________________
તા. ૧૫-૧૦-૪૧
૧૨૧
પ્રબુદ્ધ જૈન
પોતાના ભાવ, અભિલાષાઓ અને ભાવનાઓ વાણીના શિષ્ટ રૂપમાં ઉતારી કે ઉગારી શકતા નથી, તેના અવેજી તરીકે તે લેખકને જે શક્તિની બક્ષિશ થયેલી છે તેને ઉપયોગ પુણ્યભાગે જ કરવાને અધિકાર છે. એ અધિકારને જે લેખક દુરુપયોગ કરે છે તે માનવજાતના શત્રુનું કાર્ય કરે છે. તે સાહિત્યને કલુષિત કરે છે, એટલે તે માનવામાની પવિત્રતાને કલુષિત કરે છે અને તેની પ્રગતિમાં વિરોધ ઉત્પન્ન કરે છે. કાળના વહેવા સાથે એવું સાહિત્ય પછી, તે ગમે તેવી પ્રતિભાથી ને કળાથી અંકિત હોય, તો પણ આખરે નાશ પામે છે, કારણ કે નિસર્ગનિયમ પ્રમાણે તે જે શિષ્ટ છે તે જ ટકી શકે છે ને અમરત્વ પામે છે. ધર્મ જ સાહિત્યને ને કળાનો પાયો કાળના અંધારા ઉંડાણ'માં અતિ દૂરથી પણ આપણી
ભાન કરી શકીએ કે તે
હિંસક પશુ પ્રાણી.
. .દ્વાનો ભય રહેતા હતા. એ - હાં ...વાતંક તત્ત્વ-ધરતીકંપ, વાયુવળિયા.. પણ ભાગ છે, એટલે આ **
આ સાહિત્યના કણકણુથી જે પુણ્યભંડાર માનવીએ સંગ્રહી રાખે છે, તે જ એની પ્રગતિનું, એના શ્રેયનું સાધન છે. આપણે વેપારી ભાઈ વેપાર કરે ને દુનિયાની ઉપયોગિતામાં વધારે કરે, પણ એને પણ સાહિત્ય વગર તે ચાલવાનું નથી જ, અને એ સાહિત્ય એના બીજા ભાઈઓ જે એનાથી જ્ઞાનમાં અને દેવપ્રકાશમાં આગળ વધેલા છે તે એને પૂરું પાડે, એના હૃદયને તથા એની બુદ્ધિને વધારે પ્રકાશમય કરીને એના ઉલ્લાસની વૃદ્ધિ કરે, એના ગ્રાહક- જનના વર્તનમાં એને અણસમજાતા ગુણોનું પૃથક્કરણ કરીને તે એને સમજાવે, તે શું એ સાહિત્ય એના ઉપયોગિતાવાદનું પોષણ પણ નથી કરતું ? માનવજીવનમાં સાહિત્યની અગત્ય હતી તે જ તે પરાપૂર્વથી ઊતરતું અને સંધરાતું આવ્યું છે. આ મનુસૃષ્ટિના આરંભથી અનેક માનવસંસ્કૃતિઓ કાળાંતરે એક જ પતિના કેઈક મહા ઉત્પાતથી કે મહાયુદ્ધથી નાશ પામતી આવી છે, પર, એના બહુ થોડા અવશે આ પૃથ્વી પર રહ્યા છે. પણ એણે
વિકાસ- જે કાંઈ વિશેષ જ્ઞાન પિતાના પૂર્વજોથી મેળવ્યું હતું તેની કથાઓ તે એક કંઠથી બીજે કઠે ઊતરતી જ આવી હતી, અને આજે પણ એવા જૂના જલપ્રલયના ને બીજા વિનાશેના ઉલ્લેખ આર્યોના વેદમાં ને અવેસ્તામાં પણ અપાવે છે. એ કંઠસ્થ સાહિત્ય હતું, તે જ આપણે હજારો વર્ષ પછી તે વાત જાણી શકયા છીએ, તેમજ તેમના જીવનની પ્રગતિની વાતથી પણ આપણે માહિતગાર થઈ શકીએ છીએ. સાહિત્ય કેવું જોઇએ ને કેવું ટકી શકે ?
આપણે ઉપર જોઈ ગયા તેમ સાહિત્ય જ માનવજીવનની સમગ્ર દિશાની પ્રવૃત્તિઓને શિષ્ટ ઈતિહાસ છે, માનવસંસ્કૃતિઓમાંની શિષ્ટ તારવણીઓને જીવંત ભંડાર છે. આકાશમાં પ્રકૃતિનાં અનેક તત્વે રહેલાં છે; આપણે પણ નહીં પિછાન્યાં હોય તેવાં પણ બહુ હશે. પણ એ આકાશને ઝળહળાવી મૂકતું એનું ખરું ધન-આપણુ વાણિયા વેપારીના રૂપૈયા–તે ચેતનવતા ને સદા ઝગમગતા તારા, સૂર્ય, ચંદ્ર ને ગ્રહો છે. આખાયે વિશ્વનું સમગ્ર અવલોકન, આપણી ધૂળ દૃષ્ટિમાં અને દૂરબિનમાંથી પણ જોઈ શકાય તેવી શક્ય દૃષ્ટિમાં આ શિષ્ટ ચેતન તારાઓથી જ આપણે કરી શકીએ છીએ. અને તેની અગાધતાનું ને અનંતતાનું ચિંતન પણ કરી શકીએ છીએ. ઉપર કહ્યું તેમ જે શિષ્ટ સાહિત્ય છે તે જ અમરતાને પાત્ર છે.
વિજ્ઞાને પણ આપણને શીખવ્યું છે કે પ્રકૃતિમાં જે અશિષ્ટ છે તેને કાળક્રમે નાશ થાય છે અને શિષ્ટ (fittest) જીવનને જ વિકાસ થાય છે ને તે પ્રકૃતિના તુમુલ યુદ્ધમાં જીવી શકે છે. વિશ્વનું ચૈતન્ય પ્રકૃતિને શુદ્ધ કરતું કરતું તમામ જીવનને પુણ્યસ્થિતિ ભણી જ વાળે છે. જે પાપમય છે તે પ્રકૃતિના અશુદ્ધ અને અધૂરા રૂપનું દર્શન છે, જે પુણ્યમય છે તે જીવનના શુદ્ધ, પૂર્ણ ને ઉપકારક રૂપનું અંતિમ ફળ છે. જે પાપમય છે તે જીવનને અગતિ અને દુઃખ તરફ ખેંચે છે, જે પુણ્યમય છે તે જીવનને પ્રગતિ પર ચઢાવી આનંદ બક્ષે છે. જે પાપમય છે તેનો પ્રકૃતિની વિક્રિયામાં ભંગ થાય છે. જે પુણ્યમય છે તેની નેતિ અચળ રહીને ઝગમગે છે. જે પાપમય છે તેને ક્ષણિકતામાં વાસ છે. જે પુણ્યમય છે તે અનંતતામાં અમર વિહરે છે. એવું અમરે સાહિત્ય જ ઉત્પન્ન કરવાનું પ્રત્યેક લેખકનું દયેય હોવું જોઈએ. પ્રત્યેક લેખકે જાણવું જોઈએ કે તેનામાં જે ચેતન છે તે પ્રભુનું જ છે, ને તે પુણ્યમય છે. તેણે જાણવું જોઈએ કે તેના કોઈક પુણ્યના ફળરૂપ તેના પર વાઝેવીની મહેર ઊતરેલી છે, અને તેના હજારે લાખો મૂક માનવબંધુઓ જે
કોઈ દિવ્ય તત્વના ..... પન્ન થયો હશે. એ ભયમાંથી પિતાનું રક્ષણ કરવા એ દિવ્ય તત્વને કઈ રીતે રાજી કરીને તેની કૃપા મેળવવાની અભિલા' એના મનમાં જન્મી હશે. એટલે એણે પ્રથમ પ્રકૃતિનાં તત્ત્વોની–સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ,
પર્વત આદિતી પૂજા અને વિનવણી કરવા માંડી. પિતાનાં શુંઓની એ પ્રાણ-..પ્રકૃતિના ઉત્પાતોથી પોતાની નજર સામે થતી ઘાતથી એના મનમ માં ભય અને પછી અનુકંપા ઉત્પન્ન થવા લાગી, અને એ ભયમાંથી કઈક ખ થવા એણે એ કલ્પના પ્રમાણે પિતાના દેવ સ્થાપવા માંડયા. દુનિયાના નવે ખંડ માનવજાતના નીચલા થરમાં આ જાતની દેવપૂજા હજી પણ ઘલુ છે, અને આપણાં ગામડાંઓમાં–ના, નગરોમાં પણ—એ ૧૯તની પૂજા આપણે હજી જોઈએ છીએ. આ ભય અને અનુકંપ થી એને કોઈ દિવ્ય, અદૃશ્ય, ચેતનતત્વની ઝાંખી થઈ, અને એ તનતત્વના બીજમાંથી અને મૃત્યુના ભયમાંથી માનવને ધર્મને ચાર ઉત્પન્ન થયું. એટલે બધા ધર્મના મૂળમાં આ ભય અને અનુકંપા જ રહેલાં છે. જ્યારે તેને ચેતનતત્વને ખ્યાલ આવ્યો ત્યારે તેને સારાનરસાને ખ્યાલ વધારે તીવ્ર બન્યા, અને એમાંથી જ ધમ ના પ્રથમ તણખારૂ૫ નીતિરીતિના વિચારો અને ધીરેધીરે તેના સિદ્ધાંત પણ બવાયા. પૂજાના દેવના સ્થળ રૂપે સૂર્યચંદ્ર હો, સાગરસરિતા હૈ, પહાડ પથ્થર હો, કે બીજું ગમે તે હો, માનવને તે એના ભયમાંથી મુકત કરવા તે દેવની દયા ને મહેર જ જોઈતી હતી અને હજી જોઈએ છે.
હવે, એ પછી, માનવને એ દેવને હંમેશ પિતાની સામે અને પાસે રાખવા માટે કોઈ સ્થાનની અગત્ય પડી, અને એ અગત્યને લીધે દેવને માટે ઘર બંધાયાં. પોતે ગમે તેવી લાકડાંપતરાંની ઝુંપડીમાં એ માનવ રહેતા હોય, પણ પિતાના દેવને માટે કોઈ ઉચ્ચતર મઢી જ કરવાની તેને સ્વાભાવિક ઇચ્છા થાય, કેમકે દેવ કાંઈ એના જે સામાન્ય જન નહીં હોઈ શકે. એ દેવસ્થાનને સુંદર રૂપ આપવા માટે એના મનમાં નવા વિચાર ઉત્પન્ન થયે ને તેમાંથી કલાબુદ્ધિનો જન્મ થયો. એના દેવમંદિરને વિવિધ રીતે શણગારવા અને તેથી દિવ્યતા, ભવ્યતા, ને સુદરતા બતાવવા* એના ભાવે ને એની કલ્પનાએ પ્રયાસ આદર્યા. એ મંદિરમાં દેવને રીઝવવા અને પોતાની ઉંડી ભક્તિને વેગ આપવા