SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૮-૪૧ પ્રભુધ જૈન ગુરૂદેવ ટાગાર કવિસમ્રાટ રવીન્દ્રનાથ ટાગોરના અવસાનથી ભારત વર્ષેજ નહિં, પણ જગતે એક મહાન વિભૂતિ ગુમાવી છે. તે તે પરિપકવ વયે કૃતકૃત્ય થને ગયા અને જગતને અણુમેલ વારસા આપી ગયા. ટાગોરને સાક્ષાત જોયા ન હેાત તા પૂર્વનાં આપણાં ઋષિમુનિ વેદવ્યાસ, વાલ્મીકી, વસિષ્હ-વગેરે કેવા હશે તેની કલ્પના આપણને આવી ન શકત-જેમ ગાંધીને જોયા ન હાય તા` પયગમ્બર ભગવાન મહાવીર, બુદ્ધ, ક્રાઇસ્ટ કેવા હશે તેની કલ્પના આપણને ન આવે. ટાગેર્ ખરેખર ઋષિ હતા. તેમના વિરાટ આત્માને અનુરૂપ ભગવાને તેમને ભવ્ય અને દૈદિપ્યમાન દેહ્ર આપ્યા હતા. ટાગોર ભારતના મૂર્ત્તિમ ત આત્મા હતા, આર્યસંસ્કૃતિનાં સાચા પ્રતિનિધિ હતા. રામેન રેલાંએ ટાગાર અને ગાંધીજીને ભારતની ગાયમુના સાથે સરખાવ્યા છે. ગાંધીજીમાં ભારત વર્ષની વીતરાગતા અને કર્મયોગ મુર્તિમંત થયાં છે. ટાગેરમાં આર્યસંસ્કૃતિનું સમસ્ત કાવ્ય, તેની રસિકતા, સંસ્કારિતા અને ઉન્નત ધર્મભાવના મુમિત થયા હતા. ગાંધીજી અને ટાગેારની સાધના જુદી હતી પણ બન્નેનું સાધ્ય એક જ હતું. કારણ કે બન્ને એક જ સંસ્કૃતિનાં સાચા વારસદાર હતા. ગાંધીજીએ ટાગોરને ગુરૂદેવ કહ્યાં તેમાં જરાય અતિશયોકિત નથી. ભારતના અને જગતના સાચા ગુરૂદેવ તે હતા. ટાગાર જગતના એક સર્વશ્રેષ્ઠ કવિ હતા તેટલુ કહેવામાં તેમના સાચા ખ્યાલ આપણુને ભાગ્યે જ આવે. એમણે ઉતમ કવિતા લખી એટલું જ તેમનામાં હાત તે સમસ્ત જગતે તેમને જે ભાવભરી અને ભક્તિભરપૂર નિવાપાંજલિ અર્પી છે તે અતિશયોક્તિ ગણાત. કવિના સાચા અર્થ દૃષ્ટા છે. આપણને અગમ્ય અને અગાચર છે તેને કવિને અનુભવ છે અને આપણને તેના અનુભવ તે કરાવે છે. રવીન્દ્રનાથ દૃષ્ટા હતા. ટાગોર કુટુમ્બના સંકાઓનાં સંસ્કારા તેમને વારસામાં મળ્યા હતા. ટાગાર કુટુએ ભારતને શું નથી આપ્યું ? મહર્ષિ જેવા સમર્થ તત્ત્વના અને સુધારક, અવનીન્દ્રનાથ ટાગર જેવા મહાન કળાકાર ટાગોર કુટુંબમાં થઇ ગયા. રવીન્દ્રનાથે સાધના'ની પ્રસ્તાવનામાં કહ્યું' છે કે ‘હું એક એવા કુટુમ્બમાં ઉછર્યાં છું કે જ્યાં ઉપનિષદનાં ભત્રા હંમેશા પૂજા સમયે ગુંજી રહેતા; જ્યાં મારી સમીપ મારા પિતાશ્રીનું દૃષ્ટાંત હતુ` કે જેમણે પોતાનું લાંબું આયુષ્ય સતત ઇશ્વરના સાન્નિધ્યમાં વિતાવ્યું અને છતાં સ'સાર પ્રત્યેની પેાતાની કુજમાં ચુકયા નહિ અથવા માનવહિતામાં પેાતાનો રસ જરાય ઓછા થવા દીધા નહિ." આર્ય સંસ્કૃતિનાં ઉત્તમતત્ત્વો રવીન્દ્રનાથના જીવનમાં તાણાવાણા પેઠે વણાઇ ગયા હતા. ધમ્મપદ'ની પ્રસ્તાવનામાં ભારત વર્ષના ઇતિહાસ વિષે લખતાં રવીન્દ્રનાથ કહે છેઃ- ભારત વર્ષે જો કદી એક રાષ્ટ્રનેશન બનવાના પ્રયત્ન કર્યાં હાત તા તેના ઇતિહાસ માટે સારાં અને મેટાં મેટાં સાધના મળી શકત અને ઇતિહાસકારેાનું કામ ઘણે દરજ્જે સહેલું થાત. પરંતુ આમ કહેવામાં અમે કબુલ નથી કરી લેતા કે ભારતવર્ષે પેાતાના ભૂતને અને ભવિષ્યને અમુક એક સૂત્રથી ગુંથી રાખ્યું નથી. તે સૂત્ર સુક્ષ્મ છે, પરંતુ તેનું બળ સાધારણ નથી. તે સ્થૂલ રૂપે દેખા શકાતુ નથી. તેણે સત્ર ભેદ વિનાની એકતા સ્થાપી છે એવુ નથી, પરંતુ સઘળા ભેમાં અને અસમાનતામાં ઉડે ઉડે એક મૂલગત અપ્રત્યક્ષ સંબંધસૂત્ર તેણે બાંધી રાખ્યુ છે. તેથી મહાભારતમાં વર્ણવેલું ભારત અને વર્તમાન ભારત જુદી જુદી અને મહત્વની બાબતમાં મિત્ર હાવા છતાં ઉભયની નાડીનેા સંબંધ તુટયે નથી. તે સબધજ ભારતવર્ષની ખીજી સર્વ બાબતા કરતાં સાથેા છે અને તે સબંધના ઇતિહાસ તે જ ભારતવર્ષને યથાર્થ ઇતિહાસ છે. તે સંબધ શાને લખ્તે છે ? પહેલાંજ કહી ગયા કે રાષ્ટ્રીય સ્વાર્થને ७३ રવીન્દ્રનાથ ટાગેાર : કે. એન્સ્ટાઇન. લઇને નથી. એકજ શબ્દમાં કહેવુ હાય તા કહી શકાય કે ધર્મને લઇને ........ “ પાલીટીકસ’ અને તેશન'ના ઇતિહાસ જેમ યુરોપને ઇતિહાસ છે તેમજ ધર્મના ઇતિહાસ તેજ ભારતવર્ષના ઇતિહાસ છે, ‘પોલીટીકસ' અને ‘નેશન’ એ શબ્દોનો કે તેની ભાવનાને જેમ આપણી ભાષામાં અનુવાદ થઇ શકતા નથી, તેમ ધ’ શબ્દ માટે યાગ્ય શબ્દ યુરેાપતી ભાષાઓમાં શેાધ્યા જડતો નથી. તેથીજ ધર્મને અંગ્રેજી ‘રીલીજીયન’ રૂપે માનવામાં આપણે અનેકવાર ગાથાં ખાઇએ છીએ; તેમ જ ધર્મની ભાવનામાં એકતા છે એ વચન સ્પષ્ટ સમજાતું નથી. ' તે જ પ્રસ્તાવનામાં તેઓ કહે છે કે તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આત્મા–અનાત્માના વિચાર કરનારા ભિન્ન સંપ્રદાયા ભારતમાં છે પણ તે દરેકની સાધના–વન સાધના–તે એકજ રહી છે અને તે છે તપ, ત્યાગ અને સ ંયમની. રામાયણની–પ્રસ્તાવનામાં તેમણે કહ્યું છે રામાયણ મહાભારતમાં ભારતવર્ષના ચિરકાલના ઇતિહાસ છે. અન્ય ઇતિહાસ કાળે કાળે બદલાયા છે પણ આ ઇતિહાસ બદલાયો નથી. ભારતવર્ષની જે સાધના, જે આરાધના અને જે સંકલ્પ છે તેને જ મતિહાસ આ એ વિપુલ કાવ્યપ્રસાદનાં ચિરકાલનાં સિંહાસન ઉપર બિરાજમાન છે.” 1of રામાયણ-મહાભારત એ ભારતના સમસ્ત જનસમૂહની કથા છે. ભારતવર્ષે રામાયણ-મહાભારતમાં પોતાની કાઇ બાબત પ્રકટ કરવી બાકી રાખી નથી. તેથી જ એ બન્ને મહાકાવ્યામાં માત્ર કવિના જ નહિ પણ ભારતવર્ષને પરિચય થાય છે. રામાયણનાં અનુષ્ટુપ્ છ ંદમાં ભારતવષઁતું હૃદય સહસ્ત્ર વષૅ થયાં ધબકી રહ્યું છે. ભારતવર્ષના આત્મા જેમ રામાયણ-મહાભારતમાં છે. તેમ ઉપનિષદોમાં છે. રવીન્દ્રનાથે ઉપનિષદના મંત્રા કાઇ તત્ત્વજ્ઞાની પંડિત કે વિવેચકની દૃષ્ટિએ નિહાળ્યાં નથી. તેમને તે તેમાં જીવનનાં ઉચ્ચત્તમ સત્યને અનુભવ થયો છે. 'સાધના'ના તેમને લેખ
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy