SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ કરો : * - * * તા. ૧-૯-૪૧ પ્રબુદ્ધ જૈન ભક્તિનો અતિરેક હિંદુસ્થાનના ધાર્મિક સંપ્રદાયમાં મૂર્તિપૂજાની સંસ્થા તેમજ સાધુ સસ્થા બહુ અગત્યનું સ્થાન ધરાવે છે. ધર્મના અનુયાયીઓ મૂર્તિ અને મંદિરનું અવલંબન પામીને પિતાના દિલમાં રહેલી ભકિતની ભાવનાને સંતોષે છે; ગુરૂઓ પાસેથી ધર્મને બોધ પામે છે, અને પોતાના ચાલુ જીવનને સંસ્કારે છે. આ બન્ને સંસ્થા જનસમાજને બહુ ઉપયોગી હોવા છતાં તે બંનેમાં અનેક પ્રકારની વિકૃતિઓ જ્યારે પ્રવેશ પામે છે ત્યારે તેમાંથી અનેક અનર્થો પણુ જન્મે છે. મંદિરમાં પુજારીનું કામ મંદિર અને મૂર્તિને સંભાળવાનું હોય છે. તે પૂજારી જ્યારે મંદિર અને મૂર્તિને માલીક બની બેસે છે અને ભકતજનો પાસેથી દ્રવ્ય લુંટવા માંડે છે ત્યારે તે મદિર અનેક અનર્થોનું આગાર બની જાય છે. આવી જ રીતે ગુરૂઓ અનુયાયીઓની શ્રદ્ધાભકિતને લાભ લઈને ધર્મવૃદ્ધિ કરવાને બદલે પિતાનાં પ્રભુત્વ, પૂજા અને સુખસગવડે વધાવાને લભ ધરાડના થાય છે ત્યારે તે ધર્મગુરૂઓ સમાજ અને ધર્મ ઉભયના દ્રોહી ને છે. અન્ય સંપ્રદાય માફક જ 'પ્રદાયમાં પણ મંદિર તેમજ સાધુઓની સંસ્થા વિકાસ પામેલી છે; પણ જૈન આચાર્યોએ તેમજ ધર્મ પ્રણેતાઓએ દુરંદેશી વા. આ બન્ને સંસ્થાઓ સંબંધમાં એવી પ્રણાલિકાઓ ઉભી કર, ” કે જેથી આ બન્ને સંસ્થાઓ અન્ય સાથે સરખાવતાં એક કૃત અને અધઃપતિત બની છે. સૌ કોઈ જાણે છે કે જૈનમંદિર " પૂજારીનું સ્થાન બહુજ ગૌણ હોય છે. આને લીધે જૈન મંદિર સૌ કોઈને માટે ખુલ્લું રહ્યું છે અને જૈન મૂર્તિની સૌ કોઈ ઉચ્ચ નીચ-શ્રીમાન ગરીબ-ના ભેદ સિવાય પૂજા કરી શકે છે. જૈન સમાજને કોઈ પણ ઠેકાણે પૂજારીની દરમિયાનગીરી આડે આવતી જ નથી. - આવી જ રીતે અમુક માણસ અમુક ગુરૂને જ પિતાને ગુરૂ અને ઈષ્ટ દેવતા ગણે- તેના દેવ માફક પૂજા ઉપાસના કરે–અને તેને જ પિતાનું સર્વસમર્પણ કરે એ પ્રથા જૈનાએ કદિ સ્વીકારી નથી. કેઈ પણ સુચરિત જૈન સાધુ દરેક જૈનને સન્માનોગ્ય હોય છે. બીજું સાધુઓ પ્રત્યે આદર, અને ભકિતભાવ પણ અમુક જ રીતે અને અમુક મર્યાદામાં રહીને જ દર્શાવાયદેવમૂર્તિની પૂજાવિધિ અમુક પ્રકારની હેય-સાધુ પ્રત્યે આદરમાન દર્શાવવાની વિધિ અમુક જ પ્રકારની હોય એ વિવેક દરેક જૈન સ્વીકારે છે અને સમજે છે. દેવમતિનું જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત આદિ દ્રવ્ય વડે અર્ચન થાય એ સુવિદિત પૂજનવિધિ છે. આવી જ રીતે સાધુજનોની યોગ્ય પરિચર્ચા, નમસ્કાર, પંચાંગી પ્રણામ–આ સાધુવર્ગને લગતી ઉપાસનાવિધિ સ્વીકૃત અને સુવિદિત છે. આ બન્ને વિધાનોમાં ભક્તિભાવનું પ્રદર્શન તેમ જ ઉચિત મર્યાદાનું અનુપાલન રહેલું છે. આજે આ બંને ક્ષેત્રોમાં ભકિતને અતિરેક થઈ રહેલ જોવામાં આવે છે અને તેના પરિણામે બન્ને ક્ષેત્રમાં અનેક વિકૃતિઓને ઉદ્ભવ થયેલ નજરે પડે છે. દેવમૂર્તિના સંબંધમાં આપણે શેભાશણગારની દિશામાં એટલા બધા આગળ વધી ગયા છીએ કે આપણે કયા દેવની પૂજા કરીએ છીએ, એ દેવ કયી ભાવના અને આદર્શના પ્રતિનિધિ છે, એ દેવનું શિલ્પસ્વરૂપ કયા ભાવને નિરૂપિત કરે છે એ બધું આપણે વિસારી મુક્યું છે. જૈન મૂર્તિ એટલે રાગ, દ્વેષ કે પરિગ્રહથી વર્જિત ત્યાગી બની, વીતરાગ પ્રભુની મૂર્તિ. આ મૂર્તિ મૂળ આકારમાં આજ ભાવેનુંઆપણને ભાન કરાવે છે; પણ જ્યારે તેની ઉપર મુગટ અને આભૂષણે ચઢે છે અને ભાતભાતની આંગીઓ રચવામાં આવે છે, કોઈવાર કડીયું, તે કઈ વાર કોટ, જાકટ, કેલર અને નેકટાઈ, વળી હીરા, મેતી, પાના, માણેકના હાર, એમાં વળી એક અથવા બે ઘડિયાળ,—આ બધે ઠાઠ મૂર્તિના મૂળ સ્વરૂપને તદન ફેરવી નાખે છે અને ત્યાગી પ્રભુ રાજા મહારાજાના રૂપમાં રજુ થાય છે. આ આપણી પ્રભુભક્તિને મોટામાં મોટો અતિરેક છે અને પરિણામે મૂર્તિપૂજાને જે મૂળ આશય હતો કે મૂર્તિ દ્વારા અહિંસા, સંયમ, તપ, ત્યાગ, ધ્યાન, આદિ ભાવનાઓનું એક એવું પ્રતીક જનતા સમક્ષ ઉભું કરવું કે જેનું અવલંબન પામીને સામાન્ય માનવી ઉન્નત કક્ષાએ પહોંચવાનો સદા પ્રયત્ન કરતે રહે–આ મૂળ આશય આજે લુપ્ત થઈ ગયું છે અને આજની મુર્તિપૂજા અનેક વઈ એ. અને કામનાઓનું નિકેતન બની રહેલ છે. આવી જ રીતે સાધુઓ વિષેની ઘેલછાએ આખા સમાન જમાં અનેક પ્રકારની વિકૃતિઓ પેદા કરી છે. આ મારા સાધુ અને આ તમારા સાધુ-આવી મારા તમારાની બુદ્ધિએ બન્ને , છે. ભારે નુકસાન કર્યું છે. યેન કેન પ્રકારેણ સાધુ સંખ્યા વધવી જોઈએ—એ ખ્યાલે અયોગ્ય દીક્ષા પ્રવૃત્તિને ખૂબ વેગ આપ્યું છે. જૈનદીક્ષા જેટલું કઠણ આજીવનવ્રત બીજું કઈ નથી એમ છતાં એ વ્રત અંગીકાર કરનારની યોગ્યતાને કશે વિચાર જ કરવામાં આવતા નથી. ગઈ કાલે વિચાર થયો તેને આજે દીક્ષા આપી દેવામાં આવે છે. એટલું જ નહિ પણ રીક્ષા આપવા પાછળ અનેક પ્રકારના અનર્થ –નાટકો પણ ભ. ‘તા હોય છે. આજના ભકિત-અતિરેકે સાધુઓને ખૂબ ળા બનાવ્યા છે, અને આર્થિક દૃષ્ટિએ સમાજને ભારરૂ૫ બનાવી છે. આચાર્યોને રાફડો ફાટયે છે. જે આવ્યું તેને - શ્રેષ્ઠ પદે સ્થાપવાથી શ્રેષ્ઠ પદનું જ મહત્ત્વ તદન ઓસરી ગયું છે, જે હોય તે સુરીસમ્રાટ અને સુરિચક્રચૂડામણિ તરીકે પુજાય છે. ગુરૂમહારાજ પ્રેરણા આપે છે અને અનુયાયીઓ ગુરૂ મહારાજની મૂર્તિ બનાવે છે અને તેની દેવમૂર્તિ માફક પૂજા સાધુસંસ્થાની મૂળ પ્રણાલી આ પ્રકારના અતિરેકથી તદન મુકત હતી તેથી જ જૈન જનેતર સૌ કોઈને ખૂબ આદરપાત્ર હતી. ભક્તિને અતિરેક પૂજ્ય તેમ પૂજક બન્નેને પાડે છે. આ બાબત પૂર્વકાળના આચાર્યોના બરાબર લક્ષ્યમાં હતી અને તેથી આવો અતિરેક થવા ન પામે તે માટે અને વર્ગ માટે અનેક પ્રકારની વિકમર્યાદાઓ જાઈ હતી. ગમે તેટલો ભકિતભાવ હોય તે પણ સાધુનું જીવન સંયમથી વિમુખ બની સુવાળું ન બને, ભગપજીવી ન બને, માન સન્માનની જાળમાં ન ખેંચાય, શિષ્યલોભ કે પુસ્તક-પરિગ્રહથી કલુષિત ન બને, આવી અનેક અગમચેતીભરી મર્યાદાઓથી સાધુવન સુરક્ષિત હતું. કોઈ સાધુની મૂર્તિ ન થાય અથવા તે જેવી રીતે દેવમૂર્તિની પૂજા-અર્ચના થાય છે તેવી રીતે કોઈ પણ સાધુની સદેહે પૂજા અર્ચના ન થાય-ગમે તેવા મોટા સાધુ તે પણ આખરે એક અપૂર્ણ માનવી-તેને પૂર્ણ લેખવાની ભ્રમણામાં કોઈ શ્રાવક ન પડે અને એવી રીતે તે કદિ ન વર્ત–આ બાબત ઉપર મૂળથી ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે અને તેથી જ આપણે ત્યાં સાધુતાથી પતન પામ્યાના કંઈ કંઈ બનાવો બનવા છતાં ગાસાંઈઓ અને શંકરાચાર્યો જેવા ભેગલોલુપ સતાધારી
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy