SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૮-૪૧ મહાવીર સ્વામી . કાણુ છે અને કેવા હતા એ આપણે આજના આપણા મંદિરે કે તેમના અનુયાયીઓના ઢંગ ઉપરથી જાણી શકતા નથી. એમ લાગે છે કે મહાવીર સ્વામીને વિરાધીએએ જો લેખડની ખેડીમાં જકડયા છે, તેા અનુયાયીઓએ તેમને સુવણૅની એડીએમાં જકડયા છે. મદિરાની અઢળક મહેલાતે અને સાધુઓની પરિચર્યાં નેતાં મહાવીર સ્વામીના જીવનથી તેઓ ઘણા ઘેટ હેાય તેમ જણાય છે. તીર્થંકરા બનાવવાનું જાણે આપણે કારખાનું બનાવ્યું હોય તેમ લાગે છે. બધા માટે એક સરખા રંગઢંગ અને દંતકથા જોડી દીધી છે. આ બધાનું પરિણામ એ આવે છે કે તીર્થંકરને આપણે આપણાથી ધણા દૂર, અલગ અને મહાન બનાવી દઇએ છે. અને તેમના જીવનને કે ચમત્કાર માનીને આપણે તેમને જોઇને આપણ'. જીવન ધડવાની કશી જરૂર જોતા નથી. જન્મથી જ મહાવીરને નારાયણ રૂપે આપણે જાણીએ છીએ પણ તે નરમાંથી નારાયણ કેવી રીતે થયા તે આપણે જાણતા નથી, જાણવાની તકલીફ્ લેતા નથી. તેએ આપણી જેમ જન્મ્યા હતા, પણ પોતાના પુરૂષાર્થથી, ત્યાગથી અને તપથી તેઓ નારાયણ બન્યા હતા એ વસ્તુ આપણે એળખવા માંગતા નથી. બીજી બાજુએ એમ પણુ જોવામાં આવે છે કે, શેડ શાહુકારો અને સમ્રાટની જેમ ભગવાનને પણ આપણે દુનિયાદારીની કસોટીથી માપીએ છીએ અને રાખીએ છીએ, એટલે રાજાની માફક તેમને પણ ઝરઝવેરાત પહેરાવીએ છીએ. શહેનશાહના મુગટમાં એક હીરા હાય તે। ભગવાન મહાવીર મુગટમાં દશ હીરા નાખીએ છીએ અને અનેક જાતના રજવાડી હાફ હેરાથી દેવને અને દેવમંદિરને વિભૂષિત કરીએ છીએ. ખીજાઓના કરતાં આપણા ધર્મ મેટા, ખીજા કરતાં આપણાં શાસ્ત્રો મેટાં, આપણું તત્ત્વજ્ઞાનમેટું એમ આપણે કહીએ છીએ, પણ સાથેસાથ આપણી ગપ્પા પણ મેટી હાય તેમ મને જણાય છે. મહાવીર સ્વામી એકલા ફરતા, આમ ચમત્કાર કરતા અને તેમ ચમત્કાર કરતા. આવી અનેક વાતે વગર સકેચે માની લઇએ છીએ અને સાચા ખેાટાની વિવેકબુધ્ધિની કસોટીએ ચઢાવવાની તકલીફ્ લેતા નથી. પ્રબુધ્ધ જૈન આપણી સામે તીર્થંકર એક પુન્યલના પરિણામ રૂપે રાખવામાં આવ્યા છે. પણ ખરી રીતે તીર્થંકર એક પુન્યકળતુ પરિણામ નથી, પણ પોતે એક જીવતી તપસ્યા છે. તેમના જીવનનું સાચું મહત્ત્વ આ તપસ્યામાં છે તે આપણે ભૂલી જઇએ છીએ. જન્મ પછી તેમને એક પર્વત ઉપર લઇ જવામાં આવ્યા હતા, એવી અનેક વાતે કહેવાય છે અને જન્મથી જ એક ચમત્કારિક જીવનને ભાસ આપવામાં આવે છે. આથી તેમના વાસ્તવિક જીવનને આપણે એળખી શકતા નથી અને તેમનુ જીવન અલ્લાદીનના કહાણી જેવું બની જાય છે, અને તેમાંથી આપણે જીવનમાં કશુ ઉતારવા જેવુ નથી એમ લેકે માનવા લાગે છે. મહાવીર જીવનની આજુબાજુ જે આવી અવિશ્વસનીય કલ્પનાનાં જાળાં રચાયાં છે તેમાંથી જ ઝગડા થાય છે. ભગવાન ભલું કરતાં હતા કે નહિ તે સબંધી કેને મતભેદ નથી. મતભેદ હોય તે તે શું પહેરતા અને ખાતા એવી નજીવી • ભાળતામાં છે. જગતમાં માણસ પોતાના આચરણથી તીર્થ બનાવી શકે છે. કેઈ ધર્મ નથી બનાવી શકતું પણ ધર્મના તળાવ કે ઘાટ બનાવી શકે છે. આ ઘાટ બનાવનાર તીર્થંકર કહેવાય છે. તીર્થ ઉપરની સાફસુફી કરનારા તીર્થંકર નથી. માત્ર ઝાડુ અને ધર્મને ७७ સાધુ કરનારા આચાર્ય કહેવાય. પણ ભગવાન મહાવીર ‘અને પાશ્વનાથને તે આપણે તીર્થંકર કહીએ છીએ, આમાં ધણા અર્થ રહેલા છે. પાર્શ્વનાથના સમયમાં જૈનધર્મનું નામે નહાતું. જિન, અહ્ત અને બુદ્ધ એ શબ્દો શુ ઉપયેગમાં તે વખતે વપરાતા એ આપણે ચેાક્કસ જાણતા નથી. પાર્શ્વનાથ પાસેથી મહાવીર સ્વામીએ ઘણું મેળવ્યું જ હોય તેમ પણ બને અને પાર્શ્વનાથની વિચારશ્રેણી વૃદ્ધ થઇ ગઇ હાય એટલે તેના હવાલા તેમણે જુવાન મહાવીરને આપ્યા હાય તેમ પણુ બને. પંડિત કિતાબ પઢે છે, તીર્થંકર દુનિયાને જુએ છે. - તનુ જ્ઞાન શાસ્ત્રમૂલક છે, જ્યારે તીર્થંકરનુ જ્ઞાન અનુભવમૂલક છે, એ તેમની વિશેષતા છે, એ કૈવલ્ય છે. મહાવીર સ્વામીના જીવનમાં સ્વતંત્ર વિચાર છે, પણ એને અર્થ એ નહિ કે તે જન્મથીજ વિદ્વાન હતા અને આપણી જેમ ખેલ્યા, કુવા કે રેયા નહાતા. પણ આપણે તે તેમને આપણા જેવા નથી ગણવા માગતા એટલે જન્મથી તે રમે તે દેવતા સાથે રમતા એવી વાતે ચલાવીએ છીએ. પણ તે ગમે તેવા મહાન હોય તે પણ તેમનું મૂળ તે નાનુજ હતું એમાં શંકા નથી. તેમણે માબાપ પાસેથી, · અન્ય શાસ્ત્રના પાસેથી, મિત્ર! પાસેથી જ્ઞાન મેળવ્યું હશે. એકાએક જ્ઞાન પ્રાપ્તિને તેમને ચમત્કાર થયો એમ માનવાનું કારણ નથી. દરેક ઘ્વામાં પાણી તેા હાય છે પરંતુ દરેક રોગ ઉપર જુદુ જુદુ મિશ્રણ બનાવવું પડે છે, તેમ સત્ય અહિંસા તે નાદિ છે, પણ દેશકાલ અનુરૂપ તેને નવા સ્વરૂપમાં રજુ કરવા પ છે. તીર્થંકરાએ આ કાર્ય કર્યું છે, તીર્થંકરાએ અને ધર્મસંસ્થા એ પોતપોતાના સમાજની જરૂરિયાતને અનુસરતા નિયમે ધડયા છે અને જણાવ્યુ` છે કે જમાને બદલાયો છે એટલે જૂની વાતે જવી જોઇએ. પાર્શ્વપત્ય સાહિત્ય આજે ઉપલબ્ધ નથી, એટલે ખબર પડતી નથી કે તેમાં શું ઇષ્ટ હશે કે શુ' અનિષ્ટ હશે અને તેમાં કેટલા ફેરફાર ભગવાન મહાવીરે કર્યો હશે ! આદમી અનાદિ અનંત છે એ માનવા જેવી વાત છે, પણ મેાહન કે લાલન અનાદી અનંત છે એ વાત માની શકાય નહિ; ધર્મ અનાદિ અનંત છે પણ ધર્મ સંસ્થાએ અનાદિ અનન્ત છે એમ માની શકાય નહિ. મનુષ્યોની માફક ધર્મ સસ્થાઓમાં પણ પરિવર્તન અને લય થવા જોઇએ. અઢી હજાર વર્ષ પહેલાં મહાવીર સ્વામીએ જે આચાર વિચારના નિયમાના કાઢ બનાવ્યો તેમાં આજે ફેરફાર કરવાનું કાઇ કહે તે આપણે ઝઘડવા તૈયાર થઈએ છીએ. આ કેવી વિચિત્ર વાત છે ? મહાવીર સ્વામીએ કહ્યું કે ઘેર ઘેર કેવળી બની શકે છે એને આપણે ખ્યાલ રાખ્યો છે? તેમના જીવનની કર્મઠતા આપણે અપનાવી છે? વૈદ્ય જે પાતે ખાય છે તે રગીતે નથી આપતા. મહાવીર સ્વામીના જીવનમાં પણ તેમણે આમ કર્યું છે. તેમણે પોતે જે કઠારતમ ઉપવાસ કર્યો છે તે બધુ કરવાનું તેમણે અનુયાયીઓને કહ્યું નથી, પોતે નગ્ન રહે છે માટે ખીજા નગ્ન રહે તેમ તેમણે કહ્યું નથી. મહાવીર સ્વામીનું જીવન એક મહાન જીવન તરીકે આપણે દેખીએ છીએ, પણ તેમણે જીવન અને ધર્મ સંસ્થામાં જે પરિવર્તન આણ્યું, જે ઉપદેશ પ્રમાધ્યો અને અનેકાંત દૃષ્ટિ આણી તેને આપણે વિચાર નથી કરતા અને શ્વેતાંબર દિગ ંબરના ઝગડામાં રચ્યા પચ્યા રહીએ છીએ. અનેકાંતના વ્યવહારૂ રૂપનુ જે દર્શન તેમના જીવનમાં થાય છે
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy