SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * તા. ૧-૯-૪૧ પ્રબુધ જૈન ' ૮૩ * * કેટલાક સમાચાર અને નોંધ પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વર્ષની વ્યાખ્યાનમાળામાં રજુ થયેલા વ્યાખ્યાનને ક્રમ નીચે મુજબ ગોઠવાયો હતે. તા. ૧૮ પંડિત દરબારીલાલજી સર્વધર્મ સમભાવ , પંડિત સુખલાલજી આચાર અને વિચાર તા. ર૦ શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ શ્રી. આનંદઘન અને શ્રી. યશોવિજયજી . પંડિત દરબારીલાલ તપ તા. ૨૧ શ્રી. મોતીચંદ ગીરધરલાલ કાપોઆ ભગવાન મહાવીરની ત્રિપદી , શ્રી. કેશવલાલ દવે માનવજીવનસંસ્કૃતિમાં ધર્મ અને તેનું કાર્ય તા. ૨૨ શ્રી. ગોપામવ કુલકર્ણ - ગાંધીવાદ , શ્રી. ચીમનલાલ ખાઈ શાહ જીવનદૃષ્ટિ તા. ૨૩ શ્રી. ગોપાળરાવ કુલકી વર્ધશિક્ષણની યોજના , શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ, ગાંધીવાદ અને સમાજવાદ તા. ૨૪ શ્રી. મગનભાઈ દેસાઈ ' કબીર અને નાનક , મૌલવી મકબુલ અહમદ મુ "માન સંતે , સ્વામી આનંદ અહિંસા-વ્યકિતગત અને સામુદાયિક તા. ૨૫ શ્રી. નાનાભાઈ ભટ્ટ મહાભારત અને રામાયણ , શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ, રામાયણની એક બાજુ તા. ૨૬ પંડિત સુખલાલજી અધ્યાત્મિક માર્ગ અને સામાયિક માર્ગ , શ્રી. કેદારનાથજી માનવજીવનનું ધ્યેય ત્યારબાદ અધ્યાપક ઉમેદભાઈ મણિયારે કેટલાંક ભજનો અને પ ગાઈ સંભળાવ્યા હતાં. આ વ્યાખ્યાનમાળામાં લોકોને રસ એકસરખો જળવાઈ રહ્યો છે અને દરેક વ્યાખ્યાનસભામાં શ્રોતાઓની સારી ભરતી રહ્યા જ કરી છે. પહેલાં સાત દિવસનાં વ્યાખ્યાન હીરાબાગના હાલમાં અપાયાં હતાં. છેલ્લા દિવસની સભા ભાંગવાડી થીએટરમાં ગોઠવવામાં આવી હતી. છેલ્લા દિવસે લગભગ પંદરસો સરસ ભાઈ બહેને વ્યાખ્યાન સાંભળવાને એકત્ર થયા હશે. છેલ્લાં બે વર્ષથી એક યા અન્ય કારણે પંડિત સુખલાલજી કે જેમના સૂત્રધારિત નીચે આ વ્યાખ્યાનમાળા દર વર્ષ જાતી આવી છે તેઓ આવી શક્તા નહોતા. આ વર્ષે તેમણે હાજરી આપી હતી અને પહેલાં અને છેલ્લા દિવસે એક એક વ્યાખ્યાન પણ આપ્યું હતું. પંડિત સુખલાલજીનું મુંબઈ જૈન યુવક સંધની પ્રવૃત્તિ સાથે એટલું બધું તાદમ્ય છે કે તેમને અમારાથી જુદા ગણીને તેમને આભાર માનવો એ અમારા માટે શક્ય નથી. આ વ્યાખ્યાનમાળામાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેની રેલ્વેના ભંગાણના કારણે ત્રણ વ્યાખ્યાતાઓ આવી શક્યા નહોતા. આમ છતાં પણ આખી વ્યાખ્યાનમાળા અતૂટ પાર પડી હતી. આ વ્યાખ્યાનમાળાને સફળ બનાવવાને સૈથી મોટો યશ અમારા નિમંત્રણને માન આપીને નિયત કમ મુજબ હાજર થયેલા ભિન્ન ભિન્ન વ્યાખ્યાતાઓને જાય છે. અગવડ ભોગવીને પણ શ્રી. નાનાભાઈ ભટ્ટ આંબલાથી અને શ્રી. મગનભાઈ દેસાઈ અમદાવાદથી આવી પહોંચ્યા હતા. તેમના અમે ખાસ રૂણી છીએ. પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં પંડિત દરબારીલાલજીએ, શ્રી. ગોપાળરાવ કુલકણી એ તેમજ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે બબ્બે વ્યાખ્યાન આપીને આખી વ્યાખ્યાનમાળાને અખંડિત રાખવામાં ખાસ મદદ કરી છે. છેલ્લા દિવસે શ્રી. નાથ ! અમે વ્યાખ્યાન આપવા માટે પ્રાપ્ત કરી શકયા એ અમારું મોટું સદ્ભાગ્ય ગણાય. વચ્ચેના એક દિવસે મૌલવી મકબુલ અહમદે મુસલમાન સંત” ઉપર વ્યાખ્યાન આપતાં ઈસ્લામ ધર્મની વિશાળતાને ભારે સુન્દર ખ્યાલ આપ્યો હતો અને સાથે સાથે હિંદુ-મુસલમાન એકતાનું અભુત રીતે સમર્થન કર્યું હતું. તેમની વેગવાન વાણીને રણકાર આજે પણ કાનમાં ગાજ્યા કરે છે. શ્રી ઉમેદભાઈ મણિયારે અમારી વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિને સુન્દર ભજને વડે સંગીતમધુર બનાવી હતી. તેમને પણ આભાર માન્યા સિવાય કેમ ચાલે ? હીરાબાગના ટ્રસ્ટીઓ હીરાબાગની વ્યાખ્યાનશાળાનો આ વ્યાખ્યાનમાળા માટે ઉપયોગ કરવા બદલ અમારી પાસેથી કશું લેતા નથી. ભાંગવાડીના થીએટરના માલીકોએ પણ અમારા પ્રત્યે એવી જ ઉદારતા દાખવી છે. તે ઉભયનો અમે જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. રવીન્દ્રનાથ ટાગોર તા. ૨૭-૮-૪૧ ના રોજ શ્રી મુંબઈ જેન યુવકસંઘના આશ્રય નીચે બ્લેવાસ્કી હેલમાં એક જાહેર સભા બેલાવવામાં આવી હતી જે વખતે શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે રવીન્દ્રનાથ ટાગોર ઉપર એક માહીતીપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યા ખ્યાનમાં તેમણે સ્વર્ગસ્થ કવિવરના વ્યકિતત્વની ભિન્ન ભિન્ન બાજુઓ રજુ કરી હતી અને તેમના સર્જેલા અનેકવિધ સાહિત્યની વિશેષતાઓને વિગતવારે ખ્યાલ આપ્યો હતો. સભાના પ્ર સ્થાને શ્રી. મહાદેવ હરિભાઈ દેસાઈ હતા. તેમણે ઉપસંહાર કરતાં ગેરનાં કેટલાંક પધોને ઉલ્લેખ કરીને ટુકું છતાં બહુ જ સુંદર અને મર્મસ્પર્શી વિવેચન કર્યું હતું અને શ્રોતાઓને ટાગોરસાહિત્યની અનુપમ વિલક્ષણતાઓને બહુ આકર્ષક રીતે અનુભવ કરાવ્યો હતો. શ્રી મહાદેવભાઈને તે ટાગોરનો સાર પરિચય હતા; કવિવરના બંગાળી સાહિત્યને પણ તેમને સારે. અભ્યાસ છે. રવીન્દ્રનાથ વિષે શ્રી. મહાદેવભાઈ ગુજરાતને હજુ પણ-ઘણું કહી સંભળાવી શકે તેમ છે. અન્યત્ર પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ - મુંબઈ માફક અત્રે પણ એવી જ સંસ્કારપ્રચૂર વ્યાખ્યાનમાળા જઈ રહી છે. ખરી રીતે આવી વ્યાખ્યાનમાળાની અમદાવાદ જ પહેલ કરી હતી. આ વખતે ત્યાંના જૈન યુવક સંઘે યોજેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાને ક્રમ નીચે મુજબ હતા. શ્રી. ઝવેરચંદ મેઘાણી ટાગેરનાં કાવ્યો પંડિત લાલન ધર્મ અને વિજ્ઞાન શ્રી. મગનભાઈ દેસાઈ શ્રી. રામનારાયણ પાઠક પ્રગતિ અને વિજય શ્રી. ફુલચંદ હરિચંદ દેશી સમાજના કેટલાક પ્રશ્નો શ્રી. ભેગીલાલ સાંડેસરા કવિ રાજચંદ્ર પંડિત બેચરદાસ પ્રશ્નાવલિ શ્રી. રતિલાલ ત્રિવેદી વ્યવહારમાં અહિંસાનું સ્થાન પ્ર. અનન્તરાય રાવળ સંસ્કારિતા ચી. રવિશંકર મ. રાવળ રેરીકને મધ્ય એશીઆનો પ્રવાસ શ્રી. મધુસૂદન મેદી નિર્ભયતાની કેળવણી શ્રી. ઇન્દુમતી મહેતા સમાજવ્યવસ્થાના પાયા મુનિશ્રી ત્રિલોકચંદ્રજી સવંત્સરી . (અનુસંધાન પૃષ્ઠ ૮૫ જુઓ)
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy