SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ - - તા. ૧-૧૧-૪૧ પ્રબુધ જેના ૧૨૯ ' ' ' કે - (પૃષ્ઠ ૧૨૪ થી ચાલુ) મહાદેવ દેસાઈ બેલ્યા: “ખરું, એ વાત એ હંમેશાંજ કહ્યા કરે છે.” મેં કહ્યું: “આ વાત સાંભળીને મને એટલે આનંદ થયે, મહાત્માજી, કે શું કહું? કારણ–બટું લગાડશે નહિ-હું હમેશાં એવું માનતે આવ્યું હતું કે આપની કઠેર જીવનસાધનામાં કલાકારીગરીને કંઈ સ્થાન જ નથી. કહેવામાં શું વાંધે, મને ઘણી વાર એ ભય રહે કે આપ સંગીતના વિરોધી હશે” વિરોધી ! હું!! અને તે પણ સંગીતને !!!”મહાત્માજી બોલી ઉઠયા. હું જરા શરમાઈ ગયે-આટલું ખુલ્લેખુલ્લું ન કહ્યું હોત તે યે ચાલતુ કદાચ. . પરંતુ મહાત્માજીના મુખ ઉપર આશ્વાસ - તરત જ પ્રગટયું: “ના ના, તમારે કશો વાંક નથી દિલીપ. હું જાણું છું – સમજું પણ છું—શા માટે આવી વાતે ભારે વિષે ફેલાય છેપણ હું શું કરું, કહો? મારે વિષે એટલા બધા જાતજાતના વિચિત્ર ખ્યાલ વાતાવરણમાં ફેલાઈ ગયા છે કે હવે કશે. ઉપાય નથી.” કોઈ કોઈ હેજ હસ્ય. પરંતુ આ ખ્યાલને લીધે થયું છે એવું કે જ્યારે હું એમ કહું છું કે હું પોતાને ખરેખર એક કલાકાર માનું છું ત્યારે મારા પ્રિય મિત્ર પણ હસે છે. તેઓ માને છે કે આવી મશ્કરી ભારે મઢેથી ભાગ્યે જ બીજી નીકળી હશે.” ' બધાં આ વખતે વધારે હસી પડયાં. “હું પણ આ વાત સાંભળીને હસું છું એથી બટું ન લગાડશે મહાત્માજી,” મેં કહ્યું, “પણ શું એમ ન હોય કે આપની કઠોર સાધનાને કારણે જ આવો ખ્યાલ લોકોના મનમાં બંધાઈ ગયું હોય કારણ આપણે લોકોને પણ ખરી રીતે દોષ ન દઈ શકીએ. જો તેઓ કહેર સાધના અથવા સંન્યાસની સાથે કલાપ્રેમનું અસ્તિત્વ ન કપી શકે.” પણ તેઓ એટલું કેમ ન સમજે કે સંન્યાસ જ જીવનની સૌથી મોટી કલા છે ?” “સંન્યાસ-કલા ?” નથી ? કલા ખરું જોતાં શું છે? સરલ સુષમા, ખરું ને? અને સંન્યાસ શું છે? સરલતમ સુષમાને રેજિન્દા જીવનમાં પરમ સુંદરરૂપે પ્રગટ કરવી-બધી આંખ આંજી દેનારી કૃત્રિમતા અને તેગ છોડી દઈ ડગલે ને પગલે સાચા શુદ્ધ રહેવાની સાધના એટલે જ હું હંમેશાં કહું છું કે સાચે સંન્યાસી કેવળ કલાની સાધના કરે છે એટલું જ નહિ પણ તેનું જીવન જ એક અખંડ કલાકૃતિ હોય છે.” મહાત્માજીના અવાજમાં આવેગની જરા ગરમી આવી તમે કલ્પી પણ શકે છે કે આવી જેની માન્યતા છે તેને લેકે સંગીતને વિરોધી કહે છે–માત્ર એટલો જ કારણે કે તે . સ્વભાવથી જ સંન્યાસી છે ! કહે છે હું સંગીતવિમુખ છું-હું તે ભારતના ધર્મજીવનને અને સંગીતને જુદાં કલ્પી જ નથી શક્તિ ! આ પછી મારે શું કહેવું કહો જોઉં ?” મહાભાજીના મુખ ઉપર કરુણ હાસ્ય પ્રગટી ઉઠયું. પણ જો એમ હોય તે લોકેએ તમને શા વાંકે સંગીતકલાવિમુખ માની લીધા ?” કંઈક વાંક હશે કદાચ” મહાત્માજી ફરી જરા હસ્યા, “એક તે કદાચ એ હશે કે આ જીવનમાં જે અનેક વસ્તુઓ કલા તરીકે વખણાય છે તેમાં મને કશું જ મહત્ત્વ લાગતું નથી. એને અર્થ બેશક એ છે કે મારા પ્રાણુના મૂલ મૂલ્યો જ જુદાં છે–my values are different: દાખલા તરીકે જેની માત્ર તદ્વિદે જ કદર કરી શકે તેને હું મહાન કલા કહેતે નથીએટલે કે ટેકનિકની ગલીકુંચી જાણ્યા વિના જેમાં કશી સમજ જ ન પડે એવી કલાને. હું તો એમ માનું છું કે મહાન કલાની અપીલ બરાબર કુદરતના સૌંદર્યની પેઠે વિશ્વજનીન હોય છે. સૂક્ષ્મ ચર્ચા કરવામાં જીભાજોરી કરવી એનું જ નામ કલારસિકતા એવું હું માની જ શક્તો નથી. ખરી રસિક્તાને વિશેષજ્ઞતા સાથે અને અતિશય ચીકણાવેડા સાથે કશો સંબંધ જ નથી. તેને વેશ તે સાદે જ હશે–તેનું પ્રાગટય પણ સહજ હશે-હમણાં મેં કહ્યું એમ પ્રકૃતિની પ્રાસાદિક ભાષા છે.” . જરા વાર ચૂપ રહી હું બેલ્યોઃ “પણ મેં સાંભળ્યું છે - ..--જી-રોટી માત્રા ટાંગવાની વિરુદ્ધ છે? પણ નિંદાનો ખોટો આરોપ છે કે “ના,” મહાત્માજી ફરી મૃદુ હસ્યા, અને ધણી : વાય છે કે મારા ધણ નત્રા એટલા ઉપરથી જ માની હશે કે હું મારા મનથી કલાવિમુખ હઈશ.”' ' પણ રી- -- ચિત્રો કામા શું કરવા ટાંગુ, કહાં જે-જે દીવાલ આપણે માત્ર આશ્રય ખાતર પર બાંધવા માટે જ બાંધી છે, તે દીવાલની જે મૂળ સાર્થકતા છે તે સિવાય બીજી સાર્થકતા તેને અર્પવા શું કામ કરવું–આમ પ્રયત્ન કરીને ? જેમને કરવું હોય તે ભલે કરતાતેમને જે ઠીક se * મ તે ચિત્રથી આખી ભીંત ભલે ઢાંકી દે-હું કંઈ ના પાડતા ન માત્ર મારી પ્રેરણાને માટે મારે ચિત્રની કશી જરૂર નથી–બસ, પ : " - પcરત જ મારે માટે પૂરતી છે.” તે મહાત્માજી જરા અટકીને બોલ્યાઃ “તારાભર્યા આકાશ તરફ જોઈ જોઇને કેટલીવાર હું જ્યોતિરહસ્યના અતલ આશ્ચર્યમાં ડૂબી ગયો છું–કદી મારી આંખ થાકી નથી. વિશાળ મેદાન, વન, પર્વત, નદી, સગર, એ બધાં કયાં નથી–એ બધાં, જ્યારે જોઈએ ત્યારે મારે મારી સૌન્દર્યની સુધા ક્યાં શમાવતાં નથી ? તારાથી ચકચકતું આકાશ, હિાન સમુદ્ર, સ્વપ્નાળુ શૈલમાળા, એ બધાંના સંગીતથી મનમાં, અણુમાં જે કં૫ જાગે છે, તેની સાથે શું કોઈ પણ ચિત્રના કંપને કદી સરખાવી શકાય? અસ્ત ગોધૂલિની વિદાય આભાની અને ઉદય ગોધૂલિની હાસ્ય છટાની બરાબરી કોઈ પણ મનુષ્યની પીંછીની વર્ણસમૃદ્ધિ કદી કરી શકે ખરી ?" ના દિલીપ,” મહાત્માજી બેલ્યા, “મારી કુદરત મારે ભલે રહી-બીજી કોઈ પ્રેરણું મારે નથી જોઈતી. આજે પણ તેને રહસ્યભંડાર મારે મન એવો ને એવો અખૂટ, આનંદમય, અને સ્વપ્નભર્યો રહ્યો છે. માણસની બાળખેલ સમી કલાકારીગીરીની મારે શી જરૂર છે? ભગવાનની કલાકૃતિના ગંભીર રહસ્ય આગળ માણસની કૃતિ મને રંગીન રમકડાં જેવી લાગે છે. એટલે, તમે જ કહો વારું, કે આજકાલ જે બધી રંગીલાઈ કલાને નામે ચાલી રહી છે તેમાં એવું શું છે જે આપણું મન તે આકર્ષી શકેખાસ કરીને જ્યારે આપણે જોઈએ છીએ કે પ્રકૃતિ પિતાને અખૂટ સૌદર્યભંડાર લઇને આપણું મનોરંજન કરવાને સદા તત્પર ઉભી છે ?” x Only I do not need them for my inspiratam સુધારીને મહાત્માજીએ પિતે છેલ્લા ત્રણ શબે સ્વહસ્તે લખ્યા હતા.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy