________________
૧૪૨
પ્રબુદ્ધ જૈન
L
અખો અને આનંદઘન
આજે તે યુરોપખંડમાં યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધમાં લાખો અને કરોડો માણસને સંહાર થઈ રહ્યો છે, કેટલાંય નિર્દોષ સ્ત્રી અને બાળકે આ લડાઈમાં જંતુ પેઠે રહેંસાઈ રહ્યાં છે. વિમાર્ગે જતી આ દુનિયાને કેણુ બચાવી શકે ? અને કોણ કહી શકશે કે આ લડાઈ શું પરીણામ લાવશે ? અત્યારે તે વિજ્ઞાન પિતાનો જ નાશ નેતરી રહ્યું છે અને આજ સુધીની પશ્ચિમ દેશની સંસ્કૃતિને વિનાશ નજીક આવતા જણાય છે. આમવાદ તરફની ઉદાસીનતા એજ આ ભયંકર વિનાશનું કારણ હોઈ શકે.
આપણા દેશમાં આત્મવાદનું રહસ્ય બતાવનાર ઘણાય મહાપુરુષે પૂર્વે થઈ ગયા છે અને આ પુન્યશાળી દેશમાં હજી પણ ઘણીયે મહાન વિભૂતિઓ પાકશે. હિન્દુ ધર્મમાં અખો અને જૈન ધર્મમાં આનંદઘન આ બે પ્રભાવશાળી પુરુષ સંબધી આપણે કંઈક જાણીએ.
- અખો મોગલ રાજાઓના સમયમાં પ્રાચીન કવિ અખો અમદાવાદની એક ટંકશાળમાં નોકરી કરતા હતા. સાથે સાથે તે સેનીનું કામ કરતા હતા. કુટુંબમાં માત્ર પિતાને એક બહેન જ હતી. આ બહેને અખાને એક કંઠી કરવા આપી. કંઠી બનાવતાં બહેને આપેલ સેનામાં અખાએ પિતાનું સોનું ઉમેરી કંઠી વધારે વજનદાર બનાવી. અવિશ્વાસુ બહેનને ભાઈની પ્રમાણીકતામાં શંકા ઉત્પન્ન થઈ અને કંઠીની કસોટી કરાવવાં બીજા તેની પાસે ગઈ. આ વાતની અખાને જાણ થતાં એના હૃદયને કારી ઘા લાગે. સંસાર અને સગાં ઉપર તેને અપ્રીતિ ઉત્તપન્ન થઈ. ઉચ્ચ કોટિના ત્યાગ અને વિરાગ એના મનમાં જાગૃત થયા. સનાતન સત્યની શોધમાં અખાએ અમદાવાદ છોડયું અને પ્રભુને સાક્ષાત્કાર કરવા તેણે મથુરા અને વૃંદાવનમાં પર્યટન શરૂ કર્યું.
નિષ્કામી ગુરૂનો સમાગમ સાધવાની તેણે ખૂબ કોશિષ કરી; પણ તેને મળતા ગુરૂઓ ટૅગી અને ધુતારા નીકળ્યા. જ્યારે ગુરૂએ તેની પાસેથી ધન લઈ લીધું ત્યારે અખાને બીજીવાર સંસારને કપરો અનુભવ થયો. અને એ શિદ્ય કવિએ ગુરૂને કહ્યું.
“ગુરૂ કર્યા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ, ધન હરે, ધખો નવ હરે,
એ ગુરૂં કલ્યાણ કેનું કરે ?” આખરે અખાને એક સાચા સદગુરૂ મળી ગયા અને તેમની દ્વારા તેમણે આત્મતત્વનો અનુભવ પ્રાપ્ત કર્યો,
અખાની કવિતામાં રસ કે રસિકતા નથી; સૌદર્ય કે માધુર્ય નથી; પણ તેની કવિતામાં કર્કશતા છતાંય એ ગૂઢાર્થ રહ્યો છે કે જે તે સમજાય તે અખાનાં કાવ્ય આપણને જ્ઞાન અને રસ બને આપી શકશે. અખાએ જાતિભેદે અને મતભેદને દૂર કરવા માટે અધ્યાત્મવાદને ખૂબ ઉપદેશ કર્યો છે.
ભૂત પંચને આ સંસાર, મુરખ વહે જે વરણ અંહકાર, બ્રાહ્મણ ક્ષત્રી વૈશ્ય ને શુદ્ધ
એ સહુ હરિના પિંડ, કેઈથી નથી શુદ્ર. અખાના કાવ્યમાં ઠેક ઠેકાણે કટાક્ષ હોય જ છે અને આ કટાક્ષથી એના કાવ્યની કર્ક થતા ઉડી જાય છે અને વાંચનારને અનહદ આનંદ થાય છે. અને કહે છે.
દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતાં વધ્યું શેર, ચર્ચા કરતાં અધિકું થયું, ગુરૂ થયો ત્યારે મણમાં ગયું.”
વૈષ્ણવ ધર્મના સાધુ અને સંન્યાસીઓમાં રહેલી નિર્બળતા . જોઈ અખાને દુઃખ થાય છે.
“સભાપતિ થઈ બેસે મધ્ય, આત્મની નહિ જાણે વિધ;
હશે મળે નહિ કુંવારી ગાય, * ઠાલા આવ્યા ને ભૂલી જાય."
આત્માની ઓળખ વગર પિતાની જાતને મોટા માનનાર ગુરૂએ અને પંડિત તરફ અખાને આ મીઠે કટાક્ષ છે.
પ્રકૃતિ કે માયાનું સ્વરૂપ અખાએ ઘણી જ આબેહબ રીતે વર્ણવ્યું છે.
“આ મહાવળગણી માયા પાપણી, જેમ સેવીએ તેમ ડસે સાપણી; રંગ ઢંગ માયામાં તણા,
સહુ કોઈ સેવક છે માયા તણા.” માયાને સાપણી સાથે સરખાવી તેમાં દુઃખી થતા જીવને જોઈ અખાને બહુ દુઃખ થાય છે અને પિતાને આત્માને અનુભવ થતાં પોતે કહે છે; ' જાગ્યે હવે હું જે સંસાર,
અને ઉડે હવે આકાશ,
તેને ન હોય પૃથ્વીના પાશ. અનેક શાસ્ત્રોના લાંબા અભ્યાસ પછી તેમાં રહેલ મતભેદ અને વિતંડાવાદ જોઇને અખો કંટાળી જાય છે અને કહે છે;
“પદર્શનના જુજવા મત, મહેમાહે ખાયે ખત, એકનું થાણું બીજા હશે, અન્યથી આપને અદકે ગણે. ભાઈ એજ અંધારે કુવો
ઝગડે પતવી કેઈ ન મુવો.” પંડિતાઈ અને વાદના કુવામાં ડુબેલા સાધુ અને મુનિઓને જોઈ અખો પૂછે છે કે આત્માને પીછાનવા જે પંથ પસંદ કર્યો તે પંથ ત્યાગી વિવાદના વિમાર્ગે શા માટે જાઓ છે ?
હિન્દુ ધર્મમાં વ્યાપી રહેલ અસત્ય અને અશ્રદ્ધા જોઈને અખો કહે છે,
જ્યાં જોઈએ ત્યાં કુંડે કુડ, સામે સામા બેઠા ઘુડ. કોઈ આવી વાત સુરજની કરે, ત્યાં આવી જઈ ચાંચ જ ધરે,
અમારે હજાર વરસ અંધારે ગયા, - તમે આવા ડાહ્યા ક્યાંથી થયા ?”
અખાની દૃષ્ટિએ આત્મા અને ભકિતનાં અનુભવ પછી સંસાર અને તેની માયા શિથિલ થઈ જાય છે. સાચા જ્ઞાનની પ્રાપ્તિ પછી હૃદય નવનીત સમું કમળ થઈ જાય છે અને સર્વ જીવ પ્રત્યે દિવ્ય પ્રેમ જાગૃત થાય છે.
ખાતે પીતા બેલ, દેખતે સઘળે રામ; વેણું મન રહે તેનું શિથિલ સંસારી કામ, (અનુસંધાન પૃષ્ટ ૧૫૦ જુઓ)
વિએ ગુરુતે કહ્યું.
તે પંથ ત્યાગી