SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ રહી છે—જે દિવસે માણસ એ બુદ્ધિને સાક્ષાત્કાર દ્વારા સ્વીકારશે તે દિવસે નીચલી શ્રેણીના માણસને માટે એક પ્રકારની કલા અને ઉચ્ચ શ્રેણીના : માણસને માટે ખીજા પ્રકારની કલા નહિ રહે ઃ માત્ર એક જ પ્રકારની વિશ્વજનીન કલા જ રહેશે—જેના મૂલ મંત્ર મૈત્રી અને વિશ્વબંધુત્વ હશે. આવુ થશે ત્યારે જ કલા પાછી કલા થશે, જેવી એ પહેલાં હતી અને જેવી એણે થવુ જોઇએ——એટલે કે ઐકય અને આનદ પ્રેરનારી.’ * * આમ છતાં મહાત્માજીને પોતાના અભિપ્રાય ખરાખર જાણવા માટે મે કહ્યું: “આપ કલામાં વિશેષજ્ઞતાના વિરાધ શા માટે કરા છે?” પ્રબુદ્ધ જૈત * “હું તમને એક સામેા પ્રશ્ન પૂછીશ : તમે કલા સર્વ જનગમ્ય થાય અને વિરેધ શા માટે કરી છે? કલા શા માટે બધા લોકાને રસ પડે એવી થવા ન ઇચ્છે? શા માટે તેની નસમાં જનતાના પ્રણયનું લેહી ન વહેં? સીધી રીતે વિચારીએ તે એટલુ નથી સમજાતું કે કલાના ઊગમ પ્રકૃતિ છે? એટલે માતા જો કંજૂસાઈ કરતી નથી તે સંતાન શા માટે કરે ? પ્રકૃતિએ કયારે એમ કહ્યું છે કે તેની સંપત્તિ માત્ર ખેચાર જણુની વિલાસસામથ્રી બની રહેશે—બાકી બધાં લાખો કરોડો સ્ત્રીપુરુષ અસ્પૃસ્યાની જેમ બહાર રહેશે—અનાદર પામશે ? કલાકાર શા માટે પોતાના એક નાના વાડામાં જ પેાતાને પૂરી રાખે ? જનમનના પ્રાણુની ધરતીથી વિચ્છિન્ન થઈને તે કદી જીવી શકે ખરા? હું તો કૅમેર્યું સમજી જ શકતે! નથી કે ધીમે ધીમે સમગ્ર માનવજાતિની રુચિ જો કલાને જાગ્રત ન કરે તે તેને નવજન્મ, રક્તશુદ્ધિ શી રીતે થશે ? -’ આપની વાત ખૂબ વિચારવા યોગ્ય છે મહાત્માજી, પરંતુ બધાં જ શ્રેષ્ઠ સૌંદર્ય કંઇક અંશે શ્રેષ્ઠ વિચારા જેવાં જ નથી ? શ્રેષ્ડ વિચારા બધા જ સમજતા નથી—અને નજીકના ભવિષ્યમાં સમજી શકશે એવી આશા પણ પડતી નથી. એટલે શ્રેષ્ઠ સૌદર્ય બધા જ આજ તે આજ સમજી શકશે, અને જે તે ન સમજે તે બાતલ ગણાવુ જોઇએ, એમ માનવુ તે બરાબર છે?” પણ મને તે એમ લાગે છે કે શ્રેષ્ઠ વિચાર, દર્શન અથવા ધર્મની ગષ્ટિ વાણી સૌને જ અસર કરે છે. હું તે। એવા પ્રકારની વિશેષનતા ઉપર મોહી પડતા જ નથી, જેના અર્થ અને વ્યંજના એચાર જણ સિવાય બધાંને ઊખાણાં જેવાં લાગે. એનુ મને તે! એક જ પરિણામ આવતું દેખાય છે કે કલાકારનું મગજ ગરમ થઇ જાય છે—બધા પ્રત્યે લાગણીને બદલે તેમના મનમાં અવજ્ઞા જન્મે છે. એક રીતે જે કલા માણસે વચ્ચે એકતા સ્થાપવાને બદલે તેમને જુદા પાડે છે તેનું મહત્ત્વ શામાં છે, કહેા જોઉ” ?" તા. ૧૫-૧૧-૪૧ કશું સમજતા જ નથી. તમે શુ' ખરેખર એમ માને છે કે જે સમાજમાં લાખા અને કરોડા માણસા આળસ, ગ્લાનિ અને · અજ્ઞાનના અંધકારમાં જીવનૃતની પેઠે પડેલાં છે, તે સમાજમાં આવા પ્રકારની શાખશેખી કરીને વખત બગાડવા સારો છે ? એના કરતાં દુઃખીનાં દુઃખ દૂર કવા માટે, તેમનાં કલ્યાણને માટે જીવન અર્પણ કરવું એ સારૂ' નથી ?—જે પૃથ્વીના થથર આજે પણ માણસના આંસુથી સીંચાઇ રહ્યો છે, ત્યાં પ્રત્યેક માણસનું શું કર્તવ્ય નથી કે પેાતાના પ્રાણની લાગણી વડે બીજાનાં આંસુ લૂછવાં ! ” મહાત્માજી જા અટકી ખેલવા લાગ્યા : “આખરે પરિણામ આવું આવશે એ વિચારથી પણ દુઃખ નથી થતુ? માણુસ પોતાની સંસ્કૃતિને શું પોતાના અહ' માટે ઈંધણુ બનાવશે ? તે શુ અને બધાને પોતાના કરતાં હલકા માની તેમને કહેશે : ‘હટ જાએ ?' યુરાપ તરફ એક વાર જુએ જોઉં ત્યાં ગગનચારીએ તુમાખી વગર વાત જ કરતા નથી. તે લોકો એમ કહે છે કે અમારી દરેકની કલા એ જ ઈશ્વરની વિશેષ પ્રેમપાત્ર છે. પરિણામ એ આવ્યું કે દરેક કલાકાર પોતપોતાનું દળ ઉભું કરે દેસાંકડા વાડા—જેની બહારના કાઇ જ માણુસ તેમની કલામાં મને વિશ્વપ્રેમી વિખ્યાત વૈજ્ઞાનિક ક્રાપોટિકને “બહુજનહિતાય બહુજનસુખાય” પેાતાનુ વિજ્ઞાનનુ ં પરિશીલન છેડીને સાક્ખીરિયામાં જેલ જવાનું પસંદ કર્યું હતું તે વાત યાદ આવી. તેમના અનુ૫૫ Memoirs of a Revolutionisમાં તેમણે કેટલાય સમય પહેલાં લખ્યું હતું : ઉચ્ચતર આનક્લાકમાં વસવાને મને શ। અધિકાર છે—જ્યારે મારી ચારેકાર એ મુઠ્ઠી અન્નને માટે બધાં હાહાકાર કરી રહ્યાં છે?—જ્યારે હું જોઉ છુ કે ઉચ્ચતર આવેગલાકમાં વાસ કરવાનું મૂલ્ય ચૂકવવા માટે મારે ભૂખમરા નેતા લેાકાના માંના કાળિયા ખૂંચવી લેવા પડે છે...એ બધા લોકો જાણવા માગે છે, પેાતાના જ્ઞાનને વિસ્તારવા માગે છે. તેમને એ જ્ઞાન આપે. તેમને જરા પુરસદ મળે એમ કરો. મારે તે આ બધા લોકોમાં જ અને એમને ખાતર જ કામ કરવું જોઇશે. માણુસની પ્રગતિ વિષે માં ભરી નાખે એવી બડીબડી ખાતાં તે બહુ થાય છે, પણ કામ શું થાય છે? જેએની પ્રગતિ કરાવવાની છે, તેમનાથી પ્રગતિના ધ્વજવાહકો અલગ જ રહે છે. આવી અસંગતતાથી મન અકળાઈ ઉઠે છે. એટલે જ આવા મિથ્યાચાર પેદા થાય છે.” મૂળ લેખક-શ્રી દિલીપકુમાર રાય અનુવાદક-શ્રી નગીનદાસ પારેખ સમાસ દીવાળીની ખાણી પ્રબુદ્ધ જૈનના તા. ૧૫-૧૦-૪૧ ના અંકમાં દીવાળી અને બેસતા વર્ષના શુભ અવસરે શ્રી. મુબઇ જે યુવકસંધને યાદ કરવા જે વિનંતી કરવામાં આવી હતી તેને સન્માનીને દીવાળીની શ્રેણી નિમિત્તે અમને લગભગ ત્રણસે રૂપીઆના વચના મળ્યા હતા એમ તા. ૧-૧૧-૪૧ના અંકમાં અમે જણાવ્યુ હતું પણ અમને જણાવતાં આનંદ થાય છે કે એ આંકડા વધીને લગભગ રૂપી પાંચશેાના થયા છે. તા. ૧-૧૧-૪૧ના અંકમાં જે ભાઇએના રૂપી આવી ગયા હતા તેની યાદી અમે આપી છે. બીજી વધુ રકમ આવી છે તે નીચે મુજબ છે. સંધને આ રીતે મદદ કરવા બદલ તે તે ભાઇને ઉપકાર માનવામાં આવે છે. ૧૪૮૫ તા. ૧–૧૧–૪૧ ના અંકમાં જણાવવા મુજબ ૫] શેઠ ભગવાનદાસ હરખચંદ ૫] શેઠ મોતીલાલ કલ્યાણુદાસની કુાં. ૨૫] શ્રી માણેકલાલ શરૂપચંદ ૨] શેડ જે. ખુશાલદાસની કુ ૧૫] શ્રી મણીલાલ વાડીલાલ ઝવેરી ૧પુ] શ્રી કેશવલાલ કરમચંદ સોંધવી ૧૫] મે. એમ. જે. થાણાવાળાની કુાં. ૧૧] મે. કાંતીલાલ ભોગીલાલનીકુાં. ૧] શ્રી. મનુભાઇ ગુલાબચંદ જી શ્રી. માણેકલાલ વાડીલાલ જી શ્રી ખુબચંદ શરૂપચંદ પુરુ શ્રી. જેઠાલાલ રામજી જી શ્રી. વલભદાસ ફુલચંદ મહેતા ૩૮૭ મંત્રીએ, શ્રી. મુબઈ જૈન ચુવકસ’ઘ શ્રી મુંબઇ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી મણિલાલ માકનદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુબઇ. ૨
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy