________________
તા. ૧પ-૮-૪૧
સિદ્ધિ કેમ ?' આના જવાબમાં ગૌતમસ્વામી મન અને શરીરને સંબંધ સમજાવનારી એક વાત કહે છે. આ વાત જાણવા
જેવી છે. • પુંડરીક અધ્યયન.
પુડરીકિણી નગરીમાં મહાપદ્મ રાજા હતો. તેને બે પુત્ર હતા; પુંડરીક અને કંડરીક. મહાપદ્મ સાધુ ઉપદેશથી સાધુ થયા અને પુંડરીકને રાજ્ય આપવામાં આવ્યું. ઘણા વર્ષ પછી તેમને એક ગુરૂને સમાગમ થયો અને તેમને ભાન થયું કે આ રાજ્ય પણ એક વખતે છેડી જવાનું છે અને ત્યાગમાંજ સાચી સંપત્તિ છે. તેથી તેણે નાના ભાઈ કંડરીકને કહ્યું કે પિતાને હવે રાજ્ય નથી કરવું, કંડરીક રાજ્ય કરે એવી પુંડરીકે ઈચ્છા બતાવી. કંડરીકે પણ ઉપદેશ સાંભળે હતું. તેણે કહ્યું કે મેટા ભાઈ જેને અસાર માને છે તે હું શા માટે લઉં? આ વિચારથી કંડરીકે આ રાજ્ય સ્વીકારવાની ના પાડી અને પિતે જાતે દીક્ષા લેવાની તૈયારી કરી. પુંડરીકે નાનાભાઈ કંડરીકને દીક્ષાની દુષ્કરતા સમજાવી પણ કંડરીક ચળે નહિ. તેણે દીક્ષા લીધી અને અત્યંત આકરા તપ કરીને પિતાનું શરીર કૃશ કરી નાખ્યું, પુંડરીકે સાધુ થયા વગર પણ નિર્લેપભાવે કર્તવ્ય કરતા હોય તેવી રીતે રાજ્ય અમલ કર્યો. કંડરીકે ચારિત્ર તે પોળ્યું જ પણ એક વખતે વસંત ઋતુમાં અમુક આકર્ષક દેખાવ જોઈને તેમની વૃત્તિઓ ચળી; તેમને વિચાર થયેલ અને લાગ્યું કે ભાઈ રાજ્ય આપતા હતા તે લીધું હોત તે સારું હતું, પછી દુનિયાની મોજ માણી છેવટે ચારિત્ર લેત. એને ખાત્રી હતી કે ભાઈ પાસે જશે તે રાજ્ય તે જરૂર મળશે. આ વિચારથી પ્રેરાઈને તરતજ ભાઈની નગરી :રીકિણી તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચી એક બગીચામાં બે પાતાને વિશ અને ઉપાધિ ઝાડે લટકાવી દીધા. પુંડરીકને સ” વાર મળતાં એ જાતે ત્યાં આવી પહોંચ્યા. એની ચેતના તે ખૂબ ખીલેલી હતી. એણે આખો રંગ જોઈ લીધું અને એ સમજી ગયે કે ભાઈની સંસાર દશા જાગૃત થઈ છે. એટલે એણે કંડરીકને રાજ્ય કરવા આગ્રહ કરી, મંત્રીને બોલાવી તેના રાજ્યારોહણની ક્રિયા કરવા સુચના આપી દીધી અને પોતે ભાઈએ ઝાડે લટકાવેલ મુહુપત્તિ અને એ લઈને ચાલી નીકળ્યા. યંગ્ય સાધુ નજીકમાં ન મળવાને કારણે દીક્ષા ન લીધી પણ ભાવના કરતાં કરતાં ચાલી નીકળ્યા.
કંડરીકે રાજ્ય હાથમાં લીધું અને તરત જ હુકમો છોડવા માંડ્યા. ધણા વખત સુધી ભેગી નહાતા ભોગવ્યા છે કે પહેલી શરૂઆત રા, શય ખાવાથી કરી, વિષય સેવવા આખી રાત જાગરણ કર્યું અને ખૂબ ખાવા અને પીવા માંડયું. તેજ રાત્રે પેટમાં વિસૂચિકા (ભયંકર પેટનો દુખાવે) ઉપડી આવવાથી તે તેજ રાત્રે મૃત્યુ પામ્યા અને સાતમી નરકે ગયા. આવી કથા છે. આ તેમના વિષયેની તીવ્રતા બતાવે છે. વિચારપૂર્વક ત્યાગ ન હોય તે કેવાં પરિણામ આવે છે. તેને આ નમુને છે.
બીજી બાજુ પુંડરીક સત્ર દીક્ષા લેવાની ઈચ્છાથી ઝપાટા' બંધ આગળ ચાલવા લાગ્યા. તેને રસ્તામાં કાંટા કાંકરા અતિશય | વાગ્યા. પોતે થાકી ગયા. રાજભોગ અને સુંવાળા જીવનની ટેવ હોવાથી આ જાતનું જીવન તેને આકરૂં પડી ગયું, પણ એની ચીવટ ભારે હતી અને નિર્ણય દઢ હતા. તેજ રાત્રે શુભ ધ્યાન કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા. આ રીતે જેમણે
આખી જીંદગી રાજ્ય કર્યું હતું છતાં ટુંક વખતમાં તેમને 'મેક્ષ થયે, જ્યારે આખી જીંદગી સુધી મહાકષ્ટ કરી ચારિત્ર
પાળ્યું હતું તે કંડરીકને નરકમાં જવાનું થયું. આ વાત કર્યા પછી વૈશ્રમણને ગૌતમ સ્વામીએ સમજાવ્યું કે બાહ્યત્યાગની સાથે આંતરિક ત્યાગ હોય તે જ આત્મશુદ્ધિ થાય છે. બાહ્યત્યાગ એકલે હોય તે પડતાં કે લપસતાં વાર નથી લાગતી, માટે જેટલી પ્રગતિ કરવી તે વિચારપૂર્વક કરવી અને પિતાને પગ જ્યાં સ્થિર થાય ત્યાં જ રિથર કરો અને પછી આગળ વધવું.
ગાતમ સ્વામીએ પણ તાપસેને સમજણ પૂર્વકના ત્યાગનું મહત્વ સમજાવ્યું અને આ તાપસેનાં જ્ઞાનપડી આડેને પડદો દૂર કરીને ગતમ સ્વામીએ તેમને દીક્ષા આપી. પંદરસે તાપસે યોગમાં પ્રવૃત્ત થયા, તેમને વિશેષ આત્મજાગૃતિ થઇ અને તેમણે કૈવલ્ય પ્રાપ્ત થયું. તેમને ત્યાગ તે હતા, સાથે આત્મદર્શનની જરૂર હતી તે પૂરી થતાં તેઓ માર્ગ પર ચાલી ગયા.
મહાવીર સ્વામીના નિર્વાણ પછી ગૌતમસ્વામીને જ્ઞાન થયું કે મહાવીર પ્રભુ પ્રત્યેને પિતાને રાગ જ પિતાને બંધન રૂ૫ નીવડી રહ્યો હતો. આ જ્ઞાન થતાં તેમને છેલ્લે પડદે દૂર થયે અને તેઓ કેવળી પદ પામ્યા. જેનામાં વેગ જેવી ચીજ જ નથી એમ કહેવામાં આવે છે તે અણસમજ છે. અષ્ટાપદની યેાજનામાં તેની જુદી જુદી શ્રેણીઓ અને માત્રાઓ છે જેમાં અધિકાર પ્રમાણે માણસે જુદા જુદા સ્થાને ઉભા હોય છે.
આ ગની દૃષ્ટિએ આખી અષ્ટાપદની ચેજનાને ખ્યાલ કરીએ તે અનેક મહાન સત્ય નજરમાં આવે તેમ છે ગૌતમસ્વામીની ભક્તિ, તેમને ઊંડો અભ્યાસ, સત્ય સમજાય એટલે સ્વીકારની સરળતા અને જનતાના બંધ માટે અવિરત પ્રયાસ ખાસ અનુકરણ કરવા યોગ્ય છે. એમના આખા ચરિત્રમાં જૈન યુગ ડકિયાં કરી રહ્યો છે. એમાં સરળતા, સભ્યતા, અને ભક્તિ સાથે જરા પણ રાગ હોય ત્યાં સુધી સિદ્ધિ થતી નથી એની લાક્ષણિક દલીલો છે અને પ્રભુ પ્રત્યેને રાગ પણ સંસારમાં નચાવે છે એ વાતમાં ભારે રહસ્ય છે. જનતામાં આ વાતને પ્રચાર થવાની જરૂર છે. જૈન દર્શનની વિશાળતામાં-પરમત સહિષ્ણુતા, પરવિચારનું પાચન કેટલી વિશિષ્ટ રીતે સ્થાપ્યું છે તે બતાવવા માટે એના પ્રરૂપક પર અંગત રાગ ન કરવાની જે દર્શન વ્યાખ્યા કરે અને એ રણ પણ સંસારમાં રખડાવનાર થાય છે એમ બતાવે એને વૈભવ, સદ્ભાવ અને ચારિત્ર્ય આરાધનની કક્ષા કેટલી ઊંચી હશે તેને ખ્યાલ કરવા જેવું છે. આ હકીકત સમજાય તે અનેક વર્તમાન ગૂંચવણેને છેડે આવી જાય તેમ છે. ઈંદ્રભૂતિ-ગૌતમનું જીવન યુગપ્રગતિમાં દૃષ્ટાંત લેવા જેવું છે, ભક્તિ રસનો ભંડાર છે, જ્ઞાન આપવાના બેધપાઠ પૂરા પાડનાર છે અને જૈન દર્શનને એના અતિ ઉચ્ચ આકારમાં બતાવનાર છે. આપણે એ જીવનને સાર સમજી એ રીતે પ્રગતિ કરવા પ્રયત્ન કરીએ,
મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ.
મહાવીર જીવન (ગયા વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અપાએલ ચાખ્યાનના સંક્ષિપ્ત રાષ્ટ્ર)
આપણા પિતાને જે કોઈ પરિચય આપવા આવે તે આપણે પિતાના વખાણ સાંભળીને ખુશી થઈએ, પણ સાથોસાથ પરિચય કરાવવા આવનાર ધૃષ્ટતા કરે છે એ પણ જરા ખ્યાલ આવે છે. તેવી જ રીતે મહાવીર સ્વામી આપણા સૌના પ્રેરક પિતા હોવા છતાં તેમના જીવનને પરિચય કરાવવાની ધૃષ્ટતા હું કરૂ છું એમ લાગે તે ક્ષમા કરશે.