________________
તા. ૧૫-૮-૪૧
આવ્યા નહાતા. એ ત્રણ દિવસ પછી વિશ્વાસે રહેલા હિંદુ જાગૃત થયા અને સંગઢ઼િત થવા માંડયુ. એ ત્રણુ દિવસના સંગઠ્ઠનના પ્રતાપે ચાલુ આક્રમણ જાહેર રસ્તા ઉપર ખુલ્લી રીતે થતાં તે અટકયાં, પણ ગલી ગુંચીમાં ફેલાયાં. ત્યાં પણ પાળા અને શેરીમાં થયેલી સંગકૃિતતા જોયા પછી ગુંડાઓ નરમ પડયા. જેને કત્તલને અને હાળીને કાળા દિવસ કહીએ એવા તા. ૧૮ મી શુક્રવારના દિવસે થયેલુ ગંભીર નુકશાન જોયા પછી અને કેટલીક હકીકત જાણ્યા પછી અમદાવાદની શહેરી પ્રા માટે જે કાંઇ બહાર ખેલાયું છે અને છાપામાં લખાયું છે તેનાથી મારા મન ઉપર જુદી જ અસર થઇ. અમદાવાદી પ્રજાનુ માનસ જુનીપુરાણી પ્રથાનું છે. પણ મહાત્મા ગાંધીજીના લાંબા સમય સુધીના ત્યાંના વસવાટ અને અહિંસક ઉપદેશના પરિણામે અને તેમની જુદી જુદી રીતે અને થોડા થોડા સમયને આંતરે સરકાર સામે થયેલી અહિંસક સત્યાગ્રહી લાંદ પાએ પ્રજામાં કાંઇક પ્રાણ પુર્યો છે અને એ નવા પ્રાણે પ્રજાનો કાંઇ ચેતન પણ આવ્યું છે, જેના પ્રતાપે ઘણા ટુંક સમયમાં પાળા, શેરીઓ અને માહાલ્લામાં રહેનારા ભાઇ સંગતિ બની શકયા હતા અને ગુંડાએાના સામના કરી શકયા હતા. પરંતુ તેઓ પણ ગુંડાઓ ઉપર પાછળથી ધા કરવાની હીચકારી વૃત્તિને અટકાવી શકયા નહેાતા. છતાં અનેકના મોઢેથી સાંભળેલી વાતોથી મને પ્રતીતિ થઇ કે કાષ્ઠ મહાન દીધું - દર્શી અને વ્યવહારકુશળ સૈનિકના હાથે પ્રજાને અહિંસાની પુરી તાલીમ મળે તે પ્રજા સાવધ બને અને હીચકારા હુમલાને અટકાવી શકવાની તાકાત પ્રજામાં આવી જાય. છેલ્લી અતિવૃષ્ટિ
પ્રબુધ્ધ જૈન
અતિવરસાદે શહેર અને આજુ બાજુના ગામડામાં કરેલી ભયંકર નુકશાની તે ત્યાંના શ્રીમંત શહેરી ભુલી જ ગયા છે અને આપણા સમાજમાં તે! અઠ્ઠાઇ મહાત્સવ, વરઘેાડા, જમણુવારની મેસન શરૂ થઇ ગઇ છે. ગરીબ પ્રજાને થયેલી ભયંકર નુકસાનની વાત કાઇ સંભારતું નથી. આપણુા સમાજની આ એક કમનસીબી છે. કાસીવાદ નવા સ્વરૂપે
જે કામીવાદથી આપણે કરીએ છીએ, ભડકીએ છીએ એવા કામીવાદ ખીજા સ્વરૂપે ત્યાં દાખલ થવાની શરૂઆત થઈ છે. અમદાવાદ શહેરના ચેપડા બાંધવાના કાગળા ઘણા વખણાય છે અને એવા કાગળો બનાવનારા બધા કારીગરો તેમજ ચોપડા બાંધનારા બધા કાગદી મુસલમાન છે. આ ભા સામે અહિષ્કાર પોકારવાની વૃત્તિ કેટલાક ભાઈમાં જન્મી. તેએ આ વૃત્તિને પોષવા માટેનું પ્રચારકાર્ય શરૂ કર્યું. કેટલાક હિંદુભાઇને કાગદીના ચોપડા બાંધવાનો ધંધો શરૂ કરવાને તૈયાર કર્યો અને તેમને દરેક જાતની સહાય અને સહકાર આપવાની કબુલાત આપી. પરિણામે શ્રાવણ સુદ ૧૦ ના રાજ ત્રણ જુદી જુદી જગ્યાએ હિંદુ કાગદીની દુકાનો ખુલ્લી મુકવામાં આવી. અને ખીજી બે ત્રણ દુકાનો ટુંક સમયમાં ખુલ્લી મુકાનાર છે. એમાંની એક દુકાન ખુલ્લી મુકવાની ક્રિયા શેઠ કસ્તુરભાઇ લાલભાઇના હસ્તક નાના મેળાવડામાં થઇ હતી. ઉદ્ઘાટન કરતાં શેઠ કસ્તુરભાઇએ જણાવ્યું હતું કે મુંબઈનિવાસી ભાઇ લલ્લુભાઈ કરમચંદ દલાલે ‘આપણી સમાજના એક ભાઈ આ દુકાન ઉઘાડે છે માટે સમાજના દરેક જૈન ભાઈએ તેને ટેકો આપવો’ એમ કહ્યુ છે તે વિચારની સાથે હું મળતા થતા નથી. રાષ્ટ્રના કોઈ પણ ઉદ્યોગને આપણે ટેકો આપવે જોઇએ. પછી તે મુસલમાન, હિંદુ, પારસી યા
૭.
ખીજા કાઇએ શરૂ કર્યાં હાય. તેતે ટકા આપવે તે આપણું કર્તવ્ય છે. એવા પ્રકારનુ કેટલુંક વિવેચન કરી દુકાન ખુલ્લી મુકાયાની જાહેરાત કરી હતી અને તેને તેહ ઇચ્છી હતી. શહેરના કેટલાક વિચારવંત નાગરિકાને શેઠ કસ્તુરભાઇએ કરેલી ટીકા પસંદ પડી હતી પણ હાલને તબક્કે આવી જાતની હરિફાઇ કરવી ઇચ્છવા જોગ લાગતું નથી અને તેથી આવા કાર્યમાં શેઠ કસ્તુરભાઇએ આગેવાની લેવી જોઇતી નહાતી એમ તેઓની માન્યતા છે. કેટલીક વખતે શુભ ઇચ્છાએ કરાયેલ કાર્યનું શુભ ફળ મળવાને બદલે તેમાંથી વિખવાદ ઉત્પન્ન થાય છે. આ બાબતમાં પણ એવા જ ભય. તેઓને લાગે છે.
કાપડના સટ્ટો અને મસકતી મારકીટના મહાજનનું
શુભ પગલું
જેમ ગઇ લડાઇમાં થયું હતું. તેમ આ વખતે છેલ્લાં કેટલાક દિવસોથી કાપડ બજારમાં સટ્ટાનુ જોર વધી ગયું હતું, જુદી જુદી કાપડની જાતેામાં વીશ પચીશ દિવસમાં ભાવમાં ચાર પાંચગણા વધારા થયા હતા અને આવા લલચાવનારા નાને પરિણામે શહેરના નાના નાના વેપારીઓ, હાટલાવાળા, પાન સેાપારીતેા વેપાર કરનારા તેમાં તણાયા હતા. વિજય મીલના P. ૧૧ ના તાકાના રૂા. ૪જી ના ભાવથી રૂા. ૧૯૭ ના ભાવ થઈ ગયા હતા. એવીજ રીતે બીજી છ સાત જાતામાં પણ ચાર પાંચગણા ભાવમાં વધારા થયા હતા અને આ સટ્ટાખોરી કયાં જઇ અટકશે એ કલ્પી શકાતુ નહતુ. મસકતી મારકીટ અને આજુબાજુ સેંકડો મેટરોની લંગાર લાગતી હતી. પણ સદ્ભાગ્યે મારકીટના મહાજનની કાર્યવાહી સમિતિએ આ સટ્ટાખોરી ઉપર દાબ મુકી ભાવા બાંધવાનુ શુભ પગલું ભર્યું' અને એ મારકીટના વેપારી પા પસાર કરાવ્યું, જેના પરિણામે રૂા. ૧] ના ભાવના રૂા. ૧૩ યા . છે એજ રીતે બીજી જાતેાના ભાવેશમાં ધટાડો થઈ ગયો. મુંબઇના ૬ પાના અજારમાં પણ એવીજ જાતની સટ્ટાખોરી શરૂ થઇ અને રૂા. ૭-૧૧-૦૯ રતલના ભાવે શ. ૧-૬-૬ સુધી થઇ ગયા. કાપડના વેપારીઓને દુકાને બેઠા બેઠા હજારો રૂપી મળવા લાગ્યા. વળી એક સાદાના આંકડા અજારમાં દશ પંદર વેપારીઓમાં કરતા હવાથી લાલેાને પણ ઘણી મોટી દલાલી મળવા લાગી. આ રીતે વેપારી અને લાલા બન્નેને લાભદાયી સટ્ટો થયા. પણ છુટક વેપારીઓને ત્યાંની ગામ ધરાકી એકદમ ઘટી ગઇ. અઢી રૂપીઆના ખેતી જોટાના ચાર રૂપીઆ થતા અને ચાર આને વારના કાપડના બાર આના વારના થતાં વાપરનારાઓ ખરીદવા આવતા ન હતા. કાપડના ભાવો ઘણા વધી જતાં ગરીબ પ્રજાના પાકારે શરૂ થયા. કલકત્તાની સરકારે ભાવ ઉપર અંકુશ મુકવાની ઇચ્છા જાહેર કરી તેથી તેમજ અમદાવાદ કાપડ માર્કીટના મહાજનની કમીટીએ ભાવા આંધી લીધા, તેથી બજારમાં ભાવ વધતા અટકયા અને વધેલા ભાવા પચ્ચીશ ત્રીશ ટકા જેટલા એછા થયા અને સટ્ટા ઉપર અંકુશ મુકાયો. અમદાવાદ મારકીટના મહાજનને ભાવા આંધવાની કુનેહ વાપરવા માટે ખરેખર ધન્યવાદ ઘટે છે. લડાઇના વખતમાં અનેક અજારામાં સટ્ટો ખેલાય છે, પણ આપણા દેશની ગરીબ પ્રજાને રાજની વપરાશમાં આવતી વસ્તુ કાપડ, અનાજ, ખીયાં, ખાંડ, ગોળ, ધી, તેલના સટ્ટો ખેલતાં દરેક સભાવિત શહેરીઓએ અટકવુ જોઇએ. એ ચીજોના સટ્ટામાં મેળવેલે પૈસે હિંદની કંગાળ પ્રજાના નિસાસા-હાય-ને પૈસા છે એમ સમજવું જોઇએ, પૈસા કમાવાના ઘણા રસ્તા છે. પણ જે પૈસા પાછા ગરીબની હાય રહેલી છે તે પૈસા માનવતાને દાવા કરનાર માનવીને ન ખપે. મણિલાલ મેાકમચંદ શાહુ