________________
તા. ૩૧-૧-૪૧
આપણી સામે આવી ઉભી રહે છે. જે એમાં લખ્યું છે એજ કરવા લાયક છે, એજ ધર્મ છે; એ સિવાય જે કાંઇ કરવામાં આવે તે અધમ છે, અસત્ય છે અને શ્વરના દરબારમાં દંડને પાત્ર છે. આપણી બુદ્ધિ અને વિવેકને તેમાં જરા પણુ સ્થાન નથી; આપણા જ્ઞાન--વિજ્ઞાનને જો કદિ શાસ્ત્રના ટેકા ન મળ્યા તે તે જરૂર નકામુ, ખાટુ અને અસ્વીકાર્ય છે. ધર્મના નામે સમાજ પર શાસન કરનારા, ખીજાને ત્યાગ અને ધર્મશીલતાના ઉપદેશ આપી પોતાના · અહ 'તે તુષ્ટ કરનારા ગુરૂ શાસ્ત્રોની
જે વ્યાખ્યા કરી આપણી પ્રગતિના માર્ગમાં આડા કરી રહ્યા છે તેનાથી આપણું ભંયકર પતન થઈ રહ્યું છે. શું આપણે એ પતનને જોઇ રહીશું? શું આપણા યૌવનનું દેવાળુ કાઇ ગયું છે? શું આપણી બુદ્ધિ પર તાળાં વસાઇ ગયાં છે? શું આપણે એટલા બધા નામ બની ગયાં છીએ ? શું આપણા યુવક વર્ગ આજે આવી પરિસ્થિતિ નિભાવી લેશે?
જૈન સમાજના નવજવાના ! મહાત્મા ગાંધીજી અને પંડિત જવાહિરલાલે જે આદર્શ તમારી સામે રાખ્યા છે, જે આદર્શને સામે રાખીને તેમણે આજ સુધી કામ કર્યું છે, જે આદર્શની સ્થાપના માટે તેમણે સમાજમાં ક્રાન્તિ પેદા કરી છે એ આદશંને તમારા જીવનનું અંગ બનાવો, એને આગળ વધારવામાં તમારા સાથ આપી બતાવી દ્યો કે તેમના અવાજ આજના યુવકના અને યુવતીઓના હૃદયના અવાજ છે. એમને આદર્શ આખા તરૂણ વર્ગને આદર્શ છે. મેટાઇના નામે, અનુભવના નામે, પ્રાચીનતાને નામે, ધનના નામે, ધર્મના નામે, શાસ્ત્રના નામે કે બીજા કાઇ પણ ના યુવક સમાજ હવે પોતાની બુદ્ધિ, વિવેક અને ચૈતન્ય પર ાનું દમન જરા પણ ચાલવા દેશે નહિ.
પ્રબુદ્ધ જૈન
ઉગતી દુનિયા શું માંગી રહી છે? એજ કે આપણે અંધકારમાંથી પ્રકાશ તરફ, અસત્યમાંથી સત્ય તરફ, ધનમાંથી મુક્તિ તરફ, જડતામાંથી પ્રતિ તરફ, સાંકડાપણામાંથી વિશાળતા તર, નિર્જીવતામાંથી નવજીવન તરફ સુષુપ્તિમાંથી જાગૃતિ તરફ, નિર્વીયતામાંથી શૌય તરફ, હિંસામાંથી અહિંસા તરક, અતિમાંથી નીતિ તરક, સ્વાર્થીપણામાંથી પાપકાર તરક, મેહમાંથી ત્યાગ તરફ, જડતામાંથી ચૈતન્ય તરફ, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ નિરાશામાંથી આશા તરક, આળસમાંથી સ્કૃતિ તરફ, મલીનતામાંથી નિર્મૂળતા તર, અશુભમાંથી શુભ તરકુ, વિષાદમાંથી આનંદ તરફ અવિવેકમાંથી વિવેક તરફ, પરતવ્રતામાંથી સ્વતંત્રતા તરફ, વિશ્વમાંથી અમૃત તર, શબ્દશૌર્યમાંથી કર્મશૌર્ય તરફ, અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ, કૃત્રિમતામાંથી સ્વાભાવિકતા તરફ, બિન્દુમાંથી સાગર તરફ, પરિચિતમાંથી અપરિચિત તરફ, ભેદમાંથી અભેદ તરફ અને પરાજયમાં વિજય તરફ, એવી રીતે મૃત્યુમાંથી અમરત તરફ આપણી યાત્રા ચાલુ રાખીએ અને આગળને આગળ વધીએ અને પ્રાર્થાએ અને ગાએ કેઃ—
असतो मा सद्गमय । तमसो मा ज्योतिर्गमय । मृत्यो ममृतं गमय ।
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા ! ઉંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તુ લ Á ! મહા મૃત્યુમાંથી અમૃતસમીપે નાથ ! લઈ જા !
અનુવાદક નાનચંદ લાલ
૧૮૭
કેટલાક સમાચાર અને નોંધ.
ચુરે પીય વિગ્રહ
યુરોપીય વિગ્રહ આજે મંદ મંદ ચાલે છે. ફ્રાન્સના પતન બાદ યુરેપની પરિસ્થિતિમાં બહુ મહત્વતા ફેરફાર થયો નથી. જર્મનીને હાલ કાઇ પણ સરહદ ઉપર લડાઇ આપવી પડતી નથી. અવારનવાર ઈંગ્લાંડ ઉપર હવાઇ હુમલાએ કર્યા કરે છે અને તેથી પારાવાર નુકસાન થઇ રહ્યું છે. ઇંગ્લાંડનું પાટનગર લંડન આ હુમલાએના પરિણામે સ્થળે સ્થળે તારાજ થ રહેલ છે. આવી જ રીતે અંગ્રેજો તરફથી પણ જર્મનીના જુદા જુદા પ્રદેશ ઉપર તેમજ ફ્રાન્સ, હેાલાન્ડ, બેલ્જિયમ વગેરે દેશના જે સમુદ્રતટપ્રદેશા જર્મને રોકીને બેઠા છે તે ઉપર હવાઇ હુમલા ચાલુ જ છે અને તેથી પણ માલમીલ્કત તથા ન્તનમાલની સારા પ્રમાણમાં ખુવારી થઇ રહી છે. બાલ્કન રાજ્યમાં ભારે ઉથલપાથલ અને ખટપટ ચાલી રહી હાય એમ લાગે છે. પણ તેનું કાં ભૂત પરિણામ આવ્યું જણાતું નથી. ફ્રાન્સ પડવાની અણી ઉપર હતું તે તકનો લાભ લેવા માટે ઇટલીએ વિગ્રહમાં પ્રવેશ કર્યાં હતા. પણ તે તે જ્યાં ત્યાં પાછુ જ પડતું આવ્યું છે. ગ્રીસ ઉપર ઇટલી માટે હલ્લો લઇ ગયું, પણ માર ખાઈને તેને પાછા હાવું પડયું. આફ્રિકામાં અગ્રેન્થેને હાથે ઇટલી હાર ઉપર હાર ખાઇ રહ્યું છે અને ઇટલીના સંખ્યાબંધ સૈનિકા કેદ પકડાઇ રહ્યા છે; એક બાજુ લીબીયામાં તે જૈસભેર પીછે હા કરી રહ્યા છે; બીજી આન્તુ આબીસીનીયાની ઉત્તર સરહદ ઉપર અંગ્રેજોનુ આક્રમણ શરૂ થઇ ગયું છે અને તે સરહદને વીંધીને તે આગળ વધી રહ્યા છે. આીસીનયાની પ્રજા પણ આ તકનો લાભ લઇને ઇટલીની હકુમત સામે બળવો . જગાવે એવા પુરા સબવ છે. પરિણામે ટલીને આફ્રીકામાંથી એક એક માસમાં રૂખસદ લેવી પડશે જ એમ લાગે છે, અંગ્રેજોની બાજુએ આ એક ભારે અનુકુળ ઘટના બની રહી. હાય એમ ભાસે છે, બીજું અમેરિકા આયુરોપીય વિગ્રહમાં સાક્ષાત ઉતર્યું નથી; એમ છતાં અંગ્રેજોને લડાયક સાધન સામગ્રીની પુષ્કળ પ્રમાણમાં મદદ આપી રહેલ છે. અમેરિકાના પ્રમુખ ઝવેલ્ટ જાહેરપણે જર્મનીના નાઝીવાદના સ્પષ્ટ શબ્દોમાં વિરેધ કરી રહેલ છે અને તેની દૃષ્ટિએ લોકશાસનના સાચા પ્રતિનિધિ બ્રીટનને બને તેટલી મદદ આપવાને પોતાની પ્રજાને ઉત્તેજી રહેલ છે. અમેરિકા ખાતે બ્રીટનના પ્રતિનિધિ લોર્ડ લાધીયન એકાએક મૃત્યુ પામ્યા. તેના સ્થાને લાડ હેલીકાસ નીમાયા છે અને લોડ હેલીફાકસની જગ્યાએ સર એન્થની ડનતે યુધ્ધમંત્રી તરીકે ગાઢવવામાં આવેલ છે. યુરેપીય યુધ્ધની આજે આ પરિસ્થિતિ છે. સૌ કાઇ શિયાળે પુરૂ થાય અને વસન્ત બેસે ત્યારે શું અને છે તેની તેમ્બરીથી રાહ જોન ખેડા છે, કારણ કે યુધ્ધને અનુકૂળ રંતુ પ્રાપ્ત થતાં જર્મની બ્રીટનને પરાસ્ત કરવા માટે પોતાનું આખરી બળ અજમાવશે અને આજ સુધી વપરાયલા અને નહિં વપરાયેલાં એવાં અનેક ઘાતક શસ્ત્ર અસ્રાના ઉપયોગ કરવાને ચુકશે નહિ એમ સૌ કોઇ ધારે છે. આ ભીષણ અને ભયાનક આક્રમણુના બ્રીટન કૅવેશ સામનો કરે છે તેના ઉપર જ બ્રીટનના વિજ્ય-પરાજ્યને આધાર રહેલો છે.
શ્રો વિનામા ભાવેનુ અદાલત સમક્ષ નિવેદન
શ્રી. વિનેબા ભાવેને ફરીથી પકડવામાં આવ્યા અને એવા જ ગુના માટે છ માસની સજા કરવામાં આવી ત્યારે
@