________________
૭૪
તા. ૧૫-૮-૪૧
' સંગ્રહ વાંચવાથી આ કથનની હેજે પ્રતીતિ થશે. તત્ત્વજ્ઞાની કે વિવેચકને જે અર્થગાંભીર્ય અને સત્ય ઉપનિષદમાંથી ન મળે તે રવીન્દ્રનાથે પોતાનાં જાતિ અનુભવથી તેમાં જોયું છે. ઉપનિષદનાં એક એક મંત્ર લઈને તેનું અદ્ભુત સત્ય આપણને બતાવ્યું છે. દાખલા તરીકે જગતમાં દુઃખ છે, પાપ છે, અનિષ્ટ છે તેની સમાલોચનાં કરતાં રવીન્દ્રનાથ કહે છેઃ
પરંતુ ખરે પ્રશ્ન આપણે પૂછવો જોઈએ તે એ છે કે અપૂર્ણતા એ સૃષ્ટિનું અન્તિમ સત્ય છે ખરું? શું પાપ નિરપેક્ષ હોઈ છેવટનું લક્ષ્ય છે? નદીને પણ તેની સીમા તથા તેના કીનારા હોય છે; પરંતુ કીનારાને કાંઈ નદી કહેવાશે? અથવા તો નદીનું અન્તિમ સત્ય તેના કીનારાઓમાં સમાયેલું છે એમ કહી શકાશે ખરું ? સરિતાના પ્રવાહને નડતા અન્તરા જ તેના જળને આગળ વહેવાની ગતિ આપતા નથી ને? વળી નાવડીને પ્રવાહમાં ખેચવાનું દોરડું તેની સાથે બાંધવામાં આવે છે. પરંતું તેથી તે બંધન હાનિકારક છે એમ માનવું ખરું ગણાશે? એ બંધન વડે નાવડી આગળ ખેંચાતી નથી વારૂ? સરિતાની પેઠે સૃષ્ટિનું અસ્તિત્વ પણ ન હતી. પરંતુ એ પ્રવાહને હેતુ તેની સીમાઓમાં નહિ પરંતુ પૂર્ણતા પ્રત્યે તેની ગતિમાં સમાયેલું છે.
પાપ સ્થાયી છે-તે ગતિ વિનાનું હોઈ એક જ સ્થળે થંભી રહ્યું છે-એવું કલ્પીને આપણે તેની અગત્ય વધારી મુકીએ છીએ. સૃષ્ટિમાં દરેક મીનીટે થતા મરણના તથા ગંદકીના પરિણામે ઉત્પન્ન થતી કેરી કહેવાની ગણતરીના આંકડા ભેગા કરીએ તે આપણે હબકી જઈશું. પરંતુ પાપ હંમેશાં ગતિમાન હોય છે. તે ગમે તેટલું અપાર અને અગણિત લાગે છતાં આપણા જીવનના પ્રવાહને રૂંધી નાંખવામાં તે કદિ સફળ થ', શકતું નથી અને આપણે જોઈએ છીએ પણ ખરા ?' સર્વે અનિષ્ટ હોવા છતાં સુંદર અને શુધ્ધ પૃથ્વી, પાણી તથા હવા માણસને મળી શકે છે.”
જગતમાં દુ:ખ, પાપ, અસત્ય, હિંસા, વેર ઝેર, વગેરે છે તેને રવીન્દ્રનાથ ઇન્કાર નથી કરતા, પણ તે બધાં જીવનનાં અંતિમ સત્ય નથી તેમ તેમનું કહેવું છે. અંતિમ સત્ય તો મંગળમય પ્રેમ છે, “નંદ છે, શાન્તિ છે. ઈશ્વરમાં તેમને ગાંધીજી પડે, પૂર્ણ શ્રદ્ધા હતી. જગતમાં અને સત્યને જ વિજય છે, પ્રેમને જ વિજય છે તેમાં તેમને કોઈ શંકા ન હતી. તેથી જ, સંસ્કૃત સાહિત્યની પેકે, તેમની કઈ કૃતિ કરૂણાન્ત નથી, સાહિત્ય અથવા કલાની કૃતિ જીવનનું સત્ય રજુ કરે છે, તેથી તે કરૂણાન્ત ન જ હોય. કરૂણાન્ત કૃતિ એટલે દુઃખ, પાપ અને અસત્યને વિજય. તેને અંતિમ સત્ય તરીકે સ્વીકારવું સંસ્કૃત કવિઓ પેઠે, રવીન્દ્રનાથને તે માન્ય નથી.. રવીન્દ્રનાથ સાચા ભકત હતા. તેમનાં કાવ્યે ભકિતરસ ભરપૂર છે.
રવીન્દ્રનાથે જેમ રામાયણ-મહાભારત અને ઉપનિષદોમાં રહેલ ભારતને આમાં આપણને પિતાના અનુભવથી સમજાવ્યું તેવીજ રીતે ભારતના સાહિત્યને સાચ્ચે આમા પણ સમજાવ્યું છે. કાલીદાસ કે બાણભટ્ટના ટીકાકારો ઘણા થઈ ગયા પણ રવીન્દ્રનાથ પેઠે તેમનું હાર્દ કોઈ કવિ સમજે નથી તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. વીન્દ્રનાથના આર્યહુદયે આર્યષ્ટિએ સંસ્કૃત સાહિત્ય જોયું અને સંસ્કૃત કવિનું હૃદય કેવું છે, હિંદુ
સ્થાનને ઇતિહાસ કયે પુરૂષાર્થ લઈ બેઠા છે એ બધું બતાવી. દીધું. મેઘદૂત, કુમારસંભવ, શાકુન્તલ, અને કાદમ્બરી ઉપરના તેમનાં લેખે અદ્દભૂત છે. કાલિદાસ સૌન્દર્યસભોણના જ કવિ છે એવી સામાન્ય માન્યતા છે. રવીન્દ્રનાથે બતાવ્યું કે
કાલીદાસનાં સૌન્દર્યમાં ભગવૈરાગ્ય સ્થિર રહેલો છે. કાલિદાસ એકી વખતે સૌન્દર્યભેગના અને ભેગવિરતિના કવિ છે. જગતના કોઈ કવિએ જે નથી કર્યું તે કાલિદાસે કર્યું છે-લગ્નને મહિમા ગાયો છે. રવીન્દ્રનાથ લખે છે –
“લગ્ન એ દૈનિક સંસારની ભૂમિકા છે. તે નિયમબદ્ધ સમાજનું અંગ છે. લગ્નનું સીધું લક્ષ્ય કેવળ એટલું જ છે કે મનુષ્યની પ્રબળ વૃત્તિઓને અંકુશમાં રાખવાને એક ભારે સંયમરૂપ તે બને. તેથી અત્યારના કવિઓ લગ્નવ્યાપારને તેમના કાવ્યમાં મોટું રૂપ આપવા ઈચ્છતા નથી. જે પ્રેમ ઉદાસ વેગથી નરનારીને તેમનાં ચેમેરનાં બંધનોથી મુક્ત કરી નાખે, તેમને સંસારના લાંબા કાળના ચીલામાંથી ઉપાડી બહાર કાઢે, જે પ્રેમના બળે નરનારી પિતામાં પિતાને પરિપૂર્ણ ધારે, એમ ધારે કે સારી આલમ સામે થઈ જાય તે પણ અમને કાંઈ ભય નથી, કોઈ અભાવે નથી; જે પ્રેમના જેશમાં તેઓ પોતાના મંડળથી છુટા પડી જઈ પુર વેગમાં સડસડાટ ચાલ્યા જતા ગ્રહની માફક, પિતાનાં તરફનાં બંધનોથી મુક્ત થઈ પિતાનામાંજ મસ્ત થઈ રહે તે પ્રેમ મુખ્યત્વે કાવ્યને વિષય હોય છે.
કાલીદાસે અનાહૂત પ્રેમના તે ઉન્મત્ત સૌન્દર્યની ઉપેક્ષા કરી નથી. તેને તેમણે તરૂણ લાવણ્યના ઉજજવલ રંગેજ ચીતર્યો છે. પરંતુ આ અતિ ઉજ્જવલતામાં જ તેમણે પોતાના કાવ્યને સમાપ્ત કર્યું નથી. જે પ્રશાન્ત વિરલવણું પરિણામ તરફ તેઓ પિતાના કાવ્યને પહોંચાડે છે, ત્યાં જ તેમના કાવ્યનું અન્તિમ લક્ષ્ય છે. મહાભારતમાં સક્લ પ્રવૃત્તિનો જેમ મહાપ્રસ્થાનમાં અન્ત * આવ્યો છે, તેમજ કુમારસંભવના સમસ્ત પ્રેમને જોશ મંગળ મીલનમાંજ શમી જાય છે.”
“જે પ્રેમને કાંઇ બંધન નથી, કોઈ નિયમ નથી, જે એકદમ નરનારી ઉપર આક્રમણ કરી સંયમદુર્ગના તૂટેલા બુરજ ઉપર પિતાની જયધ્વજ ફરકાવે છે તેની શક્તિને કાલીદાસે સ્વીકાર કર્યો છે, પરંતુ તેની આગળ તેઓ આત્મસમર્પણ કરતા નથી. તેમણે બતાવી આપ્યું છે કે જે અંધ પ્રેમસંગ આપણને આપણા અધિકાર વિષે પ્રમત્ત બનાવે છે તે ભર્તાના શાપથી ખંડિત થાય છે, રૂષિના શાપથી વિદ્મ પામે છે અને દૈવરેષથી ભસ્મસાત થઈ જાય છે. શકુન્તલાને જ્યારે આતિથ્ય ધર્મ કાંઇ નહિ, સઘળું દુષ્યન્તજ -એમ થયું ત્યારે તેના પ્રેમમાં કાંઈ કલ્યાણ રહ્યું નહિ. જે ઉન્મત્ત પ્રેમ પ્રિયજન સિવાય બીજા સૌને ભૂલી જાય છે તે સમસ્ત વિશ્વનીતિને પિતાથી પ્રતિકલી કરી નાખે છે. સઘળાની સામે સ્વપર્યાપ્ત થઈ પછી પિતાને ભાર તે ઉપાડી શકતો નથી. જે આત્મસંવૃત્ત પ્રેમ સમસ્ત સંસારને અનુકુળ છે, જે પિતાની આસપાસનાં નાનાં તેમજ મોટાં, પિતાનાં તથા પારકાં કોઈને વિસાર નથી, જે પ્રિયજનને કેન્દ્ર સ્થળે રાખીને વિશ્વપરિધિમાં પિતાનું મંગળ માધુર્ય ફેલાવે છે તેના અચલપણા ઉપર દેવ કે દાનવ કિઈ આધાત કરતું નથી. આઘાત કરે તો પણ તેથી ચલિત થતો નથી. પરંતુ જે યતિના તપોવનમાં તપભેગરૂપે, ગૃહસ્થના બારણે સંસારધર્મના અકસ્માત પરાભવરૂપે આવીÉત થાય છે તે ઝંઝાવાતની માફક અન્યનો તો નાશ કરે છે જ, પરંતુ સાથે પોતાના વિનાશને તેડતા આવે છે.”
પણ રવીન્દ્રનાથે માત્ર ભારતને આત્મા પિછાને અને આપણને બતાવ્ય એટલું જ નથી. અત્યારનાં હિન્દુ સમાજમાં જ્યાં જ્યાં તેમને જડતા. સ્થિતિચુસ્તતા, અસહિષ્ણુતા જણાઈ તેને તેમણે સખ્ત રીતે વખોડી છે અને તેને આપણી અવનતિનું કારણ બતાવ્યું છે. તેમની નવલકથા “ગ” અને નાટક “અચલાયતનમાં