SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ પ્રબુદ્ધ જૈન કલ્ચા, મીઠા શબ્દમાં આર્યસમાજી કહ્યા અને કાઇએ ક્રિશ્ચિયન કહ્યા. વાંદરા અને વાછડાની ચર્ચા આવી કે વળી કેઇએ તેમને હિંસક કહ્યા અને ખરેખર ગાંધીજી જે રાજપ્રકરણમાં પડયા ન હેાત અને આવડી મેટી સલ્તનત સામે ઝઝુમ્યા ન હેાત તેમજ તેમનામાં પોતાના વિચારે ગતવ્યાપી કરવાની શકિત નહાત તે તેઓ અત્યારે જે કહે છે તેજ અત્યજ અને વિધવા વિષે કહેતા હેાત છતાં ભારે નાસ્તિક અને મૂર્ખ મનાત અને મનુના વારસદારે તેમનુ ચાલત તે તેમને શૂળીએ પણ ચડાવત. આ રીતે જ્યારે આવેશી પુરાતન–પ્રેમીઓએ આવેશમાં આવી વગર વિચારે ગમે તેવા વિચારી અને ગમે તેવા લાયક માણસને પણ ઉતારી પાડવા અને તેની વિરૂદ્ધ લોકોને ઉશ્કેરવા નાસ્તિક જેવા શબ્દો વાપર્યાં ત્યારે એ શબ્દોમાં પણ ક્રાન્તિ દાખલ થઇ અને એનુ અર્થચક્ર બદલાતા મહત્તાચક્ર બદલાવા લાગ્યું અને સ્થિતિ લગભગ એવી આવી ઉભી છે કે રાજદ્રોહની પેઠે નાસ્તિક, મિથ્યાદૃષ્ટિ આદિ શબ્દો માન્ય થતા ચાલ્યા છે. કદાચ માન્ય જોતા પ્રમાણમાં ન થયા હોય તે પણ એનાથી કોઇ ભાગ્યેજ ડરે છે. ઉલટુ પેાતાને રાજદ્રોહી કહેવડાવવા જેમ ધણા આગળ આવે છે તેમ ઘણા તે નિર્ભયતા કેળવવા પેાતાને નાસ્તિક કહેવડાવતા જરાય ખચકાતા નથી અને જ્યારે સારામાં સારા વિચારો, લાયક કાર્યકર્તા અને ઉદાર મનના પુરૂષોને પણ નાસ્તિક કે કહે છે ત્યારે આસ્તિક અને સમ્યગ્ દૃષ્ટિ જેવા શબ્દોને અર્ચ બદલાઇ જાય છે અને હવે તે આસ્તિક તેમજ સભ્યષ્ટિ શબ્દને લગભગ વ્યવહારમાં લેાકા એજ અર્થ કરે છે કે જે સાચી કે ખેાટી ગમે તેવી જુની રૂઢીને વળગી રહે, તેમાં ઉચિતપણા, અનુચિતપણાને વિચાર ન કરે, કાઇ પણ વસ્તુની પરીક્ષા અગર તર્ક કસોટી સહન. ન કરે, સાચું કે ક કાંઈ પણ તપાસ્યા સિવાય નવા વિચાર, નવી શોધ નવી પધ્ધતિ માત્રથી ભડકે અને છતાંય કાળક્રમે એને પ્રેમ વશ થતા જાય તે આસ્તિક, તે સમ્યગદૃષ્ટિ. આ રીતે વંચારક અને પરીક્ષક અગર તપ્રધાન અર્થમાં નાસ્તિક આદિ શબ્દોની પ્રતિષ્ઠા જામતી જાય છે અને કદાયા, નતી. અવા અર્થમાં આસ્તિક આદિ શબ્દોની દુર્દશા થતી દેખાય છે. આ જમાનામાં જ્યારે શસ્ત્રથી લડવાનું ન હતું ત્યારે દરેકને માટે લડવાની વૃત્તિ તૃપ્ત કરવાને આવે શાબ્દિક માર્ગ રહ્યો હતા અને નાસ્તિક કે મિથ્યાદ્રષ્ટિ શબ્દોના ગાળા ફૂંકાતા; પણ આ અહિંસક યુધ્ધ જેમ શસ્ત્રને નિષ્ક્રિય કર્યાં તેમ પેલા નાસ્તિક આદિ શબ્દો જે વિષમય અસ્ત્રની પેઠે ફેકાતા તેને પણ નિષિ અને ઘણીવાર તેા જીવનપ્રદ અમૃત જેવા બનાવ્યા. આ ક્રાંતિયુગના પ્રભાવ છે. પણ આથી કા વિચારકે કે સુધારકે હરખાઈ પેાતાનું કર્તવ્ય ભૂલી જવાનું નથી. ઘણી વાર ક્ષુલ્લક વિચારકો અને બિરૂસ્વાર્થી સુધારા પોતાને નાસ્તિક કહેવડાવીને પણ સામા પક્ષને અન્યાય કરવા તૈયાર થાય છે. તેથી પણ ચેતવાનું છે. ખરી રીતે કા પક્ષકારે આવેશ કે ઝનુનમાં આવી જઇ બીન્ન પક્ષને માત્ર વગેાવવા ખાતર કાઇ પણ જાતના શબ્દને પ્રયોગ કરવા એ તાત્વિક રીતે હિંસા જ છે. પેાતાનાથી ભિન્ન વિચાર ધરાવનાર માટે સમભાવે અને પ્રેમથી ચેાગ્ય શબ્દ વાપરવા એ એક વાત છે અને ઝનુનમાં આવી બીજાને ઉતારી પાડવા હુદ એળગી અમુક શબ્દો વાપરવા એ બીજી વાત છે; છતાં દરેક એલનારને માટે કાંઇ તાળુ દેવાતુ નથી અગર દરેક લખનારના હાથ કાંઇ બંધાતા નથી. એટલે કાઇ ઉતાવળીઆએ જ્યારે ભિન્નમત ધરાવનાર માટે અમુક શબ્દ વાપરે ત્યારે ભિન્ન મત ધરાવનારની અહિંસક ફરજ શી છે તે છેવટે આપણે વિચારી જવી જોઇએ તા. ૧-૯-૪૧ પહેલુ તેા એ કે પેાતાને માટે જ્યારે કાએ નાસ્તિક કે એવા બીજો શબ્દ વાપર્યો હેાય ત્યારે એટલું જ વિચારવુ કે તે સામા ભાઇએ મારે માટે ફકત જુદો મત ધરાવનાર અથવા એવા મતને ન માનનારી એટલાજ અર્થમાં સમભાવે અને વસ્તુસ્થિતિસૂચક શબ્દ વાપર્યો છે. એ ભાઇની એ શબ્દ વાપરવાની પાછળ કઇ દુત્તિ નથી એમ વિચારી તેના પ્રત્યે પણ પ્રેમવૃત્તિ અને ઉદારતા કેળવવી. ખીજું' એ કે જો એમ જ લાગે કે અમુક પક્ષકારે પાતા માટે આવેશમાં આવી નિદાની દૃષ્ટિથી અમુક શબ્દ વાપર્યો છે ત્યારે એમ વિચારવુ કે એ ભાઇની ભૂમિકામાં આવેશ અને સ કુચિતપણાનાં તત્વો છે. એ તને એ માલિક છે અને જે જે વસ્તુના માલિક મેં, તે માણસ તે વસ્તુને મરજી પ્રમાણે ઉપયાગ કરવા સર્જાયેલ છે. તેનામાં જો આવેશનું તત્ત્વ હાય તા ધીરજ કર્યાંથી આવવાની અને જો સંકુચિતપણું હાય તા ઉદારતા કયાંથી પ્રગટવાની ? અને જે આવેશ ... સંકુચિતતાના સ્થાનમાં ધૈય અને ઉદારતા તેનામાં લાવા હાય તે તે એજ રીતે આવી શકે કે તેણે ગમે તે કડવા શબ્દો વચ્ચે પણ પોતાનામાં ધીરજ અને ઉદા. . કળવવી, કારણ કે કાદવ કાં બીજા કાદવથી ન ધોવાય પણ પાણીથી જ ધોવાય, ત્રીજી કે શાંન્તિથી કાંઈ પાના મત અને વિચારની વિરૂધ્ધ ર સહાનુભૂતિથી વિચાર કરવા. જાતે હૈાય ત્યારે તેના કથનાં પણ સત્ય લાગે તે તેને પચાવવાની ઉદા.. આવેશ અને પેાતાના વિચારમાં સત્ય દેખાય તે ગમે તેટલા પ્રચંડ વિરેધ છતાં પણ અને ગમે તેટલું જોખમ આવી પડે છતાં પણ નમ્ર ભાવે એજ સત્યને વળગી રહેવુ. જો આ રીતે વિચારવામાં અને વર્તવામાં આવે તે શબ્દની મારામારીનું ઝેર એન્ડ્રુ થઇ જાય. ભાષાસમિતિની અને વચનગુપ્તિની જે પ્રતિષ્ઠા લગભગ લોપ પામતી જાય છે તે પાછી જામે અને શાન્તિનુ વાતાવરણ ઉભું થાય. આ પુણ્ય વિસામાં પડિત સુખલાલજી. આપણે એટલું ઇચ્છીએ. માતાનું ગારવભર્યું આજ્રાન એક સમય આપણા દેશ ધનને તુચ્છ માનતા હતા. એક સમય આપણે ગરીબને શાબાભરી અને મહિમાભરી માનતા શિખ્યા હતા. તે પછી આજે શું આપણે ધનની સામે સાષ્ટાંગ દંડવત્ કરીને ધુળમાં આળેટીને આપણા સનાતન ધર્મનું અપમાન કરીશું ? શું આપણે આ શુચિત, મિતસયત, સ્વપ–પરિગ્રહી જીવન-પ્રણાલીનો સ્વીકાર કરીને આપણી તપસ્વીની જનનીની સેવામાં નિરત થઇ ન શકીએ ? આપણા દેશમાં કેળના પાનમાં ભોજન કરવામાં શરમ નહેાતી આવતી; એકલા ખાવામાં જ શરમ લાગતી હતી. તે આજે ક્રીથી એ શરમ આપણી અંદર નહિ જાગે ? શુ આજે આપણે આખા દેશને પીરસવાને તૈયાર થવા માટે આપણા કે આરામને, કોઇ આડંબરના ત્યાગ નહિં કરીએ ? એક વખત અમારા માટે જે વસ્તુ બીલકુલ સહજ હતી, તે શુ આજે અમારા માટે અસાધ્ય બની ગઇ છે ? દિ નહિ. મહાન આપત્તિના સમયમાં પણ ભારતવષઁના નિં:શબ્દ પ્રચંડ પ્રભાવે નિગૂઢ ભાવથી પોતાના વિજયને પ્રાપ્ત કર્યો છે. હું નિશ્ચિત રૂપથી જાણું છું કે ભારતવર્ષનું સુગભીર આવ્તાન પ્રતિક્ષણ આપણી અન્તર્ગુહામાં ગુંજી રહ્યુ છે અને આપણે જાણ્યે અજાણ્યે પણ એ જ ભારતવષઁ તરફ ગતિ કરી રહ્યા છીએ, આજે જ્યારે આપણે મંગળ દીપેાજ્જવલ ગૃહમંદિર તરફ માર્ગ કરી રહ્યા છીએ ત્યારે આપણી ગૃહયાત્રાના આરંભને માટે તૈયાર થઇને એકવાર માનું સ્મરણ કરીએ ! રવીન્દ્રનાથ ઠાકુર
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy