SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પ્રબુદ્ધ હતું એમ જણાવીને તંત્રી એક દિવસની ગાપચી મારી જતે. મુદ્રણુકળા તે વખતે ખીલી નહાતી. પથર ઉપર લેખેા લખવામાં આવતાં. તે વખતે ‘મુંબઇ સમાચાર’ એમ લખતાં પાંચ-સાત મિનીટ લાગતી. તેમાં ભાષાની અશુદ્ધિ પાર વિનાની રહેતી. સ્ટીખર આવી હતી એમ લખવુ હોય તે ‘ઇસ્ટીમર' આવી હતી એમ લખાતુ. જ્યારે મુદ્રણકળા આવી ત્યારે મુંબઇના “સુ” પર મી' ુ' મૂકાયું. તે વખતે સમાજને ગુલામીનું ઝેર પાઇને સુવાડી રાખવામાં આવતી. પછી તે પ્રજા જાગૃત થઇ તંત્રીની સામે પ્રશ્નો કરવા લાગી કે છાપુ કેમ ખરેાબર છ વાગે નીકળતું નથી ? એક માણસ પાકયા અને તેણે નાનું યંત્ર ગોઠવી એક અખબાર કાઢયું. તે વખતે ભાવનાશીલ માણસા પાકયા નહેાતા અને રાજકીય નેતાઓ પણ મ્હાર આવ્યા નહાતા. રાજકારણ તે વખતે બાલ્યાવસ્થામાં હતું. પૃથ્વી હું યુવાની આવી. સેદ્રાણ એક પારસીભાઇએ પાડયું. ૧૭ - એક પછી એક દેત.એ એક પગલું આગળ ભયું . હતા. .. યતી પેલા અખમારમાં છાપવા માડ, ર રા મ સ રી ** મુ. શ્રી ચ ૐ અખબાર શરૂ કર્યું. 1 દ્વારા તુ એની છાપ રાજા અને પુજા પર પડી. રૂહાની નવજીવન' નામનું અખબાર ગાંધી એ બહાર પાડયુ અને નૌજીવાનાને તેમણે નવું બળ આ’ૐ નિર્બંળને બળવાન બનાવ્યા અને અભણતે ભાષા શીખવી. ખરી ગુજરાતી ભાષા નવજીવને જન્માવી. નવજીવને રજળતી ગુ રગીરાને ઉપાડીને સિહાસન પર બેસાડી. નવજીવન લોકાનું બાઈ તે ની ગયું. નવજીવન દૈનિક જીવનના વિકાસ કરનારૂ સાધ-બન્યું. આજના અખારી પાછળ આવા અનેક ોધ ઇતિહાર રહેલા છે. શ્રી નાનાભાઈ ભટ્ટ ગાંધી-એ સરદાર પૃથ્વીસિ ંહને નતે જ દોરવણી આપી છે, નવા પૈગામ આપ્યા છે. જે શારરેક તાકાત જોઇએ તે હાલ આપણામાં નથી. મનની તાકાત, શરીરની તાકાત અને મને વધારે। કહેવા દ્યો તે। આધ્યાત્મિક તાકાત આપણામાં નથી. ગાંધીજી નવા યુગનુ નિર્માણ કરવા વિચારી રહ્યા છે. આના મૂળભૂત પાયો તે એ છે કે દરેકે દરેક માણસે પોતાના જીવનમાં બુદ્ધિપૂર્વક જાત મહેનતને સ્થાન આપવુ જોઇએ. જે જીવનની ઉંચામાં ઉંચી કોટિએ આપણે પહોંચવુ હોય તે આપણા જીવનમાં બુધ્ધિપૂર્વકનું શરીરનું જ્ઞાન હેવુ જોઇએ. સમાજની વિકસતી દશામાં બુધ્ધિપૂર્વકના શ્રમને સ્થાન નથી. લોકો મહેનત કરતા જ નથી અને મેઠા બેઠા ભાષણા આપે છે. પરિણામે સમાજમાં આવી જાતની મનેદશા ઉભી થાય છે અને આખા માનવ સમાજ તેને ભેગ બની જાય છે. આમાંથી આપણે બચવુ હાય, આવતી કાલનું નિર્માણુ આપણે આજે કરવુ હોય તે આપણા શરીરને આત્મબળ આપવુ જોઇએ. જે માણસે ભાષણા આપે છે તેના કરતાં શ્રમઉત્પાદક ી વધારે કિ ંમત છે. હું તો તમને એક વાત કહેવા અને કરાવવા આવ્યો છું અને તે તમારૂં આંગણું સ્વચ્છ રાખે. તમને લાગશે કે નાના જૈન તા. ૧૫-૧૦-૪ ભાઈ આ નવું કયાંથી લાવ્યા? પણ હું તમારી પાસે એક વાત મૂકવાના દાવા કરૂં છું કે જે માણસના જીવનમાં આ બાબતને બુદ્ધિપૂર્વકનું સ્થાન ન હાય તેના જીવનમાં એક મેડી ઉણપ રહી જાય છે. આપણા ગામડાંના લોકો તે એમ સમજે છે કે કયારે એવે દિવસ આવશે કે જ્યારથી કામ કર્યાં વગર પણ સુખે જીવવામાં વાંધા નિહ આવે. આ મનેદશા ખેદ ઉપજાવે એવી. છે. એની જવાબદારી આપણા ભણેલા વર્ગ ઉપર રહેલી છે. આવતી કાલના સમાજ તમારી આગળ આવવાનો છે. આ આશાથી પૃથ્વીસિંહ જેવા વીરપુરૂષે પાતાની જાતને તમારી આગળ નીચેાવી નાંખી છે. આપણા રાજના જીવનમાં થેડા એક ઉત્પાદક રીત હોવો જ જોઇએ. તમે જે માર્ગ અહીં લેવા આવ્યા છે તે મા તમારી પાસે ખુલ્લે જ છે. તમારાથી જેટલો રસ ચૂસાય તેટલા ચૂસી લેશે. સ્વામીજીના હૃદયમાં કેટલી આગ બળે ખબર પડે ? આપણી આ દશાને અંગે સ્વામીજી એક બાળકની માર્ક રડે છે. એમને એમ રડતાં તે તમે જોયાં ન જાય. આપણી આજની નિર્માલ્ય દશામાંથી આપણુને છેડાવવા માટે એ પ્રયત્ન કરી રહ્યા છે. જે પ્રજા નિર્માલ્ય અને તેજ વગરની ખની છે. તેને તેજસ્વી બનાવવાના તે પ્રયત્ન કરી રહ્યા છે શક્તિવાળી કયારે અને એવી ઝંખના રાત દિવસ તેએ કરે છે. સરદાર તેા એમ ઈચ્છે છે કે કયારે તમે,માતને ભેટવાની તાકાત કેળવો. મેાતને ઝીલી શકે એવા નૌજવાનાની એમને જરૂર છે. માથું આપતાં કેમ શીખવું એ એમને ઉદ્દેશ છે. હાથમાં માથું લઈને લડવુ એ એમની રીત છે. શ્રી રવિશંકર મહારાજ અત્યારે મહેસાણા પ્રાંતના સુરસદ નામના ગામમાં એક આરડી રાખીને હું રહું છું. એ આખું ગામ ચાર મ્હારવિટયાનુ છે. તેમનામાં અવગુણો છે તેમ સદ્ગુણા પણ પુષ્કળ છે. અઢાર વર્ષ સુધી હું કર્યાંજ કરતા હતા. હવે એક ઓરડી રાખીને રહું છું. એક બહારવટિયાની વાત કહું. આ બહારવટિયાને જમીન, ગાય, ભેંસ, એ ખરીઓ વિગેરે હતું. તે કઇક કેળવાયેલ લાગ્યો. પોતાની વાત કરતાં તેણે કહ્યું કે મેં કદી કંઇ પાપ કર્યું નથી તેથી જ મને આ સુખ મળ્યું છે. તમે કહેશે તે તે બે હજાર જેટલી ચારી કરી છે. તે જવાબ આપે છે કે કોઇના ઘરમાં બેસીને ચેરી કરીએ તે તે પાપ કહેવાય. જેમની પાસે પૈસાના ઢગલા પડયા છે એમની પાસેથી લઇને અમે બીજાને આપી એ છીએ. જેના ઘરમાં લક્ષ્મી વધારે એકઠી થઇ હાય છે તે ‘મને કાઢે કાઢે!' એમ કહે છે. એની બુમ અમને સબળાય છે અને જ્યારે જઇએ છીએ ત્યારે અધારે અમને દેખાય છે. અમે તે લઈ આવીએ છીએ, અમારી પાસેથી તે લક્ષ્મી જુદે જુદે સ્થળે વહેંચાઇ જાય છે. Üરે ઉત્પન્ન કરેલી વસ્તુને બીનજરૂરી એકત્રિત કરવી તેનું નામ ચેરી. વહેતા પાણીને રાકવું એ ચેરી છે. જો પાણી વહેતુ રહે તે જંતુએ પ્રવાહના પાણીમાં તણાઇ ાય છે. હાથે કામ કરીએ તેા ઘણા અનર્થ દૂર થાય. કપડાં અનાજ વિગેરેની કરકસર થાય. કરકસરમાં ખાનદાની રહેલી છે. મ્હારૂં ખર્ચ એક આનાનુ છે. વાર્ષિક બાર આના. મજમ્મુત હાથ પડે ત્યાં ધાન ઉપજે, સુવાળા હાથ પડે ત્યાં ખાલીખટ થઈ જાય. પૈસાદારના હાથ ચારણી જેવા હાય છે. મુંબઈ દેશ ચારણી છે. મહેનતુ ગરીબના હાથમાં પૈસા જશે તે રેટલા ખાશે. ધરતુ બારણુ છે।ડશે નહિ, મહેમાન કુટુમ્બને સાચવશે; રૅટીએ કાંતવાના
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy