SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પ્રબુદ્ધ જૈન તા. ૧૫-૧૧-૪૧ ગત સંવત્સર વિક્રમ સંવત ૧૮૮૭ ના સંવત્સરનું થોડા દિવસ પહેલાં અવસાન થયું અને વિક્રમ સંવત ૧૮૮૮ ને પ્રારંભ થશે. વિદાય પામેલા આખા વર્ષ દરમિયાન યુરોપની યાદવાસ્થલી વધારેને વધારે ભીષણ સ્વરૂપ પકડતી ગયેલ છે. ડેન્માર્ક, નોર્વે, બેજીઅમ, હેલાંડ, અને ફાન્સ તે તેથી આગળના વર્ષમાં પડી ચુક્યા હતા અને જર્મના ઈંગ્લાંડ ઉપરના આકાશી હુમલાઓ ચાલુ થયા હતા. ત્યારબાદ ગત વર્ષ દરમિયાન જર્મનીએ સર્વ બાલ્લકન રાજ્ય પિતાને સ્વાધીન કર્યા અને પીઠ પાછળથી ઘા મારે તેમ રશીઓ ઉપર વિરાટ આક્રમણ શરૂ કર્યું. આજે દુનિયાએ કદિ નહિ જોયેલ એવા તુમુલ સંહારના પરિણામે રશીઆના દક્ષિણ પ્રદેશ યુક્રેન, ક્રીમીઆ વિગેરે જર્મનીએ લગભ. સર કર્યા છે. ઉતરે આવેલ લેનીનગ્રેડની સમીપ જર્મન જઈ પહોંચ્યા છે અને રશીઆનું પાટનગર મેઢે પડું પડું એવી દશામાં લગભગ તરફથી જર્મનઘેરાનું ભેગા થઈ પડેલ છે. બીજી બાજુએ અંગ્રેજોએ ઈરાક, સીરીઆ અને ઈરાન ઉપર પિતાને કાબુ જમાવ્યું છે; તુર્કીની અનુકુળતા જાળવી રાખી છે અને યુનાઈટેડ સ્ટેટસને પિતાના પક્ષે વિગ્રહમાં લગભગ સામેલ કરવા સુધી ઈંગ્લાંડ ખેંચી શકયું છે. દૂર પૂર્વમાં જાપાન પિતાનાં શસ્ત્રાસ્ત્રો ખખડાવી રહેલ છે અને રશીઆના પડવાની જાણે કે રાહ જોતું હોય એમ યુદ્ધપૂર્વની બધી તૈયારી દાખવી રહેલ છે. જાપાન રણશીંગું છું કે કે યુનાઈટેડ સ્ટેટસને માટે વિગ્રહથી અલગ રહેવાનું અશકય જ બનવાનું છે અને એ રીતે પેસીફીક . મહાસાગર પણ એક મી. રણભૂમી બની જાય એ સંભવ છે. રશીઆ ટકી નહિ શકે એ અભિપ્રાય આજકાલ તરફથી નધારે ને વધારે મજબુત બનતો દેખાય છે અને એના પડવા બાદ જર્મન આક્રમણ કઈ દિશા તરફ પિતાને પજે લંબાવશે એ વિષે જાતજાતની અટકળે બંધાઈ રહી છે. એક બાજુએ રશીઓ પડે તે પછી યુરોપમાં તે તેને ગ્રેટશ્રીટન જ સર કરવાનું રહે. પણ ત્યાં ઈંગ્લીશ ચેનલ અભેધ દીવાલ માફક ઉભી છે. તે કેમ ભેદધી તેને નીકાલ ન આવે ત્યાં સુધી જર્મનીનું ગમે તેટલું મેટું આક્રમણ ઈંગ્લાંડને નમાવી શકે જ નહિ. બીજી માલુમ પડે તેવી બધા પ્રકારની પ્રવૃતિ કરી શકે છે અને તેમાં તેને ઈન્ડીયન ટ્રસ્ટ એકટની કલમ ૨૦ ની મર્યાદામાં રહેવાનું આવશ્યક રહેશે નહિ. (૭) જો કોઈ કારણવશાત્ શ્રીનાથજી અથવા પૃથ્વીસિંહજી સંધમાંથી નિકળી જાય છે તેની જગ્યા કાર્યકારિણી સમિતિની સર્વાનુમતિથી પૂરવામાં આવશે. શ્રીનાથજી પિતાની અનુપસ્થિતિમાં કાર્યકારિણી સમિતિના બીજા કોઈ સભ્યને પ્રમુખનું કાર્ય કરવા માટે નિમણુક કરી શકે છે. તેવી નિમણુકના અભાવમાં કાર્યકારિણી સમિતિ પિતાના પ્રમુખ ચૂંટી લેશે. (૮) સંધની ભૂમિકામાં બતાવેલ હેતુને કાયમ રાખી કાર્યકારિણી સમિતિને આ વિધાનની ભાષા અને કલમમાં ફેરફાર કરવા, વધારવા, ઘટાડવા, તથા સંધને વિસર્જન કરવાને પણ અધિકાર છે. પરંતુ જે સધનું વિસર્જન કરવામાં આવે તે કાર્ય કારિણી સમિતિ તેમજ ટ્રસ્ટીઓની એ ફરજ રહેશે કે સંઘની બાકીની બધી માલમિલ્કત કઈ અહિંસાત્મક જનસેવાના કાર્યમાં ખર્ચે અથવા તેવું કામ કરતી સંસ્થાને સોંપી છે. રામબાગ રે મંત્રી બાજુએ તુક, ઈરાન, અફઘાનીસ્તાન ભેદીને હિંદુસ્થાન ઉપર જર્મની ચઢાઈ કાં ન કરે એ પણ એક તર્ક હિંદુસ્થાનની ઉત્તર સીમાને જોખમાવી બનાવી રહેલ છે. વળી જાપાન આ વિગ્રહમાં ઝંપલાવે તે બર્મા અને હિંદને પૂર્વ ભાગ વિમાની આક્રમણોના ભોગ બન્યા વિના ન રહે એમ સૌ કોઈ માને છે. જે રીતે વિગ્રહને વિકાસ થઈ રહ્યો છે તેને અભ્યાસ કરતાં દુનિયાને મહત્વને એક પણ દેશ આ કાળકરાળ વિગ્રહથી અલગ રહેવા પામે એ શક્ય લાગતું નથી. ઈચ્છાએ કે અનિચ્છાએ દુનિયાના પ્રત્યેક દેશ અને પ્રત્યેક પ્રજાએ આ સંહારતાંડવમાં પિતાને ફાળો આપવાને જ હોય એવું ભાવનિર્માણ ભાસે છે. સાધારણ રીતે આજ કરતાં આવતી કાલ વધારે ઉજળી અને આશાપ્રદ હોય છે. આજના સમયમાં આજ કરતાં આવતી કાલ વધારે ભયાનક અને કલ્પનામાં ન આવે તેવી અવસ્થાને નેતરતી ; લાગે છે. માનવીએ માનવસભ્યતાનું મોટામાં મોટું દેવાળું કાઢયું છે. સેવાગ્રામને સંત દુનિયાને એક ખુણે સત્ય અને અહિંસાનો સંદેશ સંભળાવી રહેલ છે. પણ દુનિયા ઉપર પ્રભુત્વ ધરાવતી પ્રજાઓ વેરઝેરના નિશામાં ચકચુર બનેલી છે. આજ સુધીના ઇતિહાસમાં કદિ નહિ નોંધાયેલી અને કદિ નહિ કપાયેલી આંધી આપણી કમનસીબ દુનિયા ઉપર ઉતરી આવી ‘ છે. અલબત, દૂરનું ભાવી ઉજ્જવળ હશે અને દુનિયાનું નવનિર્માણ આમાંથી જ ઉભું થવાનું હશે, પણ આજે તે આપણી આંખો તરફ ઘટ્ટ બનેલા તિમિરને ભેદી શકતી નથી અને દુનિયા બે ડગલાં આગળ ચાલી હતી તે પણ બે ડગલાં પાછળ હઠતી હોય અને આપણી આશાનું સ્વર્ગ લાંબા કાળ માટે ઉથલી પડતું હોય એ નિરાશાવાદ આપણી બુદ્ધિ અને કલ્પનાને ઘેરી વળે છે. જે રશીઓ પડે ? રશીઆના સામ્યવાદમાં હિંસા ભરચક ભરી હતી; વ્યક્તિ સ્વાતંત્ર્ય સર્વથા લુપ્ત બનતું હતું એમ છતાં પણ આજના મુડીવાદની ચુડમાં ફસાયેલી દુનિયાને ઉદ્ધાર કરવાને અને કંઈ કાળથી દબાયેલી અને શોષાયલી ગરીબ જનતાને ઉંચે લાવવા એ એક ભગીરથ પ્રયોગ હતા. એક બાજુ પાર વિનાનું નિષ્પન્ન, બીજી બાજુએ અપાર બેકારી, આ મુડીવાદી સંસ્કૃતિના અનિવાર્ય પરિણામે છે. આજનું યુધ્ધ એ પરિસ્થિતિને સ્વાભાવિક પરિપાક છે. આ દુષિત ચક્રચુડમાંથી દુનિયાને છોડાવવાને રશીઆના સામ્યવાદને મરથ હતો. એ રશીઆના પતન સાથે એ મહાન પ્રગને હાલ તુરતને માટે અન્ત આવે. વિપુલ માનવજાતની પ્રગતિ અને કલ્યાણની દૃષ્ટિએ આ ખરેખર અત્યંત કરૂણાજનક અને કમનસીબ ઘટના બની રહી છે ! અને આપણું કમનસીબ હિંદુસ્થાન પણ આન્તર્ગત પરિસ્થિતિના કારણે વધારે ને વધારે વિષમ અને વિકટ ભાવી તરફ ખેંચાઈ રહ્યું હોય એમ લાગે છે. યુદ્ધનું ગમે તે પરિણામ આવે તે પણ હિંદુસ્થાનના લલાટે ગુલાબી અને પરાધીનતા જ લખાયલી હોય એવી કોઈ વિચિત્ર નિરાશા મનને વેદનાવ્યાકુળ બનાવે છે. યુરોપીય વિગ્રહ હિંદને આઝાદ બનવા માટે એક મહાન અવસર હતા. પણ એ અવસરને હિંદુ-મુસલમાનને પરસ્પર લડતા કરનાર પાકીસ્તાન પ્રચારે ધુળ મેળવ્યો છે અને હાથમાં આવેલું અમૃત ફળ ફેંકાવી દીધું છે. ૧૯૩૦-૩૨માં અંગ્રેજ સરકારને હિંદને કઈ પણ રીતે સંતોષવાની ભારે ચિન્તા પડી હતી. આજે તેના જીવન મરણને સવાલ ઉભો કરે એવા આ ધનાર યુદ્ધથી ઘેરાયેલા હોવા છતાં હિંદુસ્થાનનો પ્રશ્ન ૧૮૩૦-૩૨ના વર્ષો જેટલે અંગ્રેજ સરકારને ચિન્તાનો વિષય હોય એમ જણાતું નથી. હિંદુસ્થાન બ્રટનને પુષ્કળ યુદ્ધ સામગ્રી અને વસ્તુઓ આપે છે, સંખ્યાબંધ . અહિંસક પાયામ સાંઘ.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy