SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧-૪૧ પ્રબુદ્ધ જૈન આપણાં ભાંગતાં ગામડાંઓ નિંગાળા અધિવેશનની વ્યવસ્થામાં આસપાસનાં ગામડાઓમાં વસતા જૈન ભા” વધુ પ્રમાણમાં ભાગ લેવાને પ્રેરાય તે માટે તથા અધિવેશનના મંડપ, રસોડું તેમજ પ્રતિનિધિઓનાં નિવાસસ્થાના ઉભાં કરવા માટે જરૂરી અગણુ, ગાદલાં, ગાદડાં, વાસણ વગેરે એકઠાં કરવાના હેતુથી મતે ત્યાંના કટલાક કાર્યકર્તા ભાઇએ! સાથે ઝાલાવાડ તથા ગોહેલવાડના કેટલાંક ગામડાંએમાં ફરવાનુ બનેલું. અમારે જે જે ગામડાંએમાં કરવાનું થયું હતું તે તે ગામડાંઓમાં આગળ ઉપર જૈતાની સારી જાહેાજલાલી હતી. તેમની વ્યાપારી સાહસિક વૃત્તિ, કાયિાવાડની સુપ્રસિધ્ધ મહેમાનગીરી અને શૌર્યભર્યા જીવનને લીધે ગામડાં! શાળતાં હતાં આજે એ ગામડાંઓ તદ્દન ભાંગી ગયાં હાય એમ લાગ્યું. જંનેની વ્યાપારી સાહસિકતા, પરાણાગત, અને જાહેાજલાલી કેવળ સ્વપ્ના જેવી થઇ ગઇ હેય એમ જણાયું. એ ગામડાના જંનેમાંથી કટલાક કુટુંબે એવા ભાલુન પડયાં કે જેઓ ડુંગળી, કાંદા, બટાટા વગેરે શાકભાજી વેચી પોતાનુ ગુજરાન જેમ તેમ ચલાવી રહ્યા છે. કેટલાક ભાઇએ સુખી ખેડુતને ત્યાં પાણી ભરીને કે બીજી કાઇ જાતની મજુરી કરીને મે પાંચ રૂપી મેળવે છે અને એ રીતે ત્રણ ચાર માણસોનું કુટુંબ પાળે છે અથવા તે અડધા ભુખ્યા રહીને જીવનનિર્વાહ ચલાવે છે. ભાંગતા ગામડાના જતા અને મહાજનની આજે આ દશા છે. અમેાએ નિગાળામાં ભરાનાર્ અધિવેશનની તેમની સાથે જ્યારે વાત કરી અને તેમના સહકારની માંગણી કરી, ત્યારે દૂર દૂરના જૈન ભાઇએનાં દર્શનનો લાભ મેળવી આપવા માટે નિગાળાને તે ધન્યવાદ આપવા લાગ્યા અને પુરા સહકાર આપવા તેઓ તૈયાર થયા. કેટલાક ભાઇએ ખેચાને પણ પ્રતિનિધિ તથા સ્વાગત સભ્ય થયા અને કેટલાક ગાદલાં, ગોદડાં ગામમાંથી મેળવી આપવા કબુલ થયા. મને આ વખતે શહેર અને ગામડાના ભાગે! વચ્ચે જે ક રહેલા છે તેના ખરા ખ્યાલ આવ્યો. જે જે ગામમાં અમે ગયા હતા એ ગામના ભાઇએ ખૂબ ગરીબ હતા એમ છતાં પણ પુરા ભાવથી અમાશ સત્કાર કરતા અને ગામના ખેડુત વર્ગના નાના સરખા મેળાવડા કરી તેમને અમારી આળખ આપતા અને ચા, પાનસોપારીથી પરાણાગત કરતા અમારા શહેરને અનુભવ આથી કેવળ જુદાજ હતા. ગામડાના ખેડૂત વર્ગ ચોમાસુ નિષ્ફળ બનતાં ખેતરમાં થતી ઓછી નીપજ, દરબારી કરવેરા અને શાહુકારી દેવુ વગેથી દબાયેલા હાઇ યાપાત્ર બની ગયા છે, ખેડુત મહેનતુ બાળા અને પ્રભુ પ્રત્યે પ્રેમવાળા હોવાથી અને જાતમહેનતથી ટેવાયેલા હેાવાથી દુ:ખમાં પણ હસતા દેખાય છે. જેમ વર્ષો પહેલાં ગામડાના વાણીયાએ સારી અને ઉન્નત સ્થિતિમાં હતા તેમ ખેડુતને ખેડની નીપજ પણ સારા પ્રમાણમાં થતી, દરબારી કાર એછા હતા અને આંગણે ગાય, બળદ અને બેસેાની લગાર રહેતી, તેનાં દુધ, દહીંની રેલમછેલથી ગામની છતર કેમ પણ પોષાતી હતી. ખેડુત વર્ગની આ ઉદારતાથી ગામડાં ખૂબ ઉજળાં લાગતાં. પણ આજે ઉપરાઉપરી ચામામાં નિષ્ફળ જતાં પાક ઓછો થયા કરે છે. વળી દુષ્કાળ પણ અવારનવાર આવે છે. તેમજ દઆરી કરવેરા અનેક ગણું વધી ગયા છે. વળી દરબારી વસુલાતી અધિકારીએ દરબારી આવક વધારવા માટે મનગમતી આનાવારી કરી ખેડુતેની નીપજના માટે ભાગ લઇ જાય છે. ઉપરાંત ખળા ૧૮૫ વાડમાં ખેડૂત કે જે ‘ જગતને! તાત ’ કહેવાય છે તે કેમ રંજાડ પામે છે તે મેં મારી નજરે જોયુ છે. ખેડુત ખેતરમાંથી ધાન્યના કુંડા લાવતા હોય છે ત્યારે તેને ઉપર દરબારી ચેકી ઉભી હાય છે ઉપરાંત ગામના મહંત, બ્રાહ્મણ, પોતપોતાનાં મંદિશ વગેરેના લાગાની ઉધરાણીનો પ્રવાહ ચાલુ થાય છે. શાહુકાર પાસેથી ઉધાર લઇ બમણાં ત્રણગણુાં કરી આપેલાં કરજની તકેદારી ઉભી જ હાય છે. આટલી બધી હાડમારીઓથી ઘેરાયેલું ખેડુત કુટુંબખેડુત, તેની સ્ત્રી અને બાળક–ખેતરમાં નીપજેલા ધાન્યમાંથી દાણા છુટા પાડવાની પેરવીમાં મચ્યું. હાય છે. સ્ત્રી લાકડાની ઉભી કરેલી સીડી ઉપરથી પવનની લહેરમાં સુપડા વતી દાણુ! અને ફેતરાંને જુદા પાડે છે, બાળક દાણા ઉપર પડેલાં ફ્રેશચંને સાવરણીથી સાફ કરે છે અને પોતાની માને ભેળસેળવાળા દાણા સુપડામાં ભરી આપ્યું જાય છે. આ દૃષ્ય ખરેખર અદ્ભૂત હાય છે. અંગમહેનત પર, કુકત પરમાત્મા પર આધાર રાખનાર અને આખા જગતને અનાજ પુરૂ પાડવા માટે અનેક યાતનાઓ સહન કરનાર ખેડુતને ‘ જગતના તાત 'નું બિરૂદ આપનાર કવિને ધન્યવાદ ઘટે છે. આપણા રાજા મહારાજાએ પોતાની રાજધાનીને હાલની પતિ મુજબ સુંદર અને આકર્ષક બનાવવા પાછળ જે દ્રવ્ય ખરચે છે તેના ચોથા ભાગ ગામડાના ખેડુતાની કંગાલિયત દૂર કરવા પાછળ ખરચે અને એ દ્રવ્યમાંથી ખેડુતને સારા પાણીદાર બળદો પુરા પાડે, ચેોમાસાનાં વાદળાંઓને ખેંચી લાવવા માટે ટેકઠેકાણે ઝાડા રાપાવે, ચામાસાનું પાણી નકામું ન જાય તે માટે તળાવો બધાવે, ગામડાના રસ્તા ગામની જરૂરિયાત મુજબ સુધરાવી આપે તે ગામડામાં એ રીતે ખરચેલા પૈસા રાજ્યને જ પાછા મળવાના છે. ગામડાએ સુધરશે તો ખેડુત અને મહાજન સુખી થશે, આબાદ થશે અને પરિણામે રાજ્યની આવકમાં વધારો થશે. જો રાજાએ રાજ્યની અને પ્રજાના હિતની દૃષ્ટિએ વિચાર કરે અને વર્તે તે થાડા સમયમાં ગામડાં આબાદ બની જાય. પ્રજાના આગેવાનોએ પણ ગામડાની વ્હારે જવું જ જોઇએ. તેમણે પ્રજાનું હીર હણાઇ ન જાય અને મહેનતના પરિણામે ખેડુત કાંઇ ઉત્પાદન મેળવી શકે એવી યોજના હાથ ધરવી જોઇએ. ગામડામાં ખેડુતવર્ગ અને અન્ય કામ ચેમાસુ અને શિયાળુ પાકના લગભગ છ મહીના સિવાય બાકીના છ મહીના તદ્દન આળસુપણે જ્વન ગુજારે છે તેમ જ વાણીયાના કુટુ તો તન આળસુ જ હોય છે. તેગ્માને રીતસર હાથવણાટ તથા રેંટીયાકતામણ તરફ તેમજ ગામડાના ખીજા ઉદ્યોગો તરફ ખેંચવામાં આવે તા મહીને દિવસે દશ રૂપીઆ તો જરૂર દરેક કુટુંબ કમાઇ શકે અને તે ઉપરાંત આળસુપણે બેસી રહેવાથી શારીરિક અને માનસિક વિકાસના નાશ થતા હેાય તે પણ અટકે અને શરીર તંદુરસ્ત બને. ગામડામાં રેશમી ભરતના ચાકળા, ચંદરવા વગેરે ભરવાની હાથકારીગીરી છે. એને ઉત્તેજન આપવામાં આવે, તેની ખપત વધારવાના યેાગ્ય પ્રબંધ કરવામાં આવે અને આપણા સેવાભાવી કાર્યકરા ગામડાના વધુ સાન્નિધ્યમાં આવે તેા એ હાથદ્યાગથી અનેક કુટુ પોષણ મેળવી શકે. આવી આવી કંઇક યેજનાએ રાજા મહારાજાએ અને પ્રજાના આગેવાનો વિચારે અને કુશળ અને સેવાભાવી કાર્યકરો દ્વારા તે ચેજનાઓને અમલમાં મુકે ગામડાંઓ ખરેખર સુખી અને તંદુરસ્ત બને અને તેની આગલી ભવ્યતા પાછી મેળવે. મણિલાલ મેાફમચંદ શાહ.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy