________________
તા. ૧-૧૦-૪૧
પ્રબુધ જૈન
પ્રાચીન કાળમાં આત્મસાક્ષાત્કાર કરવા માગનાર પિતાની જાતને સમાજથી જેમ બને તેમ દુર જ રાખવા માગતા. તેઓમાં એવી માન્યતા હતી કે સમાજની અંદર રહી આત્માને સાક્ષાત્કાર થઈ શકે જ નહિ. તેઓ કોઈ એકાંત જગ્યાએ ચાલ્યા જતા અને યોગસાધના વગેરે કરતા. ગાંધીજીએ એ માન્યતા ખોટી ઠરાવી છે. તેઓ માને છે કે સમાજની અંદર રહી તેના પ્રત્યેની પોતાની ફરજો બરાબર અદા કરવી અને તે દ્વારા આત્મસાક્ષાત્કાર કરે. તેઓ કહે છે કે સમાજની ઉન્નતિમાં જ મારી ઉન્નતિ છે.”
પહેલાંના આત્મસાક્ષાત્કાર કરનારા સમાજથી અલગ પડી જતા હોવાથી તેમના જ્ઞાનને સમાજને બરાબર લાભ મળી શક્ત નહિ. જે સમાજને તેમના જ્ઞાનને બરાબર લાભ મળ્યો હતો તે આજે જેટલા પ્રમાણમાં સમાજની અંદર અધર્મ દાખલ થયેલો માલમ પડે છે તેટલા કદાચ. પાંધીજીએ સમાજની અંદર રહી આત્માને સાક્ષાત્કાર કરવાનું યંગ્ય માન્યું છે. તેઓ
ને છે કે દુનિયાની દરેક વસ્ત ધાર્મિક તન્દ્ર ઉપર નભેલી છે, દે કેટલે દરેક કાર્ય ધાર્મિ
જોઇએ. તેમણે સામજીક, માર્થિક, રા
અદર ધર્મને ગુંથી લીધો
તે રાખે છે. .. અને રાજકારણ કરતાં અધિક
માલમ પડે છે. તેમનું રાજકારણમાં ઝંપલાવવું તે પણ અધર્મને સામને કરવાના ઉદ્દેશથી જ પ્રેરાયેલું છે.
'આપણે ઉપર જોઈ ગયા કે ગાંધીજીની મહત્વાકાંક્ષા આત્માને સાક્ષાત્કાર કરવાની છે, તેથી પિતાની જાતને કોઈ પણ ક્ષેત્રથી દૂર રાખી ન શકે. ગાંધીજીનું રાજકારણ આ દૃષ્ટિએ છે.
કેટલાક તેમને રાજનીતિજ્ઞ કહે છે કારણ તેમણે હિંદી રાજકારણમાં ટુંક સમયમાં ધારી ન શકાય એવી મોટી ક્રાન્તિ કરી છે, ગુલામીમાં સબડતી પ્રજાને સ્વતંત્રતા હાંસલ કરવા માટે તીવ્ર લાગણીવાળી બનાવી છે. સામાન્ય રીતે રાજકારણીય પુરૂષ ધર્મથી દૂર રહે છે એમ માનવામાં આવે છે, કારણ તેમના મનમાં રાત-દિવસ એજ વિચાર આવે છે કે સામા રાષ્ટ્રને કેવી રીતે ગુલામ બનાવવું, આર્થિક અને નૈતિક દૃષ્ટિએ કેમ કરી પાયમાલ કરવું. અત્યાર સુધીનાં યુધ્ધ પરરાષ્ટ્રને આર્થિક દૃષ્ટિએ - • કરવા માટે જ લડાયાં છે અને અત્યારનું યુધ્ધ પણ અન દૃષ્ટિએ થાય છે. ચર્ચહીલ કે રૂઝવેલ્ટ કહેતા હોય કે અમે પરાધીન રાજ્યને મુકિત અપાવવા અને ધર્મનું રક્ષણ કરવા લડીએ છીએ તે એ મોટી છે. તેઓ તે પોતાના માર્ગ માંથી દુશ્મનને દૂર કરવા માગે છે, જેથી બીજા દેશો ઉપર પિતાને ભગવટો કાયમને કાયમ રહે. પર, . .
જુદી છે. તેમને મન તે એક જ વસ્તુ છે . - સાક્ષાત્કાર. કેટલાક માને છે કે “ધર્મ અને કઈ દિવસ બની શકે જ નહિ, કારણ રાજકારણમાં ફટકા જોઈએ જ. તે સિવાય કદી રાજ્ય ચાલી શકે જ નહિ.” પરંતુ ગાંધીજી કહે છે કે “જે આવી વાત કરે છે તે ધર્મ શું
છે તે જાણુ નથી.તેઓ કહે છે કે “મારે નશ્વર સામ્રાજ્યની : ઇચ્છા નથી, હું સ્વર્ગના સામ્રાજ્યની ઈચ્છા કરી રહ્યો છું. કારણ
તે જ આધ્યાત્મિક મુક્તિ છે. મારે માટે ધર્મરહિત રાજનીતિ મૃત્યુ સમાન છે. તેમાં આત્માને ઘાત થાય છે. રાજનીતિ એ તે ધર્મની સેવિકા છે.”
તેમની રાજનીતિ સત્ય અને અહિંસા ઉપર રચાયેલી છે. અધર્મને વિધતેઓ અહિંસા અને પ્રેમથી જ કરવા માગે છે. તેઓ માને છે કે મનુષ્ય પ્રાણીએ કેટલાએ અન્યાય કર્યો હોય અને કેટલાંયે પાપ કર્યો હોય તે પણ મનુષ્ય એ મનુષ્ય જ છે. તેને આખરે ધર્મને રસ્તા સુઝશે જ. આ સિદ્ધાંત ઉપર તેમની સત્યાગ્રહની લડત છે. અહિંસા એ ચેતનયુક્ત પ્રચંડ શકિત છે, તે પાષાણ હૃદયને પીગળાવી શકે છે. તેની સામે વિરોધ ઉભો રહી શક્તા જ નથી. ગાંધીજીની રાજનીતિ વિષે કાકા સાહેબ કહે છે કે “ગાંધીજીની રાજનીતિમાં જે કંઈ ખાસ વિશેષતા હોય તો તે એ છે કે તેઓ વિરોધને પોતાની સામે ઉભે જ રહેવા દેતા નથી. બનતાં સુધી તેઓ વિધીઓ પાસેથી તેમની વિરધવૃત્તિ છીનવી લે છે. જેની સાથે તેમને વિરોધ હોય તેની સાથે તેઓ ઘટે તે કરતાં વધારે. પક્ષપાત પહેલાંથી જ બતાવી દે છે, પોતાના વિરોધીએને પિતાના જ જેવા સજન માની લે છે અને તેમની સાથે ધર્મયુધ્ધ કરે છે અને તેનામાં સુતેલી ધર્મબુધ્ધિને જાગૃત કરે છે. સત્યાગ્રહની અંદર આપણે જોઈશું તો જણાશે કે સત્ય અને અહિંસાથી જ તેમણે વિધીનું હૃદયપરિવર્તન કરવા પ્રયત્ન કર્યો છે અને દરેકમાં તેમને સફળતા મળી છે. '
સત્યાગ્રહ એટલે અધર્મ અથવા અન્યાયને પ્રતિકાર. સમાજની અંદર રહેલા અધર્મ અથવા અન્યાયને દૂર કરે એ સમાજમાં રહેનાર દરેકની ફરજ છે. ગાંધીજી માને છે કે “દેશ અને સમાજની સેવામાં જ મારી મુકિત છે. સમાજની અંદર રહેનાર સમાજના દરેક કાર્યોને ભાગીદાર છે, તેને ત્રણ છે.
. સર્વનિ તતમ્ !
सेद्धिं विंदति मानवः ॥ જેથી સંવ ' ' 'ત્તિ અને પ્રવૃત્તિ થાય છે તથા જેનાથી આ સમગ્ર જગત વ્યાપ્ત છે તે પરમાત્માને પિતાનાં સ્વાભાવિક કર્મવડે પૂજીને જ મનુષ્ય એ સિદ્ધિને પામે છે.
પ્રાચ કાળથી હિંદ નીતિને માર્ગે ચાલતું આવ્યું છે. અનેક સતાએ તેને પતનને માર્ગેથી બચાવ્યું છે. ગાંધીજી આપણું એ પૂર્વાચાર્યોના વંશજ છે. તેમણે હિંદને એક ને માર્ગ બતાવ્યા છે. તે માર્ગે જવામાં જ આપણું કલ્યાણ રહેલું છે. તા. ૨૧-૮-૪૧, “એક વિદ્યાથી? ગૂજરાત વિદ્યાપીઠ)
# વિદ્યાપીઠમાં ગાંધી સપ્તાહ વ્યાખ્યાનમાળા અંગે તૈયાર કરેલ નિબંધ.
માનવ સંગીત (“નઈ દુનિઆમાંથી શ્રી આનંદ શાસ્ત્રીના કાવ્યને અનુવાદ)
ચાલે માનવ બનવા ચાલે ! સદીઓથી વિભકત બનેલા ! નવી દુનિયા સરજા–ચાલે માનવ બનીને, આ દુનિયામાં માનવતા વધારે, સંપ્રદાયના ભડકા ચાલો સાથે મળી બુઝાવો, જાતિ-ધર્મના જંગ હટાવી, માનવતા ચમકા, સર્વ ધર્મ સમભાવને પાયે વિશ્વમંદિર ચણાવે–ચાલે. ' નિરતિવાદના ઝગડાનું મૂળ કારણ ફરી શેધાવો, વેદ-કુરાન-પુરાણ-સૂત્રથી જગને માર્ગ બતાવે, સદીઓથી જલતા હૃદયેપર પ્રેમામૃત વરસાવે, જગસેવક બની સત્ય ભકતની પદરજ 'શિવ ચઢાવે–ચાલે મતવિભિન્નતા દૂર ભગાડે, પ્રેમપ્રદીપ પ્રગટાવે, માનવ બનીને, માનવતાની આશાઓ ફર્લ લાવે, હિન્દુ મુસ્લીમ ભેદ ફગાવી, રાષ્ટ્ર ધર્મ જગાવે, નવયુગના માનવ સંગીતમાં, ભારત સુર પૂરા–ચાલો૦
કાતિ બરેડીઆ