SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ " તા. ૧-૧૧-૪૧ સૈનિકા આપે છે. પણ આપણે જ્યારે એમ પુછીએ છીએ કે આ વિગ્રહને અન્તે થનાર ભાવીનિર્માણુમાં અમારૂ શું સ્થાન? ત્યારે તે એક જ જવાબ આપણા માથામાં મારે છે કે તમે • એક થઇને આવા અને નવરચનાની સંયુકત યાજના લાવા. આ એકતા અને સંયુકત ચેાજના શ્રી. ઝીણાની કામીવાદી પ્રચારકાર્ય આજની ડિગ્સે અશકય બનાવી દીધી છે. જ્યાં ત્યાં કાની દાવાનળ સળગે છે અને નિર્દોષ અને ગરીબ માણસાના ભેાગ લેવાય છે. ઝીણા આપણા જ દેશના વતની છે અને કામી ઝગડાંમાં એક યા બીજા પક્ષે ભાગ લેતા ભાઈઓ પણ આપણા જ દેશબાંધવા. દેશની આવી અસહાય દશા નિપજાવનાર આખરે આપણે જ છીએ. આપણી શરમ પારવિનાની છે. આ દુનિયામાં ઊંચું માથુ કરવાના અવસર આવ્યો ત્યારે આપણામાં પધ્ધિતા યોગ શરૂ સરકાર આજે એક પછી એક દેશનેતાએેને જેલમુકત કરી રહી છે અને બધા જ રાજકીય કેદીઓને છેાડી મૂકવામાં આવશે એવી વાતે ચાલી રહી છે. · આમ બને તે દેશમાં એક નવી પરિસ્થિતિ ઉભી થાય. ભાતભાતની મંત્રણા શરૂ થાય થયો અને આમ તેમ ગમે એટલું દોડવા છતાં ધાણીના બળદનો અને પરિણામે આપણામાં કાં તો બુધ્ધિભેદ થાય અથવા તા સૌ ભાક હતા ત્યાંના ત્યાં જેવી આપણી દશા થઇ ગઇ. આજે આપણા દેશમાં અશાન્તિ અને અવ્યવસ્થા ઉપજાવે તેવાં તત્ત્વો ચાતરક ઉભરાઈ રહ્યાં છે. કાની તંગ વાતાવરણ, પ્રજાને તીવ્ર અસતેષ, રાષ્ટ્રીય મહાસભાને સત્યાગ્રહ, મેસ્લેમ લીગના અસહકાર, વધતી જતી મોંધવારી અને કરશેજે, સખ્યાબંધ રાજકારણી કાર્યકર્તાઓના જેલવાસ અને રાજ્યકર્તાઓની પરાપૂર્વની એની એજ રાજ્યપધ્ધતિ—આ બધાંજ તત્વ આપણા નજીકના ભાવીને વધારેને વધારે ગહન બનાવે છે. કાઇને માન્ય એવા કોઇ વેગવાન કાર્યક્રમ ઉભા થાય. શુ થશે તેની આજે અટકળા કરવી મિથ્યા છે. કારણ કે જગતની આખી રંગભૂમિ ઉપર એક પછી એક અવનવા પ્રવેશ ભજવાઇ રહ્યા છે. હિંદુસ્થાનના પ્રશ્નો જટિલતાથી ભરેલા તેા છે જ; . અને વળી એ જટિલતામાં આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ ખૂબ વધારો કરે છે. સરકારની શાહીવાદી રાજનીતિ અને આન્તરરાષ્ટ્રીય ઘટનાએ બન્નેને `પરવશ આપણું હિંદુસ્થાન સ્વરાજ્ય સિદ્ધિથી હજુ ખરેખર દૂર છે અને એ સિદ્ધિ હસ્તગત થતાં પહેલાં આપણે અનેક યાતનાએમાંથી પસાર થવાનુ ં જ છે એ વિષે બે મત છે જ નહિ. પરમાનદ, યુધ્ધ જૈન થોડા દિવસ પહેલાં મહાત્મા ગાંધીજીએ આજ સુધીના સત્યાગ્રહી રાજકારણની પર્યાલાચના કરતું અને ભાવી માર્ગનું સૂચના કરતુ' એક અતિ મહત્ત્વનું નિવેદન બહાર પાડયુ' છે. એ નિવેદન આજ સુધી ચાલી રહેલ સત્યાગ્રહની લડત સ ંબંધે “સતે।ષ વ્યકત કરે છે. પ્રજાની આજની મદ મનેાદશા ધ્યાનમાં લેતાં આ સાય . વધારે પડતા લાગે છે. ૧૯૩૦-૩૨ ના વિરાટ સત્યાગ્રહ કયાં અને આજને કૃશકાય ઝરણા માક વહેતા સત્યાગ્રહ કર્યાં ? આ ઉપરાંત આજે પ્રજાગણમાં દેખાતા નિરૂત્સાહ, અશ્રદ્દા, નિષ્ક્રિયતા પણ એટલાંજ ગ્લાનિજનક છે. એમ છતાં કોઇ પણ ગંભીર પગલું ભરતાં ગાંધીજી સામે એ બાબતે આવીને ઉભી રહે છે. તેમના સત્યાગ્રહના આદર્શ પ્રતિપક્ષને સકટના સમયે બને ત્યાં સુધી નહિ મુંઝવવાની નીતિ આગળ ધરે છે અને ખીજાં એ નીતિ આપણને સ્વીકાય ન હેાય તે પણ કામી ભેબુદ્ધિએ આખા દેશની સ્થિતિ અતિ નાજુક બનાવી દીધી છે. લેને ગ પુત અને ખેા ખેડી ખસમ' એવી. સ્થિતિ તે આપણી નહિ થાયને ?– આવી આશંકા પ્રજાવ્યાપી સત્યાગ્રહને વિચાર કરતાં રાષ્ટ્રના કોઇ પણ જવાબદાર સૂત્રધારની સામે આવીને ઉભી રહે છે. જ્યાં સુધી આપણે અંદર અંદર એકમેક વિષે નિર્ભય ન હેાએ ત્યાં સુધી આપણાં ઉપાડેલી તરવાર આપણું જ ગળુ રખેને ન કાપે એ ભય તદ્દન અસ્થાને નથી. તેથી ગાંધીજી આજે તે રચનાત્મક કાર્યક્રમ ઉપર ખૂબ ભાર મુકે છે અને તેમાંથી જ પ્રતિપક્ષને યોગ્ય કાળે યુદ્ધ આપી- શકાય તેવી યુદ્ધતાકાત ઉભી થવાની શકયતા ગાંધીજી જુએ છે. રચનાત્મક કાર્યક્રમમાં પ્રજાનું ચિત્ત હરતું નથી અને ધીમું અને આવેગની ઉત્તેજના વિનાનું કામ કરવાની પ્રજામાં ધીરજ કે શ્રદ્ધા નથી અને તેથી આપણી વચ્ચે પૂર્વકાળમાં થઈ ગયેલ પતિતદ્ધારક ભગીરથસમા ગાંધીજી છે, સત્યાગ્રહ છે, રચનાત્મક કાર્યક્રમ છે એમ છતાં પણ આપણે જ્યાંના ત્યાં ઉભા છીએ એ આપણી માટી કમનસીબી છે. ગાંધીજીએ પેાતાના નિવેદનમાં એ બાબત ચાખેંચેોખ્ખી જણાવી છે. એક તો હજુ પણ યુદ્ધવિરાથી વિચારે દર્શાવવાની ૧૩૭ સરકાર છુટ આપે એટલે કે પ્રજાના વાણીસ્વાતંત્ર્યને જન્મસિદ્ધ હક્ક સરકાર સ્વીકારે તે આજે 'ચાલી રહેલ સત્યાગ્રહ પણ ગાંધીજી ખેચી લેવાને તૈયાર છે. તેમજ બીજી બાજુએ વિગ્રહના અન્ત સમય સુધીમાં હિંદુસ્થાનની પ્રજાને આઝાદ બનાવવામાં નહિ આવી હેાય તે હિંદુસ્થાનની પ્રજા સમક્ષ વિરાટ સત્યાગ્રહનો કાર્યક્રમ’મૂકવામાં અને એ રીતે સરકારને શકય તેટલી મોટી લડત આપવામાં ગાંધીજીને કાઇ અટકાવી નહિ શકે એ પણ ગાંધીજીએ સ્પષ્ટપણે જણાવી દીધુ છે. ભગવાન નેમિનાથ અને કૃષ્ણ ( પૃષ્ઠ ૧૩૩ થી ચાલુ). આપણે કૃષ્ણને ન જાણીએ તે નેમિનાથને પણ આપણે બરાબર નહિં જાણી શકીએ. કૃષ્ણભક્ત જેએ મહાયાની છે તેમણે નેમિનાથના જીવનમાંથી ધણું શિખવાનું છે. કૃષ્ણને નામે પોતાની તામસ અને રાજસત્તિને તે પોષી રહ્યા છે. તેમણે નેમિનાથ અને રાજુમતિના જીવનમાંથી ત્યાગ અને તપશ્ચર્યા શીખવા જોઇએ. પણ વ્યવહારમાં તમે કાંઇ કરવા માગતા હૈ। તે તમારે કૃષ્ણના જીવનમાંથી મેળવવુ પડશે. જૈન આચાર્યોને હાથે કૃષ્ણની કથા લખા છે, તેમના પિતા વસુદેવની વાત લખાઇ છે. અત્યંત રસભરી છે. કૃષ્ણના જીવનના વાસ્તવિક અને નેમિનાથના જીવન સાથે જોડીને આપણે આર્યસંસ્કૃતિનું સાચું રૂપ ઓળખી શકીશું. ગોપાલન અને પશુપાલન એ વસ્તુની અગત્ય પણ આપણે તેમના જીવનમાંથી મેળવવાની છે. અંતિમ સમયે પેાતાને માણુ મારનારને કૃષ્ણ ઉદારચિત્તે ક્ષમા આપે છે. એટલું જ નહિ પણ તેને પશુપાલનને મધ આપે છે. મહાવીર, બુદ્ધ બધાના જીવનમાં આવા દાખલા મળી આવે છે. તે સ્થૂલ જીવન પ્રત્યે નિર્મમ હોય છે. એટલે હુ જૈનાને કૃષ્ણના જીવન વિષે વાંચવાનું કહુ' છું, તેમ જૈનેતરાને નેમિનાથ અને રાજુમતિ વિષે સહાનુભૂતિથી જાણવાની સૂચના કરૂ છું. આથી અરસ્પરસન! પૂર્વગ્રહાદૂર થશે અને આર્ય સંસ્કૃતિના અન્ને પાસાનું દર્શન થશે. વ્યવહારમાં કામ કરવા છતાં અલિપ્ત રહેવાની ભાવના કૃષ્ણના જીવનમાંથી મળે છે. તેમિનાથ અને કૃષ્ણના આદર્શોમાં લેાકેાને જણાય છે તે વિરાધ નથી. વિરેધ દેખાય છે તે સ્થૂલ છે.* પંડિત સુખલાલજી *એ વર્ષ ઉપરના મુંબઇની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાયેલ એક વ્યાખ્યાનની સક્ષિપ્ત નોંધ.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy