________________
૧૮૬
પ્રબુધ જૈન
તા. ૩૧-૧-૨૪
सञ्चस्स आणाए उवहिए मेहावी मारं तरति। સત્યની આણમાં રહેનારે બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુદ્ધ જૈન
सत्यपूतं वदेद्वाक्यम् જાન્યુઆરી ૩૧
૧૯૪૧ ‘તમસો મા તિર્ગમય !” ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા
[કલકત્તા ખાતે શ્રી. વિજયસિંહ નહાર અને બરમલ સીંધીના સંયુકત રાંપાદન નીચે છેલ્લા બાર મહીનાથી “તરૂણ ઓસવાલ' નામનું એક માસિક નીકળે છે. “તરણ સવાલ' અને “પ્રબુદ્ધ જેને એક સરખા આદર્શ ઉપર અને ધર્મ, સમાજ તેમજ રાજકારણ સંબંધમાં લગભગ એક સરખા સિંદ્ધાને ઉપર ચાલે છે. તરૂણ સવાલે બાર માસની કારકીરી દરમિયાન તેજસ્વી અને કાતિકારી દ્વારા કલકત્તા બાજુ વસતા જૈન સમાજમાં જે ક્ષેભ ઉપજાવ્યું છે તે માટે તે પગના સંપાદકેને ખરેખર ધન્યવાદ ઘટે છે, પ્રસ્તુત માસિકના ડીસેંબર માસના અંકમાં તરૂણ ઓસવાલ' આદર્શને રજુ કરે એક લેખ સંપાદક તરફથી પ્રગટ કરવામાં આ૦ છે. આ લેખ પ્રબુધ્ધ જેન'ના માનસને યથા સ્વરૂપે પ્રતિવનિત કરે છે એમ લાગવાથી પ્રસ્તુત લેખ સર્વ સામાન્ય બને એ આશયપૂર્વક તે લેખમાં આવતા “તરણ ઓસવાલ' ને લગતા ઉ માં યોગ્ય ફેરફાર કરીને તેને ગુજરાતી અનુવાદ નીચે રજુ કરવામાં આવે છે.
પરમાનંદ.]. આ આપણા આદર્શ છે. આખું ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ એ આદર્શના આધાર પર જ રચાયેલાં છે. વિશ્વનો કવિ આજે પણ પોતાનાં કાવ્ય ભારતીયતાની પૂજામાં સમર્પિત કરે છે, તેની ભીતરમાં પણ આજ આદર્શની પ્રેરણું છે. એ આદ
માં જીવન છે, ગતિ છે, લક્ષ્ય છે અને વ્યાપકતા પણ છે. સેંકડો વર્ષો સુધી ભારતનાં સંતાનોએ આ જ આદર્શ પર આરૂઢ થઈ જે પ્રકાશ છે, જે ગતિ પ્રાપ્ત કરી, એના બળ પર જ આજે આપણા રાષ્ટ્રનું જીવન ટકી શકયું છે; નહિ તે શું આજ આપણી ચારે કોર જે ભયંકર અંધકાર ફેલાઈ રહ્યો છે તેમાં આપણે ઉભા રહી શકત ખરા ? પણ આજે તે આપણને
એ આદર્શની સશરીર મૂર્તિસમાં મહાત્મા ગાંધીજી મળ્યા છે. તેમણે કેવળ હિંદને જ પ્રકાશને માર્ગ બતાવ્યું છે એટલું જ નહિ પણ આખા સંસારને અંધકાર દૂર કરવા તેઓ કટિબધ્ધ થયા છે.
આજે આખા જગતમાં ચારે બાજુ ભીષણ અંધકાર ફેલાઈ રહ્યો છે. એને લીધે યંકર હિંસા, અત્યાચાર, અનાચાર, અને દમનનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. જે પ્રકાશ હેત તે આ સ્થિતિ થાત ખરી? મનુષ્ય મનુષ્યને ભૂલી જાત ખરે 2 વ્યકિત ઉપર સમાજને આટલે નિર્દય અત્યાચાર હોત ખરો ? સ્વાર્થાનિ આટલો પ્રબળ પ્રજવલિત થયો હોત ખરો? ગરીબો અને ભજુ. • આટલાં ભીષણ શાપણું ચાલતાં હેત ખરા? ધર્મમાં આટલી બધી જડતા આવી જાત ખરી ? શું રાષ્ટ્રીયતાના નામ પિર માનવતાને આટલી હદ સુધી તિરસ્કાર થઈ શકત ખરા ? ધનનાં ચરણોમાં ધર્મ આટલી હદે રગદોળાતે હોત ખરો ? શું સ્ત્રીઓ પુરૂષોની આટલી બધી ગુલામ હોત ખરી ? શું રાષ્ટ્રની સ્વતંત્રતાને આ પ્રમાણે નાશ થઈ શક્ત ખરો ? આ સઘળી બાબત એ અંધકારનાં જ ચિને છે. એની અભેદ્ય દીવાલો વ્યકિત, સમાજ અને રાષ્ટ્રની ચારે બાજુ, ખડી છે, આપણે આજ એ અંધકારને ચીરવાન છે, આપણને પિતાને, સમાજને
અને માનવજાતિને એવા પ્રકાશમાં લઈ જવાના છે કે જ્યાં એવી સઘળી બાબતે અસંભવિત હેય. જે આજે આપણે પ્રકાશ નહિ શોધીએ, અથવા જે પ્રકાશ બતાવે છે એની વાત. નહિ સાંભળીએ, તે એનું માત્ર એક જ પરિણામ આવશે અને તે આપણે સર્વનાશ..
જન સમાજમાં આજે કે ભયંકર અંધકાર છવાઈ રહ્યો. છે? આજે આપણુ દુર્ભાગ્યે એવા બનાવો બની રહ્યા છે, એવો અંધકાર વ્યાપી રહ્યો છે કે જેને આપણે રક્ષક સમજીએ છીએ એ આપણને વધારે ઘાડા અંધકારમાં લઈ જાય છે. આ સ્થિતિનું કેવી રીતે નિવારણ થાય? જ્યારે એ વિચારીએ છીએ ત્યારે એક જ ઇલાજ દેખાય છે. અને તે એ કે સમાજમાં એક સર્વેથિી કાન્તિની રણભેરી વગાડી દેવી; અંધકારની સામે જબરજસ્ત જેહાદ ઉઠાવવી; અને એને માટે આખા સમાજનો ઢગ બદલી નાંખ; જે શક્તિઓ અને જે કારણે નવયુગના ઘડતરને. નવા પ્રકાશના આવાહનને વિનકર્તા હોય તેને નાશ કરે. આપણી અંદર જે શક્તિઓ પેદા કરવાની છે તે પેદા કરી બહારના જે શત્રુઓ સામે લડવાનું છે, જે વિરોધીઓને દબાવવાના છે તેમને પુરે સામને કરે.
આજે આપણને આ અંધકારનું જે ભીષણ રૂપ દેખાય છે તે સમાજમાં પ્રસરી રહેલી ગુલામી મનેદશાનું જ સ્વરૂપ છે. એ ગુલામી મને દશાને લીધે આપણી જીવન–પ્રગતિ, પરિવર્તન અને વિકાસ રોકાઈ ગયાં છે, ચેતન્ય નાશ પામ્યું છે, આપણે ડગલે ડગલે થાકી જઈએ છીએ, નવીનતાને લીધે ગભરાટ અને ડર માલુમ પડે છે અને આપણામાં આતેને સામનો કરવાની હિમ્મત માલુમ પડતી નથી. મનની વાત પ્રગટ કરવાનું સામર્થ્ય પણ જોવામાં આવતું નથી. ગૃહજીવનમાં, સમાજજીવનમાં, રાષ્ટ્ર જીવનમાં અને માનવ-જીવનમાં સર્વત્ર અંધકાર જ અંધકાર દેખાય છે. ને જે સમાજની શક્તિના રક્ષક છે, નેતા છે, ગુર છે. શિક્ષક છે, ઉદ્ધારક છે, માર્ગદર્શક છે – એમની બુદ્ધિ પર પણ એ અંધકારને થર જામ્યો છે, તેઓ પિતાનું કર્તવ્ય ભૂલ્યા છે, પિતાને રસ્તે ભૂલ્યા છે અને બુદ્ધિવિશ્વમમાં પડયા છે. અંધકાર એમનાં જીવનનું અંગ બની ગયેલ છે. એમના વગર અંધકાર નહિ અને અધિકાર વગર તેઓ નહિ. એવી હાલતમાં જ્યાં વાડ જ વેલને ખાઈ જાય છે, ત્યાં આશાનું અવલંબન કેવું?
શાસ્ત્રકારો કહેતા આવ્યા છે કે જ્યારે કોઈ મેટી આપત્તિ આવી પડે છે, વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રજીવન અંધકારમય બની જાય છે, ઉધ્ધારને માર્ગ દેખાતા નથી ત્યારે ધર્મ રક્ષણ કરે છે; ધર્મદ્રારા પ્રકાશ અને બળ મળે છે. પણ શાસ્ત્રકારોએ એ નથી બતાવ્યું કે જ્યારે ધર્મ જ અંધકાર પિદા કરનાર બની જાય–જડતા અને અશકિતને પેદા કરનાર બની જાય ત્યારે કે 'રક્ષણ કરે ? કદાચ શાસ્ત્રકારોને એ સ્થિતિ સંભવિત જ લાગી ન હોય ! પણ આજ તે જે થઈ રહ્યું છે તે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. દૂર નહિં જતાં જન સમાજમાં જ જોઈએ. અહીં જે અંધકાર, ચૈતન્યહીનતા અને જડતા દેખાઈ આવે છે એ જોઇને શું આપણને કંપારી નથી છૂટતી ? એનાં કારણ શું ? આપણને કહેવું પડશે કે એજ શાસ્ત્રી કે જે હજારો વર્ષો અગાઉ નક્કી કરેલી આખી વ્યવસ્થા આજની સ્થિતિ ઉપર એના એ સ્વરૂપે લાદી રહેલ છે અને શાસ્ત્રોનું રક્ષણ કરનારા એ જ ધર્મગુરૂઓ કે જે આપણને વારંવાર શાસ્ત્રનો દાંડો લઈને હાંકયે રાખે છે. શાસ્ત્રની વ્યવસ્થાની બહાર જરા પણ પગ મળે કે પાપ, અનર્થ અને અન્યાયની કાળી ભયંકર મૂર્તિ