SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ પ્રબુધ્ધ જૈન આપણી પાંજરાપાળા અને ગૈાશાળાએ. ( તા. ૩૦-૧૧-૪૦ ના રોજ સાબરમતી ખાતે એકત્ર થયેલ પ્રથમ ગુજરાત કાઠિયાવાડ ગોસેવા સમેલનના પ્રમુખસ્થાનેથી સ્વામી આનં“ક આપેલ વ્યાખ્યાન.) મિત્રા, મારા જેવા ફૂંકપૂજિયાને આ સ ંમેલનનું પ્રમુખપદ શું જોને આપે એનાયત કર્યું" હશે, એ મારે માટે એક ભારે કોયડા થઇ પડયા છે. આપ સૌ જે અહીં મળ્યા છે. તેમાં, ગાસેવાની પાછળ જીવનનાં કીમતી વર્ષો અને ખરચ્યાં છે. એવાં સજ્જને મેાદ છે. ગેાસેવા ભક્તિભાવની તીવ્રતામાં પણ અહીં બેઠેલા સ્થાન બહુ નીચુ છે એ હું જાણું છું. માનવ-પ્રશ્ન કે પશુ પ્રશ્ન ? શક્તિ જેમણે પ્રત્યે પ્રેમ અને આપ સૌમાં ભા આજની ધડીએ જ્યારે મનુષ્યપ્રાણીના ઉપદ્રવોએ દુનિયા બધીને ભેજાર બેહાલ કરી મૂકી છે અને એ પ્રાણીનું શું કરવું એની જ મહામૂઝવણમાં દુનિયાની પ્રશ્ન ડૂબી ગઇ છે, તેવું ટાંકણે વળી પશુપ્રાણીના પ્રશ્નને વિચાર કરવા નીકળનારા આપણે અપ્રાસંગિક તેા ન લેખાએ એમ પણ મને ઘડીવાર લાગ્યું. પણ જે ભૂમિ ઉપર આ સમેલન આપે ચેન્યું છે તે ભૂમિ એક એવા જગધ તપસ્વીની તપસ્યાથી પાવન થયેલી છે કે, જેણે આજની દુનિયાના માનવીના પ્રગતિ અને સુધારણાને લગતા તમામ શેખીભર્યાં દાવાને પડકાર આપ્યું છે. અને તેના દંભ ઉઘાડા પાડયા છે. જેણે આ જ ભૂમિ ઉપર બેસીને માટીમાંથી માણસ ધડાં અને ‘ જન–પશુ—જગના કલ્યાણયજ્ઞ ’માં એક પછી એક ભેટ ધર્યો, જેણે એક બે દાયકા જેટલા અલ્પ અવધિમાં આપણી પ્રજા આખીના કાયાપલટ કરી નાંખ્યા અને જે આજે પણ વૃદ્ધ વયે અને ક્ષીણુ દેહે વેરઝેરથી બળીજળી દુનિયાને અવેરા, અભયના, પ્રેમભર્યાં પ્રતિકારને એકમાત્ર ઉકેલ બતાવી રહેલ છે. એ તપેાભૂમિ ઉપર એ સંતની અતિપ્રિય પ્રવૃત્તિઓમાંની એક એવી આ ગેાસેવા પ્રવૃત્તિ કે પશુ કાળે અપ્રસ્તુત કે અપ્રાસંગિક નહિ લેખાય, અને એમાં કાનારને સારૂ એ સંતના હમેશ રહેલા આશીર્વાંદ મારા જેવા અણુધડને પણ આપ સૌએ સેાંપેલી આ જવાબદારી પાર પાડવાની પ્રેરણા અને શકિત આપશે, એ ભરેસે આપની આજ્ઞાને મેં શિરોધાર્ય ગણી છે. એક પવિત્ર સ્મૃતિ તા. ૧૫-૧-બે ગેસેવાની ભાવના જોડે એક પવિત્ર સ્મૃતિ મારા અંતરપટ ઉપર આજીવન અકાઇ ગઇ છે; તે બિરાર પ્રાંતમાં મારી કિશાર અવસ્થામાં જેયેલા એક ગાઉપદેશક રાજયસ્થાની પંડિતની. ગામડાંમાં ભરાતાં અવાડિક અજારામાં, મેળાઓમાં, પણીએ ઉપર અને સ્વદેશી આંદાલનના એ યુગમાં ગામેગામ મળતી અમારી ગંજાવર સભાઓમાં, એમની મૂર્તિ ચંદ્રસૂર્યની નિયમિતતાથી હાજરી આપતી. દરેક પ્રસંગે તે પૂરા શિસ્તપાલન સાથે અતિ વિનયપૂર્વક સભાસંચાલકની સબસે પીછે પાંચ મિનટ' એલવાની રજા માગી લે અને પેાતાની અતિ રસાળ વિનયપરિપ્લુત વાણીથી * કઠ્ઠણ કળિકાળમાં સુન-અજ્ઞ સૌને સાફ સુલભ એવા ધર્મ આચરવાના સુવર્ણ માર્ગ ' એક ગસેવા જ કઇ રીતે છે એ સાબિત કરી બતાવે. ગાય જ સંસારની તમામ રિદ્ધિસિદ્ધિની જન્મદાત્રી કેવી રીતે છે અને માણસને એની દુન્યવી જીવનયાત્રા દરમ્યાન એના ઝીણામેટા તમામ વહેવારામાં ગાય જ કવી ઉપકારક છે; બલ્કે મનુષ્ય-પશુ, કીટ-અનુષ્કીટ, દેવદાનવ, ચંદ્ર-સૂર્ય ઇશ્વરરચિત સકલ સૃષ્ટિનું આલંબન ગાય જ રીતે છે; સૃષ્ટિના તમામ વેળા પદાર્થો ગાયકા દૂધ માંથી ધોળાશ કઇ રીતે પામ્યા, એની સદાકાળ એમને જીવાશે રહેતી કથા પુરાણકારેાની શૈલીમાં સંભળાવીને મેટમેટી ગામડિયા ભાનવમેદનીને એએ ડેલાવતા. એમના કથનની પુરાણુ ઢબની અતિ શયેક્તિ તથા અસંબદ્દતાએનુ અમને તે કાળે હસવું આવતુ. હલ્લુયે કોઇ વાર વિનેદ–પ્રસગામાં એમના ઉપદેશાના કિસ્સા યાદન લાયક બને છે. પણ એમની ગેાકિત અને પરાયણુનાની સ્મૃતિ આખી ઉમ્મર કી મા અંતરમાંથી સ નથી. ભકત તુલસીદાસજીએ જેમ હાથમાં ધનુષ્યબાણ ન લીધેલી કાઇ પણ પ્રભુ-મૂર્તિને ઓળખવા ના પાડી. તેજ ગાયથી વિખૂટી એવી સંસારની કે પશુ વ્યકિત કે વસ્તુને પંડિતજીની સૃષ્ટિમાં હસ્તી નહેાતી. ગાયની કાર્ટ વળગીને ખ જાણે હમેશાં હીંચકા લેતી હૈાય તેમ પંડિતજીની ડીંગણી સ્મૃતિ સદાકાળ મારા જીવનની સ્મૃતિમાં જડાઇ ગઇ છે. જાણે કે ગાયથી એને હું જુદી જ પાડી શકતા નથી. એ પુણ્યાત્માને મારી કેડિટ ક્રેડિટ વંદના હબ્જે. પ્રે॥ પણ પશુ-પ્રશ્નનો અભ્યાસ અને આપણા દેશમાં તેની આજની દુર્દશાની ચિકિત્સાની દિશાએ રસ લેવા તે જીવદયાના પદ્મ મિશનરી સ્વ. નગીનદાસ અમુલખરાયે મને પ્રેર્યાં. એમની જ ધગશ અને તાલાવેલીએ મહાત્મા ગાંધીજીએ પ્રજાને આપેલ અનેક વિધ રચનાત્મક કાર્યક્રમમાંના આ ગોસેવા પ્રશ્નના અવ તરફ્ મારૂ ધ્યાન પ્રથમ ખેંચ્યું. આપણી પરાધીનતા અને આપણા તમે ગુણને કારણે આપણા પ્રજાવનના એકેએક ક્ષેત્રમાં જે દુર્દશા આજે વતી રહી છે તે જ આપણા પશુધનની બાબતમાં પણ બન્યું છે. આપણી ઉપેક્ષાને પાપે આખી પ્રજા શરીર અને મનથી ક્ષીણ થઇ ગઇ અને આજે મરણોન્મુખ થવા ખેડી છે. આ મહાદશાને ગંભીરપણે વિચાર કરવા મહાત્મા ગાંધીજી જેવા યુગપ્રવર્તંક પુરૂષ પ્રેરાયા અને તેમણે આ પ્રશ્નને સર્વાંગે વિચારવા અને છણવા આપણને દોરવણી આપી, તેમાંથી આપણી પશુસંસ્થાઓના નવેસર સુધાર અને સંગઠનની કલ્પના આજે ઉડી છે. એ પ્રેરણાને બળે પ્રેરાયેલા ગોપ્રેમી સજ્જનાના આમત્રણને માન આપીને એકલા ગુજરાત કાઠિયાવાડમાંથી પણ આજે આપ આટલાં ગૌસેવાપ્રેમી સજ્જતા એકઠાં મળ્યાં છે એને હું એક ભારે શુભ શુકન ગણુ છું. જીવદયા-મહાસિધ્ધાંત જીવદયા એ હિંદુ સંસ્કૃતિની ખાસ બક્ષિસ છે. એ મહાસિદ્ધાંત આખા હિંદુસમાજના અણુમલા વારસો છે. માનવેતર સૃષ્ટિની પેઠે જ મનુષ્યપ્રાણી પણ દુનિયા આખીમાં ‘નીયૉ. લીવર • સીપનમ્' ના કુદરતી કાયદાને અનુસરનારા હતા—અને હજી આ પણ એ રડયાખડયા અપવાદો સિવાય એથી બહુ આગળ નથી ગયા ત્યારે આપણા પૂર્વજોએ પેાતાનાં પુણ્ય અને પુરૂષાર્થને જે સમસ્ત જીવસૃષ્ટિ જોડે આત્મીયતા સ્થાપનારા અને જીવમાત્રને માણસનાંભેરૂ-ભાંડરુ, બલ્કે આત્મરૂપ ગણીને એમની જોડે વવા કહેનારા મહાસિદ્ધાંત શૈાધ્યા. એટલું જ નહિ, પણ એક આખા માનવસમાજતે એ સિદ્ધાંત પોતાના ઝીણામાટા તમામ (અનુસંધાન પૃષ્ટ ૧૭૭ જુઓ)
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy