SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧-૪૧ પ્રબુધ્ધ જૈન ગાંધીજી અને લલિતકળા (પૃષ્ઠ ૧૩૨ થી ચાલુ) તેજસ્વી માણુસા આવી સહાનુભૂતિ વ્યકત કરે છે છતાં તેના પ્રચાર થતે નથી. અને સાધારણ માણસની દૃષ્ટિ ઘરનાં દુઃખના પિરિધને વટાવીને બહાર જઈ શકતી નથી. આ બધું સમજીને જરા લાગણીપૂર્વક (સમભાવપૂર્વક ) વિચાર કરવા યોગ્ય નથી શું ? “ મારે પેાતાને વિષે જે પુછતા હો તે હું નિષ્કપટભાવે કહી શકું છું પ્રિય મિત્ર, કે અમારા દેશને કે યુરોપને હું બીજા દેશો કરતાં જુદી નજરે જોતા નથી, હું તે એમ વિચારૂં છુ કે કાણુ મારા ભાઇ નથી ? કોનું દુઃખ મારા પેાતાના ભાઇના દુ:ખની પેઠે મને નથી ખટકતું ? કા પ્રજાના મહાન વિચાર મને ચિરપરિચિત જેવા જ લાગે છે. વિશ્વમાં મારું ઘર કયાં નથી ? નવાઇની વાત જો કાઈ હેાય તે તે એ છે કે એશિયામાં અને યુરોપમાં મેટા ભાગનાં સ્ત્રીપુરુષ। અંતરમાં સમસ્ત જગતની સાથે આવુ ગંભીર ઐકય અનુભવતાં નથી. અનુભવતાં નથી—એ વાત સ્વીકાર્યા વિના છૂટકો નથી; કારણુ મારા દેશબંધુએ મારી વિરુદ્ધ છે. તેમની નજરમાં સાથે જ હું... એક વિદેશી છું—કારણ કે મારા નાનકડા સ્વદેશના વાડામાં હું પેાતાને પૂરી રાખવા તૈયાર નથી. મારા જીવનમાં સૌથી વિશેષ દુ:ખ સૌથી વિશેષ વેદના એ કારણે જ મે' અનુભવ્યાં છે.” એટલુ કહીને અટકીને મેં મહાત્માજીને કહ્યું “રાલાંએ પોતાના એક પુસ્તકની ભૂમિકામાં આ શબ્દો લખ્યા હતા : “ મને ગયે વરસે ખબર પડી કે મારા શત્રુ અસંખ્ય છે. તેમને મારે આટલું જ કહેવાનુ છે: 'મને તમે ઝેરીલી નજરે ભલે જુએ, પરંતુ તમને હું કદી પણ ઝેરીલી નજરે જોવાને નથી—એ વિધા તમે મને નહિ શીખવી શકે !......મારા મંત્ર તે આ છે—મને જે યોગ્ય લાગે, માનવતાને જે ચેાગ્ય હાય તે હું કહીશ જ—એ કહેવાથી ખીજા ખુશ થાય કે આ રાષે ભરાય એની મને શી પડી છે ? હું જાણુ છું—દરેક સત્ય વચન પોતાના માર્ગ કરીને નીકળી જાય છે. રક્તથી ફળદ્રુપ બનેલી ભૂમિમાં હું એનાં બીજ વાવું છું; મારું મન સાક્ષી પૂરે છે—કળશે, ક્સલ ફ્ળશે.” વાકયોને અંગ્રેજી અનુવાદ કરીને મહાત્માજીને સંભળાવ્યા, ત્યાર પછી કરી રેલાંના પત્ર વાંચવા માંડયા : “મારી માત્ર એટલી જ કામના છે કે મારાં જીવનનાં દુ:ખવ્યથાને પરિણામે હવે પછી ભાણુસનું જીવન કંઇ નહિં તે સહેજ પણ વધારે સુખમય બને, મિલનને માર્ગે, એક ખીજાંને સમજવાને માર્ગે ચાલવુ તેમને માટે સહેજ વધુ સહેલુ અને. “મહાત્મા ગાંધી વિષે કદાચ મારાં ઘણું લખાણો તમારા જોવામાં આવ્યાં હશે. છતાં હું તમને મારું ગાંધીચરિત્ર મોકલું છુ. અસંખ્ય લોકોએ એ પુસ્તક વાંચ્યું છે. જો કે સમાલોચક મારી બાબતમાં સંપ કરીને મુંગા જ રહ્યા છે—જેમ તે હમેશાં રહેતા આવ્યા છે—તા પણ એ પુસ્તકની અનેક આવૃત્તિએ થઇ ગઇ છે અત્યાર સુધીમાં, અને અનેક દેશર ધરાના મનમાં જબરો આધાત લાગ્યો છે. “આશા રાખું છું કે તમારી સંગીતની યાત્રામાં તમે બરાબર આગળ વધતા હશે. એ સાધના છેડશે નહિ. કારણ એ ખૂબ સુંદર કામ છે—અને એ તમારા દ્વારા જ થવાનુ છે, ફ્રી મળીશુ પ્રિય મિત્ર! હું તમને મોટે ભાગે લખતા નથી એ ખરું, પણ જ્યારે લખું છું ત્યારે ઘણું ઘણું લખું છું. “મારાં સ્નેહવદન સ્વીકારો. રામાં લાઃ ૧૩૯ મહાત્માજી ખેલ્યા : ‘‘પણ મે... તે તમને કહ્યું નહતુ કે કલાની આરાધના ન થવી જોઇએ. એવુ હું કહી જ ન શકું. માણસની રૂચિ, મત, મિજાજ ભિન્ન ભિન્ન હેાય છે. હું માત્ર એટલું જ કહેવા માગતા હતેા કે હું પોતે ચિત્રકલા જેવી કલાને પક્ષપાતી નથી એની મને જરૂર નથી મારી પ્રેરણાને માટે, મને પૂરતા સંતાય મળી રહે છે. તારાજિત આકાશ જોઇને, સંભવ છે કે ' યુરોપને ચિત્રની જરૂર હોય તેમને ત્યાં કાં આપણા જેવુ આકાશ છે?’ “પણ જો તેમનુ આકાશ લગભગ રાજ ઘેરાયેલુ ન રહેતુ હાત તે! તે ચિત્રપ્રેમી ન થાત એમ આપનુ કહેવુ છે ?' “ના, એમ પણ હું નથી કહેતા. તેમના ચિત્રપ્રેમનાં ખીજા પણ કારણે જરૂર હેઇ શકે. હું એમ કહેવા માગતા હતા કે મને પેાતાને ચિત્રની કશી જરૂર જ લાગતી નથી. તે ઉપરાંત ચિત્રચર્ચા કરવા જેવી મારી સ્થિતિ પણ નથી.” હું છોડુ એમ નહેાતે : “પણ ધારા કે આપની સ્થિતિ ખૂબ સારી હાત, આપ ધનવાન હોત તા મહાત્માજી નાછૂટકે માલ્યા : “આ બાબતમાં મારી રૂચિ કેવી છે એ જાણવાની તમને આટલી બધી ફિકર છે તે સાંભળેા ઃ ચિત્રમાં મને ઝાઝે રસ પડતા નથી. એટલે હું કાઇને કહેતા નથી કે મારા ઓરડાની દીવાલે ચિત્રા, ટાંગા' એટલું મેલી જરા હસ્યા. પછી ખેલ્યા : 'પણ વાત એમ છે કે હુ તા દીવાલ પણ તે નથી. દીવાલ આંધ્યા વાડામાંથી જે સદા છુટકારો ભાગતા હોય તે શું કરવા દીવાલને શણગારવા બેસે ? હુ કુદરતમાં ફરનારે રહ્યો.સમજાય છે. તે હું શું કહેવા માગુ છુ તે ?” માથું હલાવીને મેં કહ્યું : “સમજ્યો, છતાં હજી જાણવાનું મન થાય છે કે જો બધા જ ચિત્રો છેડીને જંગલમાં દોડી જાય તે તે સારું થાય?” “તેના આધાર તેા લોકેાનાં મન, સ્વભાવ, રૂચિ, મતિ, ગતિ ઉપર છે. મારે તમને એ કહેવુ હતુ કે મને જો પ્રકૃતિની સંગત મળે તે ખીજા કાઇ પણ સૌંદર્ય વિના મતે ચાલે. છતાં બીજા લાકાને જો લાગતુ હાય કે ચિત્ર જેવી કલા માનવજાતિને માટે શુભ વસ્તુ છે, સારી વાત છે. માત્ર હું એટલું કહુ છું કે કલાને નામે આત્મસાષ અને આત્મવંચનાને ન પોષા એટલુ’ યાદ રાખો કે સમસ્ત માનવા પ્રત્યે તમારૂ કન્ય રહ્યુ છે. તમારી કલા જેટલે અંશે સાધારણ માણસના કામમાં આવશે તેટલે જ અશે તે શુભ કહેવાશે, જેટલે અંશે તે કામમાં નહિ આવશે તેટલે અંશે તે અશુભ કહેવાશે.” . “પણ ધારા કે ટલાક આજ તે આજ કાઈ કલાની કદર ન કરી શકે તે? દરેક કલાના' ઉચ્ચતમ વિકાસ સમજવા માટે શું થાડા ઘણા શિક્ષણ સંસ્કારની જરૂર નથી હોતી ? ” “શિક્ષણ અને સંસ્કારના ચોક્કસ અર્થ તમે શે કરા છે ?” “વિશેષજ્ઞતા જેવી શુ કાઇ વસ્તુ જ નથી ? આપણે ઘણી વાર એવું નથી જોતા કે મન જો થોડે અંશે કેળવાયેલું ન હાય તા અનેક લલિત કલામાં રસ લઇ શકતું નથી ? ” “ના. વિશેષજ્ઞતામાં મને શ્રદ્દા નથી. સાચી કલા તે સૌને રસ આપે.”* મને ટોલ્સ્ટોયના What is At માંનુ પ્રખ્યાત વચન યાદ આવ્યું: આજે ધર્મબુદ્ધિ માણસને તે ન જાણે એમ ચલાવી લી. મારા લખાણમાં આ પ્રમાણે હતું: ''A great work of art should appeal to all''—મહાત્માજીએ પાતાને હાથે great શબ્દ છેડી નાખીને real શબ્દ લખ્યું હતે. .
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy