કાર્યો નીપજે એમ આપણે છીએ. લગ્નક કાત્રી
એક વખત લગ્નની ક"કાત્રી ચોક્કસ રીતે લખાતી અને ચોક્કસ રીતે છપાતી. આગળની લગ્ન કંકોત્રીમાં કાઈ પણ પ્રકારની વિવિધતા જોવામાં આવતી નહેતી. આજે સમાજ જેમ બીજી અનેક બાબતમાં તેમ જ આ બાબતમાં પણ જુને ચીલે છાડીને નવા નવા ચીલા પાડી રહેલ છે અને આપણી સામે ભાતભાતની !કાત્રીએ આવીને ઉભી રહે છે. કાઈ કાઇક કો
પ્રબુદ્ધ ન
i. ૧-૧૨-૪૧
ત્રીની રચના ભારે સુન્દર અને મૌલિક હાય છે તેા કાઈ કાછ બીજી ક કાત્રીઓની કેવળ નકલ જ હોય છે. આમ કાત્રીના બાહ્યાકામાં ખૂબ ખૂબ વિવિધતા કેળવા રહી છે અને તે ખરેખર આવકારદાયક છે. પણ કાત્રીની શબ્દરચના બધે લગભગ સરખી જોવામાં આવે છે. ‘અમુકની પુત્રી સાથે અમુકના પુત્રનાં લગ્ન અમુક દિવસે નિરધાર્યા છે તે આપ મિત્રમ`ડળ સહિત વરકન્યાને આશીર્વાદ આપવા પધારશે.' આ એને ચાલુ શબ્દાકાર હોય છે. આ ચાલુ રવૈયાને ભંગ કરતી એક સ્નેહીની એવી કંકોત્રી મળી કે જેનુ બાહ્ય સુશોભન અવશ્વ સુન્દર હતુ જ એટલું જ નહિ પણ જેનુ લખાણ પણ બીજી ક કાત્રીથી એટલુ જુદુ પડતુ હતું કે આપણું તે તરફ ધ્યાન ખેંચાયા વિના ન જ રહું, તે લખાણુ નીચે મુજબ હતું : --~
જીવન પંથ વિકટ છે . એની વિકટતા પરસ્પરના સહકારથી ઘટે છે, સહધર્મચારિણીના સહકાર એમાં મુખ્ય છે. યોગ્ય સહચરીના સુયોગે જીવનપથ વિકટ લાગે જ ના. એ ધારણાએ મારા પુત્ર................ .......... ની પુત્રી.. સાથે શુભ દિવસે લગ્નગ્રંથીથી જોડાય છે.. આપના આશીર્વાદ વિકટથ કાપવામાં એમને પ્રેરણાદાયક અને સહાયક થશે. તે એ મંગળ પ્રસ ંગે આપ આશીર્વાદ આપવા પધારી ઉપકૃત કરશેજી, જે કાઇ કાણે આપ જાતે પધારી ન શકા તો પત્રદ્રારા આપના આશીર્વાદ પાઠવવા કૃપા કરશેા”, રીવાજો શરૂ થાય, જુના સળગ્ય એ જીવતી સÚલખાણ રોચક લાગે છે. પાન દ
જુની રૂઢિએ જાય, નવા રીત આકારો વિલય પામે, નવા આકારે તિનુ દ્યોતક છે. એ દૃષ્ટિએ ઉપરનુ
દીવાળીની ખેણી
પ્રબુદ્ધ જનના તા. ૧૫-૧૦-૪૧ ના એકમાં દીવાળી અને બેસતા વર્ષના શુભ અવસરે શ્રી મુંબઈ જૈન યુવકસધને યાદ કરવા જે વિનતિ કરવામાં આવી હતી તેને સન્માનીને દીત્રાળીની શ્રેણી નિમિત્તે અમને લગભગ પાંચશે। રૂપીઆનાં વચને મળ્યાં હતાં એમ · અમે તા. ૧૫-૧૧-૪૧ ના અંકમાં જણાયું હતું; પણ અમને જણાવતાં આનંદ થાય છે કે એ આંકડા વધીને લગભગ આઠસો રૂપીઆ સુધીના થવા જાય છે. તા. ૧પ-૧૧-૪૧ ના અંકમાં જે ભાઇઓના રૂપી આવી ગયા હતા તેની યાદી આપી છે. શ્રીજી વધુ રકમ આવી છે તે નીચે મુજબ છે. સધને આ રીતે મહ્દ કરવા બદલ તે સર્વે ભાન ઉપકાર માનવામાં આવે છે.
૩૮૩) તા ૧પ-૧૧ ૪૧– અંકમાં જણાવવા મુજબ, ૧૦] ભાઈ મણિલાલ જેઠાલાલ ગામ ગોધાવીવાળા, તેમના પીતાશ્રીના સ્મરણાર્થે વાંચનાલય પુસ્તકાલયને કબાટ માટે. ૨૫] શ્રી માણેકલાલ અમુલખરાય મહેતા, ૨૫] મેસર્સ કનૈયાલાલની કાં, ૨૫] અમરતલાલ કાલીદાશ દેશી, ૧૫] શ્રી મનસુ ખલા ચસમાવાળા. ૧૧] શ્રી શાંતીલાલ જાદવજી. ૧૧] શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ અભરચંદ. ૧] ડે. ચીમનલાલ શ્રોફ. ૧૧] શ્રી મણિલાલ કેશવજી. ૧૧] શ્રી ચીમનલાલ પી. શાહ. ૧૧] મે. સી. પી. શાહની કુાં. ૧૧] શ્રી હરીભાઇ શંભુલાલ શાહ, ૧૧] જેઠાલાલ સધજી. ૧૧] ચતુરભુજભાઇ (જે. પી. જમનાદાસવાળા). ૧૦] શ્રી કાંતીલાલ ઝવેરચંદ ગાધી. પુજી મનસુખલાલ જેમલ શેઠ. પુજી માહનલાલ આર. પારેખ. પુ અમરતલાલ રાયચંદ. મંત્રીઓ, શ્રી મુખઈ જૈન યુવકસઘ,
૭-૧૧