SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 'પ્રબુદ્ધ જૈન તા. ૧-૮-૪૧ - કેટલાક સમાચાર અને નોંધ. ' : ' (પુષ્ટ ૬૩ થી ચાલુ) છે. પણ આ દાવો જરા પણ વજુવાળા નથી. શ્રી. અણેની કેટલાય સમયથી દુધ દહીં જેવી સ્થિતિ ચાલ્યા જ કરતી હતી અને કોંગ્રેસમાં તેમને કહ્યું મહત્વનું સ્થાન નહતું. શ્રી. અણે સિવાય ઉપરની નિમણુંકમાં એક પણ કેગ્રેસને માણસ સરકારને મળી શક્યો નથી એ કોગ્રેસને અખંડ શિસ્ત અને અખંડ અસહકાર સિદ્ધ કરે છે. બીજી બાજુએ મેસ્લમ લીગની અસહકારની નીતિ મજુદ હોવા છતાં બંગાળ, આસામ અને પંજાબના મુખ્ય પ્રધાને મેસ્લમ લીગના સરમુખત્યાર નામવર ઝીણુને જરા પણ પુછયા કર્યા સિવાય નવી રક્ષણ સમિતિમાં દાખલ થયા છે. આ ઉપરાંત છતારીના નવાબ તથા બેગમ શાહનવાઝ પણુ એ સમિતિમાં જોડાયા છે. વળી સર સુલતાન અહમદ વાઈસરેથની કારોબારીના સભ્ય બન્યા છે. સિંધના મુખ્ય મંત્રી અલાબક્ષ પણ રક્ષણ સમિતિમાં નિમાયા છે અને હૈદરાબાદના મુખ્ય પ્રધાન સર અકબર હૈદરી કારોબારી સભાના સભ્ય થયા છે. આ મેસ્લમ લીગને અને કાયદે આઝમ ઝીણાને મેટામાં મોટો ફટકો છે. નામદાર ઝીણુ આ બધા સામે શિસ્તનાં પગલાં ભવાને વિચાર કરી રહ્યા છે. પણ આજની પરિસ્થિતિમાં ઝીણાની અને લીગની દશા સામે છછુંદર ગળ્યા જેવી થઈ છે. શિસ્તભંગની ઉપેક્ષા કરવી પણ પરવડે નહિ અને તે સંબંધમાં પગલાં લેવા જતાં લીગમાં મોટું ભંગાણ પડે. કોઈ પણ રીતે ઝીણુના વર્ચસ્વને અન્ન આવે તે જ આજની કઢંગી રાજકીય પરિસ્થિતિને અને હિંદુ-મુસલમાન-ઐક્યના પ્રશ્નને સુખદ નિકાલ આવવાની આશા રહે. ગુજરાત-કાઠિયાવાડ-જલસંકટનિવારણ ફંડ છેલ્લી અતિવૃષ્ટિએ ગુજરાતમાં પાર વિનાને અનર્થ નિપજાવ્યું છે અને કાઠિયાવાડના કેટલાક ભાગોમાં પણ ઠીક ઠીક નુકસાન થયું છે. આ બાબતમાં ગુજરાત પ્રાન્તિક સમિતિની વતી શ્રી. મહાદેવ દેસાઈએ પાંચ લાખ રૂપીઆની માંગણી કરી છે અને મુંબઈ અમદાવાદમાં તેનો ફાળો શરૂ થઈ ગયો છે. શ્રી મહાદેવભાઈના છેલ્લા નિવેદન મુજબ મુંબઈમાંથી દેઢ લાખ રૂપીઆ લગભગ એકઠા થયા છે. પાંચ લાખની માંગણી પણ આફતગ્રસ્ત લોકોને જરૂરી રાહત પહોંચાડવાની દૃષ્ટિએ બહુ જ ઓછી છે. મુંબઈ તેમ જ ગુજરાતના ધનિકે આજે ખૂબ ધન કમાઈ રહ્યા છે. જ્યારે તેમને ત્યાં ધનને પ્રવાહ વહી રહ્યો છે ત્યારે અન્યત્ર કેટલાય લોક ઘરબાર અને ઢોરઢાંખર વિનાના થઈ બેઠા છે. ધનવાનને તેમજ સાધારણ સ્થિતિના માને મહાદેવભાઈની માંગણીને પહોંચી વળવાની દિશાએ બને તેટલી પુરવણી કરવા આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ છે. અશોક મહેતા પુનઃ જેલવાસી. - શ્રી. અશોક મહેતા તાજેતરમાં જ પોતાની શિક્ષાની મુદત પુરી કરીને જેલમાંથી છુટયા અને સરકારે તેમને હિંદી સંરક્ષણ ધારાં નીચે ફરીને પકડીને જેલવાસી બનાવ્યા છે. જેણે દેશની આઝાદીને જીવન અર્પણ કર્યું છે તેના નસીબે જીવનને મોટો ભાગ એક યા બીજા કારણે જેલમાં જ પુરા કરવાનું લખાયેલું હોય છે. જે સ્થિતિ અને દશા પંડિત જવાહરલાલ જેવા આગેવાનની છે તે જ સ્થિતિ અને દશા અશાંક મહેતા જેવા એક વફાદાર સૈનિકની પણ હોય એ સ્વાભાવિક છે. શ્રી. અશોક મહેતાને દેશના નવજવાનાં અભિનન્દન અને હાદિક સહાનુભૂતિ ઘટે છે. ન્યાયમતિ એમ. સી. છાગલા. શ્રી. એમ. સી. છાગલાની હાઇકોર્ટના ન્યાયમૂર્તિના સ્થાને નિમણુંક થઈ છે. એમ. સી. છોગલા એક સરસ સજન, સંસ્કારશીલ અને રાષ્ટ્રવાદી મુસલમાન છે. તેથી તેમની આવા ઉંચા સ્થાને થયેલી નિમણુંક આવકારદાયક બને છે.. શ્રી. કપિલા ખાંડવાળા-સ્કૂલ્સ કમીટીના સેકેટરી. મુંબઈની મ્યુનીસીપલ સ્કુલ્સ કમીટીના સેક્રેટરીના પદ ઉપર કુમારી કપિલા ખાંડવાળાની ચુંટણી કરવામાં આવી છે. મુંબઈની કુલ્સ કમીટીના સેક્રેટરીને મુંબઈની મ્યુનીસીપાલીટી મારફત ચાલતી સંખ્યાબંધ નિશાળે સંભાળવાની હોય છે. આવા મહત્વના સ્થાન ઉપર એક બહેનની નિમણુંક થવાને આ સૌથી પહેલે જ પ્રસંગ છે. આ માટે શ્રી. કપિલા બહેનને ગુજરાતી જનતાના ખૂબ ધન્યવાદ ઘટે છે. આશા રાખીએ તેમના જેવી શક્તિશાળી બહેન મ્યુનીસીપાલીટીની રૂઢિગ્રસ્ત શિક્ષણ પદ્ધતિમાં મહત્વના ફેરફારો કરવામાં સફળ બને. શ્રી. મહાદેવ હરિભાઈ દેસાઈ મુંબઈ જન યુવક સંઘની મુલાકાતે. શ્રી. મહાદેવ હરિભાઈ દેસાઈ જળપ્રલય ફાળા નિમિત્તે મુંબઈમાં હોવાથી સંધની કચેરીમાં આવવાનું તેમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તે નિમંત્રણને માન આપીને તેઓ સંઘની કચેરીમાં આવ્યા હતા અને એકત્ર થયેલા ભાઈઓ તથા બહેને સાથે તેમણે એક કલાક સુધી આજના અહિંસાના પ્રશ્ન ઉપર બહુ બેધદાયક વાર્તાલાપ કર્યો હતો જેની વિગત હવે પછીના અંકમાં આપવામાં આવશે. પ્રો. જે. પી. ત્રિવેદી સ્મારક પૂનામાં ગુજરાતને જીવતું રાખનાર મહાગુજરાતી સ્વ. છે. જે. પી. ત્રિવેદીના સ્મારક તરીકે પૂનામાં “કે. જે. પી. ત્રિવેદી સ્મારક સંસ્થા” નામનું એક મકાન ઉભું કરી તેમાં ગુજરાતી બંધુ સમાજનું પુસ્તકાલય, સભાગૃહ અને એ શહેરમાં ટુંક સમય માટે રહેવા ઈચ્છનાર ગુજરાતીઓ માટે એક નિવાસસ્થાનને સમાવેશ કરવાની એક પેજના બહાર પડી છે. પ્રે. ત્રિવેદીના મિત્રો અને પ્રશંસકે આજે ગુજરાત તેમ જ ગુજરાત બહાર અનેક છે. પ્ર. ત્રિવેદીએ પુનામાં વસીને મહારાષ્ટ્રમાં ગુજરાતને ઉજળું બનાવ્યું છે. તેમના સૌજન્ય અને સેવાપરાયણતાની જોડ આજે ગુજરાતભરમાં મળવી મુશ્કેલ છે. પ્રસ્તુત લેજનાને ગાંધીજીના આશીર્વાદ છે અને એ પેજના અનેક પ્રતિષ્ઠિત ગૃહની સહીથી બહાર પાડવામાં આવી છે. યોજનાની કલ્પના ત્રિવેદી સાહેબની જીવનભાવનાઓને સર્વથા અનુરૂપ છે. આ યોજના પાર પાડવા માટે ઓછામાં ઓછો રૂા. ૭૫૦૦૦થે જોઈએ. પ્રે. ત્રિવેદીની સ્નેહસુવાસથી પરિચિત સૌ કોઈ ભાઈ બહેનને પિતાને યથાશકિત ફાળે સ્મારક ફંડ સમિતિના કોષાધ્યક્ષ “શેઠ શ્રી ગોવર્ધનદાસ વીફૂલદાસ સાંકળચંદ, ૨૨૦ રવિવાર પેઠ, પૂના ૨' એ સરનામે મેકેલી આપવા વિનંતિ કરવામાં આવે છે. પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા. ગયા વર્ષે કલકત્તાના યુવક કાર્યકર્તાઓએ પહેલી વહેલી પણું વ્યાખ્યાનમાળા યોજી હતી અને અનેક સુપ્રસિદ્ધ વિહાનોનાં વ્યાખ્યાનો ગોઠવ્યાં હતાં. ત્યાંની જન તેમજ જૈનેતર જનતાએ આ વ્યાખ્યાનોમાં સારો રસ લીધું હતું. એ વ્યાખ્યાનને સંગ્રહ તાજેતરમાં કલકત્તાના તરૂણું જૈન સંઘ તરફથી પ્રગટ કવામાં આવેલ છે. આ બધાં વ્યાખ્યાનો હિંદી ભાષામાં લખાયેલાં છે. આ સંગ્રહમાં પંડિત સુખલાલજી, મહાત્મા ભગવાનદીન, ગણનવિહારી મહેતા. જૈનેન્દ્ર કુમાર, ડ. કાલીદાસ નાગ, ૫, દરબારીલાલજી, શ્રી સતીશચંદ્રદાસ ગુપ્ત, શ્રી હીરાકુમારી દેવી. કાકાસાહેબ કાલેલકર, પં. હજારી પ્રસાદ ત્રિવેદી આદિ વિધાનનાં વ્યાખ્યાનો સમાવેશ થાય છે. પ્રત્યેક લેખ વિચારપૂર્ણ માહીતીથી ભરેલો છે તેની કીંમત આઠ આના રાખવામાં આવી છે. જેને ખપ હોય તેણે “મંત્રી. તરૂણું જૈન સંઘ, ૪૮, ઇન્ડીયન મીરર સ્ટ્રીટ કલકત્તા” એ સરનામે પત્ર લખીને મંગાવી લે. પરમાનંદ.
SR No.525926
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1941 Year 02 Ank 18 to 24 - Ank 20 and 21 is not available and Year 03 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy